Skip to main content

નામ સંગઠન સામેના પડકારો અંગે સમીક્ષા


બિન જોડાણવાદી દેશોના સંગઠન – નામની 18 મી શીખર પરિષદ આવતા સપ્તાહે અઝરબૈજાનમાં યોજાવાની છે. એ વાસ્તવિકતા છે કે નામ સંગઠન અંગેના સમાચારો અગાઉની જેમ હવે વિશ્વ આલમનું ધ્યાન ખેંચતા નથી.

એવુ નથી કે બિન જોડાણ વાદી દેશોના સંગઠન નામે પ્રસ્તુતતા ગુમાવી છે. પણ હવે વૈશ્વિક સત્તાઓના સમીકરણો તથા આંતરરાષ્ટ્રીય સંબંધો બદલાયા છે. સમગ્ર વિશ્વમાં આવેલા પરિવર્તનના લીધે જી – ઝીરો – વિશ્વની રચના થઇ છે, તેમ પણ કહી શકાય.

જી – જીરો – વિશ્વ સંકલ્પનાનો અર્થ થાય છે કે કોઇપણ એક દેશ અથવા જૂથ – આર્થિક અને વ્યૂહાત્મક બાબતો ઉપર નિયંત્રણ ધરાવી શકે નથી. કેટલાક વર્ષો પહેલા ભારતના નિષ્ણાંતોએ બિન જોડાણવાદી દેશની સંકલ્પના રજુ કરી હતી. આ સંગઠનનો હેતુ ભારત પોતાની સ્વાયત્તતા તથા મૂલ્યોનું જતન કરીને, વિશ્વસ્તરે અગ્રણી દેશ તરીકે ભૂમિકા ભજવી શકે. અમેરીકા – રશિયા વચ્ચેના શીતયુધ્ધના અંતે બિન – જોડાણવાદી દેશની સંકલ્પના નવા સંદર્ભમાં અને નવા સ્વરૃપે રજુ કરવાની જરુરીયાત ઉભી થઇ. વિદેશમંત્રી એસ.જયશંકરે મુદ્દા આધારીત, વિશ્વસત્તાઓ સાથે સારા સંબંધો રાખતી, તથા વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મહત્વની બનાવતી નવી વિદેશનીતી રજુ કરી છે. ટૂંકમાં કહીએ તો નવી બિન – જોડાણવાદી નીતિમાં ભારત, કોઇ એક દેશથી અળગો રહેવા માગતો નથી.

અગાઉ પણ નામ સંગઠન પાસેથી ઘણી ઉંચી અપેક્ષાઓ રખાઇ ન હતી. અને આ વખતે તો નામ સંગઠનની બેઠક એવા દેશમાં યોજાઇ રહી છે, જે નામ સંગઠનનો અગાઉ ભાગ ન હતો. વર્તમાન સ્થિતિએ વૈશ્વિક સ્તરે જી – વીસ, તથા બ્રીક્સ જેવા સંગઠનોએ આગવું મહત્વ મેળવ્યું છે અને ભારત આ બન્ને સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

ભારતે સ્થાપેલું નામ સંગઠન પ્રથમથી વિશાળ સંખ્યામાં દેશોનું સંગઠન રહ્યું અને તે હજી પણ સ્થાપના કાળના સંગઠનના મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે.

ભારત દ્દઢપણે માને છે કે વર્તમાન સમયમાં બિનજોડાણવાદમાં મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્યની સંકલ્પના પ્રસ્તુત છે – જેમાં સંઘર્ષ વખતે બધા જ લોકોના સ્વાતંત્ર્યને મહત્વનું માનવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં નવા અને નાના દેશો, સ્વાતંત્ર્ય અને સર્વભૌમત્વ અકબંધ રાખતા નામ સંગઠનમાં જોડાવવા માટે ઉત્સુક છે. કારણ કે મોટી સત્તા સાથે જોડાણ કરવામાં તેમની ઓળખ ટકાવવી મુશ્કેલ બને છે. નામ સંગઠન શરુઆતથી જેમાં દ્રઢપણે માને છે તે સમગ્ર વિશ્વવ્યવસ્થા સમાનતાના ધોરણે ગોઠવાવી જોઇએ એ બાબત આજે પણ પ્રસ્તુત છે.

બિન જોડાણવાદી દેશોના સંગઠન નામે નવેસરથી શરુઆત કરવાની જરુર છે. નામ સંગઠને પોતાની કાર્યસૂચિ નવેસરથી ઘડીને, નવેસરથી કામગીરી શરુ કરવી પડશે.

ભારત, નામ સંગઠનના સિધ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધ છે.

નામ, વિકાસશીલ દેશોના સાર્વત્રિક હિતોને સાચવવા કામગીરી કરી શકશે. જેમાં વૈશ્વિક આર્થિક વ્યવસ્થા તથા નિશસ્ત્રીકરણ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ અગાઉની જેમ અસરકારક રહ્યુ નથી – પણ તેનો અર્થ એવો નથી કે તેનો ત્યાગ કરવો જોઇએ. નામ સંગઠન પણ એક શક્તિશાળી મંચ છે આજે વિકાસશીલ દેશો વચ્ચેનો સહકાર વધુ મહત્વનો બન્યો છે. આ ક્ષેત્રે ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. અને હજી પણ ભજવી શકશે.

અઝરબૈજાનમાં યોજાનારી નામ સંગઠનની શીખર બેઠકમાં વર્ષ 2030 સુધીના સાતત્યપૂર્ણ વિકાસના એજન્ડાના અમલીકરણ ઉપર ભાર મૂકાશે. આ ઉપરાંત આબોહવામાં પરિવર્તન, પેરીસ સમજૂતી, આર્થિક સુધારા અને આતંકવાદ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરાશે.

અઝરબૈજાન નામ સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે તેણે નાટો સંગઠન અને રશિયા – એમ પરસ્પર વિરોધી બળીયા જૂથો સાથે સંબંધો કેળવ્યા છે.

અઝરબૈજાનમાં યોજાનારી શીખર બેઠકમાં પ્રાદેશિક તથા વૈશ્વિક સ્તરના પડકારો અંગે પણ ચર્ચા કરાશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...