Skip to main content

ઇરાનમાં થઇ રહેલા દેખાવોના કારણે અખાતી વિસ્તારમાં ઉભી થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા

ગયા મહિને ઇરાન સરકારે જાહેરાત કરી હતી કે તેઓ ગરીબ નાગરીકોને મદદ કરવા માટે વધારાના પૈસા બચાવવા માટે પેટ્રોલ રાશન ઉપર આપી રહી છે. તેલથી સમૃધ્ધ દેશની સરકાર ધ્વારા અચાનક કરવામાં આવેલી આ જાહેરાતથી પેટ્રોલની કિંમતોમાં વધારો થયો અને લોકોએ કરેલો વિરોધ ઝડપથી ઘણા શહેરોમાં ફેલાઇ ગયો અને આ વિરોધે શાસનની સ્થિરતા સામે પડકાર ઊભો કરતી રાજકીય અશાંતિનું સ્વરૂપ ધારણ કર્યુ. 

ઇરાની અધિકારીઓએ આ વિરોધાભાષ માટે નિર્વાસિત વિરોધી સમુહો અને વિદેૃશી દુશ્મનોને દોષી ગણાવ્યા છે અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી છે. સરકારે વિરોધી પ્રદર્શનો ફેલાતા રોકવા માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરી દીધી. ઇરાની રિવાલ્યુશનરી ગાર્ડ કોર્પસ – આઇઆરજીએસના મુખ્ય કમાન્ડરના મતે આ અશાંતીના માધ્યમથી ઇરાનના દૂશ્મનોનો ઉદેૃશ ઇસ્લામી ગણતંત્રના અસ્તિત્વને જોખમમાં મુકવાનો છે. તેમ છતાં ઇરાને વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો અંગે કોઇપણ સત્તાવાર આંકડાઓ જાહેર નથી કર્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે દાવો કર્યો છે કે તેણે વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા ર૦૮ લોકોના મોત નોંધાયા છે. એક અહેવાલ મુજબ ઇરાનમાં હાલની અશાંતીના સમયમાં આશરે બે હજાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઇરાની સુરક્ષા દળો ધ્વારા સાત હજાર લોકોની અટકાયત કરાઈ છે. 

કોઇપણ આંડકા આપ્યા વિના ઇરાની મીડીયાએ સુરક્ષા દળો ધ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની હત્યાનો સ્વીકાર કર્યો છે અને સુરક્ષાદળોને સશસ્ત્ર આતંકવાદી ગણાવ્યા છે. વળી ઇરાનના ગુપ્તચર મંત્રાલયે કહયું છે કે આ ધરપકડ દરમિયાન સીઆઇએ સાથે જોડાયેલા ઓછામાં ઓછા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આશરે બે અઠવાડીયાના હિંસક ઘર્ષણ પછી આ અઠવાડીયામાં એક ટેલીવીઝન ભાષણમાં ઇરાનના રાષ્ટ્રપતિ હસન સુહાનીએ ધરપકડ કરાયેલા હથિયાર વગરના અથવા નિર્દોષ લોકોની મુકિતની હાકલ કરી હતી ઇરાનમાં અશાંતી એવા સમયે થઇ છે જયારે યુનાઇટેડ સ્ટેટસ ધ્વારા ઇરાન પર ગંભીર પ્રતિબંધો છે. જેણે ગયા વર્ષે ઇરાન અને છ વિશ્વ શકિતઓ ધ્વારા સંમત પરમાણુ ડીલથી પીછેહટ કરી હતી. અમેરીકી પ્રતિબંધોને કારણે ઇરાનને પોતાના તેલ અને ગેસની નિકાસમાં ભારે નિયંત્રણોનો સામનો કરવો પડી રહયો છે અને તેની તેલ આધારીત અર્થવ્યવસ્થા પેટ્રો –ડોલરનની આવક મેળવવાથી અસરકારક રીતે વંચિત બની રહી છે. પ્રતિબંધો ઇરાનના લોકોના રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે. અને લોકો આર્થિક સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. માટે જ ઇરાની શાસન માટે પણ ઇરાની પ્રજાની આર્થિક મુશ્કેલીઓનો સંપુર્ણ દોષ વિદેશી વિરોધીઓ પર ઢોળવાનું હાથવગું બની ગયું છે. તેમ છતાં તેલની કિંમતોમાંના વધારાને પગલે ફાટી નીકળેલા વિરોધ ઇરાન અને અમેરીકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મંડાગાઠના પ્રત્યાઘાત સ્વરૂપ છે. ઇરાને કહયું છે કે જો અમેરીકા પ્રતિબંધો હટાવે તો તે હાલના સંકટને સમાપ્ત કરવા માટેની વાટાઘાટોમાં સામેલ થવા તૈયાર છે.

અમેરીકા જો કે ભારપુર્વક કહે છે કે આ પ્રતિબંધોને ત્યારે જ ઉઠાવશે જયારે ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમને પરત લેશે. પોતાના મિસાઇલ કાર્યક્રમને પુર્ણ કરી દેશે અને પોતાની ક્ષેત્રીય સક્રિયતામાં સંયમ દેખાડશે. આવી પરિસ્થિતિમાં ઇરાન અને અમેરીકાની વચ્ચે મડાગાંઠ વધુ ગુચવાઈ છે. જે પેરિસિયન ગલ્ફ ક્ષેત્રની શાંતી અને સ્થિરતા માટે જોખમરૂપ છે. 

જો કે અસ્થિર ઇરાન કોઇના હીતમાં નથી. એવી આશંકા છે કે વંશીય લઘુમતીઓ વાળા યુઝેસ્તાન, સિસ્તાન, બલુચિસ્તાન અને કુર્દીસ્તાન જેવા ઇરાની પ્રાંતોમાં વિરોધીઓના સંભવીત દમનથી વધુ હિંસા થઇ શકે છે. એવી પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પોતાની તાકાત દર્શાવવા માટે ઇરાની શાસન તેના આંતરીક અને બાહય પ્રતિસ્પર્ધકોને દેખાડવા માટે દમનકારી શકિતઓનો ઉપયોગ કરે છે. ગલ્ફ ક્ષેત્રોમાં તથા ઇરાનમાં અશાંતિની સ્થિતિ ભારતના હિતમાં નથી. ઇરાન સહિત અખાતના દેશો સાથે ભારતના સારા સંબંધો છે. જેઓ ભારતનાં પરંપરાગત તેલ નિકાસકાર દેશો છે. ભારત ઇરાનમાં નવી દિલ્હી પણ ઇરાનમાં ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે અને આવી અશાંતિ અને વિક્ષેપોના કારણે ભારતના રોકાણ ઉપર વિપરિત અસર પડી શકે છે. 




અજય ઇન્દ્રેકર, અમિતા વાંઝા –મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...