Skip to main content

ડોનાલ્ડ ટ્રમ્પે સિરીયામાં તુર્કીએ કરેલા આક્રમણને આંતરરાષ્ટ્રીય સ્તરે નામંજૂર ગણાવવાના સંકેત આપ્યા, એ અંગે સમીક્ષા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, તુર્કી સામે પ્રતિબંધો લાદવાની કરેલી જાહેરાતે અગાઉથી સંઘર્ષમાં સપડાયેલા મધ્ય-પૂર્વના દેશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમેરિકાએ સીરિયામાંથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કર્યા બાદ તુર્કીએ સિરીયા ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. કુર્દીશ દળોના પ્રભાવવાળા સિરીયન ડેમોક્રેટિક ફોર્સ - એસડીએફ સામે બફર ઝોન ઊભો કરવા તુર્કીએ, ઉત્તર સિરીયામાં આક્રમણ કર્યું છે. કારણ કે, તુર્કીના કુર્દીશ કાર્યકારી પક્ષ પી.કે.કે. સાથે એસ.ડી.એફ.ની સાંઠગાંઠ હોવાથી, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રીસેપ ઓર્દેગોન એસ.ડી.એફ.ને ત્રાસવાદી જૂથ ગણે છે. સિરીયાના કુર્દો સામે આક્રમણ વધારીને, તુર્કી પોતાના દેશમાં કુર્દ લોકોનો પ્રભાવ ઘટાડવા ઇચ્છે છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સિરીયામાંથી પોતાના દળો પાછા ખેંચવાના લીધેલા નિર્ણયને આઈએસ ત્રાસવાદી સંગઠન સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરીયા અને ઇરાક , અમેરિકાએ કૂર્દો સાથે કરેલો વિશ્વાસઘાત તરીકે મૂલવે છે.

માર્ચ 2019માં આઈએસ ત્રાસવાદી સંગઠન સંપૂર્ણ રીતે નાબૂદ કરાયું હોવાની જાહેરાત થઈ છે, આમ છતાં આ સંગઠન ફરીથી કાર્યરત થાય તેવી ભીતી હજી પણ અકબંધ છે.

અમેરિકન દળો પાછા ખેંચાતા તુર્કીએ પોતાના દેશમાં રહેતા 36 લાખ જેટલા સિરીયન શરણાર્થીઓને વસાવવા સિરીયામાં 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં સલામત વિસ્તાર રચવાનો નિર્ણય લઈને સિરીયા ઉપર આક્રમણ શરૂ કર્યું છે. શરર્ણાર્થીઓના પુનઃવસનની કામગીરી આવકાર્ય હોવા છતાં, તુર્કીએ સીરીયા ઉપર કરેલા આક્રમણને વિશ્વ આલમે વખોડી કાઢ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ તુર્કીથી આયાત થતાં સ્ટીલની આયાત ઉપર 50 ટકા વેરો નાંખવાની તથા 100 અબજ અમેરિકી ડોલરનો વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાના કાયદા વિભાગે, તુર્કીની અગ્રણી બેન્ક હોલ બેન્ક સામે મળી લોન્ડરીંગના આરોપોની તપાસ હાથ ધરવાનો પણ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત અમેરિકાએ તુર્કીના સંરક્ષણ, ઉર્જા તથા આંતરિક બાબતોના મંત્રાલયોની અસ્ક્યામતો ફ્રીઝ કરી છે.

અમેરિકાએ ચેતવણી આપી છે કે, તુર્કી આક્રમણ યથાવત રાખશે, તો તુર્કીના અર્થતંત્રને તોડી પાડવા પગલાં લેવાશે.

અમેરિકાના સાંસદો હજી વધુ કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. સીરીયા ઉપર તુર્કીના આક્રમણથી અમેરિકીની નીતીના વિરોધકો એક સાથે થઈ ગયા છે.

જેમ કે, અમેરિકાની ઇરાનની નીતીના પ્રખર વિરોધ યુરોપીયન સંઘે, પણ તુર્કી સામેના પ્રતિબંધો અંગે સંમતિ દર્શાવી છે.

તુર્કીના આક્રમણને ખાળવા અસમર્થ સીરીયા તથા રશિયા માટે, અમેરિકાએ તુર્કી સામે જાહેર કરેલા પ્રતિબંધો અણધારી કુદરતી મદદ ગણાવી શકાય.

સીરીયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસાદ સામે લડતા એસ.ડી.એફ.એ પણ તુર્કીશ કાર્યવાહીના પગલે હંગામી સંઘર્ષવિરામ જાહેર કર્યો છે.

બીજી તરફ પોતાના લક્ષ્યો નહી મળે, ત્યાં સુધી તુર્કી સેનાની કાર્યવાહી ચાલુ રાખવા રાષ્ટ્રપ્રમુખ એર્દાગોન કૃતનિશ્ચયી છે.

એર્દાગોનની - ઇરાન, યેરૂસલેમ, અથવા ગોલા હાઇરસ અંગેની નીતીઓ વિવાદાસ્પદ તથા ઓછી લોકપ્રિય રહી છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કી સામેની કાર્યવાહીમા વ્યાપક આંતરરાષ્ટ્રીય પીઠબળ ધરાવે છે.

એર્દેગોનની કાર્યવાહીના લીધે ઘણા આરબ દેશો પણ નારાજ છે.

આમ, તુર્કી સામે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલો અસંતોષ અમેરિકાને વધુ કડક પગલાં લેવાની સાનુકૂળ તક ઉપલબ્ધ કરશે.

ભારતે પણ તુર્કીની સેનાની કાર્યવાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું માનવું છે કે, તુર્કીની આ કામગીરીના લીધે સંબંધિત વિસ્તારમાં અસ્થિરતા ઊભી થઈ છે.

તુર્કીના આ પગલાથી માનવતા તથા નાગરિક ક્ષેત્રે ઘણો તનાવ ઊભો થયો છે.

લેખક-પ્રોફેસર પી.આર.કુમારસ્વામી, જેએનયુના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...