Skip to main content

ભારત-ડચ સંબંધો નવી ઉંચાઇએ

સત્તરમી સદી તરફ પાછી નજર કરીએ તો, ભારત અને નેધરલેન્ડ વચ્ચેના સંબંધો, પુરાણા ઐતિહાસિક સંબંધો કહી શકાય. 1947માં ભારતને આઝાદી મળી ત્યારબાદ બંને દેશો વચ્ચે સત્તાવાર સંબંધો સ્થપાયા. 1970 અને 1980ના દાયકામાં આર્થિક સંબંધોમાં સતત વધારો થયો. પરંતુ 1990ના દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાના ઉદારીકરણ પછી સંબંધો ખરેખર નવી ઉંચાઇએ પહોંચ્યા. રાજકીય આર્થિક અને સામાજિક - સાંસ્કૃતિક સ્તરે, દ્વિપક્ષીય સંબંધોમાં તીવ્ર વધારો થયો છે. ઉચ્ચ નેતૃત્વની પરસ્પર મુલાકાતો બાદ દ્વિપક્ષી સંબંધોમાં સ્પષ્ટ વધારો દેખાય છે.

2006માં ડચ પ્રધાનમંત્રી જેન પીટર બાલકેનન્ડે ભારતની મુલાકાતે આવ્યા. બંને વચ્ચે છેલ્લા ચાર વર્ષમાં પ્રધાનમંત્રી સ્તરે ત્રણ મુલાકાત થઈ છે. મે-2018માં નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ્ટે ભારતના સૌથી મોટા વ્યાવસાયિક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. જેણે બંને દેશો વચ્ચે વધતાં જતાં આર્થિક જોડાણના સંકેત આપ્યા.

હાલમાં જ ડચ શાહિ દંપતિ રાજા વિલિય એલેકઝાન્ડર અને રાણી મેક્ઝિમા પાંચ દિવસની ભારત યાત્રાએ આવ્યા હતા. વર્ષ 2013માં સત્તારૂઢ થયા બાદ, ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી.

તાલીમબદ્ધ પાઇલેટ એવા રાજાએ પોતે જ પોતાનું વિમાન ઉડાવ્યું અને ભારત પહોંચ્યા. તેઓ ઘણી બધી કે.એમ.એમ. ફ્લાઇટમાં પણ સહપાયલટ છે. નેધરલેન્ડમાં રાજાશાહી શાસન છે અને ભૂતકાળમાં વર્તમાન રાજા વિલિયમના માતા રાણી બિએટ્રીક્સ 2007માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

સ્વાગત ભોજન સમારંભમાં શાહિ દંપતિને આવકારતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ભારપૂર્વક જણાવ્યું હતું કે, આર્થિક ભાગીદારીએ ભારત - નેધરલેન્ડ ના મુખ્ય આધાર છે. આ હકીકત દ્વારા સમર્થન મળે છે કે, ભારતમાં 100થી વધુ ડચ કંપનીઓ કાર્યરત છે, આ ઉપરાંત હેગ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મજબૂત, ઐતિહાસિક સંબંધોને આધારે બંને પક્ષે નવીનીકરણ, મૂડીરોકાણ અને તકનીકી સહયોગ વધ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સોલ્યુશન્સ - સ્માર્ સિટીઝ, ગ્રીનએનર્જી, સ્ટાર્ટ અપ અને નવા યુગના ઉત્પાદનો જેવી બાબતો પરસ્પરને સાથે લાવી રહી છે. ભારત નદીઓને પુનઃ જીવીત કરવા અંગે નેધરલેન્ડ પાસેથી ઘણું જાણવા ઉત્સુક છે.

રાજા વિલિયમ એલેકઝાન્ડરે 1957માં નેધરલેન્ડની ભારતીય પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લીધેલી પ્રથમ મુલાકાત અને તેમના ત્યારે કરેલા સંબોધનને ટાંકીને જણાવ્યું હતું કે, આપણે બધા એકબીજાના દ્વારે ઊભા છીએ. તેમણે કહ્યું કે, નેધરલેન્ડને એ વાતની ખુશી છે કે, ભારત વિશ્વના પડકારોનો સામનો કરવા વ્યાપક સહયોગ અને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે યુરોપીયન સંઘ સાથે જોડાઈ રહ્યું છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ-વિકાસ લક્ષ્યાંક માટે ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

નેધરલેન્ડ ભારત સાથે યુરોપીય સંઘમાં સૌથી મોટુ રોકાણ કરનાર પાંચમો સૌથી મોટો વ્યાપાર સહયોગી દેશ છે. શાહી દંપતિઓ, વિજ્ઞાન અને તકની વિભાગ અને ભારતીય ઉદ્યોગ સંઘના ઉપક્રમે યોજાયેલ 25મા તકનીકી શિખર સંમેલનમાં હાજરી આપી હતી. જે શિખર સંમેલન અને પ્રદર્શનમાં નેધરલેન્ડ એક સહયોગી દેશ હતો. આ શિખર સંમેલનમાં પાણી, કૃષિ, ખોરાક અને આરોગ્ય એ મુખ્ય વિષય હતા. આ શિખર સંમેલનમાં 15 જેટલા ભારતીય અને ડચ યુવા ઉદ્યોગ સાહસિકોને કોર્પોરેટ, સરકાર અને ભાગીદારી અંગે પોતાના વિચારો રજૂ કરવાનું મંચ મળ્યું હતું.

આ શિખર સંમેલનનું ઉદઘાટન કરતાં રાજા વિલિયમ એલકેઝાન્ડરે કહયુ’ કે નવીનીકરણ એ સહસર્જન છે. નવીનીકરણ એ આંતરરાષ્ટ્રિય જ્ઞાન અને કૌશલ્યને એકસાથે લાવવા અંગે છે, જે આપણને બધાને અસરકર્તા સામાજિક મુદૃાઓને નિવારવા ઉપયોગી નીવડે છે. સામાજિક – સાંસ્કૃતિક સ્તરે નેધરલેન્ડમાં ભારતીય સમુદાયની સંખ્યા અંદાજે બે લાખ ૩પ હજારની છે, જે બ્રિટન પછી યુરોપનો સૌથી મોટો દેશ છે. ૧પમી ઓકટોબરના રોજ શાહી દંપતીએ ઐતિહાસીક સફદરજંગ કબર ખાતે નેધરલેન્ડમાં અભ્યાસ કરેલો હોય તેવા પ૦ ભારતીય ભુતપુર્વ વિદ્યાર્થીઓના પસંદગીના જુથ સાથે વાતચીત કરી. યુરોપનું પ્રવેશ ધ્વાર ગણાતું હોલેન્ડ, ભારતીય વિદ્યાર્થીઓને પોસાય તેવી કિંમતે અંગ્રેજી ભાષાનું ઉચ્ચ શિક્ષણ આપીને વધુને વધુ આકર્ષીત કરે છે.

મુંબઇમાં શાહી દંપતી ડચ સમુદાયને મ/યા અને ઇન્ડો-ડચ કનેકશન ઇન ધ એજ ઓફ રેમ્બ્રોન્ડ નામના ૪૦૦ વર્ષના વારસાની ઉજવણી કરતાં પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યુ. યાત્રાના સમાપનમાં શાહી દંપતી કેરળ ગયા, જયાં તેઓ મેટેૃનચેરી ખાતે ડચ મહેલમાં ગયા હતા. શાહી દંપતીની આ મુલાકાત, ભારત – નેધરલેન્ડના સંબંધોને વધુ ગાઢ બનાવી નવી ઉંચાઇએ લઇ જશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...