Skip to main content

પાકિસ્તાનમાં ત્રાસવાદી વિરોધી વિધેયકને મંજૂરી-નહીવત આશાનું કિરણ

પાકિસ્તાનની સંયુક્ત સંસદે ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવા અને દેશમાં કાળા નાણાં વિરોધને લગતાં ત્રાસવાદ વિરોધી કાનૂન સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકોને મંજૂર કર્યા છે. વિરોધપક્ષોના પ્રભુત્વવાળી સંસદે છેલ્લા એક મહિના દરમિયાન સતત આ વિધેયકોને ઠુકરાવી દીધા પછી હવે આ વિધેયકોને મંજૂરી અપાઈ છે. ફ્રાન્સના પેરિસ સ્થિત પાકિસ્તાન અંગેના નાણાંકીય કાર્યવાહી કાર્યદળ-એફએટીએફ દ્વારા પાકિસ્તાનને કાળી યાદીમાંથી દૂર કરવા મુકેલી શરતના પાલનના હેતુથી આ વિધેયકો પસાર કરવા પડ્યા હોય તેવું લાગે છે. વિશ્વમાં ત્રાસવાદને રોકવા કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા પાકિસ્તાનને જૂન 2018થી શંકાસ્પદ દેશોની યાદીમાં મુકવામાં આવ્યું છે.

આ સંજોગોમાં પાકિસ્તાન સરકારનું સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવીને આ વિધેયકો મંજૂર કરવાનું એક આવકાર્ય પગલું છે. પરંતુ સાથો સાથ એફએટીએફની કાળી યાદીમાંથી નામ દૂર કરાવવા માટે ઇમરાન ખાન સરકાર દ્વારા લેવામાં આવેલું આ ફરજિયાત પગલું હોય તેવું લાગી રહ્યું છે. ઇમરાન ખાન આ ક્વાયત હાથ ધરવા કેટલાક ગંભીર છે અને તેમનો ઇરાદો કેટલો સારો છે તે હજી સુધી જણાતું નથી. ભૂતકાળના કોઈપણ અનુભવને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન સરકારનું આ પગલું ખરેખર ફેરફાર કરતાં ધાકપીછોડા સમાન હોય તેવું લાગે છે.

એફએટીએફ ડિસેમ્બર 2019માં મુલતવી રાખેલી તેની સમીક્ષા આવતા મહિને કરવાનું છે. કોવિડ-19 મહામારીના કારણે આ સમીક્ષા નવ મહિના પાછી ઠેલાઈ છે. આ સંસ્થાએ અલગ તારવેલા કુલ 27 મુદ્દાઓ પર પાકિસ્તાનને પગલા લેવાનું કહી રહી છે. કારણ કે, શંકાસ્પદ દેશોની યાદીમાં મુકાવાથી પાકિસ્તાનને આઈએમએફ, વિશ્વ બેન્ક, એશિયાઈ વિકાસ બેન્ક, અને યુરોપીય સંઘ જેવી વૈશ્વિક નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવાથી વંચિત રખાયું છે. પરિણામે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે અને જો તે આ સમયે પગલા લેવામાં નિષ્ફળ જાય અને એફએટીએફને સંતોષી ન શકે તો કાળી યાદીમાં મુકાઈ જવાની શક્યતા પણ છે. તેઓ અર્થ એ થયો કે, પાકિસ્તાન હવે વધુ પ્રતિબંધો સહન કરી શકે તેમ નથી.

પાકિસ્તાનને તેની આર્થિક હાલત સુધારવાની તાતી જરૂર છે. અને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીમાં વધુ વિલંબ તેના માટે ઘાતક નિવડી શકે તેમ છે. તેથી જ પ્રધાનમંત્રી ઇમરાન ખાન દુનિયા સમક્ષ એફએટીએફ દ્વારા અપાયેલી સૂચનાનું પાલન કરાઈ રહ્યું હોવાની છાપ ઊભી કરી રહ્યા છે. પાકિસ્તાને ગયા મહિને તેના 100 વ્યક્તિઓને ત્રાસવાદીઓ જાહેર કર્યા છે. પરંતુ ત્યારપછી શું થયું તે હજી જાણી શકાયું નથી.

પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્ર દ્વારા ત્રણ વિધેયકોને અપાયેલી મંજૂરી પાછળની ભાવના ખોટી ન હોઈ શકે. એફએટીએફ દ્વારા નિર્ધારીત કરાયેલા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વર્તમાન કાયદામાં સુધારો કરવાના હેતુથી કાળા નાણાં નાબૂદી, સુધારા વિધેયક અને ત્રાસવાદ વિરોધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે, શું પાકિસ્તાન આ બાબતે ગંભીરતાથી પગલા લઈ રહ્યું છે કે, પછી એએફટીએફની જાળમાંથી છૂટવાનો પ્રયત્ન માત્ર છે ?

પાકિસ્તાન સાથે આતંકવાદ સામેની લડતમાં આતંકવાદને પૂરું પડાતું ભંડોળ મુખ્ય પરિબળ છે. કારણ કે, પાકિસ્તાનનું સૈન્ય અને સરકાર દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા ક્યારેય એક પક્ષે રહ્યા નહીં. ઉલટાનું બંનેએ હંમેશાં આતંકવાદને પોષણ આપ્યું છે અને રાજ્ય નીતીઓમાં તેનો સાધન તરીકે ઉપયોગ કર્યો છે. કોઈ ને ખબર નથી કે આ વખતે પણ સૈન્ય સરકાર સાથે છે કે નહીં.

વળી, વિપક્ષો અલગ જ વાત કરે છે. સંસદમાં વિધેયક પસાર થયા બાદ પીપીપી નેતા બીલાવત ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફે કહ્યું કે, સરકાર, વિપક્ષોને કચડવા FATF ના નામે રાષ્ટ્રીય જવાબદેહીતા સંસ્થાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે, આ ખરડો તપાસ સંસ્થાઓને કોઈપણ ને વોરંટ વગર ધરપકડ કરવાની અંડરકવર ઓપરેશન કરવાની અને સંદેશાવ્યવહાર અવરોધવાની તથા કોમ્પ્યૂટર સિસ્ટમને એક્સેસ કરવાની સત્તા આપે છે. તેમણે આ દિવસને પાકિસ્તાન ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. ઇમરાન ખાને, તેમના પર લોકશાહી મોરચે પોતાનો બચાવ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. ઇમરાન ખાને વિપક્ષો પોતાના લાભ માટે વિધેયકને બહાલી અવરોધી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની ટીપ્પણીમાં ઇમરાન ખાને કહ્યું કે, વિપક્ષો પોતાના કાળા-નાણાંને બચાવવા દેશને એફએટીએફના બ્લેક લિસ્ટમાં પણ ધકેલી શકે છે.

આશા છે કે, આ વખતે ઇમરાન ખાન પોતાના દેશના લોકોના હિતમાં આતંકવાદ વિરૂદ્ધ ગંભીરતાથી પગલા લેશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...