Skip to main content

અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી: શાંતિ માટે એક તક મળશે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પતન બાદ આયોજિત ચોથા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બે વાર મુલતવી રહ્યા બાદ સઘન સુરક્ષા અને હિંસાના ઓથાર હેઠળ 28 સપ્ટેમ્બરે યોજાઈ ગઈ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. કુલ ૯ પોઇન્ટ 6 મિલિયન મતદારો માટે દેશભરમાં ૪૯૦૦ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. જોકે છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા ૬૦ ટકા મતદાનની સરખામણીએ આ વખતે માત્ર 20 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું શાંતિ દાવ પર લાગેલી છે, તેવા સમયે ચૂંટાયેલા શાસન પાસે મુખ્યત્વે તાલિબાનો સાથે મંત્રણા કરવાની કાયદેસર સત્તા હશે.

ચૂંટણીના દિવસે મતદારોને ડરાવવા દેશભરમાં હુમલા તથા બોમ્બ હુમલા સહિત 400 જેટલા હુમલાઓ થયા હતા. કેટલાક મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નહીં હોવાના આક્ષેપો કરતા મતદાનમાં અવરોધો પણ ઉભા થયા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદારોમાં હાલના રાષ્ટ્રપતિ અશરફ ગની તથા વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર અબ્દુલ અબ્દુલ હતા, જેઓ રાષ્ટ્રપતિ ગની સાથે સત્તા વહેંચી રહ્યા છે એ નોંધવું રહ્યું કે, 2014માં યોજાયેલી ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી, જેના પગલે 100% ધ્વનિ મતથી ઓડિટ કરાયું હતું અને ડોક્ટર અબ્દુલ્લાહ ને સમાવવા એક સમાધાન સમીકરણ ઘડાયું હતું.

2001થી અફઘાનિસ્તાને ચૂંટાયેલી સંસદ સાથે રાષ્ટ્રપતિપદની સરકારની સ્થાપના કરી. પશ્ચિમી લોકશાહી પ્રણાલી વ્યવસ્થાનો તાલિબાનો દ્વારા વિરોધ કરાયો અને કાબુલ સરકારને અમેરિકાની કઠપૂતળી ગણાવી તેમની સાથે વાતચીત કરવા ઈનકાર કર્યો. દોહામાં તાલિબાની કચેરીમાં તાલિબાનો અને અમેરિકા વચ્ચે શ્રેણીબધ્ધ વાટાઘાટો શરૂ કરવામાં આવી. અમેરિકા સાથે વાતચિત સિવાય અને બીજી ઘણી બેઠકોમાં તાલિબાનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પ્રાદેશિક ભૂમિકા પૈકી રશિયાએ ગત વર્ષે બહુસ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું જેમાં રાષ્ટ્રપતિએ ઉચ્ચ શાંતિ પરિષદના ચાર સભ્યોને ભાગ લેવા મોકલ્યા હતા. મોસ્કો એ પણ આ વર્ષે એપ્રિલમાં આંતર અફઘાન સંમેલનનું આયોજન કર્યું હતું.

તાલિબાનોએ ચીન અને પાકિસ્તાન સાથે પણ બેઠકો યોજી હતી. આ મંચ ઉપર તાલિબાન પ્રતિનિધિઓ અફઘાન સરકારના પ્રતિનિધિઓ સાથે નિસંકોચ જોડાયા હતા. કતાર અને જર્મની દ્વારા જુલાઈમાં દોહા ખાતે આયોજિત બે દિવસીય બેઠકમાં તાલિબાની પ્રતિનિધિઓ શાંતિ માટેની આંતર અફઘાન પરિષદના ભાગરૂપે પ્રથમવાર અફઘાનિસ્તાનના ૫૦ સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. તાલિબાનો અને અફઘાન સરકારના અધિકારીઓ વચ્ચે નોંધપાત્ર સંપર્ક સ્થપાયો હતો.

તાલિબાનીઓ અગાઉ કોઈ પણ વાટાઘાટો પૂર્વે અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને નીકળી જવાની માગણી કરી રહ્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેમણે વાટાઘાટો કરવાનો નિર્ણય કર્યો. આ બળવાખોર જૂથ પોતાને મહિલા અધિકારો અને બાળકીના શિક્ષણ માટે અનુકૂળ બનાવી રહ્યા હોવાનું દર્શાવવા નો પ્રયત્ન કરી રહ્યું છે.

કાબુલમાં નાટોના રીઝલ્ટ સપોર્ટ મિશનના મુખ્ય મથક પર કાર બોમ્બ હુમલા બાદ અમેરિકા દ્વારા તાલિબાનો સાથેની વાટાઘાટો રદ કરાઇ હતી, જેના પગલે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની શક્યતા પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. આ સંદર્ભે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નિર્ણાયક બની રહે છે કારણ કે તેના દ્વારા દેશમાં શાંતિ સ્થાપવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જોકે નબળા મતદાનથી સરકારની રચનામાં પડકારો ઊભા થશે. તાલિબાનો આટલા ઓછા મતદાન દ્વારા ઊભી થયેલી સરકારની કાયદેસરતા અંગે સવાલો ઉઠાવવામાં કોઈ કસર છોડ સે નહીં. ડોક્ટર અબ્દુલ પણ જણાવ્યું છે કે તેમના સમર્થકો ગત ચૂંટણીની જેમ આ વખતે ચૂંટણીને આંચકી લેવા દેશે નહિ.



મોટો પ્રશ્ન એ થાય છે કે ઓક્ટોબર ના ત્રીજા અઠવાડિયામાં જાહેર થનાર ચૂંટણી પરિણામ બધા પક્ષોને સ્વીકાર્ય હશે... અનિશ્ચિત શાંતિ વચ્ચે ચૂંટણી પરિણામો અફઘાનિસ્તાન માટે નવી શરૂઆત બની રહેશે કારણ કે સંસ્થાકિય માળખાની સાતત્યતા અત્યંત મહત્વપૂર્ણ છે. લોકશાહીની સાતત્યતા માટે ચૂંટણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે સ્થપાયેલા sigarના અહેવાલ મુજબ 56 ટકા વિસ્તાર તાલિબાનોના કબજા હેઠળ છે. નવી સરકાર સામે દેશ પર તેની ન્યાયિક સત્તા લાગુ કરવાનું કાર્ય પડકારજનક બની રહેશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...