Skip to main content

ભારત અને આસિયાન સંગઠનના દેશોના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

ભારતે વર્ષ 1990 ની શરૂઆતમાં અપનાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ અને તે વખતે વિશ્વના રાજકારણમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સંગઠન – આસિયાન દેશો સાથે બહુસ્તરીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અત્યાર સુધીના પ્રયાસોથી ભારતની પૂર્વના દેશો તરફી નીતિ હવે વધુ પરિપક્વ બનીને વધુ જોમવંતી તથા કાર્ય દ્વારા પરિણામો હાંસલ કરતી નીતિ બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બારમી ભારત – આસિયાન શીખર બેઠક તથા મ્યાનમારમાં નવેમ્બર 2014માં યોજાયેલી 9મી પૂર્વ એશિયા બેઠકમાં ભારતની પૂર્વના દેશો તરફી નીતિને વધુ વિધિવત સ્વરૂપ આપ્યું હતું.

આસિયાન ઉપરાંત ભારતે આ વિસ્તારમાં હાથ ધરેલી BIMSTEC અને MGC જેવી પહેલોમાં આસિયાન સંગઠનના કેટલાંક દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત – એશિયા યુરોપ મીટિંગ – ASEM, પૂર્વ એશિયા બેઠક – EAS, આસિયાન પ્રાદેશિક મંચ ARF, આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક જેવા બીજા પ્રાદેશિક મંચોમાં પણ સક્રિય રહે છે.

ભારતના આસિયાન દેશો સાથેના સંબંધો દેશની વિદેશ નીતિનો આધારસ્તંભ છે તેમજ પૂર્વના દેશો તરફી નીતિનો પાયો છે. આ સંબંધે વિસ્તરણ પામીને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણામે એ બાબત પણ સહજ પ્રક્રિયા ગણાવી શકાય.

ભારત પણ આસિયાન સંગઠનમાં પ્રથમ ભાગીદાર દેશ, 1996 માં મંત્રણા ભાગીદાર દેશ તથા 2002 માં શીખર સ્તરનો ભાગીદાર દેશ – એમ વધતી જતી જવાબદારી અને સક્રિયતા સાથે આસિયાન દેશો સાથે જોડાયો છે. વર્ષ 2015 માં ભારતે આસિયાન સંગઠન સાથે અલાયદુ મીશન અને જાકાર્તામાં EAS સાથે પણ અલાયદુ મીશન નક્કી કર્યું હતું.

ભારતે ઉત્તર-પૂર્વ અર્થાત્ ઇશાન ભારતને ખૂલ્લુ મૂકવા વિવિધ પહેલ હાથ ધરી છે અને વિદેશ નીતિમાં ફેરફારો પણ કર્યા છે. ભારત માટે પૂર્વ તથા દક્ષિણ – પૂર્વ એશિયાના દેશો માટે ઇશાન ભારતએ પ્રવેશ દ્વાર છે. આમ ભારતની પૂર્વના દેશો તરફી નીતિ તથા પાડોશી દેશો પહેલાં આ બંને વિદેશ નીતિ માટે ઇશાન ભારત આધારસ્તંભ છે. આથી જ ભારતે ઇશાન ભારતમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. 

ગત સપ્તાહમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આસિયન દેશોની મંત્રીસ્તરની બેઠક ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તથા થાઇલેન્ડના નાયબ પ્રધાનમંત્રી દોન પ્રમોદવીનાઈના અધ્યક્ષપદે યોજાઈ ગઈ.

આ બેઠકમાં ભારત – આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દરિયાઈ ક્ષેત્રે સહકાર, શિક્ષણ તથા લોકો વચ્ચેનો સંપર્ક જેવા ઘણાં ક્ષેત્રોને આવરી લેવાયા હતા. આ બેઠકમાં વર્ષ 2016માં નિર્ધારિત આસિયાન – ભારત કાર્ય યોજનાના અમલમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં આસિયાન – ભારતની 17મી શીખર બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ભારત – આસિયાનની વર્ષ 2021-2025 માટેની નવી કાર્ય યોજનાને બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કોવિડ સામેની લડતમાં આસિયાન સંગઠનના દેશોનો સહકાર વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. એવી જ રીતે વિયેતનામના અધ્યક્ષપદે યોજાયેલી આસિયાન પ્રાદેશિક મંચની બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન જોડાયા હતા.

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ, હિન્દ – પ્રશાંત પહેલ, આતંકવાદનો ખતરો જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકના અંતે કોવિડ સામેની લડતમાં સહકાર સહિત ત્રણ ઠરાવો નિવેદનોને બહાલી અપાઈ હતી. ભારત ARF ની વિવિધ પહેલોમાં ઘણી સક્રિયતાથી ભાગ લે છે.




લેખક : આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...