આબોહવા પરીવર્તન હકીકત છે અને તેનાથી દુર ભાગી શકાય તેમ નથી. આબોહવા પરીવર્તન કોઇ એક દેશની કામગીરી કે નિષ્ક્રીયતા પર આધારીત નથી માટે તેની અસરોથી દુનિયાનો કોઇપણ દેશ બાકી રહી શકે તેમ નથી. કમોસમી વરસાદ, અતિશય ગરમી અને અતિશય ઠંડી વિગેરે આબોહવા પરીવર્તનના પરીણામ છે. જેની અસર આરોગ્ય અને ખાદ્ય ઉત્પાદનો પર થાય છે. હમણા જ પુરી થયેલી આબોહવા પરીવર્તનની મેડ્રીડ પરીષદ અથવા કોપ-રપ પરિષદમાં આબોહવા પરીવર્તન સામે અસરકારક પગલાં માટે પેરીસ સંધી ર૦૧પ ના અમલીકરણ માટેની કાર્ય યોજના ઘડવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. બે અઠવાડીયા ચાલેલી આ પરીષદમાં આબોહવા પરીવર્તનની અસરો અંગેની વૈજ્ઞાનીક ચેતવણીઓ, તેના પરીણામો અને તેની વિનાશકતાથી વિશ્વનો બચાવ જેવી બાબતોની સમીક્ષા કરાઇ હતી. આબોહવા પરીવર્તન માટેની સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા - આંતર સરકાર પેનલ – આઇપીસીસી એ આ પરીષદમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તમામ રાષ્ટ્રો આબોહવા પરીવર્તન સામે પોતાની કાર્યયોજનાને વધુ સઘન નહી બનાવે તો પ્રકૃતિને નુકશાન કરી રહેલા પરીબળોને ઘટાડવા માટેના ઇચ્છીત પરીણામો મળી શકશે નહી. સંયુકત રાષ્ટ્રસંઘ પર્યાવરણ કાર્યક્રમના એમિશન ગેપ રીપોર્ટ – ર૦૧૯માં અત્યંત ગંભીર ચેતવણી આપતા જણાવાયું કે આપણે આબોહવા પરીવર્તનને ૧.પ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટાડવાની તક ગુમાવવાના આરે છીએ. હજારો વૈજ્ઞાનીક સંદર્ભોને આધારે આઇપીસીસીએ તેના વિશેષ અહેવાલના વૈશ્વીક ચેતવણી આપી છે કે જો આબોહવા પરીવર્તન આજની ગતિ એ જ ચાલુ રહેશે તો ર૦૩૦ થી ર૦પર સુધીમાં તાપમાનમાં ૧.પ ડિગ્રી જેટલો વધારો થશે. પેરીસ આબોહવા પરીષદમાં, આબોહવા પરીવર્તન સામેની લડતમાં એકઝુટ થઇ લડવા માટે પ્રથમવાર તમામ રાષ્ટ્રોએ ર૦૧પ સંધિ અંગે સમંતી સાધી હતી.
વર્તમાન સદીમાં વૈશ્વિક તાપમાનનો વધારો બે ડિગ્રી કરતા ઓછો રાખી આબોહવા પરિવર્તનના પડકારો સામે વૈશ્વિક લડત આપવી અને ભવિષ્યમાં તાપમાન વધારો 1.5 ડિગ્રીથી વધુ ન થાય તે માટે અસરકારક પગલા લેવાએ પેરિસ સંધિનો મુખ્ય ઉદ્દેશ છે. મેડ્રીડ પરિષદમાં તમામ રાષ્ટ્રો આ વૈશ્વિક કાર્યયોજનાને વળગી રહે તેવો લક્ષ્યાંક રખાયો હતો.
ચીન, ભારત, યુરોપીયન સંધ તથા અમેરિકા 2017માં અશ્મિભૂત બળતણ દ્વારા કાર્બન ડાયોક્સાઇન ઉત્સજનમાં 60 ટકાનો હિસ્સો ધરાવનાર દેશો હતા.
ભારતે, 2030 સુધીમાં ગ્રીન કાર્બન ગેસ ઉત્સર્જનમાં જીડીપી યુનિટ દીઠ 33થી 35 ટકા ઘટાડો કરવાનો નિર્ધાર કર્યો છે.
ભારત તેની હાલની નીતીના આધારે કોઈ પણ શરત વગર આ લક્ષ્યાંક હાંસલ કરશે. અને તેનાં લક્ષ્યાંકને 15 ટકાથી વટાવી દેશે તેવી સંભાવના છે. ભારતની કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતા ચાર પગલા ઉપર આધારિત છે. જેમાં કોલસા આધારિત ઉર્જા એકમોના બદલે વીજળી ઉત્પાદનમાં બિન અશ્મીભૂત ઇંધણ સ્ત્રોતોનો ઉપયોગ, ઝિરો ઉત્સર્જન ટેકનોલોજીની દિશામાં પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગોનો વિકાસ, જાહેર પરિવહન વ્યવસ્થાનું વિસ્તરીકરણ અને ઝીરો ઉત્સર્જન કરતી નવી ગાડીઓ વેચાણ દ્વારા રાષ્ટ્રીય ઇલેક્ટ્રીક પરિવહન વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
મેડ્રિડ ખાતે યોજાયેલી પર્યાવરણ પરિષદમાં ભારતે મહાત્મા ગાંધીની ઓછી જરૂરિયાત સાથેની સરળ જીવનશૈલીની વિચારસરણી દ્વારા સાતત્યપૂર્ણ વિકાસના દૃષ્ટિકોણને રજૂ કર્યો હતો. ભારતે કહ્યું કે, સાતત્યપૂર્ણ વપરાશ અને ઉત્પાદનના સિદ્ધાંતોના આધારે તે આબોહવા પરિવર્તનના પડકારને ઉકેલી રહ્યો છે.
ભારતે તેની કાર્બન ઉત્સર્જન માત્રામાં 21 ટકા ઘટાડો કર્યો છે અને તે પેરિસ સંધિમાં અપાયેલા વચન મુજબ 35 ટકાના ઘટાડાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. કોપ 25 પરિષદમાં ભારતના પ્રતિનિધિ મંડળની અધ્યક્ષતા કરી રહેલી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આબોહવા પરિવર્તન સામે શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચના 6 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, પેરિસ સંધિમાં અપાયેલા વચન મુજબ ભારતે 175 ગિગાવોટ નવીનીકરણ ઉર્જાના લક્ષ્યાંક સામે 83 ગિગાવોટ નવીનીકરણ ઉર્જાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને હવે તેણે 450 ગિગાવોટ સુધી લઈ જવા માટેનીયોજના બનાવી રહ્યું છે. આબોહવા પરિવર્તનની માનવીય જીવન અને પરિસર તંત્ર પર મોટી અસરો જોવા મળી છે. અને આ મુદ્દો હાલના સમયનો સૌથી મોટો પડકાર છે.
અશ્મિભૂત ઇધણો પરની નિર્ભરતા ઘટાડી, નવીનીકરણ ઉર્જાની દિશામાં આગળ વધીને જ આ પડકારનો સામનો કરી શકાશે.
Comments
Post a Comment