ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિને ‘અટલ ભૂજળ યોજના’ નામની મહત્વાકાંક્ષી જળવ્યવસ્થાપન યોજના જાહેર કરીને ભારતે લાખો લોકોને પાણી સંબંધિત તકલીફોમાંથી બહાર કાઢવાનો તેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હકીકતમાં પાણીની અછતના નિવારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજીવાર સત્તા સંભાળ્યા પછી જળ શક્તિ મંત્રાલયની રચના કરીને દેશનો આ વિષય પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કરી દીધો હતો. આ નિર્ણયથી પાણીની કટોકટીને એક વિભાગનો વિષય બનાવવાના બદલે તેને વધુ સર્વગ્રાહી અભિગમ બનાવવામાં મદદ કરી છે.
લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા વિના નૂતન ભારતનું સપનું સાકાર કરી શકાય તેમ નથી. અટલ ભૂજળ યોજના દેશના ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 78 જિલ્લામાં ઊંડા ઉતરેલા પાણીના સ્તરની સમસ્યા ઉકેલવામાં તો કામ આવશે જ પરંતુ સાથોસાથ દેશના ખેડૂતોને પાણી બચાવે તેવા વૈકલ્પિક પાકોની જરૂરિયાતો અંગે જાગ્રત કરવામાં પણ મદદરૂપ થશે.
ભારતમાં ખેતી મોટાભાગે જમીનમાંના પાણીની સિંચાઇ આધારીત જ છે. જમીનમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચાવાથી અને વરસાદની બદલાઈ રહેલી તરાહના કારણે જમીનમાં પાણીના સ્તર ઊંડા ઉતરી રહ્યા છે. એક અભ્યાસ અનુસાર દેશમાં છેલ્લા 10 વર્ષમાં ભૂજળનું સ્તર 61 ટકા જેટલું નીચું ગયું છે. ચોમાસાની તરાહમાં ફેરફાર અને ઉંડા ઉતરી રહેલા પાણીના સ્તર માટે ગ્લોબલ વોર્મિંગને મોટું કારણ માનવામાં આવે છે. 1950થી લઈને આજ સુધી દેશમાં વરસાદનું પ્રમાણ લગભગ સાત ટકા જેટલું ઘટ્યું છે. ભારતમાં સામાન્ય રીતે ચોમાસું જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર માસ માટે આવે છે. જ્યારે નૈઋત્યના પવનો હિંદ મહાસાગર, અરબી સમુદ્ર, અને બંગાળના અખાતમાંથી ભેજ લઈને આવે છે. ત્યારે આ ચોમાસું સક્રીય રહે છે. અને ભારતના ભૂ-ભાગ પર પાણી વરસે છે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે પવનની દિશા બદલાય છે. અને વળતા ચોમાસાની અસર હેઠળ ખાસ કરીને પૂર્વ ભારતના રાજ્યોમાં વળતો વરસાદ આવે છે. જોકે, આબોહવા પરિવર્તનને કારણે આ ઋતુ ચક્ર બદલાયું છે અને વરસાદ પડવાની તરાહ પણ ખોરવાઈ છે.
ભારતમાં હવે ચોમાસા દરમિયાન નિયમિત રીતે વરસાદ આવવાને બદલ ટુકડે ટુકડે પરંતુ અપૂરતો વરસાદ આવવા લાગ્યો છે. પરિણામે ક્યાંક દુષ્કાળ તો કેટલીક વાર પુરની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. ભારતમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું હોવા છતાં ભારત આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
આનંદની બાબત એ છે કે, ભારત સરકાર નીચા ઉતરી રહેલાં પાણીના સ્તરની સમસ્યા હલ કરવા તૈયાર થઈ ગઈ છે. અટલ ભૂજળ યોજનામાં આ તૈયારીઓ સ્પષ્ટ જણાઈ આવે છે. આ યોજનાના અમલ દ્વારા ભૂજળ વ્યવસ્થાપન માટે સંસ્થાકીય માળખું વધુ મજબૂત બનાવવા અને જમીનમાંના પાણીના સ્ત્રોતોના ટકાઉ વ્યવસ્થાપન માટે સામૂદાયિક સ્તરે લોકોની રહેણીકરણીમાં બદલાવ લાવવાનો આ યોજનાનો હેતુ છે. પાણી વપરાશકર્તા સંગઠનનોનું નિર્માણ દેખરેખ, ભૂગર્ભ જળની વહેંચણીની માહિતી, પાણી માટેના ખર્ચનું આયોજન અને ગ્રામ-પંચાયત દીઠ જળ સુરક્ષા યોજનાનું અમલીકરણ એ અટલ ભૂજળ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો છે. આ યોજનાથી સાત રાજ્યોના 78 જિલ્લાની આઠ હજાર 350 ગ્રામ પંચાયતોને લાભ મળશે. આ યોજનામાં જળ-વ્યવસ્થાપન માટે સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાના પ્રારંભ સમયે આ બાબત જણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સારી કામગીરી કરનાર ગ્રામપંચાયતોને અટલ ભૂજળ યોજના હેઠળ વધુ ભંડોળની ફાળવણી કરાશે.
આ બાબતને ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પ્રત્યેનો સાહસિક અભિગમ ગણાવી શકાય.
જોકે, આ યોજનાને વધુ પરિણામલક્ષી બનાવવા, ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમને ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા સમજાવવાની જરૂર છે. ખેડૂતોને ઓછા પિયતવાળા પાકો તરફ વાળવા સમજાવવાની આવશ્યકતા છે. શેરડી જેવા પાકો ખૂબ જ પાણી પીવે છે. જેથી શેરડી પાકો ઉગાડાય છે તે જમીનમાં ભૂ-ગર્ભ જળના સ્તરમાં મોટો ઘટાડો થાય છે.
આ સાથે, પાણીનો વેડફાટ અટકાવવા, જૂની ખેત પદ્ધતિઓમાં બદલાવની પણ આવશ્યકતા છે. ભૂ-ગર્ભ જળનું પ્રમાણ ઓછું હોય તેવી ખેત જમીનો માટે ખેડૂતોને પાણી માટેના ખર્ચનું આયોજન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ગ્રામજનોએ સાથે મળીને પાણી માટેની કાર્યયોજના અને પાણી ભંડોળ ઊભું કરવું જોઈએ.
જો આ યોજના દ્વારા લોકોની પાણીના વપરાશ અંગેની આદતો અને જળ વ્યવસ્થાપનની વર્તણૂક બદલાશે, અને સુકી થયેલી જમીનો ફરીથી હરિયાળી બનશે તો તે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપેલી શ્રેષ્ઠ અંજલી હશે.
લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા વિના નૂતન ભારતનું સપનું સાકાર કરી શકાય તેમ નથી. અટલ ભૂજળ યોજના દેશના ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના 78 જિલ્લામાં ઊંડા ઉતરેલા પાણીના સ્તરની સમસ્યા ઉકેલવામાં તો કામ આવશે જ પરંતુ સાથોસાથ દેશના ખેડૂતોને પાણી બચાવે તેવા વૈકલ્પિક પાકોની જરૂરિયાતો અંગે જાગ્રત કરવામાં પણ મદદરૂપ થશે.
ભારતમાં ખેતી મોટાભાગે જમીનમાંના પાણીની સિંચાઇ આધારીત જ છે. જમીનમાંથી મોટા પ્રમાણમાં પાણી ખેંચાવાથી અને વરસાદની બદલાઈ રહેલી તરાહના કારણે જમીનમાં પાણીના સ્તર ઊંડા ઉતરી રહ્યા છે. એક અભ્યાસ અનુસાર દેશમાં છેલ્લા 10 વર્ષમાં ભૂજળનું સ્તર 61 ટકા જેટલું નીચું ગયું છે. ચોમાસાની તરાહમાં ફેરફાર અને ઉંડા ઉતરી રહેલા પાણીના સ્તર માટે ગ્લોબલ વોર્મિંગને મોટું કારણ માનવામાં આવે છે. 1950થી લઈને આજ સુધી દેશમાં વરસાદનું પ્રમાણ લગભગ સાત ટકા જેટલું ઘટ્યું છે. ભારતમાં સામાન્ય રીતે ચોમાસું જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ચાર માસ માટે આવે છે. જ્યારે નૈઋત્યના પવનો હિંદ મહાસાગર, અરબી સમુદ્ર, અને બંગાળના અખાતમાંથી ભેજ લઈને આવે છે. ત્યારે આ ચોમાસું સક્રીય રહે છે. અને ભારતના ભૂ-ભાગ પર પાણી વરસે છે. ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે પવનની દિશા બદલાય છે. અને વળતા ચોમાસાની અસર હેઠળ ખાસ કરીને પૂર્વ ભારતના રાજ્યોમાં વળતો વરસાદ આવે છે. જોકે, આબોહવા પરિવર્તનને કારણે આ ઋતુ ચક્ર બદલાયું છે અને વરસાદ પડવાની તરાહ પણ ખોરવાઈ છે.
ભારતમાં હવે ચોમાસા દરમિયાન નિયમિત રીતે વરસાદ આવવાને બદલ ટુકડે ટુકડે પરંતુ અપૂરતો વરસાદ આવવા લાગ્યો છે. પરિણામે ક્યાંક દુષ્કાળ તો કેટલીક વાર પુરની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. ભારતમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું હોવા છતાં ભારત આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.
આનંદની બાબત એ છે કે, ભારત સરકાર નીચા ઉતરી રહેલાં પાણીના સ્તરની સમસ્યા હલ કરવા તૈયાર થઈ ગઈ છે. અટલ ભૂજળ યોજનામાં આ તૈયારીઓ સ્પષ્ટ જણાઈ આવે છે. આ યોજનાના અમલ દ્વારા ભૂજળ વ્યવસ્થાપન માટે સંસ્થાકીય માળખું વધુ મજબૂત બનાવવા અને જમીનમાંના પાણીના સ્ત્રોતોના ટકાઉ વ્યવસ્થાપન માટે સામૂદાયિક સ્તરે લોકોની રહેણીકરણીમાં બદલાવ લાવવાનો આ યોજનાનો હેતુ છે. પાણી વપરાશકર્તા સંગઠનનોનું નિર્માણ દેખરેખ, ભૂગર્ભ જળની વહેંચણીની માહિતી, પાણી માટેના ખર્ચનું આયોજન અને ગ્રામ-પંચાયત દીઠ જળ સુરક્ષા યોજનાનું અમલીકરણ એ અટલ ભૂજળ યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો છે. આ યોજનાથી સાત રાજ્યોના 78 જિલ્લાની આઠ હજાર 350 ગ્રામ પંચાયતોને લાભ મળશે. આ યોજનામાં જળ-વ્યવસ્થાપન માટે સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવાની પણ જોગવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાના પ્રારંભ સમયે આ બાબત જણાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સારી કામગીરી કરનાર ગ્રામપંચાયતોને અટલ ભૂજળ યોજના હેઠળ વધુ ભંડોળની ફાળવણી કરાશે.
આ બાબતને ભૂગર્ભ જળ વ્યવસ્થાપન પ્રત્યેનો સાહસિક અભિગમ ગણાવી શકાય.
જોકે, આ યોજનાને વધુ પરિણામલક્ષી બનાવવા, ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમને ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા સમજાવવાની જરૂર છે. ખેડૂતોને ઓછા પિયતવાળા પાકો તરફ વાળવા સમજાવવાની આવશ્યકતા છે. શેરડી જેવા પાકો ખૂબ જ પાણી પીવે છે. જેથી શેરડી પાકો ઉગાડાય છે તે જમીનમાં ભૂ-ગર્ભ જળના સ્તરમાં મોટો ઘટાડો થાય છે.
આ સાથે, પાણીનો વેડફાટ અટકાવવા, જૂની ખેત પદ્ધતિઓમાં બદલાવની પણ આવશ્યકતા છે. ભૂ-ગર્ભ જળનું પ્રમાણ ઓછું હોય તેવી ખેત જમીનો માટે ખેડૂતોને પાણી માટેના ખર્ચનું આયોજન કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. ગ્રામજનોએ સાથે મળીને પાણી માટેની કાર્યયોજના અને પાણી ભંડોળ ઊભું કરવું જોઈએ.
જો આ યોજના દ્વારા લોકોની પાણીના વપરાશ અંગેની આદતો અને જળ વ્યવસ્થાપનની વર્તણૂક બદલાશે, અને સુકી થયેલી જમીનો ફરીથી હરિયાળી બનશે તો તે સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આપેલી શ્રેષ્ઠ અંજલી હશે.
Comments
Post a Comment