Skip to main content

ભારત અને ઈરાનના સંબંધો વધુ મજબૂત બનવાની થયેલી શરૂઆત અંગે સમીક્ષા

ભારતના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ એકાદ સપ્તાહમાં ઈરાનની મુલાકાલ લીધી છે. આમ થવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગયા રવિવારે મોસ્કોમાં યોજાયેલી SCO સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા હતા.

રશિયાથી ભારત આવતી વખતે તેઓ ઈરાનમાં રોકાયા હતા.

ઈરાનના સંરક્ષણ મંત્રી બ્રિગેડીયર જનરલ અમીર હાતામી સાથેની મંત્રણામાં બંને અગ્રણીઓએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા તથા પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી હતી.

એવી જ રીતે વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મોસ્કોમાં SCOની બેઠકમાં હાજરી આપતી વખતે માર્ગમાં આવતા ઈરાનમાં રોકાણ કર્યું હતું.

શ્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી મહંમદ જાવેદ ઝરીફ સાથે ફળદાયી મંત્રણા કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા બાબતે મંત્રણા કરી હતી.

અગાઉ ડિસેમ્બર 2019માં યોજાયેલી ભારત-ઈરાન સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા માટે વિદેશમંત્રી જયશંકર ઈરાન ગયા હતા.

એવી જ રીતે ઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે 2020માં ભારતમાં યોજાયેલી રાયસીના સંવાદ બેઠકમાં હાજરી આપી હતી.

કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જાહેર કરાયેલ લોકડાઉનને દૂર કરવાની પ્રક્રિયા બાદ શ્રી જયશંકરની વિદેશની આ પ્રથમ મુલાકાત છે.

આ બાબત દર્શાવે છે કે, ભારત અને ઈરાન દ્વિપક્ષીય સંબંધો સાચવવાને કેટલું મહત્વ આપે છે.

ખાસ કરીને અમેરિકાએ ઈરાન ઉપર દબાણ વધાર્યું છે, ત્યારે ભારત અને ઈરાનના અગ્રણીઓની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.

એવી જ રીતે ઈરાન અને ચીને પણ તેમના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ચીને ઈરાનમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવાનું વચન આપીને ઈરાનને બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવમાં જોડવવા આમંત્રણ આપતા ચીન તથા ઈરાન વચ્ચેના સંબંધો ફરી મજબૂત બનવા લાગ્યા છે.

ભારત અને ઈરાને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરવા ઉપરાંત અફઘાનિસ્તાનમાં સ્થીરતા લાવવા અંગે પણ મંત્રણા કરી હતી.

અમેરિકાએ ઈરાન સાથે શસ્ત્રો મોકલવા ઉપરનો મુકેલો પ્રતિબંધ ઓક્ટોબરમાં પૂરો થવામાં છે, ત્યારે ભારતના બે નેતાઓની મુલાકાત પણ આગવું મહત્વ ધારણ કરે છે.

ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધો છે અને ઘણા વર્ષોથી તે ધીરે ધીરે મજબૂત બની રહ્યા છે.

તાજેતરમાં ચાબહાર બંદર અને ચાબહાર ઝહેદાન રેલવે માર્ગ જેવા માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો સંયુક્ત રીતે હાથ ધરાયા છે.

ગયા મહિને ભારતના ઈરાન ખાતેના રાજદૂતને ઈરાનના નાયબ પ્રધાનમંત્રીએ ચર્ચા માટે બોલાવ્યા હતા.

બંને આગેવાનોએ ચાબહાર-ઝહેદાન રેલવે માર્ગ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યા હોવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને ઘણી અસર થઈ છે.

આમ છતાં ભારત અને ઈરાન બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સઘન બનાવવા પ્રતિબદ્ધ છે.

ભારત માટે ઈરાન દ્વિપક્ષીય વેપાર ઉપરાંત અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સાથેના વેપાર માટે પણ ઉપયોગી ભાગીદાર દેશ છે.

એવી જ રીતે ઈરાનના ઉત્પાદનો માટે ભારત સારી બજાર પૂરી પાડે છે તથા ભારત ઈરાનથી ખનિજતેલ માટેનો પણ ગ્રાહક દેશ છે.

હાલમાં વૈશ્વિક રાજકારણના ભાગરૂપે અમેરિકા, રશિયા તથા ચીન-મધ્ય એશિયામાં ઘણા સક્રિય બન્યા છે.

આમ થવાથી ઈરાનના બીજા દેશોના સંબંધો ઉપર ઘણી અસર થઈ છે.

તાજેતરના સમયમાં કોવીડના લીધે પણ વેપાર ક્ષેત્ર ઉપર ઘણી અસર થઈ છે.

ભારતના બે વરિષ્ઠ મંત્રીઓએ ઈરાનની મુલાકાત લેતાં કોવીડને લગતા નિયંત્રણો હળવા બનવામાં મદદ મળી છે.

આ જ બાબત ભારત ઈરાનને કેટલું મહત્વ આપે છે તે પુરવાર કરે છે.



શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર


લેખક – સિંગાપુર યુનિવર્સિટીના વરિષ્ઠ ફેલો ડોક્ટર અસીફ શુજા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...