ભારતના રાષ્ટ્રપતિ જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે ગયા છે.
આ બંને દેશો ભારતની પૂર્વના દેશો તરફી નીતિમાં મહત્વના ગણી શકાય.
રાષ્ટ્રપતિએ પ્રથમ તબક્કામાં ફિલીપાઈન્સની મુલાકાત લઈને ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 70 વર્ષ થયા તે ઘટનાને કેન્દ્રમાં મૂકી સંબંધો મજબૂત બનાવ્યા.
ત્યારબાદ તેઓએ જાપાનની મુલાકાતે લઈને રાજા નારનહિતોના રાજ્યાભિષેક સમારંભમાં હાજરી આપી હતી.
સમગ્ર વિશ્વ વ્યવસ્થા અંગે સમાન વિચારો તેમજ મૂલ્યો તથા પરસ્પર હિતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના સંબંધો તેમને સ્વાભાવિક રીતે ભાગીદાર દેશ બનાવે છે.
વિકાસશીલ દેશો પરસ્પર મદદરૂપ બને તે સિદ્ધાંતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચે સ્થપાયેલા દ્વિપક્ષીય સંબંધોને ભારતની પૂર્વના દેશો તરફી નીતિના કારણે નવું બળ મળ્યું છે.
રાષ્ટ્રપતિની મુલાકાત વખતે દરિયાઈ ક્ષેત્ર, સલામતી, પ્રવાસન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવતી ચાર સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા છે.
આ ઉપરાંત બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવા, રાજકીય, અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.
રાષ્ટ્રપતિ કોવિંદે ક્વિઝોન શહેરમાં આવેલી મિરીયમ કોલેજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
ભારત અને ફિલીપાઈન્સ બંને દેશોના અર્થતંત્રો જગતમાં ઝડપથી વિકસતા જતા અર્થતંત્રો છે.
બંને દેશો વચ્ચે વેપાર ક્ષેત્રના મજબૂત સંબંધો ઉપરાંત મૂડીરોકાણ ક્ષેત્રે પણ સારા સંબંધો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા પહેલ તો ફિલીપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ રોડરીગો દુતાર્તેની બીલ્ડ, બીલ્ડ એન્ડ બીલ્ડ ઈનીશીએટીવે બંને દેશોના રોકાણકારો માટે સ્માર્ટ સિટી, બંદરો, ડિજીટલ આઈ-વે જેવા ક્ષેત્રોમાં મૂડી રોકાણની ઘણી નવી તકો ઉભી કરી છે.
ભારત-ફિલીપાઈન્સ વેપાર પરિષદ તથા ચોથી આસિયાન - ભારત વેપાર શીખર બેઠકમાં રાષ્ટ્રપતિ કોવિંદે સ્ટાર્ટ અપ, ડિજીટલ ક્ષેત્ર, નવતર કલ્પના જેવા નવા ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો.
ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2.3 અબજ અમેરિકી ડોલરનો છે. ભારતીય કંપનીઓએ મુખ્યત્વે કાપડ, માહિતી ટેકનોલોજી, દવા જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ છતાં માળખાકીય સુવિધા, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સંબંધો વધારવાની સારી તકો રહેલી છે.
રાષ્ટ્રપતિએ ફિલીપાઈન્સને ભારતના મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા જેવી ફ્લેગશીપ યોજનાઓમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું.
જાપાનની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજા નારૂહિતોના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપવા ઉપરાંત રાજા તથા જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે દ્વારા અપાયેલા ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ શ્રી કોવિંદે સુકીઝી હોંગવાનજી બૌદ્ધ મંદિરે જઈ દર્શન કર્યા હતા.
રાષ્ટ્રપતિ સીનો સોતો મંદિરના કાકેગાવા ખાતે યોજાયેલા ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભારત જાપાનના વૈશ્વિક મૂલ્યો, સ્વાતંત્ર્ય, કાયદાનું શાસન જેવા સિદ્ધાંતોના આધારે સ્થપાયેલા સંબંધોને રાષ્ટ્રપતિની જાપાનની મુલાકાતથી નવું બળ મળ્યું છે.
આગામી ડિસેમ્બર માસમાં ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ મંત્રીસ્તરની બેઠક યોજાવાની છે. ભારતે અપનાવેલી પૂર્વના દેશો તરફી નીતિના કારણે ભારત, જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધો હજી સુદ્રઢ બનાવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાપાનની મુલાકાતથી આજ હેતુને નવું બળ પુરૂ પાડ્યું છે.
ભૌગોલીક તથા રાજકીય કારણોસર ભારત-પ્રશાંત ક્ષેત્રના દેશો વચ્ચેનો સહકાર મજબૂત બનાવવાની તાતી જરૂર છે.
ત્યારે ભારત-જાપાન સહિત આ ક્ષેત્રના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવીને તેમને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસો કરશે.
લેખીકા - ડૉ.તિતલી બાસુ, પૂર્વ-દક્ષિણ-પૂર્વ એશિયાની વ્યૂહાત્મક બાબતોના વિશ્લેષક
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
Comments
Post a Comment