Skip to main content

ભારતીય અર્થતંત્રનો વિકાસદર વધી રહે તેવો ઓઇસીડી આર્થિક સર્વેક્ષણમાં વ્યકત કરાયેલો અંદાજ.

આર્થિક સહકાર અને વિકાસ સંસ્થા – ઓઇસીડી ધ્વારા નવી દિલ્હીમાં ગયા અઠવાડીયામાં ભારતનું આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવ્યું. જેમાં ભારતીય અર્થતંત્ર શાશ્વત વિકાસ તરફ આગળ વધશે તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો. જો કે સર્વેક્ષણમાં ઘટી રહેલા ખાનગી રોકાણ અને ઔદ્યોગીક ઉત્પાદન અંગે ચિંતા વ્યકત કરવામાં આવી. વેરા પધ્ધતિમાં સુધારા, વેપાર સરળીકરણ માટે તથા માળખાકીય ક્ષેત્રમાં રોકાણ વધારવા લેવાયેલા પગલાઓના કારણે ભારતીય અર્થતંત્ર ફરી ગતી પકડશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. તેમ છતાં ગુણવત્તાયુક્ત રોજગાર નિર્માણ અને ગ્રામીણ આવક વધારવા જેવા પડકારો અર્થતંત્ર સામે છે. ભારતના રાજયોમાં આર્થિક અભિસરણની અછત છે. એટલે કે ગરીબ રાજયો અમીર રાજયો સાથે હરીફાઇ નથી કરી શકયા. દેશની અંદર વધી રહેલી આર્થિક અસમાનતા ઉપર તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે. અહેવાલ રજુ કરતા ઓઇસીડીના મુખ્ય અર્થશાસ્ત્રી લોરેન્સ બુને જણાવ્યું કે વૈશ્વીક અર્થતંત્રમાં ભારત પ્રગતીશીલ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે. અર્થતંત્રને ફરી પાટા ઉપર ચડાવવા ભારતને ચક્રીય તથા રચનાત્મક સુધારા લાવવાની જરૂર છે. ઓઇસીડીના આર્થિક સર્વેક્ષણમાં ભારતનો વિકાસદર વર્ષ ર૦ર૦ માં ૬.ર ટકાથી જયારે વર્ષ ર૦ર૧માં પ.૮ ટકા રહેશે. તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ હાલના 5.8 ટકા વિકાસદરને આગળ વધારવા ભારતને નિકાસ તેમજ રોકાણ ચેતનવંતુ કરવાની જરૂર છે. 

નવા સંધિય અભિગમ સાથેના જીએસટી, અમલીકરણ નાદારી માટેના કોડનો અમલ વધુ સારી રીતે થઇ રહેલા અમલ, બેંકોની લગતી એનપીએની સમસ્યાનો નિકાલ કરી નાણાંકીય ક્ષેત્રમાં સુધારો લાવવા જેવા ભારતે લીધેલા પગલાઓનો અહેવાલ ઉલ્લેખ કરાયો છે. ઓઇસીડી રીપોર્ટના જણાવ્યામુજબ સેવા ક્ષેત્રના વેપારના નિયમો હળવા કરવાથી અર્થતંત્રને ગતી મળશે. ઓઇસીડીએ જાહેર કરેલા આંકડા મુજબ વૈશ્વીક વસ્તુ અને સેવા નિકાસમાં ભારતનો હિસ્સો વર્ષ ૧૯૯૦ માં ૦.પ ટકા હતો જે ર૦૧૮માં વધીને ર.૧ ટકા થયો છે. જેમાં માહિતી અને ટેકનોલોજી તેમજ દવા ઉત્પાદન ક્ષેત્રો હિસ્સો મહત્વપૂર્ણ છે. ઓઇસીડીના અહેવાલમાં ભારત સરકાર ધ્વારા લેવાયેલા કેટલાક પગલાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ભૌતિક અને માળખાકીય સુવિધા માટે રાજકોષીય જગ્ય બનાવવા કામદાર કાયદાઓને આધુનિક બનાવવા અર્થતંત્રમાં વધુમાં વધુ મહિલાઓને રોજગારી, નાણાંકીય ક્ષેત્રમાં સુધારો મિલકત તેમજ ભાડા નિયમોમાં મજબુત બનાવવા અને બધાને પરવડી શકે તેવા આવાસોનું નિર્માણ કરવા જેવા પગલાઓનો સમાવેશ થાય છે.

અહેવાલમાં આવક અસમાનતા તેમજ કાર્યબળમાં મહિલાઓનો સહયોગ વધારવા જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યું છે કે, દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવા સરકારે ઓક્ટોબર 2014થી 10 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. જેનાથી, લોકોના આરોગ્યમાં સુધાર થયો છે. આ ઉપરાંત, મહિલાઓના સશક્તિકરણ માટે સ્ત્રીભૂર્ણ હત્યા રોકવા અને મહિલાઓને શિક્ષણ આપવા વિશેષ કાર્યક્રમ હાથ ધરાયો છે. જોકે, આર્થિક વિકાસ સાથે આર્થિક સમાનતા વધારવા જેવા કેટલાંક પડકાર હજી ઊભા છે. 

OECDના અહેવાલમાં નોંધ્યું છે કે, આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા તથા સુખાકારી માટે હરીયાળી લીલોતરીમાં વધારા પર ભાર મુકવો આવશ્યક છે. તેમાં નોંધ્યું છે કે, વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ ઉંચું છે અને સાહસિક નિર્ણય નહીં કરાય તો એમાં વધારો થશે. ભારતમાં પ્રીમેચ્યોર મરણ માટે ઘરની અંદરનું હવા પ્રદૂષણ મુખ્ય પરિબળ છે. સરકારે ગરીબોને ગેસ જોડાણો આપવા અનેક પગલા લીધા છે. તેમ છતાં અમલીકરણ ક્ષેત્રે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. વિશ્વના સૌથી વધુ હવાપ્રદૂષણ ધરાવતા 10 શહેરોમાંથી નવ ભારતના છે. 

ભારતના આર્થિક સર્વેક્ષણનો OECD અહેવાલ ભરતના મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમ્ણ્યમ અને નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરાયો હતો. 

OECD અહેવાલમાં ભારતે ફુગાવાને કાબૂમાં લેવા જાહેર કરેલું નવું નાણાંકીય નીતી માળખું અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધી રહેલી ભાગીદારીને બિરદાવાયું છે. OECD અહેવાલમાં કરાયેલી ભલામણોમાં વ્યાપક આર્થિક નીતી અને શાસન , રોકાણને પ્રોત્સાહન, સામાજિક અસમાનતા દૂર કરવા માટેના પગલા લેવા, વૈશ્વિક અર્થતંત્રમાં ભાગીદારી વધારવા, વ્યાજબી મકાનોમાં વધારો અને વધુ હરિયાળી સાથેનો પર્યાવરણ લક્ષી વિકાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...