Skip to main content

ભારતની પૂર્વના દેશો તરફી નીતિના વિસ્તરણ અંગે સમીક્ષા

ભારતના રાષ્ટ્રપતિ જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે ગયા છે.

આ બંને દેશો ભારતની પૂર્વના દેશો તરફી નીતિમાં મહત્વના ગણી શકાય.

રાષ્ટ્રપતિએ પ્રથમ તબક્કામાં ફિલીપાઈન્સની મુલાકાત લઈને ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાને 70 વર્ષ થયા તે ઘટનાને કેન્દ્રમાં મૂકી સંબંધો મજબૂત બનાવ્યા.

ત્યારબાદ તેઓએ જાપાનની મુલાકાતે લઈને રાજા નારનહિતોના રાજ્યાભિષેક સમારંભમાં હાજરી આપી હતી.

સમગ્ર વિશ્વ વ્યવસ્થા અંગે સમાન વિચારો તેમજ મૂલ્યો તથા પરસ્પર હિતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેના સંબંધો તેમને સ્વાભાવિક રીતે ભાગીદાર દેશ બનાવે છે.

વિકાસશીલ દેશો પરસ્પર મદદરૂપ બને તે સિદ્ધાંતના આધારે ભારત અને ફિલીપાઈન્સ વચ્ચે સ્થપાયેલા દ્વિપક્ષીય સંબંધોને ભારતની પૂર્વના દેશો તરફી નીતિના કારણે નવું બળ મળ્યું છે.

રાષ્ટ્રપતિની મુલાકાત વખતે દરિયાઈ ક્ષેત્ર, સલામતી, પ્રવાસન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવતી ચાર સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા છે.

આ ઉપરાંત બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધો સુદ્રઢ બનાવવા, રાજકીય, અવકાશ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા-વિચારણા કરાઈ હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે ક્વિઝોન શહેરમાં આવેલી મિરીયમ કોલેજ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ભારત અને ફિલીપાઈન્સ બંને દેશોના અર્થતંત્રો જગતમાં ઝડપથી વિકસતા જતા અર્થતંત્રો છે.

બંને દેશો વચ્ચે વેપાર ક્ષેત્રના મજબૂત સંબંધો ઉપરાંત મૂડીરોકાણ ક્ષેત્રે પણ સારા સંબંધો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા પહેલ તો ફિલીપાઈન્સના રાષ્ટ્રપ્રમુખ રોડરીગો દુતાર્તેની બીલ્ડ, બીલ્ડ એન્ડ બીલ્ડ ઈનીશીએટીવે બંને દેશોના રોકાણકારો માટે સ્માર્ટ સિટી, બંદરો, ડિજીટલ આઈ-વે જેવા ક્ષેત્રોમાં મૂડી રોકાણની ઘણી નવી તકો ઉભી કરી છે.

ભારત-ફિલીપાઈન્સ વેપાર પરિષદ તથા ચોથી આસિયાન - ભારત વેપાર શીખર બેઠકમાં રાષ્ટ્રપતિ કોવિંદે સ્ટાર્ટ અપ, ડિજીટલ ક્ષેત્ર, નવતર કલ્પના જેવા નવા ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો.

ભારત અને ફિલીપાઈન્સ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 2.3 અબજ અમેરિકી ડોલરનો છે. ભારતીય કંપનીઓએ મુખ્યત્વે કાપડ, માહિતી ટેકનોલોજી, દવા જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આમ છતાં માળખાકીય સુવિધા, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સંબંધો વધારવાની સારી તકો રહેલી છે.

રાષ્ટ્રપતિએ ફિલીપાઈન્સને ભારતના મેઈક ઈન ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા જેવી ફ્લેગશીપ યોજનાઓમાં સહભાગી થવાનું આમંત્રણ આપ્યું હતું.

જાપાનની મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજા નારૂહિતોના રાજ્યાભિષેક સમારોહમાં હાજરી આપવા ઉપરાંત રાજા તથા જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે દ્વારા અપાયેલા ભોજન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ શ્રી કોવિંદે સુકીઝી હોંગવાનજી બૌદ્ધ મંદિરે જઈ દર્શન કર્યા હતા.

રાષ્ટ્રપતિ સીનો સોતો મંદિરના કાકેગાવા ખાતે યોજાયેલા ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારત જાપાનના વૈશ્વિક મૂલ્યો, સ્વાતંત્ર્ય, કાયદાનું શાસન જેવા સિદ્ધાંતોના આધારે સ્થપાયેલા સંબંધોને રાષ્ટ્રપતિની જાપાનની મુલાકાતથી નવું બળ મળ્યું છે.

આગામી ડિસેમ્બર માસમાં ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ મંત્રીસ્તરની બેઠક યોજાવાની છે. ભારતે અપનાવેલી પૂર્વના દેશો તરફી નીતિના કારણે ભારત, જાપાન સાથેના દ્વિપક્ષીય સંબંધો હજી સુદ્રઢ બનાવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાપાનની મુલાકાતથી આજ હેતુને નવું બળ પુરૂ પાડ્યું છે.

ભૌગોલીક તથા રાજકીય કારણોસર ભારત-પ્રશાંત ક્ષેત્રના દેશો વચ્ચેનો સહકાર મજબૂત બનાવવાની તાતી જરૂર છે.

ત્યારે ભારત-જાપાન સહિત આ ક્ષેત્રના દેશો સાથેના સંબંધો મજબૂત બનાવીને તેમને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસો કરશે.

લેખીકા - ડૉ.તિતલી બાસુ, પૂર્વ-દક્ષિણ-પૂર્વ એશિયાની વ્યૂહાત્મક બાબતોના વિશ્લેષક

શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર




Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...