Skip to main content

સંસદના ગત સપ્તાહ અંગે સમીક્ષા

સંસદના શિયાળુ સત્રની કામગીરીમાં નાગરીકત્વ સુધારા વિધેયકને મળેલી મંજુરી એ સૌથી મહત્વની કામગીરી ગણાવી શકાય.

ગૃહમાં આ વિધેયકને રજુ કરતા ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓએ જે મુશ્કેલીઓ વેઠી છે, તેના નિવારણ માટે આ વિધેયક લાવવાની જરૂર ઉભી થઈ છે.

દેશના વિભાજન પછી આ દેશોમાં ધાર્મિક લઘુમતી સમુદાયો ધાર્મિક સતામણીનો ભોગ બનતા આવ્યા છે.

આ વિધેયક નાગરિકત્વ ધારો-1955માં સુધારો કરવાના હેતુથી રજુ કરાયું હતું, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રીસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ હતી.

બંધારણીય રીતે વિધેયકની યોગ્યતા અંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આ અંગેની શરતોના પાલન હેતુથી વિધેયકમાં પૂરતા પ્રમાણમાં વર્ગીકરણ કરાયું છે.

આ વિધેયક ઉતાવળમાં લાવવામાં આવ્યું છે તથા અન્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે લાવવામાં આવ્યું હોવાના વિપક્ષના સભ્યોના આક્ષેપોને ગૃહમંત્રીએ નકારી કાઢ્યા છે.

તેમણે કહ્યું કે, અગાઉ શ્રીલંકા અને યુગાંડાના નાગરિકોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, દેશના ભાઈચારા અને કરૂણાનું પ્રતીક સ્વરૂપ આ વિધેયક આજે ગૃહમાં રજુ થયું, તેને ઐતિહાસિક દિવસ ગણવો જોઈએ.

કારણ કે આ વિધેયક ઘણાં વર્ષોથી ધાર્મિક સતામણીનો ભોગ બનનારા લોકોને મદદરૂપ બનશે.

સંસદે બંધારણમાં 126મો સુધારો સૂચવતા વિધેયકને ગત ગુરૂવારે બહાલી આપી હતી.

આ વિધેયકમાં સંસદ તથા રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને 25 જાન્યુઆરી 2030 સુધી અનામત આપવાની જોગવાઈ છે.

આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, SC-ST વર્ગના અનામતમાં સરકાર ક્રિમી લેયર અર્થાત આર્થિક રીતે સંપન્ન લોકોને અલગ તારવવાની નીતિ ઘડવા વિચારી રહી છે.

તેમણે જણાવ્યું કે, કેન્દ્રની NDA સરકારે આ બંને વર્ગોના લોકોના કલ્યાણ માટે ઘણાં પગલાં લીધા છે.

તેમણે જણાવ્યું કે, સરકાર એંગ્લો-ઈન્ડિયન સમુદાયના લોકોએ શિક્ષણ તથા સેનામાં આપેલા યોગદાનને બિરદાવે છે.

ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે, આસામમાં વિવિધ ટ્રિબ્યુનલોએ ઓક્ટોબર-2019 સુધીમાં 1 લાખ 29 હજારથી વધુ લોકોને વિદેશી ગણાવ્યા છે.

આ પૈકી 1 લાખ 14 હજારથી વધુ લોકોએ વિદેશીના દરજ્જાને પડકારતા તેમને ભારતીય નાગરિક જાહેર કરાયા છે.

સાંસ્કૃતિક બાબતોના મંત્રી પ્રહલાદ પટેલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીને દેશ-વિદેશની મુલાકાત વખતે મળેલી ભેટ વસ્તુઓના લીલામ દ્વારા 15 કરોડ રૂપિયા મળ્યા છે.

ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ લોકસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં 370મી કલમ ગત ઓગસ્ટમાં રદ કરાયા બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરોએ ભારતમાં 85 વખત પ્રવેશવાના પ્રયાસો કર્યા હતા. આ પૈકી આશરે 59 વખત તેઓ સફળ રહ્યા.

વર્ષ 1990થી ઓક્ટોબર 2019 દરમિયાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા 22 હજાર 557 ઘૂસણખોરોને ઠાર કરાયા છે.

આ ઉપરાંત 42 ઘૂસણખોરોને પકડી લેવાયા છે, જ્યારે બે હજાર 253થી વધુને પાછા ખદેડી મૂકાયા છે.

વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની જેલમાં 292 ભારતીય નાગરિકો તથા માછીમારો સબડી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલી જુલાઈ 2019ના રોજ પાકિસ્તાને જાણ કરી હતી કે, તેમની જેલમાં 52 નાગરિકો તથા 209 માછીમારો બંદી છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના સઘન પ્રયાસોના લીધે જ 2014થી અત્યાર સુધીમાં બે હજાર 112 ભારતીયોને પાકિસ્તાનના કબજામાંથી છોડાવવામાં સફળતા મળી છે.

લેખક – વી.મોહન રાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...