Skip to main content

ઈમરાન ખાન કપરા સંજોગોનો સામનો કરી રહ્યા અંગે સમીક્ષા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાત વખતે પ્રસાર માધ્યમો સાથેના તેમના કાશ્મીર અંગેના સંવાદ બાબતે વિશ્વસમુદાયે આપેલા પ્રતિભાવ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

આ માટે બે વાસ્તવિક પરિસ્થિતિ જવાબદાર ગણાવી શકાય. એક તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકામાં યોજાયેલા “હાઉડી મોદી” કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિના કારણે અમેરિકાના પ્રસાર માધ્યમોમાં હાઉડી કાર્યક્રમ અને મોદી છવાયેલા રહ્યા છે.

બીજુ તુર્કી અને મલેશિયાએ આપેલા નબળા પ્રતિભાવને બાદ કરતા બીજા કોઈ મુસ્લીમ રાષ્ટ્રે ઈમરાન ખાનના સંબોધન અને અપીલને સકારાત્મક પ્રતિભાવ આપ્યો નથી.

ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સંબોધનનો પ્રતિભાવ આપવા માટે ભારતના યુવાસચિવને સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં તક આપતાં પાકિસ્તાનનો કેસ વધુ નબળો બન્યો.

પાકિસ્તાનમાં પણ શરૂઆતના સામાન્ય પ્રતિભાવ બાદ ઈમરાન ખાનના UN ખાતેના સંબોધન તથા કાશ્મીર મુદ્દે ભારત સાથેની તેની વ્યૂહરચના બાબતે પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત થઈ છે.

જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે, તેમ આંતરિક બાબતો તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી ઈમરાન ખાનની વ્યુહરચના અને સફળતા બાબતે કરાતી ટીકા વધુ ઉગ્ર બની રહી છે. સૌથી ઉગ્ર ટીકામાં એવો મત વ્યક્ત થયો છે કે, માત્ર સંબોધનોથી સફળતા નહી મળે પણ કાશ્મીર મુદ્દે સર્વગ્રાહી વલણ તથા લાંબા ગાળાની નીતિ અપનાવવાની તાતી જરૂર છે.

પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના અધ્યક્ષ બીલાવલ ભુટ્ટો ઝરદારીએ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ટીકા કરતા જણાવ્યું છે કે, માત્ર કેટલાક પત્રકારો જ ઈમરાન ખાનના સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના સંબોધનની પ્રશંસા કરી રહ્યા છે.

વાસ્તવમાં કાશ્મીરી લોકોના દુઃખો તથા તેમની સમસ્યાઓને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સફળતાપૂર્વક રજુ કરવામાં ઈમરાન ખાન ઉણા ઉતર્યા. એવી જ રીતે ઈમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અને તેની સફળતા અંગે શંકા વ્યક્ત કરાઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કાશ્મીરમાં માનવ અધિકાર ભંગના કિસ્સાઓ તરફ ધ્યાન ખેંચવામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને નિષ્ફળતા હોવા અંગે પણ ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના અખબારો તથા વિજાણુ માધ્યમોમાં કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઠરાવ પસાર કરાવવામાં મળેલી નિષ્ફળતાને ઈમરાન ખાન સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણવામાં આવે છે.

ઈમરાન ખાને અમેરિકા સહિત વિશ્વ સમુદાયની સહાનુભૂતિ મેળવવા કાશ્મીરમાં માનવ અધિકાર ભંગનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સામે પક્ષે અમેરિકાએ પાકિસ્તાનને ઠપકો આપીને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન નહીં આપવાનો નિર્દેશ પાકિસ્તાનને આપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના UN ખાતેના સંબોધનમાં કાશ્મીરનો ઉલ્લેખ ટાળીને માત્ર આતંકવાદ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું, તેના લીધે શ્રી ઈમરાન ખાનનું સંબોધન અપ્રસ્તુત બન્યું.

કારણ કે વિશ્લેષકોનું સ્પષ્ટ માનવું છે કે, મજબૂત પહેલ અને રજુઆત હોય તો પરિણામો પણ સારા જ આવે છે. માત્ર સારા સંબંધોથી કશું જ મેળવી શકાતું નથી.

પાકિસ્તાનમાં એ વાત સ્વીકારવા લાગી છે કે, કાશ્મીર મુદ્દે વિશ્વસમુદાય ભારતની સાથે છે.

ઈસ્લામીક દેશોનું સંગઠન – OIC તથા પાકિસ્તાનમાં ખાસ સાથી દેશો સાઉદી અરેબીયા તથા સંયુક્ત આરબ અમીરાત પણ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સમર્થન આપવા ખચકાતા હતા.

પાકિસ્તાનની આંતરિક બાબતો પણ જોતા પાકિસ્તાનના બધા જ વિપક્ષો – પાકિસ્તાન સરકારને કાશ્મીર તથા આર્થિક બાબતો સાથે કામ પાર પાડવામાં મળેલી નીષ્ફળતાને લોકોની વચ્ચે લઈ જવા સાથે મળીને કામ કરવા તૈયાર થયા છે, તે બાબત ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો કરનારી છે.

જમીયત – ઉલેમા – ઈ – ઈસ્લામ પક્ષના મૌલાના ફઝલ-ઉર-રહેમાન પાકિસ્તાન સરકારની નીષ્ફળતા બાબતે લોકજાગૃતિ કેળવવા ચાલુ માસના અંતે આઝાદી કૂચ યોજવાની તૈયારીમાં છે. બીલાવલ ભુટ્ટો પણ પાકિસ્તાનની ઈમરાન સરકારને મળેલી નિષ્ફળતાઓની લોકોને માહિતી આપવા દેશવ્યાપી ચળવળ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે.

આમ ઈમરાન ખાન સરકાર આંતરિક તથા આંતરરાષ્ટ્રીય મોરચે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

જો પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓને સમર્થન આપશે તો FATF સંસ્થા દ્વારા બ્લેકલીસ્ટ થાય તેવી સંભાવના છે.

અને બીજી બાજુ તરફ પાકિસ્તાનમાં ચીજવસ્તુઓના વધતા જતા ભાવોને કાબૂમાં લેવામાં વર્તમાન ઈમરાન સરકારને નીષ્ફળતા મળશે તો તેને નાગરિકો તથા વિપક્ષના રોષનો સામનો કરવો પડશે.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...