ભારતે વર્ષ 1990 ની શરૂઆતમાં અપનાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ અને તે વખતે વિશ્વના રાજકારણમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સંગઠન – આસિયાન દેશો સાથે બહુસ્તરીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અત્યાર સુધીના પ્રયાસોથી ભારતની પૂર્વના દેશો તરફી નીતિ હવે વધુ પરિપક્વ બનીને વધુ જોમવંતી તથા કાર્ય દ્વારા પરિણામો હાંસલ કરતી નીતિ બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બારમી ભારત – આસિયાન શીખર બેઠક તથા મ્યાનમારમાં નવેમ્બર 2014માં યોજાયેલી 9મી પૂર્વ એશિયા બેઠકમાં ભારતની પૂર્વના દેશો તરફી નીતિને વધુ વિધિવત સ્વરૂપ આપ્યું હતું.
આસિયાન ઉપરાંત ભારતે આ વિસ્તારમાં હાથ ધરેલી BIMSTEC અને MGC જેવી પહેલોમાં આસિયાન સંગઠનના કેટલાંક દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત – એશિયા યુરોપ મીટિંગ – ASEM, પૂર્વ એશિયા બેઠક – EAS, આસિયાન પ્રાદેશિક મંચ ARF, આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક જેવા બીજા પ્રાદેશિક મંચોમાં પણ સક્રિય રહે છે.
ભારતના આસિયાન દેશો સાથેના સંબંધો દેશની વિદેશ નીતિનો આધારસ્તંભ છે તેમજ પૂર્વના દેશો તરફી નીતિનો પાયો છે. આ સંબંધે વિસ્તરણ પામીને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણામે એ બાબત પણ સહજ પ્રક્રિયા ગણાવી શકાય.
ભારત પણ આસિયાન સંગઠનમાં પ્રથમ ભાગીદાર દેશ, 1996 માં મંત્રણા ભાગીદાર દેશ તથા 2002 માં શીખર સ્તરનો ભાગીદાર દેશ – એમ વધતી જતી જવાબદારી અને સક્રિયતા સાથે આસિયાન દેશો સાથે જોડાયો છે. વર્ષ 2015 માં ભારતે આસિયાન સંગઠન સાથે અલાયદુ મીશન અને જાકાર્તામાં EAS સાથે પણ અલાયદુ મીશન નક્કી કર્યું હતું.
ભારતે ઉત્તર-પૂર્વ અર્થાત્ ઇશાન ભારતને ખૂલ્લુ મૂકવા વિવિધ પહેલ હાથ ધરી છે અને વિદેશ નીતિમાં ફેરફારો પણ કર્યા છે. ભારત માટે પૂર્વ તથા દક્ષિણ – પૂર્વ એશિયાના દેશો માટે ઇશાન ભારતએ પ્રવેશ દ્વાર છે. આમ ભારતની પૂર્વના દેશો તરફી નીતિ તથા પાડોશી દેશો પહેલાં આ બંને વિદેશ નીતિ માટે ઇશાન ભારત આધારસ્તંભ છે. આથી જ ભારતે ઇશાન ભારતમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ગત સપ્તાહમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આસિયન દેશોની મંત્રીસ્તરની બેઠક ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તથા થાઇલેન્ડના નાયબ પ્રધાનમંત્રી દોન પ્રમોદવીનાઈના અધ્યક્ષપદે યોજાઈ ગઈ.
આ બેઠકમાં ભારત – આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દરિયાઈ ક્ષેત્રે સહકાર, શિક્ષણ તથા લોકો વચ્ચેનો સંપર્ક જેવા ઘણાં ક્ષેત્રોને આવરી લેવાયા હતા. આ બેઠકમાં વર્ષ 2016માં નિર્ધારિત આસિયાન – ભારત કાર્ય યોજનાના અમલમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં આસિયાન – ભારતની 17મી શીખર બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
ભારત – આસિયાનની વર્ષ 2021-2025 માટેની નવી કાર્ય યોજનાને બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કોવિડ સામેની લડતમાં આસિયાન સંગઠનના દેશોનો સહકાર વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. એવી જ રીતે વિયેતનામના અધ્યક્ષપદે યોજાયેલી આસિયાન પ્રાદેશિક મંચની બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન જોડાયા હતા.
આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ, હિન્દ – પ્રશાંત પહેલ, આતંકવાદનો ખતરો જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકના અંતે કોવિડ સામેની લડતમાં સહકાર સહિત ત્રણ ઠરાવો નિવેદનોને બહાલી અપાઈ હતી. ભારત ARF ની વિવિધ પહેલોમાં ઘણી સક્રિયતાથી ભાગ લે છે.
લેખક : આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ
Comments
Post a Comment