Skip to main content

ભારત અને ઈરાનના સંબંધો વધુ મજબૂત બનવાની થયેલી શરૂઆત અંગે સમીક્ષા

ભારતના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ એકાદ સપ્તાહમાં ઈરાનની મુલાકાલ લીધી છે. આમ થવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગયા રવિવારે મોસ્કોમાં યોજાયેલી SCO સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા રશિયા ગયા હતા.

રશિયાથી ભારત આવતી વખતે તેઓ ઈરાનમાં રોકાયા હતા.

ઈરાનના સંરક્ષણ મંત્રી બ્રિગેડીયર જનરલ અમીર હાતામી સાથેની મંત્રણામાં બંને અગ્રણીઓએ સંરક્ષણ ક્ષેત્રનો સહકાર વધારવા તથા પ્રાદેશિક સલામતી અંગે ચર્ચા કરી હતી.

એવી જ રીતે વિદેશમંત્રી એસ.જયશંકરે પણ મોસ્કોમાં SCOની બેઠકમાં હાજરી આપતી વખતે માર્ગમાં આવતા ઈરાનમાં રોકાણ કર્યું હતું.

શ્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી મહંમદ જાવેદ ઝરીફ સાથે ફળદાયી મંત્રણા કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય સહકાર મજબૂત બનાવવા બાબતે મંત્રણા કરી હતી.

અગાઉ ડિસેમ્બર 2019માં યોજાયેલી ભારત-ઈરાન સંયુક્ત પંચની બેઠકમાં હાજરી આપવા માટે વિદેશમંત્રી જયશંકર ઈરાન ગયા હતા.

એવી જ રીતે ઈરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે 2020માં ભારતમાં યોજાયેલી રાયસીના સંવાદ બેઠકમાં હાજરી આપી હતી.

કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જાહેર કરાયેલ લોકડાઉનને દૂર કરવાની પ્રક્રિયા બાદ શ્રી જયશંકરની વિદેશની આ પ્રથમ મુલાકાત છે.

આ બાબત દર્શાવે છે કે, ભારત અને ઈરાન દ્વિપક્ષીય સંબંધો સાચવવાને કેટલું મહત્વ આપે છે.

ખાસ કરીને અમેરિકાએ ઈરાન ઉપર દબાણ વધાર્યું છે, ત્યારે ભારત અને ઈરાનના અગ્રણીઓની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે.

એવી જ રીતે ઈરાન અને ચીને પણ તેમના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ચીને ઈરાનમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવાનું વચન આપીને ઈરાનને બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવમાં જોડવવા આમંત્રણ આપતા ચીન તથા ઈરાન વચ્ચેના સંબંધો ફરી મજબૂત બનવા લાગ્યા છે.

ભારત અને ઈરાને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરવા ઉપરાંત અફઘાનિસ્તાનમાં સ્થીરતા લાવવા અંગે પણ મંત્રણા કરી હતી.

અમેરિકાએ ઈરાન સાથે શસ્ત્રો મોકલવા ઉપરનો મુકેલો પ્રતિબંધ ઓક્ટોબરમાં પૂરો થવામાં છે, ત્યારે ભારતના બે નેતાઓની મુલાકાત પણ આગવું મહત્વ ધારણ કરે છે.

ભારત અને ઈરાન વચ્ચે વર્ષો જૂના સંબંધો છે અને ઘણા વર્ષોથી તે ધીરે ધીરે મજબૂત બની રહ્યા છે.

તાજેતરમાં ચાબહાર બંદર અને ચાબહાર ઝહેદાન રેલવે માર્ગ જેવા માળખાકીય સુવિધાના પ્રોજેક્ટો સંયુક્ત રીતે હાથ ધરાયા છે.

ગયા મહિને ભારતના ઈરાન ખાતેના રાજદૂતને ઈરાનના નાયબ પ્રધાનમંત્રીએ ચર્ચા માટે બોલાવ્યા હતા.

બંને આગેવાનોએ ચાબહાર-ઝહેદાન રેલવે માર્ગ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી.

અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યા હોવાથી ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય વેપારને ઘણી અસર થઈ છે.

આમ છતાં ભારત અને ઈરાન બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ સઘન બનાવવા પ્રતિબદ્ધ છે.

ભારત માટે ઈરાન દ્વિપક્ષીય વેપાર ઉપરાંત અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સાથેના વેપાર માટે પણ ઉપયોગી ભાગીદાર દેશ છે.

એવી જ રીતે ઈરાનના ઉત્પાદનો માટે ભારત સારી બજાર પૂરી પાડે છે તથા ભારત ઈરાનથી ખનિજતેલ માટેનો પણ ગ્રાહક દેશ છે.

હાલમાં વૈશ્વિક રાજકારણના ભાગરૂપે અમેરિકા, રશિયા તથા ચીન-મધ્ય એશિયામાં ઘણા સક્રિય બન્યા છે.

આમ થવાથી ઈરાનના બીજા દેશોના સંબંધો ઉપર ઘણી અસર થઈ છે.

તાજેતરના સમયમાં કોવીડના લીધે પણ વેપાર ક્ષેત્ર ઉપર ઘણી અસર થઈ છે.

ભારતના બે વરિષ્ઠ મંત્રીઓએ ઈરાનની મુલાકાત લેતાં કોવીડને લગતા નિયંત્રણો હળવા બનવામાં મદદ મળી છે.

આ જ બાબત ભારત ઈરાનને કેટલું મહત્વ આપે છે તે પુરવાર કરે છે.



શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર


લેખક – સિંગાપુર યુનિવર્સિટીના વરિષ્ઠ ફેલો ડોક્ટર અસીફ શુજા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...