Skip to main content

ભારતીય હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનનો સમાવેશ અંગે સમીક્ષા

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ફ્રાન્સના મેરીગનેક શહેરમાં યોજાયેલા ખાસ સમારંભમાં અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ વિમાનને ભારતીય હવાઈદળમાં વિધીવત સામેલ કર્યું હતું.

ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા કુલ 36 વિમાનો પૈકી આ પ્રથમ વિમાન ભારતને સોંપવામાં આવ્યું છે.

આ સાથે જ ભારતીય સેના ઘણા સમયથી ઈચ્છતી હતી તેવા અદ્યતન ટેકનોલોજીવાળા યુદ્ધ વિમાનો હવે તેને મળશે.

ભારતીય સેના પારંપારીક વ્યુહાત્મક તથા બિન-પારંપારીક એમ ત્રણેય પ્રકારના યુદ્ધમાં દુશ્મનો ઉપર પ્રભુત્વ મેળવવા માગે છે. ભારતનો પાડોશી દેશ સંયુક્તસંઘની મહાસભા જેવા તટસ્થ મંચ ઉપર પણ પરમાણુ યુદ્ધની ચિમકી આપી ચૂક્યો છે.

આ બાબત ધ્યાનમાં લેતા હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનના સમાવેશથી સેનાનું મનોબળ ચોક્કસ વધાર્યું છે.

પાડોશી દેશ દ્વારા ચલાવાતા શસ્ત્ર ખરીદી કાર્યક્રમ, ટેકનોલોજીનો સતત થઈ રહેલો વિકાસ અને વિશ્વવ્યવસ્થા આ બધા જ પરિબળોના લીધે ભારતને પણ પોતાની ક્ષમતા વધારવા તથા નવા ટેકનોલોજીવાળા શસ્ત્રો મેળવવા જરૂરી બન્યું છે.

ભારતીય હવાઈદળે પ્રથમ છ વિદેશી યુદ્ધ વિમાનોની ક્ષમતાઓ ચકાસી હતી.

આ પ્રક્રિયામાં ભારતીય હવાઈદળે 600 માપદંડો નિર્ધારીત કર્યા હતા. આ પૈકી 590 માપદંડો રાફેલે હાંસલ કર્યા.

હાલમાં ભારત પાસે રશિયાની બનાવટના સુખોઈ-30-MK1 અને મીગ-29 અદ્યતન વિમાનો છે.

પણ રાફેલ જેવું એકથી વધુ રોલ ભજવી શકતું મધ્યમ કદનું યુદ્ધ વિમાન મતળા જ ભારતની યુદ્ધ ક્ષમતામાં ચોક્કસ વધારો થયો છે.

રાફેલ એ સંરક્ષણાત્મક કાર્યવાહી પરમાણુ શસ્ત્રોનું વહન, આક્રમણ જેવા વિવિધ રોલ અસરકારક રીતે ભજવી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, રાફેલની ક્ષમતાને પડકારવા અન્ય યુદ્ધવિમાન સક્ષમ ન હોવાથી રાફેલનો ભારતીય હવાઈદળમાં થયેલો પ્રવેશ સમગ્ર સેનાની ક્ષમતા વધારવા મદદરૂપ થશે.

પાડોશી દેશો તરફથી ખતરો હોવા છતાં ભારત શાંતિમાં દૃઢવિશ્વાસ ધરાવે છે અને પહેલા આક્રમણની નીતિ જાળવવા કૃતનિશ્ચયી છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાફેલને હવાઈ દળમાં સમાવતી વખેત આપેલા ભાષણમાં આ નીતી સ્પષ્ટ કરાઇ હતી. આમ રાફેલની ઉપસ્થિતિના કારણે સેનાની આક્રમણ ક્ષમતામાં વધારો થયો હોવા છતાં તે ક્ષમતાનો ઉપયોગ આક્રમણ માટે નહી પણ સ્વ-રક્ષણ માટે કરાશે. વાસ્તવમાં સેનાની ક્ષમતા એ યુધ્ધ રોકવા માટે હોય છે. ભવિષ્યની કોઇપણ લડાઇમાં હવાઇદળની ક્ષમતા ખુબ જ મહત્વનો ભાગ ભજવશે.

સ્ટેન્ડ ઓફ રેન્જમાં અસરકારક દુર સુધી તથા ચોકસાઇથી શસ્ત્ર પ્રહાર કરી શકવાની ક્ષમતા થી હવાઇ દળોને ક્ષમતામાં નોધપાત્ર વધારો થશે.

મહત્વની બાબત એ છે કે, હવાઇ ક્ષમતાનો ઇષ્ટતમ ઉપયોગ કોઇ પણ દેશ રાજકીય ઉદેશની પુર્ણતા માટે અગતયનો બની રહે છે. ગત ફેબ્રુઆરીમાં બાલાકોટ આતંકવાદી તાલીમ શિબીર પર કરાયેલો હવાઇ હુમલો આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતે વિશ્વસનીય લડાયક ક્ષમતા ઉભી કરવા વધુ મજબુત હવાઇ દળ ઉભુ અનીવાર્ય છે. ા સાથે જુના લડાયક વિમાનોને ટુક સમયમાં બદલવાનુ પણ આવશ્યક છે. લડાયક વિમાનો ઓફ ધ ઓફ ખરીદી ન શકાય તેમને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા લાંબી છે અને તેને ટુકાવવી અઘરી છે. ઉત્પાદન પ્રક્રિયામાં અસંખ્ય ભાગોને જોડવામાં આવે છે અને ખુબ મોંઘો કાચો માલ વપરાય છે. જે જથ્થાબંધ લેવાનોનથી. પરીણામે રાજકીય સ્તરે નિર્ણય કરવામાં લાગતો સમય ઘટાડવો આવશ્યક છે. ૩૬ મહિનામાં ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સરકારનો નિર્ણય સાહસપુર્ણ છે. રાફેલ યુધ્ધ વિમાનની સામેલ થવાથી હવાઇ દળની કાર્ય ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. વધુમાં રાફેલ ભારતીય હવાઇ દળની લડાયક ક્ષમતાને સાતત્યપુર્ણ પ્રોત્સાહન આપશે તથા ભવિષ્યના સંઘર્ષને ટાળવા માટે ભારતીય લશ્કરી લડાયક ક્ષમતાનુ મુલ્ય વર્ધન થશે.

લેખક-ઉત્તમકુમાર બિશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...