Skip to main content

સંસદના ગત સપ્તાહ વિશે સમીક્ષા

1949માં બંધારણ વિધાનસભા દ્વારા ભારતીય બંધારણના કરાયેલા સ્વીકાર નિમિત્તે 26મી નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ. 26 જાન્યુઆરી 1950ના રોજે બંધારણના અમલ બાદ ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસના યુગનો પ્રારંભ થયો.

ઉજવણીના ભાગરૂપે સંસદભવન ખાતે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અધિકારો અને જવાબદારીઓ સિક્કાની બે બાજુ છે. તેમણે લોકોને તેમની ફરજો પ્રત્યે સજાગ બનવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, લોકોએ તેમની ફરજો અદા કરવી જોઇએ. જેનાથી તેમના હકોનું અસરકારક રક્ષણ સુનિશ્ચિત થશે. આ પ્રસંગે તેમણે ભારતીય સંસદીય લોકશાહીમાં રાજ્યસભાનું યોગદાન વિષય પરના પુસ્તક, સ્મૃતિ સિક્કા તથા ટિકિટનું વિમોચન કર્યું હતું. તેમણે ડીજીટલ પ્રદર્શનને પણ ખુલ્લું મુક્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની આકાંક્ષાઓ રજૂ કરતા બંધારણને પવિત્ર અને પથદર્શક પુસ્તક ગણાવ્યું હતું. તેમણે બંધારણને સર્વસમાવેચી અને મજબૂત ગણાવતા કહ્યું કે, તેમાં નાગરીકોના અધિકારો અને ફરજો દર્શાવાઇ છે. જે તેનું મહત્વનું પાસું છે.

રાજ્યસભાના સભાપતિ – ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષમાં દેશ લોકશાહી બંધારણ સાથે જોડાયેલો ભાગ નથી રહ્યો પણ લોકશાહી મુલ્યો વધુ ઉંડા કરવાની દિશામાં ખૂબ જ પ્રગતિ કરી છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે લોકસભાને માહીતી આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુનગર્ઠન મુદ્દે આ વિસ્તારમાં અશાંતિ ઊભી કરવાનાં પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને વારંવાર કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘ, માનવ અધિકાર પરિષદ અને ઇસ્લામિક સહભાગીતા સંસ્થાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રી મંચો પર ખોટી અને દ્વેષપૂર્ણ વાતો ફેલાવવાનો પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનના આ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે પાકિસ્તાનને તેમની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, ભારતીય હવાઇ દળો દ્વારા બાલાકોટ ખાતે કરાયેલા હવાઇ હુમલા બાદ પાકિસ્તાન સ્થિત આંતકી જૂથો આ વિસ્તારમાં ફરીથી સક્રિય થવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાલાકોટ ખાતે આંતકી જૂથો ફરીથી કેમ્પ ઉભા કરવા અને ભારત વિરોધની આતંકી ગતિવીધીઓ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, દેશનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું નથી અને સરકારે અર્થતંત્રને વેગ આપવા નક્કર પગલા લીધા છે. રાજ્યસભામાં દેશના અર્થતંત્રની સ્થિતિ અંગેની ચર્ચામાં બોલતા તેમણે કહ્યું કે, દેશના અર્થતંત્રના વૃદ્ધિ માટે ઘણા પગલાઓ લેવાયા છે.

વિદેશ બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરને ગુરૂવારે રાજ્યસભાને જણાવ્યું કે, દિલ્હી બિન સંગઠિત અભ્યાસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના આમંત્રણના પગલે યુરોપ સંસદના વિવિધ પક્ષોના 27 સભ્યોએ 28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેઓએ આતંકવાદની ભારત પર શું અસર થઇ રહી છે. તે સમજવા કાશ્મીરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાને યુરોપીયન સાંસદોએ આતંકવાદ ભારત માટે ખાસ કરીને જમ્મુ-કાશ્મીર માટે એ તો મોટો ખતરો છે. તેની જાણ થઇ હતી. તેમણે કહ્યું કે, આવા આદાનપ્રદાનથી ભારત અન્ય દેશો વચ્ચેના સંબંધો અને લોકસંપર્કો વધુ ઉંડા બનશે.

લેખક – વી. મોહનરાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...