Skip to main content

સંસદના ગત સપ્તાહ વિશે સમીક્ષા

1949માં બંધારણ વિધાનસભા દ્વારા ભારતીય બંધારણના કરાયેલા સ્વીકાર નિમિત્તે 26મી નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ. 26 જાન્યુઆરી 1950ના રોજે બંધારણના અમલ બાદ ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસના યુગનો પ્રારંભ થયો.

ઉજવણીના ભાગરૂપે સંસદભવન ખાતે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અધિકારો અને જવાબદારીઓ સિક્કાની બે બાજુ છે. તેમણે લોકોને તેમની ફરજો પ્રત્યે સજાગ બનવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, લોકોએ તેમની ફરજો અદા કરવી જોઇએ. જેનાથી તેમના હકોનું અસરકારક રક્ષણ સુનિશ્ચિત થશે. આ પ્રસંગે તેમણે ભારતીય સંસદીય લોકશાહીમાં રાજ્યસભાનું યોગદાન વિષય પરના પુસ્તક, સ્મૃતિ સિક્કા તથા ટિકિટનું વિમોચન કર્યું હતું. તેમણે ડીજીટલ પ્રદર્શનને પણ ખુલ્લું મુક્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની આકાંક્ષાઓ રજૂ કરતા બંધારણને પવિત્ર અને પથદર્શક પુસ્તક ગણાવ્યું હતું. તેમણે બંધારણને સર્વસમાવેચી અને મજબૂત ગણાવતા કહ્યું કે, તેમાં નાગરીકોના અધિકારો અને ફરજો દર્શાવાઇ છે. જે તેનું મહત્વનું પાસું છે.

રાજ્યસભાના સભાપતિ – ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષમાં દેશ લોકશાહી બંધારણ સાથે જોડાયેલો ભાગ નથી રહ્યો પણ લોકશાહી મુલ્યો વધુ ઉંડા કરવાની દિશામાં ખૂબ જ પ્રગતિ કરી છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે લોકસભાને માહીતી આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુનગર્ઠન મુદ્દે આ વિસ્તારમાં અશાંતિ ઊભી કરવાનાં પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને વારંવાર કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘ, માનવ અધિકાર પરિષદ અને ઇસ્લામિક સહભાગીતા સંસ્થાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રી મંચો પર ખોટી અને દ્વેષપૂર્ણ વાતો ફેલાવવાનો પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનના આ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે પાકિસ્તાનને તેમની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, ભારતીય હવાઇ દળો દ્વારા બાલાકોટ ખાતે કરાયેલા હવાઇ હુમલા બાદ પાકિસ્તાન સ્થિત આંતકી જૂથો આ વિસ્તારમાં ફરીથી સક્રિય થવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાલાકોટ ખાતે આંતકી જૂથો ફરીથી કેમ્પ ઉભા કરવા અને ભારત વિરોધની આતંકી ગતિવીધીઓ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, દેશનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું નથી અને સરકારે અર્થતંત્રને વેગ આપવા નક્કર પગલા લીધા છે. રાજ્યસભામાં દેશના અર્થતંત્રની સ્થિતિ અંગેની ચર્ચામાં બોલતા તેમણે કહ્યું કે, દેશના અર્થતંત્રના વૃદ્ધિ માટે ઘણા પગલાઓ લેવાયા છે.

વિદેશ બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરને ગુરૂવારે રાજ્યસભાને જણાવ્યું કે, દિલ્હી બિન સંગઠિત અભ્યાસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના આમંત્રણના પગલે યુરોપ સંસદના વિવિધ પક્ષોના 27 સભ્યોએ 28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેઓએ આતંકવાદની ભારત પર શું અસર થઇ રહી છે. તે સમજવા કાશ્મીરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાને યુરોપીયન સાંસદોએ આતંકવાદ ભારત માટે ખાસ કરીને જમ્મુ-કાશ્મીર માટે એ તો મોટો ખતરો છે. તેની જાણ થઇ હતી. તેમણે કહ્યું કે, આવા આદાનપ્રદાનથી ભારત અન્ય દેશો વચ્ચેના સંબંધો અને લોકસંપર્કો વધુ ઉંડા બનશે.

લેખક – વી. મોહનરાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...