હિમાલયના સૌથી ઊંચા 8 હજાર 843 મીટરની ઉંચાઇવાળા માઉન્ટ એવરેસ્ટ ઉપર જતા પર્વતારોહક પાસેથી નેપાળને દર વર્ષે નોંધપાત્ર આવક મળે છે.
જો કે એવરેસ્ટની ટોચ ઉપર જવાનો પ્રયાસ કરનાર પર્વતારોહકો પૈકી આ વર્ષના મે માસમાં 11 પર્વતારોહીઓના મૃત્યુ નીપજતાં નેપાળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વર્ષ 2015માં 25મી એપ્રિલે હિમાલયના કેટલાક વિસ્તારોમાં વિનાશક ભૂકંપ અને તેના પગલે ભેખડો ધસી પડતા 22 પર્વતારોહકોના મૃત્યુ થયા હતા.
આ વર્ષે 800થી વધુ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી ઘણા પર્વતારોહીઓ લગભગ એક જ સમયે એવરેસ્ટના 8 હજાર મીટરની ઊંચાઇએ આવેલા અને ડેથ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં એકઠા થતા ઘણાં પર્વતારોહકોને આ ક્ષેત્રમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.
દરેક પર્વતારોહક શીખર સર કરવા માટેના આબોહવાના અનુકૂળ સમયમાં જ એવરેસ્ટના શીખર ઉપર પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ખૂબ જ ઉંચાઇ ઉપર લાંબો સમય રહેવાથી થતી બીમારીના લીધે ઘણા પર્વતારોહકોના મૃત્યુ નીપજયા હતા.
નેપાળ સરકારના જણાવ્યા મુજબ આ વર્ષે 22મી મે ના રોજ 223 લોકો એવરેસ્ટના શીખર ઉપર ગયા હતા.
નેપાળ સરકાર પર્વતારોહણના યોગ્ય સીઝનમાં એવરેસ્ટ ઉપર વધતી જતી ભીડના લીધે ચિંતીત છે.
આથી જ સરકારે પર્વતારોહીઓની સલામતીને ધ્યાનમાં લઇને પર્વતારોહણના નિયમો વધુ કડક બનાવવા વિચારણા શરૂ કરી છે.
આ વર્ષે સૌથી વધુ 381 મંજુરીઓ આપવામાં આવતા એવરેસ્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આથી જ નિષ્ણાતોની સમિતીની ભલામણોના આધારે નેપાળ સરકાર આગામી 2020થી નવા નિયમો લાગુ કરવા વિચારણા કરી રહી છે.
સૂચિત નવા નિયમોમાં એવરેસ્ટ ઉપર જવા ઇચ્છતી વ્યક્તિએ, નેપાળમાં સાડા છ હજાર મીટરની ઉંચાઇ ધરાવતું શીખર સર કરેલું હોવું જોઇએ, તેણે 11 હજાર ડોલરની ફી ચૂકવવી પડશે તથા તેનું આરોગ્ય સારૂ હોવા અંગે પ્રમાણપત્ર આપવું પડશે.
નેપાળ સરકાર એવરેસ્ટ શીખરની તળેટીમાં પર્વતારોહણ કરનારની આરોગ્ય તપાસ ફરજીયાત બનાવવા પણ વિચારી રહી છે.
દરેક પર્વતારોહકે જીવન વીમા તથા સ્વાસ્થ્ય સંભાળ અંગેના વિમાનું કવચ લેવું પડશે.
નિષ્ણાતોની સમિતીએ પર્વતારોહણ અભિયાન હાથ ધરતી સંસ્થાઓ માટેની ફી એવરેસ્ટ માટે 35 હજાર જયારે બીજા 8 હજાર મીટરથી વધુ ઉંચાઇવાળા અભિયાનો માટે 20 હજાર ડોલરની ફી કરવાની ભલામણ કરી છે.
નેપાળ સરકાર એવરેસ્ટ ઉપર જવાની મંજુરી આપવાની સંખ્યા મર્યાદીત કરવા વિચારી રહી છે. પણ આ પગલાથી તેની આવકને થનાર નુકશાનનો પણ તેને ડર છે.
વર્ષ 1953માં એડમંડ હિલેરી અને તેનઝીંગ નોર્ગેએ એવરેસ્ટ ઉપર પ્રથમવાર સફળતાપૂર્વક આરોહણ કર્યા બાદ એવરેસ્ટની મુલાકાતે આવનાર પર્વતારોહકોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો રહ્યો છે.
આ પર્વતારોહકોના કારણે એવરેસ્ટ સુધીના માર્ગ ઉપર ખાદ્યચીજો, ટેન્ટ, ઓકસીજન સીલીન્ડર જેવો કચરો પણ જોવા મળી રહ્યો છે.
નેપાળ સરકારે આ વર્ષે પર્વતારોહણની સીઝન પૂરી થયા બાદ એવરેસ્ટના પરિસરમાંથી 11 ટન કચરો દૂર કર્યો હતો.
વૈજ્ઞાનિકોના એક અભ્યાસના તારણ મુજબ અફઘાનીસ્તાનથી મ્યાનમાર સુધી ફેલાયેલા હિમાલય પર્વત ઉપર આવેલી ગ્લેસીયર અર્થાત હિમનદીઓ પૈકી એક તૃતિયાંશ હિમનદીઓ આ સદીના અંત સુધીમાં નાશ થવાની સંભાવના છે.
આબોહવામાં ઝડપથી થઇ રહેલા પરિવર્તનના લીધે હિમનદી સંકોચાવા ઉપરાંત ભેખડો ધસી પડવી, હીમપ્રપાત જેવી આપત્તિઓમાં પણ વધારો થઇ રહ્યો છે.
આ પાર્શ્વભૂમિમાં પર્વતારોહણ માટેના નિયમો કડક બનાવવાના નેપાળ સરકારના વિચારને ભારતે આવકાર્યો છે.
ભારત પ્રથમથી હિમાલય પર્વત પરના પર્યાવરણને થઇ રહેલા નુકસાનથી ચિંતીત છે.
ભારતમાં સીક્કીમ, મેઘાલય, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સહિત દેશના 12 પર્વતીય વિસ્તારના રાજ્યોએ ગયા વર્ષે પંદરસો જેટલા સ્થળોએ હિમાલય સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધર્યો હતો.
એવી જ રીતે નેપાળ – હિમાલયની પર્યાવરણ વ્યવસ્થા જાળવવા તૈયાર કરેલ રાષ્ટ્રીય મીશન વહેલી તકે અમલમાં મૂકે તેની ભારત તરફેણ કરે છે.
જો કે એવરેસ્ટની ટોચ ઉપર જવાનો પ્રયાસ કરનાર પર્વતારોહકો પૈકી આ વર્ષના મે માસમાં 11 પર્વતારોહીઓના મૃત્યુ નીપજતાં નેપાળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
વર્ષ 2015માં 25મી એપ્રિલે હિમાલયના કેટલાક વિસ્તારોમાં વિનાશક ભૂકંપ અને તેના પગલે ભેખડો ધસી પડતા 22 પર્વતારોહકોના મૃત્યુ થયા હતા.
આ વર્ષે 800થી વધુ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી ઘણા પર્વતારોહીઓ લગભગ એક જ સમયે એવરેસ્ટના 8 હજાર મીટરની ઊંચાઇએ આવેલા અને ડેથ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં એકઠા થતા ઘણાં પર્વતારોહકોને આ ક્ષેત્રમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.
દરેક પર્વતારોહક શીખર સર કરવા માટેના આબોહવાના અનુકૂળ સમયમાં જ એવરેસ્ટના શીખર ઉપર પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ખૂબ જ ઉંચાઇ ઉપર લાંબો સમય રહેવાથી થતી બીમારીના લીધે ઘણા પર્વતારોહકોના મૃત્યુ નીપજયા હતા.
નેપાળ સરકારના જણાવ્યા મુજબ આ વર્ષે 22મી મે ના રોજ 223 લોકો એવરેસ્ટના શીખર ઉપર ગયા હતા.
નેપાળ સરકાર પર્વતારોહણના યોગ્ય સીઝનમાં એવરેસ્ટ ઉપર વધતી જતી ભીડના લીધે ચિંતીત છે.
આથી જ સરકારે પર્વતારોહીઓની સલામતીને ધ્યાનમાં લઇને પર્વતારોહણના નિયમો વધુ કડક બનાવવા વિચારણા શરૂ કરી છે.
આ વર્ષે સૌથી વધુ 381 મંજુરીઓ આપવામાં આવતા એવરેસ્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
આથી જ નિષ્ણાતોની સમિતીની ભલામણોના આધારે નેપાળ સરકાર આગામી 2020થી નવા નિયમો લાગુ કરવા વિચારણા કરી રહી છે.
સૂચિત નવા નિયમોમાં એવરેસ્ટ ઉપર જવા ઇચ્છતી વ્યક્તિએ, નેપાળમાં સાડા છ હજાર મીટરની ઉંચાઇ ધરાવતું શીખર સર કરેલું હોવું જોઇએ, તેણે 11 હજાર ડોલરની ફી ચૂકવવી પડશે તથા તેનું આરોગ્ય સારૂ હોવા અંગે પ્રમાણપત્ર આપવું પડશે.
નેપાળ સરકાર એવરેસ્ટ શીખરની તળેટીમાં પર્વતારોહણ કરનારની આરોગ્ય તપાસ ફરજીયાત બનાવવા પણ વિચારી રહી છે.
દરેક પર્વતારોહકે જીવન વીમા તથા સ્વાસ્થ્ય સંભાળ અંગેના વિમાનું કવચ લેવું પડશે.
નિષ્ણાતોની સમિતીએ પર્વતારોહણ અભિયાન હાથ ધરતી સંસ્થાઓ માટેની ફી એવરેસ્ટ માટે 35 હજાર જયારે બીજા 8 હજાર મીટરથી વધુ ઉંચાઇવાળા અભિયાનો માટે 20 હજાર ડોલરની ફી કરવાની ભલામણ કરી છે.
નેપાળ સરકાર એવરેસ્ટ ઉપર જવાની મંજુરી આપવાની સંખ્યા મર્યાદીત કરવા વિચારી રહી છે. પણ આ પગલાથી તેની આવકને થનાર નુકશાનનો પણ તેને ડર છે.
વર્ષ 1953માં એડમંડ હિલેરી અને તેનઝીંગ નોર્ગેએ એવરેસ્ટ ઉપર પ્રથમવાર સફળતાપૂર્વક આરોહણ કર્યા બાદ એવરેસ્ટની મુલાકાતે આવનાર પર્વતારોહકોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો રહ્યો છે.
આ પર્વતારોહકોના કારણે એવરેસ્ટ સુધીના માર્ગ ઉપર ખાદ્યચીજો, ટેન્ટ, ઓકસીજન સીલીન્ડર જેવો કચરો પણ જોવા મળી રહ્યો છે.
નેપાળ સરકારે આ વર્ષે પર્વતારોહણની સીઝન પૂરી થયા બાદ એવરેસ્ટના પરિસરમાંથી 11 ટન કચરો દૂર કર્યો હતો.
વૈજ્ઞાનિકોના એક અભ્યાસના તારણ મુજબ અફઘાનીસ્તાનથી મ્યાનમાર સુધી ફેલાયેલા હિમાલય પર્વત ઉપર આવેલી ગ્લેસીયર અર્થાત હિમનદીઓ પૈકી એક તૃતિયાંશ હિમનદીઓ આ સદીના અંત સુધીમાં નાશ થવાની સંભાવના છે.
આબોહવામાં ઝડપથી થઇ રહેલા પરિવર્તનના લીધે હિમનદી સંકોચાવા ઉપરાંત ભેખડો ધસી પડવી, હીમપ્રપાત જેવી આપત્તિઓમાં પણ વધારો થઇ રહ્યો છે.
આ પાર્શ્વભૂમિમાં પર્વતારોહણ માટેના નિયમો કડક બનાવવાના નેપાળ સરકારના વિચારને ભારતે આવકાર્યો છે.
ભારત પ્રથમથી હિમાલય પર્વત પરના પર્યાવરણને થઇ રહેલા નુકસાનથી ચિંતીત છે.
ભારતમાં સીક્કીમ, મેઘાલય, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સહિત દેશના 12 પર્વતીય વિસ્તારના રાજ્યોએ ગયા વર્ષે પંદરસો જેટલા સ્થળોએ હિમાલય સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધર્યો હતો.
એવી જ રીતે નેપાળ – હિમાલયની પર્યાવરણ વ્યવસ્થા જાળવવા તૈયાર કરેલ રાષ્ટ્રીય મીશન વહેલી તકે અમલમાં મૂકે તેની ભારત તરફેણ કરે છે.
Comments
Post a Comment