Skip to main content

ભારતે કોમોરોસ તથા સિએરા લિયોન સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા એ અંગે સમીક્ષા

આફ્રિકાના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવાના હેતુથી ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુએ તાજેતરમાં કોમોરોસ તથા સિએરા લિયોનની મુલાકાત લીધી છે.

દરીયાઈ સરહદો ધ્યાનમાં લેતા ભારત પોતાની પ્રગતીના અનુભવો વહેંચવા તથા પાડોશી દેશ કોમોરોસની પ્રગતિમાં સહભાગી થવા હંમેશા ઉત્સુક છે.

ઉપરાષ્ટ્રપતિએ કોમોરોસના રાષ્ટ્ર પ્રમુખ અઝાલી અસસૌમાની સાથે મંત્રણાઓ કરી.

બંને આગેવાનોએ દ્વિપક્ષીય સહકાર વધારવાની નવી તકો ચકાસી હતી તથા બંને દેશો વચ્ચેના આરોગ્ય, આર્થિક, માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાની સંમતી આપી.

આ પ્રસંગે ભારત અને કોમોરોસ વચ્ચેના આરોગ્ય, સલામતી તથા સાંસ્કૃતિક ક્ષેત્રોના સંબંધો વધારવાની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

બંને દેશોએ પરસ્પર દેશોની અને ટુંકા સમયગાળાની સત્તાવાર તથા રાજદ્વારી મુલાકાતે આવનાર અધિકારીઓ માટે વીઝા મુક્તિ આપવાનો નિર્ણય લીધો.

ભારતે કોમોરોસમાં મોરોની ખાતે 18 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાવાળો વીજ પ્લાન્ટ સ્થાપવા તથા વ્યવસાયિક તાલીમ કેન્દ્ર સ્થાપવા 4 કરોડ 16 લાખ અમેરિકી ડોલરનું ધિરાણ આપવાનો નિર્ણય લીધો.

આ ઉપરાંત ભારત 10 લાખ અમેરિકી ડોલરની કિંમતની દવાઓ, 20 લાખ અમેરિકી ડોલર ઈન્ટરસેપ્ટર બોટો માટે તથા 10 લાખ અમેરિકી ડોલર પરિવહન માટેના સાધનો ખરીદવા આપશે.

આ ઉપરાંત ભારત કોમોરોસને એક હજાર મેટ્રીક ટન ચોખા આપશે.

એવી જ રીતે બંને દેશોએ ટેલી-એજ્યુકેશન તથા ટેલી-મેડિસીન ક્ષેત્રે સહકાર વધારવા માટે ઈ-વિદ્યાભારતી, ઈ-આરોગ્ય ભારતી કાર્યક્રમો હાથ ધરવાનો પણ નિર્ણય લીધો.

વૈશ્વિક સ્તરે જોતા ભારત અને કોમોરોસ આંતરરાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ બાબતે એકબીજાને સમર્થન આપતાં આવ્યા છે. ભારતે આતંકવાદ બાબતે લીધેલા વલણને કોમોરોસે સમર્થન આપ્યું છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદના સભ્યપદે ભારતના દાવાને કોમોરોસે ટેકો આપ્યો છે. તે બદલ ભારત કોમોરોસનો આભાર માન્યો હતો. ભારતે કોમોરોસના સર્વાંગી વિકાસ માટે સમર્થન આપવાનું વલણ દોહરાવ્યું હતું.

શ્રી વૈંકેયા નાયડુ ત્યારપછી સીએરા લીઓનની મુલાકાતે ગયા હતા. સીએરા લીઓનની મુલાકાતે જનાર તે પ્રથમ ઉચ્ચ પદસ્થ વ્યક્તિ હતા. બંને દેશો વચ્ચે એક સમાન અભિગમ અને મુલ્યોના લીધે સારા સંબંધો રહ્યા હતા. સીએરા લીઓનમાં શાંતિપૂર્ણ રીતે યોજાયેલી પાંચ ચૂંટણીઓ અને તે દ્વારા સંબંધીત દેશમાં લોકશાહી વ્યવસ્થા મજબૂત બની છે, તે અંગે ભારતે ખુશીની લાગણી વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ ગયા વર્ષે સીએરા લીઓનના રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાવા બદલ શ્રી બીઓને અભિનંદન આપ્યા હતા. સીએરા લીઓનમાં શાંતિ અને સ્થિરતાની સ્થાપનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ દળમાં સૈનિકો મોકલનાર પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થયો હતો.

ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપ્રમુખ જ્યુલીયસ બીઓ સાથે વિવિધ મહત્વના મુદ્દાઓ અંગે તથા વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. બંને આગેવાનોએ કૃષિ, માહિતી ટેકનોલોજી અને માળખાંકીય વિકાસ ક્ષેત્રોમાં સહકાર વડે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભારતે સીએરા લીઓનને અત્યાર સુધી 21 કરોડ 75 લાખ અમેરિકી ડોલરનું ધિરાણ પુરું પાડ્યું છે. ભારત અને સીએરા લીઓન વચ્ચે સિંચાઈ ક્ષેત્રની યોજનાઓ માટે 3 કરોડ અમેરિકી ડોલરનું ધિરાણ આપવા અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એવી જ રીતે બંને દેશોએ ટેલી-એજ્યુકેશન તથા ટેલી-મેડિસીન ક્ષેત્રે સહકાર વધારવા માટે ઈ-વિદ્યાભારતી, ઈ-આરોગ્ય ભારતી કાર્યક્રમો હાથ ધરવાનો પણ નિર્ણય લીધો. સીએરા લીઓનમાં શુભેચ્છાના પ્રતિકરૂપે ભારત એક હજાર મેટ્રીક ટન ચોખા મોકલશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...