Skip to main content

ત્રિભેટે આવી પહોંચેલા ઈરાક અંગે સમીક્ષા

ઈરાકના યુવાનો છેલ્લા બે મહિનાથી દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી ઉભી થયેલી સમસ્યાઓ તથા ઈરાન અને અમેરિકા દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરવાના બનાવોનો વિરોધ કરી રહ્યા છે.

આરંભમાં માત્ર વિરોધના સ્વરૂપવાળાં દેખાવોએ હવે સરકાર સામે નાગરિક અસહકાર ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ઈરાકના નજફ, કરબલા, બસરા તથા બગદાદમાં સરકાર સામે મોટી સંખ્યામાં નાગરિકો ધરણામાં જોડાઈ રહ્યા છે.

દરમ્યાન સરકાર વિરોધી દેખાવ કરનાર લોકો સામે સલામતીદળોએ કરેલી કાર્યવાહીમાં 400 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

ગયા શુક્રવારે શીયા ધર્મગુરૂ આયાતોલ્લાહ અલી અલ સીસ્તાનીએ સરકારને ટેકો આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરતા ઈરાકના પ્રધાનમંત્રી અબદેલ અબદુલ મહાદીએ પદ પરથી રાજીનામું આપ્યું છે.

ઈરાકની સંસદે પ્રધાનમંત્રીના રાજીનામાનો સ્વીકાર કરીને નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરવા રાષ્ટ્રપ્રમુખને નિર્દેશ આપ્યો હતો.

જોકે દેખાવો ચાલુ જ રહ્યા હતા અને ચળવળનું કેન્દ્ર બગદાદનો તાહરીર ચોક બન્યો.

આર્થિક મુશ્કેલી તથા ભ્રષ્ટાચારના દૂષણોએ ઈરાકના યુવાનોમાં વિરોધનો જુવાળ ઉભો કર્યો છે.

અમેરિકાએ વર્ષ 2003માં આક્રમણ કર્યા બાદ ઈરાક ગૃહયુદ્ધમાં સપડાયું છે. સમયાંતરે ચૂંટણીઓ યોજાતી હોવા છતાં ઈરાકમાં રાજકીય સ્થીરતા એક મૃગજળ સમાન બની રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાક ખનીજ તેલનો મોટો નિકાસકાર હોવા છતાં ઈરાકમાં આર્થિક મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

ઈરાકના નાગરિકો આ સ્થિતિ માટે ભંડોળનો ગેરવહિવટ તથા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવે છે.

વર્ષ 2013-14માં ISIS ત્રાસવાદી સંગઠનના ઉદય સાથે ઈરાક બધી જ રીતે ભાંગી પડવાના આરે આવીને ઉભુ રહ્યું.

IS જુથે ઈરાકના ઘણાં વિસ્તારો ઉપર કબજો મેળવ્યો.

ડિસેમ્બર 2017માં IS જૂથના વર્ચસ્વમાંથી મોસૂલ શહેર મુક્ત થયું છતાં ઈરાકના નાગરીકોની સમસ્યાનો અંત આવ્યો નહીં.

મે 2018માં ઈરાકમાં યોજાયેલી સંસદીય ચૂંટણી પછી ઈરાકમાં નવા યુગનો આરંભ થવાની આશા હતી.

જોકે આ ચૂંટણીમાં લોકમત સ્પષ્ટરીતે અભિવ્યક્ત નહી થતા સરકારની રચનામાં વિલંબ થયો.

નવી રચાયેલી સંસદમાં નવી સરકારની રચનામાં પાંચ મહિનાનો વિલંબ ઉભો થયો.

ઓક્ટોબર 2018માં સત્તાના સૂત્રો ગ્રહણ કરનાર અબ્દેલ અબ્દુલ મહાદી લોકોનો વિશ્વાસ જીતવામાં નીષ્ફળ રહ્યા.

ઈરાન દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ થતો હોવાથી ઈરાકના યુવાનોમાં અસંતોષ ઉભો થયો.

IRGC દ્વારા તાલીમ અપાયેલા શીયા લડવૈયાઓએ PMFની રચા કરી જેણે IS ત્રાસવાદી જૂથને હરાવ્યું.

એવો પણ આક્ષેપ થાય છે કે, ઈરાનની દરમીયાનગીરી કરવાના લીધે જ ઈરાકમાં સરકારની રચનાને વિલંબ થયો.

અમેરિકા પણ ઈરાકમાં તેનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકાએ સાઉદી અરેબિયાની મદદથી ઈરાકના સમાજ જીવન તથા રાજકારણમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસો હાથ ધર્યા.

ઈરાકના યુવાનોને ઈરાન તથા અમરિકાનો પ્રભાવ વધારવાના પ્રયાસો નહીં ગમતા યુવાનોમાં આ બંને સામે વિરોધનો વંટોળ ઉભો થયો.

ઈરાક ખનીજ તેલનો વિશ્વમાં ઘણા મોટા તેલક્ષેત્રો પૈકી ખનીજતેલનો મોટો જથ્થો ધરાવતું મોટું ક્ષેત્ર છે.

ભારત પણ ઈરાક પાસેથી ખનીજ તેલના નોંધપાત્ર જથ્થાની આયાત કરે છે.

ભારતે વર્ષ 2018-19માં ઈરાકમાંથી 23.3 અબજ અમેરિકી ડોલરની કિંમતના ખનીજ તેલની આયાત કરી હતી.

ભારત ઈરાકમાં ઉભી થયેલી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. દેખાવકારો સાથે શાંતિથી કામ નહીં કરી શકવાથી ઈરાકમાં પરિસ્થિતિ વધુ જટીલ બની છે.

આમ ત્રિભેટે આવી પહોંચેલા ઈરાકે ભવિષ્યમાં પ્રગતીનો રસ્તો પસંદ કરવાનો છે.

ઈરાકની અશાંત પરિસ્થિતિનો સમગ્ર મધ્ય-પૂર્વ અખાતી વિસ્તાર ઉપર ગંભીર પરિણામ થઈ રહ્યો છે.

ભારત આશા રાખે છે કે, ઈરાકની સરકાર તેના નાગરિકોની ફરિયાદો ઉકેલવા તથા દેશમાં શાંતિ અને સ્થીરતાની સ્થાપના કરવામાં ચોક્કસ પગલાં લેશે.




શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર


લેખક – ડોક્ટર મહંમદ મુદસ્સર કમાર, પશ્ચિમ એશિયાના વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...