Skip to main content

ભારતીય હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનનો સમાવેશ અંગે સમીક્ષા

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ફ્રાન્સના મેરીગનેક શહેરમાં યોજાયેલા ખાસ સમારંભમાં અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ વિમાનને ભારતીય હવાઈદળમાં વિધીવત સામેલ કર્યું હતું.

ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા કુલ 36 વિમાનો પૈકી આ પ્રથમ વિમાન ભારતને સોંપવામાં આવ્યું છે.

આ સાથે જ ભારતીય સેના ઘણા સમયથી ઈચ્છતી હતી તેવા અદ્યતન ટેકનોલોજીવાળા યુદ્ધ વિમાનો હવે તેને મળશે.

ભારતીય સેના પારંપારીક વ્યુહાત્મક તથા બિન-પારંપારીક એમ ત્રણેય પ્રકારના યુદ્ધમાં દુશ્મનો ઉપર પ્રભુત્વ મેળવવા માગે છે. ભારતનો પાડોશી દેશ સંયુક્તસંઘની મહાસભા જેવા તટસ્થ મંચ ઉપર પણ પરમાણુ યુદ્ધની ચિમકી આપી ચૂક્યો છે.

આ બાબત ધ્યાનમાં લેતા હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનના સમાવેશથી સેનાનું મનોબળ ચોક્કસ વધાર્યું છે.

પાડોશી દેશ દ્વારા ચલાવાતા શસ્ત્ર ખરીદી કાર્યક્રમ, ટેકનોલોજીનો સતત થઈ રહેલો વિકાસ અને વિશ્વવ્યવસ્થા આ બધા જ પરિબળોના લીધે ભારતને પણ પોતાની ક્ષમતા વધારવા તથા નવા ટેકનોલોજીવાળા શસ્ત્રો મેળવવા જરૂરી બન્યું છે.

ભારતીય હવાઈદળે પ્રથમ છ વિદેશી યુદ્ધ વિમાનોની ક્ષમતાઓ ચકાસી હતી.

આ પ્રક્રિયામાં ભારતીય હવાઈદળે 600 માપદંડો નિર્ધારીત કર્યા હતા. આ પૈકી 590 માપદંડો રાફેલે હાંસલ કર્યા.

હાલમાં ભારત પાસે રશિયાની બનાવટના સુખોઈ-30-MK1 અને મીગ-29 અદ્યતન વિમાનો છે.

પણ રાફેલ જેવું એકથી વધુ રોલ ભજવી શકતું મધ્યમ કદનું યુદ્ધ વિમાન મતળા જ ભારતની યુદ્ધ ક્ષમતામાં ચોક્કસ વધારો થયો છે.

રાફેલ એ સંરક્ષણાત્મક કાર્યવાહી પરમાણુ શસ્ત્રોનું વહન, આક્રમણ જેવા વિવિધ રોલ અસરકારક રીતે ભજવી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, રાફેલની ક્ષમતાને પડકારવા અન્ય યુદ્ધવિમાન સક્ષમ ન હોવાથી રાફેલનો ભારતીય હવાઈદળમાં થયેલો પ્રવેશ સમગ્ર સેનાની ક્ષમતા વધારવા મદદરૂપ થશે.

પાડોશી દેશો તરફથી ખતરો હોવા છતાં ભારત શાંતિમાં દૃઢવિશ્વાસ ધરાવે છે અને પહેલા આક્રમણની નીતિ જાળવવા કૃતનિશ્ચયી છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાફેલને હવાઈ દળમાં સમાવતી વખેત આપેલા ભાષણમાં આ નીતી સ્પષ્ટ કરાઇ હતી. આમ રાફેલની ઉપસ્થિતિના કારણે સેનાની આક્રમણ ક્ષમતામાં વધારો થયો હોવા છતાં તે ક્ષમતાનો ઉપયોગ આક્રમણ માટે નહી પણ સ્વ-રક્ષણ માટે કરાશે. વાસ્તવમાં સેનાની ક્ષમતા એ યુધ્ધ રોકવા માટે હોય છે. ભવિષ્યની કોઇપણ લડાઇમાં હવાઇદળની ક્ષમતા ખુબ જ મહત્વનો ભાગ ભજવશે.

સ્ટેન્ડ ઓફ રેન્જમાં અસરકારક દુર સુધી તથા ચોકસાઇથી શસ્ત્ર પ્રહાર કરી શકવાની ક્ષમતા થી હવાઇ દળોને ક્ષમતામાં નોધપાત્ર વધારો થશે.

મહત્વની બાબત એ છે કે, હવાઇ ક્ષમતાનો ઇષ્ટતમ ઉપયોગ કોઇ પણ દેશ રાજકીય ઉદેશની પુર્ણતા માટે અગતયનો બની રહે છે. ગત ફેબ્રુઆરીમાં બાલાકોટ આતંકવાદી તાલીમ શિબીર પર કરાયેલો હવાઇ હુમલો આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતે વિશ્વસનીય લડાયક ક્ષમતા ઉભી કરવા વધુ મજબુત હવાઇ દળ ઉભુ અનીવાર્ય છે. ા સાથે જુના લડાયક વિમાનોને ટુક સમયમાં બદલવાનુ પણ આવશ્યક છે. લડાયક વિમાનો ઓફ ધ ઓફ ખરીદી ન શકાય તેમને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા લાંબી છે અને તેને ટુકાવવી અઘરી છે. ઉત્પાદન પ્રક્રિયામાં અસંખ્ય ભાગોને જોડવામાં આવે છે અને ખુબ મોંઘો કાચો માલ વપરાય છે. જે જથ્થાબંધ લેવાનોનથી. પરીણામે રાજકીય સ્તરે નિર્ણય કરવામાં લાગતો સમય ઘટાડવો આવશ્યક છે. ૩૬ મહિનામાં ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સરકારનો નિર્ણય સાહસપુર્ણ છે. રાફેલ યુધ્ધ વિમાનની સામેલ થવાથી હવાઇ દળની કાર્ય ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. વધુમાં રાફેલ ભારતીય હવાઇ દળની લડાયક ક્ષમતાને સાતત્યપુર્ણ પ્રોત્સાહન આપશે તથા ભવિષ્યના સંઘર્ષને ટાળવા માટે ભારતીય લશ્કરી લડાયક ક્ષમતાનુ મુલ્ય વર્ધન થશે.

લેખક-ઉત્તમકુમાર બિશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...