પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વિસ્તરણના માર્ગે આગળ વધી રહ્યું છે. જીડીપી દરમાં ધીમો ઘટાડો થવાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો છે. કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલર સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ સરકારની આર્થિક નીતિનું પુનઃમુલ્યાંકન કરતાં ભારપૂર્વક કહ્યું કે, ભૂતકાળમાં અનેક મક્કમ પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે આવતા વર્ષોમાં તેના પરિણામ મળશે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી – એસોચેમે 100 વર્ષ પૂર્ણ કરવાના અવસરે સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થઇ રહ્યો હોવાની ધારણાને દૂર કરવા જબરજસ્ત હસ્તક્ષેપ કર્યો.
વાસ્તવમાં છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં જી.ડી.પી.ના વિકાસ દરમાં ઘટાડા અંગે ઘણું બધું કહેવામાં આવ્યું છે. જે વૈશ્વિક આર્થિક મંદીની પૃષ્ઠભૂમિમાં પણ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો વેપાર યુદ્ધ પણ નિર્વિવાદ રીતે ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. આ હકીકતને કોઇ નકારી શકે તેમ નથી કે પ્રધાનમંત્રી શ્રી મોદીને એક એવી અર્થવ્યવસ્થા વારસામાં મળી છે જેને ખરાબ લોનથી ભારે નુકશાન થયું છે.
જાહેર ક્ષેત્રની બેંકો એન.પી.એ.ની સમસ્યાઓનો સામનો કરી રહી છે. બેંકો, ઉદ્યોગોને ધિરાણ આપવામાં સંઘર્ષ કરી રહી છે. ત્યારે અર્થતંત્રના વિસ્તરીકરણ માટેની જગ્યા સંકોચાય તે દેખીતું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારની પ્રાથમિકતા જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધારવાની છે. તેમણે કહ્યું કે, રીઝર્વ બેંકની દેખરેખ હેઠળ અડધો ડઝનથી વધુ બેંકો આમાંથી બહાર આવી છે.
એ વાત સાચી છે કે, એન.ડી.એ. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના વીલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી આ બેંકો વધુ વિશાળ અને સ્પર્ધાત્મક બને.
એસોએમ બેઠકમાં પ્રધાનમંત્રીએ પરત ન ચૂકવાયેલા ધિરાણ ના કારણે બેંક ક્ષેત્રની પડી ભાંગેલી ધિરાણ સ્થિતિ ના કારણે અર્થતંત્રના જોખમો વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. એ સાચું છે કે, ઘણી કોર્પોરેટ કંપનીઓએ ધિરાણની પરત ચુકવણી કરી નથી જેનાથી અર્થતંત્રની નાણાકીય વ્યવસ્થા મંદ પડી છે.
નાદારી પ્રક્રિયાના નિષ્કર્ષ માટેના એસ્સાર સ્ટીલનો સફળ ઠરાવ બેંકિંગ સંસ્થાનો માટે રાહત રૂપ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સરકારે લીધેલા પગલાઓના પરિણામો હવે મળી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારે 2014માં કાર્યભાર સંભાળ્યો ત્યારે અર્થંતંત્ર આપત્તિજનક સ્થિતિ તરફ જઇ રહ્યું હતું. તેમની સરકારે અર્થતંત્ર સ્થિર કર્યું અને જરૂરી શિસ્ત આણ્યું. સરકારે ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ધ્યાન આપ્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સરકારે ભારતીય ઉદ્યોગની વાત સાંભળી છે અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો એ તેનો પૂરાવો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરીક્ષણ કર્યું કે, સરકારે અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અનેક પગલાં લીધા છે. વસ્તુ અને સેવાકર એટલે કે, જીએસટીનો અમલ પણ કરમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું ગણાવી શકાય.
શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, વર્ષ 2014માં વેપારના સરળીકરણમાં ભારતનું રેન્કિંગ 190 દેશોમાં 142મું હતું. આજે ભારતે 63મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે નિશ્ચિતરૂપે સરકારના પ્રયત્નો તેમજ રોકાણની દરખાસ્તોને ઝડપથી મંજૂરી આપવાની વાતને દર્શાવે છે.
તેમણે કહ્યું કે, મજૂર સુધારા માટે પગલાં લેવામાં આવ્યા છે જેમાં ઉદ્યોગો દ્વારા ઇચ્છિત મજૂર કાયદાના કોર્ડિફિકેશનનો સમાવેશ થાય છે.
ઇનસોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ (આઈ.બી.સી.)માં સુધારા એ વાતની પુષ્ટિ કરે છે કે, સરકાર બેન્કો અને ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરી રહી છે. જેથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક બનાવવાનો હાંસલ કરી શકાય તેમ છે.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે, તેમની સરકારે ભૂતકાળમાં નિર્ધારીત લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન એ એનું પ્રમાણ છે.
જેના લેખક છે મનિષ આનંદ,
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના સિનિયર સંવાદદાતા
પ્રધાનમંત્રીએ સરકારની આર્થિક નીતિનું પુનઃમુલ્યાંકન કરતાં ભારપૂર્વક કહ્યું કે, ભૂતકાળમાં અનેક મક્કમ પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે આવતા વર્ષોમાં તેના પરિણામ મળશે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી – એસોચેમે 100 વર્ષ પૂર્ણ કરવાના અવસરે સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થઇ રહ્યો હોવાની ધારણાને દૂર કરવા જબરજસ્ત હસ્તક્ષેપ કર્યો.
વાસ્તવમાં છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં જી.ડી.પી.ના વિકાસ દરમાં ઘટાડા અંગે ઘણું બધું કહેવામાં આવ્યું છે. જે વૈશ્વિક આર્થિક મંદીની પૃષ્ઠભૂમિમાં પણ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો વેપાર યુદ્ધ પણ નિર્વિવાદ રીતે ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. આ હકીકતને કોઇ નકારી શકે તેમ નથી કે પ્રધાનમંત્રી શ્રી મોદીને એક એવી અર્થવ્યવસ્થા વારસામાં મળી છે જેને ખરાબ લોનથી ભારે નુકશાન થયું છે.
જાહેર ક્ષેત્રની બેંકો એન.પી.એ.ની સમસ્યાઓનો સામનો કરી રહી છે. બેંકો, ઉદ્યોગોને ધિરાણ આપવામાં સંઘર્ષ કરી રહી છે. ત્યારે અર્થતંત્રના વિસ્તરીકરણ માટેની જગ્યા સંકોચાય તે દેખીતું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારની પ્રાથમિકતા જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધારવાની છે. તેમણે કહ્યું કે, રીઝર્વ બેંકની દેખરેખ હેઠળ અડધો ડઝનથી વધુ બેંકો આમાંથી બહાર આવી છે.
એ વાત સાચી છે કે, એન.ડી.એ. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના વીલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી આ બેંકો વધુ વિશાળ અને સ્પર્ધાત્મક બને.
એસોએમ બેઠકમાં પ્રધાનમંત્રીએ પરત ન ચૂકવાયેલા ધિરાણ ના કારણે બેંક ક્ષેત્રની પડી ભાંગેલી ધિરાણ સ્થિતિ ના કારણે અર્થતંત્રના જોખમો વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. એ સાચું છે કે, ઘણી કોર્પોરેટ કંપનીઓએ ધિરાણની પરત ચુકવણી કરી નથી જેનાથી અર્થતંત્રની નાણાકીય વ્યવસ્થા મંદ પડી છે.
નાદારી પ્રક્રિયાના નિષ્કર્ષ માટેના એસ્સાર સ્ટીલનો સફળ ઠરાવ બેંકિંગ સંસ્થાનો માટે રાહત રૂપ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સરકારે લીધેલા પગલાઓના પરિણામો હવે મળી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારે 2014માં કાર્યભાર સંભાળ્યો ત્યારે અર્થંતંત્ર આપત્તિજનક સ્થિતિ તરફ જઇ રહ્યું હતું. તેમની સરકારે અર્થતંત્ર સ્થિર કર્યું અને જરૂરી શિસ્ત આણ્યું. સરકારે ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ધ્યાન આપ્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સરકારે ભારતીય ઉદ્યોગની વાત સાંભળી છે અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો એ તેનો પૂરાવો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરીક્ષણ કર્યું કે, સરકારે અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અનેક પગલાં લીધા છે. વસ્તુ અને સેવાકર એટલે કે, જીએસટીનો અમલ પણ કરમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું ગણાવી શકાય.
શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, વર્ષ 2014માં વેપારના સરળીકરણમાં ભારતનું રેન્કિંગ 190 દેશોમાં 142મું હતું. આજે ભારતે 63મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે નિશ્ચિતરૂપે સરકારના પ્રયત્નો તેમજ રોકાણની દરખાસ્તોને ઝડપથી મંજૂરી આપવાની વાતને દર્શાવે છે.
તેમણે કહ્યું કે, મજૂર સુધારા માટે પગલાં લેવામાં આવ્યા છે જેમાં ઉદ્યોગો દ્વારા ઇચ્છિત મજૂર કાયદાના કોર્ડિફિકેશનનો સમાવેશ થાય છે.
ઇનસોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ (આઈ.બી.સી.)માં સુધારા એ વાતની પુષ્ટિ કરે છે કે, સરકાર બેન્કો અને ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરી રહી છે. જેથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક બનાવવાનો હાંસલ કરી શકાય તેમ છે.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે, તેમની સરકારે ભૂતકાળમાં નિર્ધારીત લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન એ એનું પ્રમાણ છે.
જેના લેખક છે મનિષ આનંદ,
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના સિનિયર સંવાદદાતા
Comments
Post a Comment