પાકિસ્તાનની સંયુક્ત સંસદે ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવા અને દેશમાં કાળા નાણાં વિરોધને લગતાં ત્રાસવાદ વિરોધી કાનૂન સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકોને મંજૂર કર્યા છે. વિરોધપક્ષોના પ્રભુત્વવાળી સંસદે છેલ્લા એક મહિના દરમિયાન સતત આ વિધેયકોને ઠુકરાવી દીધા પછી હવે આ વિધેયકોને મંજૂરી અપાઈ છે. ફ્રાન્સના પેરિસ સ્થિત પાકિસ્તાન અંગેના નાણાંકીય કાર્યવાહી કાર્યદળ-એફએટીએફ દ્વારા પાકિસ્તાનને કાળી યાદીમાંથી દૂર કરવા મુકેલી શરતના પાલનના હેતુથી આ વિધેયકો પસાર કરવા પડ્યા હોય તેવું લાગે છે. વિશ્વમાં ત્રાસવાદને રોકવા કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા પાકિસ્તાનને જૂન 2018થી શંકાસ્પદ દેશોની યાદીમાં મુકવામાં આવ્યું છે.
આ સંજોગોમાં પાકિસ્તાન સરકારનું સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવીને આ વિધેયકો મંજૂર કરવાનું એક આવકાર્ય પગલું છે. પરંતુ સાથો સાથ એફએટીએફની કાળી યાદીમાંથી નામ દૂર કરાવવા માટે ઇમરાન ખાન સરકાર દ્વારા લેવામાં આવેલું આ ફરજિયાત પગલું હોય તેવું લાગી રહ્યું છે. ઇમરાન ખાન આ ક્વાયત હાથ ધરવા કેટલાક ગંભીર છે અને તેમનો ઇરાદો કેટલો સારો છે તે હજી સુધી જણાતું નથી. ભૂતકાળના કોઈપણ અનુભવને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન સરકારનું આ પગલું ખરેખર ફેરફાર કરતાં ધાકપીછોડા સમાન હોય તેવું લાગે છે.
એફએટીએફ ડિસેમ્બર 2019માં મુલતવી રાખેલી તેની સમીક્ષા આવતા મહિને કરવાનું છે. કોવિડ-19 મહામારીના કારણે આ સમીક્ષા નવ મહિના પાછી ઠેલાઈ છે. આ સંસ્થાએ અલગ તારવેલા કુલ 27 મુદ્દાઓ પર પાકિસ્તાનને પગલા લેવાનું કહી રહી છે. કારણ કે, શંકાસ્પદ દેશોની યાદીમાં મુકાવાથી પાકિસ્તાનને આઈએમએફ, વિશ્વ બેન્ક, એશિયાઈ વિકાસ બેન્ક, અને યુરોપીય સંઘ જેવી વૈશ્વિક નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવાથી વંચિત રખાયું છે. પરિણામે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે અને જો તે આ સમયે પગલા લેવામાં નિષ્ફળ જાય અને એફએટીએફને સંતોષી ન શકે તો કાળી યાદીમાં મુકાઈ જવાની શક્યતા પણ છે. તેઓ અર્થ એ થયો કે, પાકિસ્તાન હવે વધુ પ્રતિબંધો સહન કરી શકે તેમ નથી.
પાકિસ્તાનને તેની આર્થિક હાલત સુધારવાની તાતી જરૂર છે. અને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીમાં વધુ વિલંબ તેના માટે ઘાતક નિવડી શકે તેમ છે. તેથી જ પ્રધાનમંત્રી ઇમરાન ખાન દુનિયા સમક્ષ એફએટીએફ દ્વારા અપાયેલી સૂચનાનું પાલન કરાઈ રહ્યું હોવાની છાપ ઊભી કરી રહ્યા છે. પાકિસ્તાને ગયા મહિને તેના 100 વ્યક્તિઓને ત્રાસવાદીઓ જાહેર કર્યા છે. પરંતુ ત્યારપછી શું થયું તે હજી જાણી શકાયું નથી.
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્ર દ્વારા ત્રણ વિધેયકોને અપાયેલી મંજૂરી પાછળની ભાવના ખોટી ન હોઈ શકે. એફએટીએફ દ્વારા નિર્ધારીત કરાયેલા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વર્તમાન કાયદામાં સુધારો કરવાના હેતુથી કાળા નાણાં નાબૂદી, સુધારા વિધેયક અને ત્રાસવાદ વિરોધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે, શું પાકિસ્તાન આ બાબતે ગંભીરતાથી પગલા લઈ રહ્યું છે કે, પછી એએફટીએફની જાળમાંથી છૂટવાનો પ્રયત્ન માત્ર છે ?
પાકિસ્તાન સાથે આતંકવાદ સામેની લડતમાં આતંકવાદને પૂરું પડાતું ભંડોળ મુખ્ય પરિબળ છે. કારણ કે, પાકિસ્તાનનું સૈન્ય અને સરકાર દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા ક્યારેય એક પક્ષે રહ્યા નહીં. ઉલટાનું બંનેએ હંમેશાં આતંકવાદને પોષણ આપ્યું છે અને રાજ્ય નીતીઓમાં તેનો સાધન તરીકે ઉપયોગ કર્યો છે. કોઈ ને ખબર નથી કે આ વખતે પણ સૈન્ય સરકાર સાથે છે કે નહીં.
વળી, વિપક્ષો અલગ જ વાત કરે છે. સંસદમાં વિધેયક પસાર થયા બાદ પીપીપી નેતા બીલાવત ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફે કહ્યું કે, સરકાર, વિપક્ષોને કચડવા FATF ના નામે રાષ્ટ્રીય જવાબદેહીતા સંસ્થાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, આ ખરડો તપાસ સંસ્થાઓને કોઈપણ ને વોરંટ વગર ધરપકડ કરવાની અંડરકવર ઓપરેશન કરવાની અને સંદેશાવ્યવહાર અવરોધવાની તથા કોમ્પ્યૂટર સિસ્ટમને એક્સેસ કરવાની સત્તા આપે છે. તેમણે આ દિવસને પાકિસ્તાન ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. ઇમરાન ખાને, તેમના પર લોકશાહી મોરચે પોતાનો બચાવ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. ઇમરાન ખાને વિપક્ષો પોતાના લાભ માટે વિધેયકને બહાલી અવરોધી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની ટીપ્પણીમાં ઇમરાન ખાને કહ્યું કે, વિપક્ષો પોતાના કાળા-નાણાંને બચાવવા દેશને એફએટીએફના બ્લેક લિસ્ટમાં પણ ધકેલી શકે છે.
આશા છે કે, આ વખતે ઇમરાન ખાન પોતાના દેશના લોકોના હિતમાં આતંકવાદ વિરૂદ્ધ ગંભીરતાથી પગલા લેશે.
આ સંજોગોમાં પાકિસ્તાન સરકારનું સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવીને આ વિધેયકો મંજૂર કરવાનું એક આવકાર્ય પગલું છે. પરંતુ સાથો સાથ એફએટીએફની કાળી યાદીમાંથી નામ દૂર કરાવવા માટે ઇમરાન ખાન સરકાર દ્વારા લેવામાં આવેલું આ ફરજિયાત પગલું હોય તેવું લાગી રહ્યું છે. ઇમરાન ખાન આ ક્વાયત હાથ ધરવા કેટલાક ગંભીર છે અને તેમનો ઇરાદો કેટલો સારો છે તે હજી સુધી જણાતું નથી. ભૂતકાળના કોઈપણ અનુભવને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન સરકારનું આ પગલું ખરેખર ફેરફાર કરતાં ધાકપીછોડા સમાન હોય તેવું લાગે છે.
એફએટીએફ ડિસેમ્બર 2019માં મુલતવી રાખેલી તેની સમીક્ષા આવતા મહિને કરવાનું છે. કોવિડ-19 મહામારીના કારણે આ સમીક્ષા નવ મહિના પાછી ઠેલાઈ છે. આ સંસ્થાએ અલગ તારવેલા કુલ 27 મુદ્દાઓ પર પાકિસ્તાનને પગલા લેવાનું કહી રહી છે. કારણ કે, શંકાસ્પદ દેશોની યાદીમાં મુકાવાથી પાકિસ્તાનને આઈએમએફ, વિશ્વ બેન્ક, એશિયાઈ વિકાસ બેન્ક, અને યુરોપીય સંઘ જેવી વૈશ્વિક નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવાથી વંચિત રખાયું છે. પરિણામે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે અને જો તે આ સમયે પગલા લેવામાં નિષ્ફળ જાય અને એફએટીએફને સંતોષી ન શકે તો કાળી યાદીમાં મુકાઈ જવાની શક્યતા પણ છે. તેઓ અર્થ એ થયો કે, પાકિસ્તાન હવે વધુ પ્રતિબંધો સહન કરી શકે તેમ નથી.
પાકિસ્તાનને તેની આર્થિક હાલત સુધારવાની તાતી જરૂર છે. અને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીમાં વધુ વિલંબ તેના માટે ઘાતક નિવડી શકે તેમ છે. તેથી જ પ્રધાનમંત્રી ઇમરાન ખાન દુનિયા સમક્ષ એફએટીએફ દ્વારા અપાયેલી સૂચનાનું પાલન કરાઈ રહ્યું હોવાની છાપ ઊભી કરી રહ્યા છે. પાકિસ્તાને ગયા મહિને તેના 100 વ્યક્તિઓને ત્રાસવાદીઓ જાહેર કર્યા છે. પરંતુ ત્યારપછી શું થયું તે હજી જાણી શકાયું નથી.
પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્ર દ્વારા ત્રણ વિધેયકોને અપાયેલી મંજૂરી પાછળની ભાવના ખોટી ન હોઈ શકે. એફએટીએફ દ્વારા નિર્ધારીત કરાયેલા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વર્તમાન કાયદામાં સુધારો કરવાના હેતુથી કાળા નાણાં નાબૂદી, સુધારા વિધેયક અને ત્રાસવાદ વિરોધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે, શું પાકિસ્તાન આ બાબતે ગંભીરતાથી પગલા લઈ રહ્યું છે કે, પછી એએફટીએફની જાળમાંથી છૂટવાનો પ્રયત્ન માત્ર છે ?
પાકિસ્તાન સાથે આતંકવાદ સામેની લડતમાં આતંકવાદને પૂરું પડાતું ભંડોળ મુખ્ય પરિબળ છે. કારણ કે, પાકિસ્તાનનું સૈન્ય અને સરકાર દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા ક્યારેય એક પક્ષે રહ્યા નહીં. ઉલટાનું બંનેએ હંમેશાં આતંકવાદને પોષણ આપ્યું છે અને રાજ્ય નીતીઓમાં તેનો સાધન તરીકે ઉપયોગ કર્યો છે. કોઈ ને ખબર નથી કે આ વખતે પણ સૈન્ય સરકાર સાથે છે કે નહીં.
વળી, વિપક્ષો અલગ જ વાત કરે છે. સંસદમાં વિધેયક પસાર થયા બાદ પીપીપી નેતા બીલાવત ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફે કહ્યું કે, સરકાર, વિપક્ષોને કચડવા FATF ના નામે રાષ્ટ્રીય જવાબદેહીતા સંસ્થાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે, આ ખરડો તપાસ સંસ્થાઓને કોઈપણ ને વોરંટ વગર ધરપકડ કરવાની અંડરકવર ઓપરેશન કરવાની અને સંદેશાવ્યવહાર અવરોધવાની તથા કોમ્પ્યૂટર સિસ્ટમને એક્સેસ કરવાની સત્તા આપે છે. તેમણે આ દિવસને પાકિસ્તાન ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. ઇમરાન ખાને, તેમના પર લોકશાહી મોરચે પોતાનો બચાવ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. ઇમરાન ખાને વિપક્ષો પોતાના લાભ માટે વિધેયકને બહાલી અવરોધી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની ટીપ્પણીમાં ઇમરાન ખાને કહ્યું કે, વિપક્ષો પોતાના કાળા-નાણાંને બચાવવા દેશને એફએટીએફના બ્લેક લિસ્ટમાં પણ ધકેલી શકે છે.
આશા છે કે, આ વખતે ઇમરાન ખાન પોતાના દેશના લોકોના હિતમાં આતંકવાદ વિરૂદ્ધ ગંભીરતાથી પગલા લેશે.
Comments
Post a Comment