Skip to main content

સંરક્ષણમંત્રીની રશિયાની મુલાકાત અંગે સમીક્ષા

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મોસ્કોમાં યોજાયેલી શાંઘાય સહકાર સંગઠન SCO ના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે ગત સપ્તાહે રશિયાની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન શ્રી રાજનાથસિંહે રશિયાના સંરક્ષણમંત્રી જનરલ સેર્ગેઈ શોઇગૂ સાથે પણ મંત્રણા કરી હતી. કોવિડના સમયગાળામાં ભારતના સંરક્ષણમંત્રીની મોસ્કોની બીજી મુલાકાતથી ભારત અને રશિયાના સંરક્ષણ ક્ષેત્રના વધુ સઘન બની રહેલા સંબંધોનો સંકેત મળ્યો છે.

બીજા વિશ્વ યુધ્ધમાં સાથી રાષ્ટ્રોએ મેળવેલા વિજયની સ્મૃતિમાં રશિયામાં યોજાયેલી પરેડમાં ભારતની સેનાની ત્રણેય પાંખોના સૈનિકોએ ભાગ લીધો હતો. ભારત અને રશિયાના સંરક્ષણમંત્રીઓએ વિવિધ મુદ્દાઓ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી.

ભારત અને રશિયાના નૌકાદળોના જવાનોએ ચાર અને પાંચમી સપ્ટેમ્બરે મલાક્કાની સમુદ્રધુનીમાં સંયુક્ત ક્વાયતો હાથ ધરી હતી. એજ સમયે ભારત અને રશિયાના સંરક્ષણ મંત્રીઓએ મંત્રણા કરી હતી.

શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, હિન્દ મહાસાગર વિસ્તારની દરિયાઈ સલામતીને ભારત અને રશિયા કેટલું મહત્વ આપે છે એ બાબત બંને દેશના નૌકાદળોની સંયુક્ત ક્વાયત દ્વારા જાણવા મળે છે. ભારતના સંરક્ષણમંત્રીએ ભારતની કોઈ પણ શસ્ત્રની ખરીદીને રશિયાએ આપેલું સમર્થન તથા નિર્ધારિત સમયગાળામાં એ શસ્ત્રને ભારતને સોંપવામાં દાખવેલી સાતત્યતાને બીરદાવી હતી.

આ પ્રસંગે બંને નેતાઓએ ભારતના લશ્કર માટે અદ્યતન એ.કે. 203 એસોલ્ટ રાયફલની ખરીદી તથા મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ભારતમાં એ રાયફલોના ઉત્પાદન બાબતે ચર્ચા કરી હતી. 

રશિયાએ આગામી ફેબ્રુઆરી 2021માં યોજાનાર એરો ઇન્ડિયા પ્રદર્શનમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં સેના તથા ટેકનીક્લ સહકાર માટેના આંતર – સરકારી પંચની હવે પછીની બેઠક આ વર્ષના અંતમાં ભારતમાં યોજવા બાબતે સંમતિ સધાઈ હતી.

ભારતના સંરક્ષણ મંત્રીએ SCO ની બેઠકમાં આપેલી હાજરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે મુક્ત સ્રર્વસમાવેશક , આંતરરાષ્ટ્રીય કાયદા આધારિત વૈશ્વિક સલામતી વ્યવસ્થા પ્રત્યેની ભારતની પ્રતિબધ્ધતા જ દેખાઈ છે.

શ્રી રાજનાથસિંહે SCO ની બેઠકમાં પર્શિયન અખાત તથા અફઘાનીસ્તાનની સ્થિતિ અંગે તેમના વિચારો દર્શાવ્યા હતા. ભારતે આ વિસ્તાર સાથે જોડાયેલ પ્રાદેશિક હિત તથા બીજા દેશોનો આદર તથા સાર્વભૌમત્વ જાળવીને આ મુદ્દે ઉકેલ મેળવવા ઉપર ભાર મૂક્યો. સંરક્ષણમંત્રીએ આતંકવાદ તથા ઉદ્દામવાદ વિરોધી ઠરાવની SCO ની બેઠકમાં કરાયેલી ચર્ચા તથા સાયબર ગૂના અને આતંકવાદને રોકવા સહકાર વધારવાની SCO જૂથની તત્પરતાને બિરદાવી હતી. શ્રી રાજનાથસિંહે ઉઝબેકિસ્તાન, તાજીકીસ્તાન અને કઝકસ્તાનના સંરક્ષણમંત્રીઓ સાથે પણ મંત્રણાઓ કરી હતી. 

SCO જૂથની બેઠકમાં ચીનના સંરક્ષણમંત્રી જનરલ વેઇ ફેંગે શ્રી રાજનાથસિંહ સાથે મંત્રણા કરવાની તત્પરતા વ્યક્ત કરતાં આ બંને આગેવાનોએ બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી રાજનાથસિંહે ગલવાન ખીણ સહિત વાસ્તવિક નિયંત્રણ રેખા LAC ખાતે છેલ્લાં કેટલાંક મહિનાથી ઊભી થયેલી પરિસ્થિતિ બાબતે ભારતનો મત અને વલણ સ્પષ્ટ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ પરિસ્થિતિના વ્યવસ્થાપનમાં હંમેશા જવાબદારીભર્યો અભિગમ અપનાવ્યો છે. જોકે ચીને આ બાબત સમજવી જોઈએ કે ભારત દેશની અખંડીતતા તથા સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે. 

ચીનના સંરક્ષણમંત્રીએ પણ પરિસ્થિતિ સામાન્ય બનાવવા બંને પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. બંને અગ્રણીઓએ દોહરાવ્યું હતું કે, દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા સરહદે શાંતિ જળવાય તે જરૂરી છે.

આથી જ બંને પક્ષો વર્તમાન મુદ્દાઓનો ઉકેલ વાતચીત વડે મેળવવા સંમત થયા હતા. દિલ્હી પાછા ફરતી વખતે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ઇરાનમાં રોકાઈને ઇરાનના સંરક્ષણમંત્રી સાથે વાતચીત કરી હતી.




લેખક : સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ અશોકકુમાર મુખરજી

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...