ભારતે SCOની બેઠકમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા, યુરોપ – એશિયા સહકારને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતા જ દર્શાવે છે.
ભારત જમીન માર્ગે મધ્ય એશિયાના દેશો સાથે જોડાયેલો ન હોવાથી, SCO સંગઠન ભારતને આ પ્રદેશો સાથેના આર્થિક સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.
આથી જ , ભારત જ્યારે કોવિડના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે SCO ની 10મી બેઠકે દેશને નવી તક આપી.
ભારત આગામી 29 અને 30મી નવેમ્બર 2020ના રોજ SCO ના સરકારોના વડાઓની બેઠકનો પ્રથમવાર યજમાન બનશે.
ભારતે, આ ઐતિહાસિક ક્ષણનો ઉપયોગ આપણા વિસ્તારના સામાન્ય સલામતી પડકારોનો ઉકેલ મેળવવા કરવાનો નિર્ધાર કર્યો છે.
SCO સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર – દક્ષિણ પરિવહન કોરીડોર, જેવી પહેલોને પૂરક કામગીરી કરે છે.
આમ, બહુવિધ સ્વરૂપના પરિવહન અને ઊર્જા પ્રોજેક્ટો, ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવામાં મદદરૂપ બનશે.
અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિ વણસી છે, જે બાબ સમગ્ર દક્ષિણ એશિયાની સલામતીની સ્થિતિને અસર કરી રહી છે. આવા સંજોગોમાં SCO નું પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું RATS ભારતને આ વિસ્તારની આતંકવાદી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા ઉપરાંત, SCO સંગઠનનના સભ્ય દેશોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં જોડાવાની તક આપે છે.
કોવિડ રોગચાળાએ ઘણાં દેશો સામે પડકારો ઊભા કર્યા છે, પણ સાથે સાથે આર્થિક અને રાજકીય સહકારની તક પણ ઊભી કરી છે.
સમગ્ર વિશ્વના સ્તરે કોવિડના પડકારને પહોંચી વળવાના સામૂહિક પ્રયાસોના અભાવમાં નાના નાના જુથો વધુ સરળતાથી તકો આપે છે.
દાખલા તરીકે ભારતે, રશિયાની સ્પુતનીક રસીમાં નોંધપાત્ર રસ દાખવ્યો છે.
ભારત હાલ, રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ અને રસીના ઉત્પાદન બાબતે મંત્રણા કરી રહ્યો છે.
રશિયાના SCO ના મહામંત્રી વ્લાદીમીર નોરોવે રસીના સંશોધન અને વિકાસમાં ભારતની ભૂમિકા માન્ય રાખી, તે દ્વારા રશિયાએ પણ ભારત સાથેના આ ક્ષેત્રના સંબંધો વધારવામાં રસ દાખવ્યો ગણાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેલ્થ એટલે કે, આરોગ્ય, આર્થિક, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રના સંબંધો તથા T- એટલે કે, આતંકવાદ મુક્ત સમાજની દરખાસ્ત રજૂ કરી છે.
SCO ના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારત માટે લદ્દાખ ખાતે તણાવભરી પરિસ્થિતિ હોવા છતાં ભારતે સલામતી ઉપરાંત આર્થિક અને વેપાર ક્ષેત્રના પડકારો બાબતે પણ ચર્ચા કરી હતી.
SCO ની બેઠકની સાથે સાથે વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી એ ભારત – ચીન સરહદે તણાવ ઘટાડવા માટે મંત્રણાઓ કરી હતી.
આ મંત્રણા વખતે સરહદની તણાવની સ્થિતિ ઘટાડવા બંને પક્ષો એક સમજૂતી કરી શકે તેવી શક્યતા ઊજળી બની.
બંને અગ્રણીઓએ ભારત-ચીન સરહદી વિવાદ બાબતે મુક્ત અને રચનાત્મક ચર્ચા કરવાની સાથે સાથે ભારત અને ચીનના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.
બંને અગ્રણીઓ ભારત અને ચીન વચ્ચેના મુદ્દાઓ વિવાદ ન બને તે જોવા, તેમજ અત્યાર સુધીની ચર્ચામાં જ્યાં જ્યાં સમતિ સધાઈ હતી, એમાંથી માર્ગદર્શન મેળવવા બાબતે એકમત ધરાવતા થયા. બંનેએ એવો મત વ્યક્ત કર્યો કે, સરહદે ઊભો થયેલો તણાવ, ભારત અને ચીનના હિતમાં નથી.
આથી જ સરહદ મુદ્દે સેના સ્તરની વાતચીત ચાલુ રાખવી જોઈએ તથા બંને દેશોની સેનાએ ચોક્કસ અંતર જાળવીને પોતાના મૂળ સ્થાને પાછું જવું જોઈએ.
બંને પક્ષોએ બાબતે પણ સહમત થયા હતા કે સરહદને લગતી બાબતોમાં શાંતિ જાળવવી જોઈએ તથા સધાયેલી સમજૂતી અને પ્રોટોકોલનું પાલન થવું જોઈએ.
બંને દેશો સરહદની બાબતોમાં ખાસ પ્રતિનિધિ વ્યવસ્થા દ્વારા મંત્રણા ચાલુ રાખવા સંમત થયા હતા.
બંને મંત્રઓએ હાલની તણાવભરી સ્થિતિમાં ઘટાડો થયા પછી, વિશ્વાસ મજબૂત કરવા નવા પગલાં લેવાની બાબતે પણ સહમતી સાધી હતી.
લેખક – ચીન અંગેની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક, ડોક્ટર એમ.એસ. પ્રતિભા
શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર
Comments
Post a Comment