બિન જોડાણવાદી દેશોના સંગઠન – નામની 18 મી શીખર પરિષદ આવતા સપ્તાહે અઝરબૈજાનમાં યોજાવાની છે. એ વાસ્તવિકતા છે કે નામ સંગઠન અંગેના સમાચારો અગાઉની જેમ હવે વિશ્વ આલમનું ધ્યાન ખેંચતા નથી.
એવુ નથી કે બિન જોડાણ વાદી દેશોના સંગઠન નામે પ્રસ્તુતતા ગુમાવી છે. પણ હવે વૈશ્વિક સત્તાઓના સમીકરણો તથા આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાયા છે. સમગ્ર વિશ્વમાં આવેલા પરિવર્તનના લીધે જી – ઝીરો – વિશ્વની રચના થઇ છે, તેમ પણ કહી શકાય.
જી – જીરો – વિશ્વ સંકલ્પનાનો અર્થ થાય છે કે કોઇપણ એક દેશ અથવા જૂથ – આર્થિક અને વ્યૂહાત્મક બાબતો ઉપર નિયંત્રણ ધરાવી શકે નથી. કેટલાક વર્ષો પહેલા ભારતના નિષ્ણાંતોએ બિન જોડાણવાદી દેશની સંકલ્પના રજુ કરી હતી. આ સંગઠનનો હેતુ ભારત પોતાની સ્વાયત્તતા તથા મૂલ્યોનું જતન કરીને, વિશ્વસ્તરે અગ્રણી દેશ તરીકે ભૂમિકા ભજવી શકે. અમેરીકા – રશિયા વચ્ચેના શીતયુધ્ધના અંતે બિન – જોડાણવાદી દેશની સંકલ્પના નવા સંદર્ભમાં અને નવા સ્વરૃપે રજુ કરવાની જરુરીયાત ઉભી થઇ. વિદેશમંત્રી એસ.જયશંકરે મુદ્દા આધારીત, વિશ્વસત્તાઓ સાથે સારા સંબંધો રાખતી, તથા વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બનાવતી નવી વિદેશનીતી રજુ કરી છે. ટૂંકમાં કહીએ તો નવી બિન – જોડાણવાદી નીતિમાં ભારત, કોઇ એક દેશથી અળગો રહેવા માગતો નથી.
અગાઉ પણ નામ સંગઠન પાસેથી ઘણી ઉંચી અપેક્ષાઓ રખાઇ ન હતી. અને આ વખતે તો નામ સંગઠનની બેઠક એવા દેશમાં યોજાઇ રહી છે, જે નામ સંગઠનનો અગાઉ ભાગ ન હતો. વર્તમાન સ્થિતિએ વૈશ્વિક સ્તરે જી – વીસ, તથા બ્રીક્સ જેવા સંગઠનોએ આગવું મહત્વ મેળવ્યું છે અને ભારત આ બન્ને સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
ભારતે સ્થાપેલું નામ સંગઠન પ્રથમથી વિશાળ સંખ્યામાં દેશોનું સંગઠન રહ્યું અને તે હજી પણ સ્થાપના કાળના સંગઠનના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે.
ભારત દ્દઢપણે માને છે કે વર્તમાન સમયમાં બિનજોડાણવાદમાં મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્યની સંકલ્પના પ્રસ્તુત છે – જેમાં સંઘર્ષ વખતે બધા જ લોકોના સ્વાતંત્ર્યને મહત્વનું માનવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં નવા અને નાના દેશો, સ્વાતંત્ર્ય અને સર્વભૌમત્વ અકબંધ રાખતા નામ સંગઠનમાં જોડાવવા માટે ઉત્સુક છે. કારણ કે મોટી સત્તા સાથે જોડાણ કરવામાં તેમની ઓળખ ટકાવવી મુશ્કેલ બને છે. નામ સંગઠન શરુઆતથી જેમાં દ્રઢપણે માને છે તે સમગ્ર વિશ્વવ્યવસ્થા સમાનતાના ધોરણે ગોઠવાવી જોઇએ એ બાબત આજે પણ પ્રસ્તુત છે.
બિન જોડાણવાદી દેશોના સંગઠન નામે નવેસરથી શરુઆત કરવાની જરુર છે. નામ સંગઠને પોતાની કાર્યસૂચિ નવેસરથી ઘડીને, નવેસરથી કામગીરી શરુ કરવી પડશે.
ભારત, નામ સંગઠનના સિધ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.
નામ, વિકાસશીલ દેશોના સાર્વત્રિક હિતોને સાચવવા કામગીરી કરી શકશે. જેમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થા તથા નિશસ્ત્રીકરણ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ અગાઉની જેમ અસરકારક રહ્યુ નથી – પણ તેનો અર્થ એવો નથી કે તેનો ત્યાગ કરવો જોઇએ. નામ સંગઠન પણ એક શક્તિશાળી મંચ છે આજે વિકાસશીલ દેશો વચ્ચેનો સહકાર વધુ મહત્વનો બન્યો છે. આ ક્ષેત્રે ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અને હજી પણ ભજવી શકશે.
અઝરબૈજાનમાં યોજાનારી નામ સંગઠનની શીખર બેઠકમાં વર્ષ 2030 સુધીના સાતત્યપૂર્ણ વિકાસના એજન્ડાના અમલીકરણ ઉપર ભાર મૂકાશે. આ ઉપરાંત આબોહવામાં પરિવર્તન, પેરીસ સમજૂતી, આર્થિક સુધારા અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાશે.
અઝરબૈજાન નામ સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે તેણે નાટો સંગઠન અને રશિયા – એમ પરસ્પર વિરોધી બળીયા જૂથો સાથે સંબંધો કેળવ્યા છે.
અઝરબૈજાનમાં યોજાનારી શીખર બેઠકમાં પ્રાદેશિક તથા વૈશ્વિક સ્તરના પડકારો અંગે પણ ચર્ચા કરાશે.
Comments
Post a Comment