Skip to main content

ભારતીય આર્થિક શિખર સંમેલન વિકાસની કૂચ તરફ

નવજીવન સર્વસમાવેશી અને ટકાઉ અર્થવ્યવસ્થાની દૂરંદેશિતાથી પ્રેરિત ભારતની સમાધાનકારી નીતિ દસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે મજબૂત રીતે સુનિશ્ચિત કરશે. વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બર્ગે બ્રેન્ડેએ નવી દિલ્હી ખાતે ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા સંયુક્તપણે આયોજિત ભારતીય આર્થિક શિખર સંમેલનમાં વ્યાપકપણે પોતાનું મંતવ્ય રજૂ કરવા આમ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, દેશ-વિદેશના અગ્રણી નેતાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત બુદ્ધિજનોના નીરિક્ષણમાં એકમત રહ્યો, એટલે કે સર્વાનિમતે ભારત પોતાને એક રોલ મોડેલ અને પ્રેરણા તરીકે સાબિત કરી શકે છે. વિશ્વના અન્ય દેશો માટે વૈશ્વિક પડકારોના સમાધાન માટે પ્રતિકૃતિરૂપ દાખલો બેસાડી ભારત વિશ્વગુરૂ તરીકે ઉભરી શકે છે.
વિશ્વ આર્થિક મંચના મેનેજિંગ ડિરેક્ટર સરિતા નૈયરે યોગ્યરીતે નોંધ્યું છે કે, બેંકોના વિલિનીકરણ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જેવા તાજેતરના સુધારાઓ દ્વારા ભારત મૂડીરોકાણ માટેનું વધુ આકર્ષક સ્થળ બન્યું છે. અર્થવ્યવસ્થા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઈચ્છિત પગલું હતું, તેના કારણે ભારતનું તેના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયન સાથી દેશો સાથે જોડાણ થયું છે અને તેના વિશાળ ઘરેલું બજારોને સ્પર્ધાનો લાભ મળે છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રાદેશિક, વંશીય અને ભાષાકીય વિવિધતા છતાં સંયુક્તપણે ગરીબી સહિતના પડકારોનો સામનો કરવા વિશેષ અવાજ ઉઠાવ્યો છે.તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં વિવિધ ક્ષેત્રે ભારતીય વ્યાપારની વ્યાપક સંભાવના છે. શેખ હસીનાએ ખાસ કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણનો બેવડો લાભ લઈ ભારતીય ઉદ્યોગકારો બાંગ્લાદેશમાં ઉદ્યોગસ્થાયી તેમના ઉત્પાદકોના ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અને દક્ષિણ-પૂર્વીય એશિયન દેશોમાં નિકાસ કરી શકે છે અને આપણી વચ્ચેના વિસ્તરેલા સંપર્કનો પણ લાભ લઈ શકાય છે. વિશ્લેષકો નોંધે છે કે, સાર્ક દેશોની પ્રાદેશિક વ્યાપાર સમજૂતીમાં બનેલા અવરોધને દૂર કરવાનો આ સંવેદનશીલ ઉપાય છે, જે પાકિસ્તાન દ્વારા રાજકીય મુદ્દાને આગળ કરીને આર્થિક સહયોગ વધારવા ઉભી કરેલી અડચણને પણ દૂર કરે છે.
ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, એકને બાદ કરતા તમામ પાડોશીઓ સાથે પ્રાદેશિક સહભાગિતા એકદમ સારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત પાડોશી દેશો સાથે સંબંધો વધુ મજબુત કરવા અવિરત પ્રયત્નો કરે છે. એકને બાદ કરતાથી ડૉ.જયશંકરનો ઈશારો પાકિસ્તાન તરફ હતો, જે વૈશ્વિક સ્તરે કાશ્મીર મુદ્દો ચગાવવાનો અસફળ પ્રયત્ન કરી રહ્યું છે, જેને વૈશ્વિક સમુદાયે ભારતનો આંતરિક મુદ્દો ગણાવી નકારી કાઢ્યો છે.
નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જાહેર ક્ષેત્ર મૂડીરોકાણ પરત ખેંચવું તથા સંપત્તિ મૂડીકરણ જેવા મુદ્દા પર પ્રકાશ ફેકતા દેશમાં આર્થિક વૃદ્ધિ માટે હજુ વધુ સુધારા આવી શકે છે, તેવા સંકેત આપ્યા હતા. તેમણે ભારતનો વૃદ્ધિદર છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ટકા થયો છે, તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ બે દિવસીય ભારત કેન્દ્રીત આર્થિક સંમેલનમાં ભારતે નાગરીકોના સાતત્યપૂર્ણ વિકાસની ખાતરી સાથે વિકાસમાં જે પ્રગતિ કરી છે તેના પર ધ્યાન અપાયું હતું. આ સંમેલનમાં ભારતે સમાવિષ્ટ વિકાસ માટે માળખાકીય સુવિધાઓમાં સર્વગ્રાહી સુધારા માટે આવેલી ખાત્રી અંગે પણ સંકેત મળ્યા હતા.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...