Skip to main content

ભારત-બાંગ્લાદેશ વચ્ચે મોટા પ્રમાણમાં એલપીજી આયાત અંગેના સમજૂતી કરાર કરાયા એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે તાજેતરમાં થયેલા LPGની આયાત અંગેના સમજૂતી કરાર બંને પડોશી દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ કહી શકાય. ઉત્તર-પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં LPGનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાના અનોખા પડકારને પહોંચી વળવા ભારતનું આ સમજૂતી કરાર અંગેનું મહત્વપૂર્ણ પગલું છે. એકબીજાની મુશ્કેલીઓને સમજવા અને તેના યોગ્ય ઉકેલ લાવવા ભારત સરકારે સૌહાદપૂર્ણ પ્રાથમિકતા દર્શવી છે. આ બાબતે ભારતના સરહદી રાજ્યમાં બાંગ્લાદેશથી જથ્થાબંધ LPG આયાત માત્ર એક વર્ષમાં જ સુનિશ્ચિત કરાશે. વળી પરિવહન ખર્ચ અને સમયમાં નોંધપાત્ર ધટાડો થશે. જ્યારે ભારત બાંગ્લાદેશથી ટ્રકમાં બે નિમાયેલા ખાનગી સપ્લાયર્સ દ્વારા LPGની આયાત શરૂ કરાશે, ત્યારે બાંગ્લાદેશના બંદર મોંગલાથી પશ્ચિમ ત્રિપુરાના ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્લાન્ટ સુધીનું અંતર માત્ર 120 કિ.મી. જેટલું થશે.

શ્રી મોદી અને સુશ્રી હસીનાએ પડકારો છતાં દ્વિપક્ષી સંબંધોને પરસ્પર સૌહાર્દપૂર્ણ અને લાભદાયી બનાવવા પ્રયાસ કર્યો છે. LPG પુરવઠો, બાંગ્લાદેશની બે LPG કંપનીઓ દ્વારા અપાશે અને રાજ્ય હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેને બોટલમાં ભરાશે અને વેચાણ કરાશે. બાંગ્લાદેશ સાથે કરેલા આ LPG આયાત માટેના સમજૂતી કરાર પૂર્વીય દરિયાકાંઠાના ભારતની લાંબા ગાળાની ઉર્જા વિતરણ યોજના માટે નોંધપાત્ર બનશે. હાલમાં ભારત પાસે પશ્ચિમ કાંઠે તેલ અને ગેસ આયાત કરવા એક નક્કર માળખુ છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સમજૂતી કરાર દ્વારા આ પ્રદેશમાં ગેસ અને બળતણ પુરવઠાની જરૂરિયાત પૂર્ણ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુશ્રી શેખ હસીનાની ઉપસ્થિતિમાં કરેલા સંબોધનમાં નોંધ્યું હતું કે, એલપીજીની નિકાસના કારણે બંને દેશોમાં જીવન ધોરણમાં સરળતા થવાની સાથે બાંગ્લાદેશમાં નવી રોજગારી અને આવક ઊભી થશે. 

બાંગ્લાદેશ, ભારતને એલપીજી નિકાસ કરવા સુવિધાઓ ઊભી કરવા આગળ આવ્યું છે તેણે ભારતીય રોકાણકાર માટે ચીંતગાંગ બંદર નજીક મીરશરાઈ આર્થિક ઝોન વિકસાવવા એક હજાર એકર જમીન ફાળવી છે. 

ભારત સાથે ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો સાથે વેપાર સંબંધો મજબૂત કરવા બાંગ્લાદેશે, ભારતને આશુગંજ અને મીંગલા બંદરો વાપરવાની છૂટ આપી છે. 

દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવાની ભાગરૂપે બાંગ્લાદેશ – ઉત્તર પૂર્વી ભારત વચ્ચે રેલ જોડાણ પુનઃ સ્થાપિત કરાશે. ફેની નદી પર પુલ બનાવવાનું કાર્ય પૂર્ણ થતાં જ માર્ગ જોડાણ પણ ખુલ્લો મુકાશે. જેનાથી પરસ્પર વિકાસ અને સમૃદ્ધિના નવા આયામો ખુલશે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ એલપીજી આયાત સહકારને સારી પાડોશી ભાવનાનું દ્રષ્ટાંત રૂપ ગણાયું છે. સામે પક્ષે ભારત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની કુશળતા થકી બાંગ્લાદેશમાં તેલ માળખાકીય સુવિધા ઊભી કરવામાં મદદ કરશે.

ભૂશાસ્ત્રીઓના મતે, બાંગ્લાદેશ, દરિયાઇ આર્થિક ઝોન, એશિયા-પ્રશાંત વિસ્તારમાં સૌથી મોટો તેલ-ગેસ જથ્થો ધરાવે છે. ભારત તેની તકનીકી કુશળતા સાથે મુખ્ય ભાગીદાર બની બાંગ્લાદેશને વૈશ્વિકસ્તરે, મોટાપાયે હાઇડ્રોકાર્બન ઉત્પાદન કરતો દેશ તરીકે ઊભરવામાં મદદરૂપ થઈ શકે છે. 

તાજેતરમાં ભારત – બાંગ્લાદેશ વચ્ચે ઉચ્ચસ્તરી સંબંધો વધુ મજબૂત બન્યા છે. 2018-19માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 9 બીલીયન અમેરિકી ડોલરથી વધીને 10.46 બીલીયન અમેરિકી ડોલર થયો છે. ભારત, ગેસ ગ્રીડ સ્થાપવા બાંગ્લાદેશ સાથે મળીને કામ કરી રહ્યું છે. જેનો ઉદ્દેશ બાંગ્લાદેશથી ઉત્તરપૂર્વ ભારતમાં પાઇપલાઇન વડે એલએનજી આયાત કરવાનો છે.

છેલ્લા દશકમાં ભારતની ઉર્જા માંગમાં અણધાર્યો વધારો થયો છે. જે 2040 સુધીમાં બમણી થાય તેવી સંભાવના છે. હાલમાં થઈ રહેલા કરારોથી બંને દેશોને ભવિષ્યમાં લાભ થશે.




લેખક – દીપાંકર ચક્રબોર્તી

રૂપલ જાની, નીકીતા શાહ, જતીન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...