Skip to main content

ભારતીય આર્થિક શિખર સંમેલન વિકાસની કૂચ તરફ

નવજીવન સર્વસમાવેશી અને ટકાઉ અર્થવ્યવસ્થાની દૂરંદેશિતાથી પ્રેરિત ભારતની સમાધાનકારી નીતિ દસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે મજબૂત રીતે સુનિશ્ચિત કરશે. વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બર્ગે બ્રેન્ડેએ નવી દિલ્હી ખાતે ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા સંયુક્તપણે આયોજિત ભારતીય આર્થિક શિખર સંમેલનમાં વ્યાપકપણે પોતાનું મંતવ્ય રજૂ કરવા આમ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, દેશ-વિદેશના અગ્રણી નેતાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત બુદ્ધિજનોના નીરિક્ષણમાં એકમત રહ્યો, એટલે કે સર્વાનિમતે ભારત પોતાને એક રોલ મોડેલ અને પ્રેરણા તરીકે સાબિત કરી શકે છે. વિશ્વના અન્ય દેશો માટે વૈશ્વિક પડકારોના સમાધાન માટે પ્રતિકૃતિરૂપ દાખલો બેસાડી ભારત વિશ્વગુરૂ તરીકે ઉભરી શકે છે.
વિશ્વ આર્થિક મંચના મેનેજિંગ ડિરેક્ટર સરિતા નૈયરે યોગ્યરીતે નોંધ્યું છે કે, બેંકોના વિલિનીકરણ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જેવા તાજેતરના સુધારાઓ દ્વારા ભારત મૂડીરોકાણ માટેનું વધુ આકર્ષક સ્થળ બન્યું છે. અર્થવ્યવસ્થા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઈચ્છિત પગલું હતું, તેના કારણે ભારતનું તેના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયન સાથી દેશો સાથે જોડાણ થયું છે અને તેના વિશાળ ઘરેલું બજારોને સ્પર્ધાનો લાભ મળે છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રાદેશિક, વંશીય અને ભાષાકીય વિવિધતા છતાં સંયુક્તપણે ગરીબી સહિતના પડકારોનો સામનો કરવા વિશેષ અવાજ ઉઠાવ્યો છે.તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં વિવિધ ક્ષેત્રે ભારતીય વ્યાપારની વ્યાપક સંભાવના છે. શેખ હસીનાએ ખાસ કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણનો બેવડો લાભ લઈ ભારતીય ઉદ્યોગકારો બાંગ્લાદેશમાં ઉદ્યોગસ્થાયી તેમના ઉત્પાદકોના ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અને દક્ષિણ-પૂર્વીય એશિયન દેશોમાં નિકાસ કરી શકે છે અને આપણી વચ્ચેના વિસ્તરેલા સંપર્કનો પણ લાભ લઈ શકાય છે. વિશ્લેષકો નોંધે છે કે, સાર્ક દેશોની પ્રાદેશિક વ્યાપાર સમજૂતીમાં બનેલા અવરોધને દૂર કરવાનો આ સંવેદનશીલ ઉપાય છે, જે પાકિસ્તાન દ્વારા રાજકીય મુદ્દાને આગળ કરીને આર્થિક સહયોગ વધારવા ઉભી કરેલી અડચણને પણ દૂર કરે છે.
ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, એકને બાદ કરતા તમામ પાડોશીઓ સાથે પ્રાદેશિક સહભાગિતા એકદમ સારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત પાડોશી દેશો સાથે સંબંધો વધુ મજબુત કરવા અવિરત પ્રયત્નો કરે છે. એકને બાદ કરતાથી ડૉ.જયશંકરનો ઈશારો પાકિસ્તાન તરફ હતો, જે વૈશ્વિક સ્તરે કાશ્મીર મુદ્દો ચગાવવાનો અસફળ પ્રયત્ન કરી રહ્યું છે, જેને વૈશ્વિક સમુદાયે ભારતનો આંતરિક મુદ્દો ગણાવી નકારી કાઢ્યો છે.
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જાહેર ક્ષેત્ર મૂડીરોકાણ પરત ખેંચવું તથા સંપત્તિ મૂડીકરણ જેવા મુદ્દા પર પ્રકાશ ફેકતા દેશમાં આર્થિક વૃદ્ધિ માટે હજુ વધુ સુધારા આવી શકે છે, તેવા સંકેત આપ્યા હતા. તેમણે ભારતનો વૃદ્ધિદર છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ટકા થયો છે, તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ બે દિવસીય ભારત કેન્દ્રીત આર્થિક સંમેલનમાં ભારતે નાગરીકોના સાતત્યપૂર્ણ વિકાસની ખાતરી સાથે વિકાસમાં જે પ્રગતિ કરી છે તેના પર ધ્યાન અપાયું હતું. આ સંમેલનમાં ભારતે સમાવિષ્ટ વિકાસ માટે માળખાકીય સુવિધાઓમાં સર્વગ્રાહી સુધારા માટે આવેલી ખાત્રી અંગે પણ સંકેત મળ્યા હતા.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...