Skip to main content

જુગનાથની ભારત મુલાકાત

મોરેશીયસના ફરી ચૂંટાયેલા પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથની ગયા અઠવાડિયાની ભારત મુલાકાત દર્શાવે છે કે, બંને દેશો દ્વિપક્ષીય અને સાંસ્કૃતિક સંબંધોને કેટલું મહત્વ આપે છે. મોરેશીયસની કુલ 13 લાખ લોકોની વસ્તીમાંથી બે તૃતિયાંશથી વધુ લોકો ભારતીય મૂળના છે. બંને દેશો સલામતી, આર્થિક તેમજ વિકાસ અંગેની બાબતમાં એકબીજાની પડખે ઉભા રહેવાની નૈસર્ગિક પકૃતિ ધરાવે છે.

આમ તો શ્રી જગનાથની આ મુલાકાતને ખાનગી ગણાવાઇ હતી તેમ છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું હૈદરાબાદ હાઉસ ખાતે સ્વાગત કર્યું હતું. જે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા મહાનુભાવો માટેનું મુલાકાત સ્થળ છે.

બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરવાની એકબીજાને ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સલામત, સ્થિર અને સમૃદ્ધ દેશ બનાવવાની મોરિશીયસની આકાંક્ષાને પૂર્ણ કરવા ભારતનો ટેકો જાહેર કર્યો હતો.

ભારતના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મોરિશયસને સક્ષમ બનાવવામાં ભારત મોરેશિયસની સરકાર અને લોકોને સંપૂર્ણ સહકાર આપશે. પ્રધાનમંત્રી શ્રી જુગનાથે મોરિશયસના સૌ પ્રથમ મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સ્પેશ્યાલાઇઝડ આંખ-નાક ગળાની હોસ્પિટલ તેમજ અન્ય સામાજિક ગૃહનિર્માણ જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં ભારત દ્વારા કરાયેલા સહાયની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રી જુગનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, મોરેશીયસના સર્વાંગી વિકાસને વેગ આપવા અને ભારત સાથે સહયોગ વધારવો એ તેમની નવી સરકારની પ્રાથમિકતા રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે, ભારત આ પ્રયત્નમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ચૂંટણીમાં વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જુગનાથને ટેલિફોનથી અભિનંદન આપ્યા હતા અને વહેલી તકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રી જુગનાથના પક્ષ મિલિટેંટ સોશીયાલીસ્ટ આંદોલને સંસદમાં બહુમતી મેળવ્યાના લગભગ એક મહિના પછી પ્રધાનમંત્રી જુગનાથે તેમની પત્ની સાથે ભારતની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ મોરિસિયસના પૂર્વ પ્રધાનમંત્રી અનિરૂદ્ધ જુગનાથના પુત્ર છે.

શ્રી પ્રવિણ જુગનાથ તેમના નાગરીકોના હિતોનો વારસો આગળ લઇ જશે. આ નાગરીકોમાં મોટાભાગના લોકો ભારતીય મૂળના છે અને લગભગ બે સદી પહેલા મોરેશિયસ જઇ વસેલા છે. આજે આ ભારતીય મૂળના લોકો વ્યુહાત્મક રીતે અગત્યના એવા દ્વિપના ગૌરવપૂર્ણ નાગરીકો છે. બધી જ મોટી સત્તાઓ આ વ્યુહાત્મક રીતે અગત્યના એવા દેશ સાથે મજબૂત સંબંધો ઇચ્છે છે. મોરેશીયસના નાગરીકોએ હંમેશા ભારત સાથે મજબૂત સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે અને ભારતના વ્યૂહાત્મક હીતોનું રક્ષણ અને પ્રચાર અંગે કાળજી રાખી છે.

યુરોપના સંશોધકોએ મોરિશિયસને હિંદ મહાસાગરનું ચાવીરૂપ ગણાવ્યું છે. યુરોપ દેશો યુરોપ અને ભારત વચ્ચે સંચાર માટેના દરિયાઇ માર્ગો સુરક્ષિત કરવા આ વિસ્તારમાં પગદંડો જમાવવા સ્પર્ધા કરી રહ્યા છે. અહીં નોધવું રહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં પોર્ટ લુઇસની લીધેલી મુલાકાત દરમિયાન હિંદ મહાસાગર અંગે તેમની વ્યૂહરચના વિશે વાત કરી હતી.

મોરેશિયસ સીધા વિદેશી રોકાણનો ટોચનો સ્ત્રોત છે અને માટે ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

આફ્રિકન યુનીયન, ઇન્ડિયન ઓશન રીમ એસોસીએશન અને હિંદ મહાસાગર પંચનો સભ્ય હોવાના કારણે મોરેશિયસ, આફ્રિકા ખંડ અને હિંદ મહાસાગર કાંઠાના દેશોમાં ભારતના વ્યુહાત્મક અને આર્થિક હિતોને મજબૂત કરવાની ક્ષમતા ધરાવે છે.

બંને દેશો એકબીજાના અર્થતંત્ર અને સુરક્ષા હિતોને આગળ ધપાવવામાં ભાગ ભજવી શકે છે, તેને ધ્યાને રાખી મોરેશિયસ તથા ભારતના પ્રધાનમંત્રીઓએ બહુસ્તરીય દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા અને નવા જોડાણો માટે નવતર અભિગમ અપનાવવા અને પરસ્પર હિતો અને પ્રાથમિક આધારિત સંમતિ દર્શાવી છે.

પ્રધાનમંત્રી જુગનાથની આ ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક સંબંધોને વધુ મજબુત બનશે.

લેખક- રણજીતકુમાર વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...