Skip to main content

૧૮મી નામ શિખર પરિષદ અંગે સમીક્ષા

અઝરબૈજાનની રાજધાની સેલ્યુબ્રિયસના દરિયાકાંઠે બાકુમાં બિન જોડાણવાદી ચળવળ નોન એલાઇન્ડ મુવમેન્ટ નામ દેશોની ૧૮મી બે દિવસીય બેઠક મળી. જેનો નિષ્કર્ષ વિશ્વના દેશોને યાદ અપાવે છે કે નામ સંગઠન હજુ જીવંત છે અને સમૃધ્ધ છે. છ દાયકા અગાઉથી નામ દેશોના સંગઠનની શરૂઆતથી જ પશ્ચીમન્) ટિકાકારોની કોઇ કમી નથી. જેઓ તેના વિશે લખવા તૈયાર ન હતા, પણ તેઓ વારંવાર ખોટા સાબિત થયા છે. ખરેખર તો ૧૮મી નામ શિખર પરીષદનું આયોજન અઝરબૈજાન ધ્વારા કરાયું હતું. જે આ નામ સંગઠનમાં ર૦૧૧ ના અંતમાં જોડાયા હતા. આ બિન જોડાણવાદી દેશોનું સંગઠન હજી પણ સભ્ય દેશો માટે કંઇક અર્થ ધરાવે છે. ઝડપથી બદલાતી દુનિયામાં હજી પણ એવા ઘણા દેશો છે જે ત્રીજા વિશ્વના દેશો માટે એક અવાજે બોલવા માટે મંચ તરીકે નામ દેશો પર વિશ્વાસ રાખે છે અને આજ તક તેમને વિશ્વના દેશો સમક્ષ રજુઆતની એક શકિતશાળી રાજનીતી તરીકેની ઓળખ આપે છે.

બિન જોડાણવાદી ચળવળના સંસ્થાપક દેશોમાંના એક એવા ભારત દેશે તેની પ્રગતિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયાહ નાયડુએ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યુ હતું. જેમણે શિખર પરીષદના સહયોગી દેશોને ભારતના તેના સિધ્ધાંતો અને ઉદેશો અંગે પ્રતિબધ્ધતા વ્યકત કરતા તેને દોહરાવ્યું હતુ. ધાર્યા મુજબ પાકિસ્તાને પોતાનો પ્રિય કાશ્મીર મુદૃો ઉઠાવવા આ મંચનો ઉપયોગ કરવાનું ટાળ્યું નહતું. આ મુદેૃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલ્વીના ટીકાત્મક સંબોધનનો જવાબ આપવા, ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ જણાવ્યું હતું અને લાંબા સમયથી ચાલતા સરહદપારના આતંકવાદને બંધ કરવા અને કાશ્મીર મુદૃાને નહી ચગાવવા તાકીદ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુએ કહયું કે જો પાકિસ્તાન આતંકવાદને પોષવાનું બંધ કરે તો પશ્ચિમના પાડોશી દેશો તેને માટે અને વિશ્વના બાકીના દેશો માટે ઘણુ બધુ સારૂ કરી શકે. શિખર પરીષદના નિવેદનમાં સંયુકત રાષ્ટ્રના ચાર્ટરના સિધ્ધાંતો, આંતરરાષ્ટ્રીય સંમેલનો અનુસાર આતંકવાદનો વિરોધ કરવાના પ્રયાસ માટેના સંકલ્પ સાથે ભારતની સ્થિતિને યોગ્ય ઠેરવવામાં આવી હતી.

જો કે બિન જોડાણવાદી દેશોની ચળવળની શરૂઆત પછી અને શીત યુધ્ધના દિવસોથી વિશ્વનું બે વૈચારિક છાવણીમાં વિભાજન થયા પછી વિશ્વમાં ઘણુ પરીવર્તન આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં થઇરહેલા ફેરફારો સાથે બિન જોડાણવાળી ચળવળની ભૂમિકામાં પણ બદલાવ આવ્યો છે. તે જ રીતે નામ દેશોએ પણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતીના બદલાતી ગતિ સાથે સંતુલન સાધી ફેરફાર કરવા પડશે પણ આમ છતા નામ હજી પક્ષ સંયુકત રાષ્ટ્રસંઘ પછી વિશ્વનું સૌથી મોટુ સભ્ય દેશો ધરાવવાનું જુથ છે. ૧ર૦ દેશોના સભ્યપદ સાથે તે વિશ્વનું બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. જેને રાજકીય કે લશ્કરી સત્તા આધારીત વિશ્વમાં મહત્વપુર્ણ ગણવુ રહયું.

નોંધપાત્ર એ છે કે આ પરીષદમાં પોતાના જુદા જુદા એજન્ડા સાથે અલગ રીતે કામ કરવા કરતા સંયુકત રાષ્ટ્રીયસંઘ સાથે સંતુલન સાધી કાર્ય કરવા અંગે વિચારણા કરાઇ.

બહુ ડિકલેરેશનમાં બહુપક્ષીયતાને પ્રોત્સાહન આપવા અને સંયુકત સંઘ સામાન્ય સભા સહિત સંયુકત રાષ્ટ્રસંઘ વ્યવસ્થાના લોકશાહીકરણની માંગણી ઘણા સમયથી કરાઇ રહે છે. બિન જોડાણ ચળવળનું પ્રતિનિધિત્વ કરતા દેશો એ આ માટે એકમત નોંધાયો છે. કુબે વિશ્વ સંસ્થાએ આની નોંધ લેવી જોઇએ.

પરીષદમાં સંયુકત રાષ્ટ્રસંઘના સામાનય ચસિવે વિશ્વમાં થઇ રહેલો અભાવ, વૈશ્વિકરણમાં લોકોનો ઘટી રહેલા વિશ્વાસ, વૈશ્વિક – આંતરરાષ્ટ્રીય હિંસામાં થઇ રહેલો વધારો અને સામુહીક કાર્યવાહીની જરૂરીયાત જેવા મુદૃાઓની કરેલી વાતને જોતાં આશા સેવાઇ રહી છે કે વિશ્વની સૌથી મોટી બે સંસ્થાઓ સાથે મળીને સંતુલનમાં કાર્ય કરે તે સમય આખરે આવી ગયો છે.

રૂપલ જાની – નિકિતા શાહ – મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...