ચાલુ શિયાળું સત્રમાં રાજ્યસભામાં ઇલેક્ટ્રિક સિગારેટ પ્રતિબંધક વિધેયક 2019, વિશેષ સુરક્ષા ગ્રુપ સંશોધન વિધેયક 2019 અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ વિધેયક 2019 પસાર કરવામાં આવ્યા.
લોકસભામાં તોફાની ચર્ચા બાદ કરવેરા કાયદા સુધારા વિધેયક 2019 પસાર કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રોકાણકારોને આકર્ષવા તથા રોજગારીના સર્જન હેતુથી આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે અમેરિકા – ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ બાદ બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનનો વિકલ્પ શોધી રહી છે ત્યારે ભારતને સ્પર્ધાત્મક સ્થળ બનાવવાના માટે આ લેવાયેલો આ વ્યુહાત્મક નિર્ણય છે.
તેમણે કહ્યું કે, પહેલી ઓક્ટોબર પછી સમાવેલા કોઇપણ કંપની તથા ઉત્પાદન એકમમાં રોકાણ કરનાર 15 ટકાના દરે ચૂકવણી કરી શકશે. જો કે તેણે અન્ય છૂટોનો લાભ લીધો હોવો જોઇએ નહી અને 2023ની 31 માર્ચ પહેલા ઉત્પાદન કરવાનું શરૂ કરવું પડશે આગ્રણી ઉદ્યોગપતિઓએ કરદરોમાં કરાયેલા ઘટાડાને ભારતીય કંપનીઓને સ્પર્ધાત્મક બનાવવા મોદી સરકારે લીધેલાં હકારાત્મક પગલું ગણાવ્યું હતું.
રાજ્યસભામાં ઇલેક્ટ્રોનીક સિગરેટ પ્રતિબંધક વિધેયક 2019 ધ્વનિમતથી પસાર કરાયો જેનાથી દેશમાં ઇ-સીગરેટના ઉત્પાદન સંગ્રહ અને પ્રચાર પર પ્રતિબંધ મુકયો છે. આ વિધેયકમાં ઇ-સીગરેટ કે જેમાં નીકોટીન તથા અન્ય રસાયણો હોય છે જે પ્રવાહીને શ્વાસ લઇ શકાય તેવી વરાળરૂપમાં પરિવર્તિત કરે છે. તેને વ્યાખ્યાયીત કરાઇ છે આમાં એક વર્ષની સજા તથા દસ લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે.આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન ચર્ચામાં જવાબ આપતા નોંધ્યું કે આ બાબત, ભારતની તમાકુ નિયંત્રણ સામેના પડકારો સામેની કટિબદ્ધતા દર્શાવે છે.
ઉપલા ગૃહે વિશેષ સુરક્ષા સુધારા વિધેયક 2019 પણ પસાર કર્યું. ગત સપ્તાહે નીચલા ગૃહમાં માત્ર પ્રધાનમંત્રી અને તેમના નજીકના પરીવારને વિશેષ SPG સુરક્ષા તથા પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરીવારને પાંચ વર્ષ સુધી SPG સુરક્ષા આપવાની દરખાસ્ત છે.
લોકસભા એ દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોના વિલીનીકરણ કરતુ વિધેયક પણ પસાર કર્યું છે. વીલીન કરાયેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ – દીવ તરીકે ઓળખાશે.
નીચલા ગૃહે જહાજ રીસાઇકલીંગ વિધેયક 2019 પર પસાર કર્યું. જેમાં જહાજમાં હાનિકારક પદાર્થોના ઉપયોગને મર્યાદિત કરવાની તથા જહાજના રીસાઇકલીંગને નિયંત્રિત કરવાની જોગવાઇ છે.
કેન્દ્રિય મંત્રીમંડળે નાગરીકત્વ સુધારા બિલ CABને પણ મંજૂરી આપી છે. જેને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.
ચાર ડિસેમ્બરે કેબિનેટે મંજૂર કરેલું નાગરિકત્વ સુધારા બિલ મહત્વપૂર્ણ હતું કારણ કે, સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ દેશભરમાં રાષ્ટ્રીય નાગરીકતા નોંધણી NRCની ભારપૂર્વક હિમાયત કરી રહ્યું છે.
આ વિધેયકનો હેતુ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરીકતા આપવાનો છે આ સુધારેલા વિધેયકમાં નાગરીકતા કાયદો 1955 કે જેમાં યોગ્ય પ્રવાસ દસ્તાવેજો વગર વસતા લોકોને ગેરકાયદેસર શરણાર્થી ગણાવતી જોગવાઇમાં મોટો સુધારો કરાશે.
મંત્રીમંડળે વ્યક્તિગત માહિતી સુરક્ષા વિધેયકને પણ મંજુરી આપી છે અને સરકાર આ શિયાળુ સત્રમાં આ વિધેયક ગૃહમાં રજૂ કરશે. આ વિધેયકનો હેતુ વ્યક્તિગત માહિતીના સંગ્રહ, વ્યક્તિની સંમતિ, દંડ, વળતર, આચરસંહિતા તથા અમલીકરણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા આપવાનો છે.
નાણાકીય તથા આરોગ્ય સહિતના મહત્વપૂર્ણ રેકોર્ડ ભારતમાં સ્ટોર કરાશે વિદેશીઓ માટેની જોગવાઇ વિધેયક રજૂ કર્યા બાદ નક્કી કરાશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગૃહને જણાવ્યું કે, સરકારે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યવાહી સંહિતામાં જરૂરી સુધારા સુચવવા એક સમિતિની રચના કરી છે.
ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકારે ગેરકાયદેસર વસાહતીઓના દેશ નિકાલ માટે રાજ્યોને કડક સૂચનાઓ આપી છે.
લેખક – યોગેશ સાઠુ, પત્રકાર
Comments
Post a Comment