Skip to main content

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી: શાંતિ માટે એક તક મળશે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પતન બાદ આયોજિત ચોથા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બે વાર મુલતવી રહ્યા બાદ સઘન સુરક્ષા અને હિંસાના ઓથાર હેઠળ 28 સપ્ટેમ્બરે યોજાઈ ગઈ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. કુલ ૯ પોઇન્ટ 6 મિલિયન મતદારો માટે દેશભરમાં ૪૯૦૦ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. જોકે છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા ૬૦ ટકા મતદાનની સરખામણીએ આ વખતે માત્ર 20 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું શાંતિ દાવ પર લાગેલી છે, તેવા સમયે ચૂંટાયેલા શાસન પાસે મુખ્યત્વે તાલિબાનો સાથે મંત્રણા કરવાની કાયદેસર સત્તા હશે.

ચૂંટણીના દિવસે મતદારોને ડરાવવા દેશભરમાં હુમલા તથા બોમ્બ હુમલા સહિત 400 જેટલા હુમલાઓ થયા હતા. કેટલાક મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નહીં હોવાના આક્ષેપો કરતા મતદાનમાં અવરોધો પણ ઉભા થયા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદારોમાં હાલના રાષ્ટ્રપતિ અશરફ ગની તથા વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર અબ્દુલ અબ્દુલ હતા, જેઓ રાષ્ટ્રપતિ ગની સાથે સત્તા વહેંચી રહ્યા છે એ નોંધવું રહ્યું કે, 2014માં યોજાયેલી ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી, જેના પગલે 100% ધ્વનિ મતથી ઓડિટ કરાયું હતું અને ડોક્ટર અબ્દુલ્લાહ ને સમાવવા એક સમાધાન સમીકરણ ઘડાયું હતું.

2001થી અફઘાનિસ્તાને ચૂંટાયેલી સંસદ સાથે રાષ્ટ્રપતિપદની સરકારની સ્થાપના કરી. પશ્ચિમી લોકશાહી પ્રણાલી વ્યવસ્થાનો તાલિબાનો દ્વારા વિરોધ કરાયો અને કાબુલ સરકારને અમેરિકાની કઠપૂતળી ગણાવી તેમની સાથે વાતચીત કરવા ઈનકાર કર્યો. દોહામાં તાલિબાની કચેરીમાં તાલિબાનો અને અમેરિકા વચ્ચે શ્રેણીબધ્ધ વાટાઘાટો શરૂ કરવામાં આવી. અમેરિકા સાથે વાતચિત સિવાય અને બીજી ઘણી બેઠકોમાં તાલિબાનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પ્રાદેશિક ભૂમિકા પૈકી રશિયાએ ગત વર્ષે બહુસ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું જેમાં રાષ્ટ્રપતિએ ઉચ્ચ શાંતિ પરિષદના ચાર સભ્યોને ભાગ લેવા મોકલ્યા હતા. મોસ્કો એ પણ આ વર્ષે એપ્રિલમાં આંતર અફઘાન સંમેલનનું આયોજન કર્યું હતું.

તાલિબાનોએ ચીન અને પાકિસ્તાન સાથે પણ બેઠકો યોજી હતી. આ મંચ ઉપર તાલિબાન પ્રતિનિધિઓ અફઘાન સરકારના પ્રતિનિધિઓ સાથે નિસંકોચ જોડાયા હતા. કતાર અને જર્મની દ્વારા જુલાઈમાં દોહા ખાતે આયોજિત બે દિવસીય બેઠકમાં તાલિબાની પ્રતિનિધિઓ શાંતિ માટેની આંતર અફઘાન પરિષદના ભાગરૂપે પ્રથમવાર અફઘાનિસ્તાનના ૫૦ સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. તાલિબાનો અને અફઘાન સરકારના અધિકારીઓ વચ્ચે નોંધપાત્ર સંપર્ક સ્થપાયો હતો.

તાલિબાનીઓ અગાઉ કોઈ પણ વાટાઘાટો પૂર્વે અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને નીકળી જવાની માગણી કરી રહ્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેમણે વાટાઘાટો કરવાનો નિર્ણય કર્યો. આ બળવાખોર જૂથ પોતાને મહિલા અધિકારો અને બાળકીના શિક્ષણ માટે અનુકૂળ બનાવી રહ્યા હોવાનું દર્શાવવા નો પ્રયત્ન કરી રહ્યું છે.

કાબુલમાં નાટોના રીઝલ્ટ સપોર્ટ મિશનના મુખ્ય મથક પર કાર બોમ્બ હુમલા બાદ અમેરિકા દ્વારા તાલિબાનો સાથેની વાટાઘાટો રદ કરાઇ હતી, જેના પગલે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની શક્યતા પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. આ સંદર્ભે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નિર્ણાયક બની રહે છે કારણ કે તેના દ્વારા દેશમાં શાંતિ સ્થાપવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જોકે નબળા મતદાનથી સરકારની રચનામાં પડકારો ઊભા થશે. તાલિબાનો આટલા ઓછા મતદાન દ્વારા ઊભી થયેલી સરકારની કાયદેસરતા અંગે સવાલો ઉઠાવવામાં કોઈ કસર છોડ સે નહીં. ડોક્ટર અબ્દુલ પણ જણાવ્યું છે કે તેમના સમર્થકો ગત ચૂંટણીની જેમ આ વખતે ચૂંટણીને આંચકી લેવા દેશે નહિ.



મોટો પ્રશ્ન એ થાય છે કે ઓક્ટોબર ના ત્રીજા અઠવાડિયામાં જાહેર થનાર ચૂંટણી પરિણામ બધા પક્ષોને સ્વીકાર્ય હશે... અનિશ્ચિત શાંતિ વચ્ચે ચૂંટણી પરિણામો અફઘાનિસ્તાન માટે નવી શરૂઆત બની રહેશે કારણ કે સંસ્થાકિય માળખાની સાતત્યતા અત્યંત મહત્વપૂર્ણ છે. લોકશાહીની સાતત્યતા માટે ચૂંટણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે સ્થપાયેલા sigarના અહેવાલ મુજબ 56 ટકા વિસ્તાર તાલિબાનોના કબજા હેઠળ છે. નવી સરકાર સામે દેશ પર તેની ન્યાયિક સત્તા લાગુ કરવાનું કાર્ય પડકારજનક બની રહેશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...