ડોનાલ્ડ ટ્રમ્પે સિરીયામાં તુર્કીએ કરેલા આક્રમણને આંતરરાષ્ટ્રીય સ્તરે નામંજૂર ગણાવવાના સંકેત આપ્યા, એ અંગે સમીક્ષા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, તુર્કી સામે પ્રતિબંધો લાદવાની કરેલી જાહેરાતે અગાઉથી સંઘર્ષમાં સપડાયેલા મધ્ય-પૂર્વના દેશોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમેરિકાએ સીરિયામાંથી પોતાના દળો પાછા ખેંચવાની શરૂઆત કર્યા બાદ તુર્કીએ સિરીયા ઉપર આક્રમણ કરવાની શરૂઆત કરી. કુર્દીશ દળોના પ્રભાવવાળા સિરીયન ડેમોક્રેટિક ફોર્સ - એસડીએફ સામે બફર ઝોન ઊભો કરવા તુર્કીએ, ઉત્તર સિરીયામાં આક્રમણ કર્યું છે. કારણ કે, તુર્કીના કુર્દીશ કાર્યકારી પક્ષ પી.કે.કે. સાથે એસ.ડી.એફ.ની સાંઠગાંઠ હોવાથી, તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રીસેપ ઓર્દેગોન એસ.ડી.એફ.ને ત્રાસવાદી જૂથ ગણે છે. સિરીયાના કુર્દો સામે આક્રમણ વધારીને, તુર્કી પોતાના દેશમાં કુર્દ લોકોનો પ્રભાવ ઘટાડવા ઇચ્છે છે.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સિરીયામાંથી પોતાના દળો પાછા ખેંચવાના લીધેલા નિર્ણયને આઈએસ ત્રાસવાદી સંગઠન સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરીયા અને ઇરાક , અમેરિકાએ કૂર્દો સાથે કરેલો વિશ્વાસઘાત તરીકે મૂલવે છે.
માર્ચ 2019માં આઈએસ ત્રાસવાદી સંગઠન સંપૂર્ણ રીતે નાબૂદ કરાયું હોવાની જાહેરાત થઈ છે, આમ છતાં આ સંગઠન ફરીથી કાર્યરત થાય તેવી ભીતી હજી પણ અકબંધ છે.
અમેરિકન દળો પાછા ખેંચાતા તુર્કીએ પોતાના દેશમાં રહેતા 36 લાખ જેટલા સિરીયન શરણાર્થીઓને વસાવવા સિરીયામાં 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં સલામત વિસ્તાર રચવાનો નિર્ણય લઈને સિરીયા ઉપર આક્રમણ શરૂ કર્યું છે. શરર્ણાર્થીઓના પુનઃવસનની કામગીરી આવકાર્ય હોવા છતાં, તુર્કીએ સીરીયા ઉપર કરેલા આક્રમણને વિશ્વ આલમે વખોડી કાઢ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ તુર્કીથી આયાત થતાં સ્ટીલની આયાત ઉપર 50 ટકા વેરો નાંખવાની તથા 100 અબજ અમેરિકી ડોલરનો વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાના કાયદા વિભાગે, તુર્કીની અગ્રણી બેન્ક હોલ બેન્ક સામે મળી લોન્ડરીંગના આરોપોની તપાસ હાથ ધરવાનો પણ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત અમેરિકાએ તુર્કીના સંરક્ષણ, ઉર્જા તથા આંતરિક બાબતોના મંત્રાલયોની અસ્ક્યામતો ફ્રીઝ કરી છે.
અમેરિકાએ ચેતવણી આપી છે કે, તુર્કી આક્રમણ યથાવત રાખશે, તો તુર્કીના અર્થતંત્રને તોડી પાડવા પગલાં લેવાશે.
અમેરિકાના સાંસદો હજી વધુ કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. સીરીયા ઉપર તુર્કીના આક્રમણથી અમેરિકીની નીતીના વિરોધકો એક સાથે થઈ ગયા છે.
જેમ કે, અમેરિકાની ઇરાનની નીતીના પ્રખર વિરોધ યુરોપીયન સંઘે, પણ તુર્કી સામેના પ્રતિબંધો અંગે સંમતિ દર્શાવી છે.
તુર્કીના આક્રમણને ખાળવા અસમર્થ સીરીયા તથા રશિયા માટે, અમેરિકાએ તુર્કી સામે જાહેર કરેલા પ્રતિબંધો અણધારી કુદરતી મદદ ગણાવી શકાય.
સીરીયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસાદ સામે લડતા એસ.ડી.એફ.એ પણ તુર્કીશ કાર્યવાહીના પગલે હંગામી સંઘર્ષવિરામ જાહેર કર્યો છે.
બીજી તરફ પોતાના લક્ષ્યો નહી મળે, ત્યાં સુધી તુર્કી સેનાની કાર્યવાહી ચાલુ રાખવા રાષ્ટ્રપ્રમુખ એર્દાગોન કૃતનિશ્ચયી છે.
એર્દાગોનની - ઇરાન, યેરૂસલેમ, અથવા ગોલા હાઇરસ અંગેની નીતીઓ વિવાદાસ્પદ તથા ઓછી લોકપ્રિય રહી છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કી સામેની કાર્યવાહીમા વ્યાપક આંતરરાષ્ટ્રીય પીઠબળ ધરાવે છે.
એર્દેગોનની કાર્યવાહીના લીધે ઘણા આરબ દેશો પણ નારાજ છે.
આમ, તુર્કી સામે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલો અસંતોષ અમેરિકાને વધુ કડક પગલાં લેવાની સાનુકૂળ તક ઉપલબ્ધ કરશે.
ભારતે પણ તુર્કીની સેનાની કાર્યવાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું માનવું છે કે, તુર્કીની આ કામગીરીના લીધે સંબંધિત વિસ્તારમાં અસ્થિરતા ઊભી થઈ છે.
તુર્કીના આ પગલાથી માનવતા તથા નાગરિક ક્ષેત્રે ઘણો તનાવ ઊભો થયો છે.
લેખક-પ્રોફેસર પી.આર.કુમારસ્વામી, જેએનયુના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, સિરીયામાંથી પોતાના દળો પાછા ખેંચવાના લીધેલા નિર્ણયને આઈએસ ત્રાસવાદી સંગઠન સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિરીયા અને ઇરાક , અમેરિકાએ કૂર્દો સાથે કરેલો વિશ્વાસઘાત તરીકે મૂલવે છે.
માર્ચ 2019માં આઈએસ ત્રાસવાદી સંગઠન સંપૂર્ણ રીતે નાબૂદ કરાયું હોવાની જાહેરાત થઈ છે, આમ છતાં આ સંગઠન ફરીથી કાર્યરત થાય તેવી ભીતી હજી પણ અકબંધ છે.
અમેરિકન દળો પાછા ખેંચાતા તુર્કીએ પોતાના દેશમાં રહેતા 36 લાખ જેટલા સિરીયન શરણાર્થીઓને વસાવવા સિરીયામાં 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં સલામત વિસ્તાર રચવાનો નિર્ણય લઈને સિરીયા ઉપર આક્રમણ શરૂ કર્યું છે. શરર્ણાર્થીઓના પુનઃવસનની કામગીરી આવકાર્ય હોવા છતાં, તુર્કીએ સીરીયા ઉપર કરેલા આક્રમણને વિશ્વ આલમે વખોડી કાઢ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કી સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ તુર્કીથી આયાત થતાં સ્ટીલની આયાત ઉપર 50 ટકા વેરો નાંખવાની તથા 100 અબજ અમેરિકી ડોલરનો વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાના કાયદા વિભાગે, તુર્કીની અગ્રણી બેન્ક હોલ બેન્ક સામે મળી લોન્ડરીંગના આરોપોની તપાસ હાથ ધરવાનો પણ નિર્ણય લીધો છે.
આ ઉપરાંત અમેરિકાએ તુર્કીના સંરક્ષણ, ઉર્જા તથા આંતરિક બાબતોના મંત્રાલયોની અસ્ક્યામતો ફ્રીઝ કરી છે.
અમેરિકાએ ચેતવણી આપી છે કે, તુર્કી આક્રમણ યથાવત રાખશે, તો તુર્કીના અર્થતંત્રને તોડી પાડવા પગલાં લેવાશે.
અમેરિકાના સાંસદો હજી વધુ કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે. સીરીયા ઉપર તુર્કીના આક્રમણથી અમેરિકીની નીતીના વિરોધકો એક સાથે થઈ ગયા છે.
જેમ કે, અમેરિકાની ઇરાનની નીતીના પ્રખર વિરોધ યુરોપીયન સંઘે, પણ તુર્કી સામેના પ્રતિબંધો અંગે સંમતિ દર્શાવી છે.
તુર્કીના આક્રમણને ખાળવા અસમર્થ સીરીયા તથા રશિયા માટે, અમેરિકાએ તુર્કી સામે જાહેર કરેલા પ્રતિબંધો અણધારી કુદરતી મદદ ગણાવી શકાય.
સીરીયાના રાષ્ટ્રપ્રમુખ બશર-અલ-અસાદ સામે લડતા એસ.ડી.એફ.એ પણ તુર્કીશ કાર્યવાહીના પગલે હંગામી સંઘર્ષવિરામ જાહેર કર્યો છે.
બીજી તરફ પોતાના લક્ષ્યો નહી મળે, ત્યાં સુધી તુર્કી સેનાની કાર્યવાહી ચાલુ રાખવા રાષ્ટ્રપ્રમુખ એર્દાગોન કૃતનિશ્ચયી છે.
એર્દાગોનની - ઇરાન, યેરૂસલેમ, અથવા ગોલા હાઇરસ અંગેની નીતીઓ વિવાદાસ્પદ તથા ઓછી લોકપ્રિય રહી છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ, તુર્કી સામેની કાર્યવાહીમા વ્યાપક આંતરરાષ્ટ્રીય પીઠબળ ધરાવે છે.
એર્દેગોનની કાર્યવાહીના લીધે ઘણા આરબ દેશો પણ નારાજ છે.
આમ, તુર્કી સામે આંતરિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલો અસંતોષ અમેરિકાને વધુ કડક પગલાં લેવાની સાનુકૂળ તક ઉપલબ્ધ કરશે.
ભારતે પણ તુર્કીની સેનાની કાર્યવાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારતનું માનવું છે કે, તુર્કીની આ કામગીરીના લીધે સંબંધિત વિસ્તારમાં અસ્થિરતા ઊભી થઈ છે.
તુર્કીના આ પગલાથી માનવતા તથા નાગરિક ક્ષેત્રે ઘણો તનાવ ઊભો થયો છે.
લેખક-પ્રોફેસર પી.આર.કુમારસ્વામી, જેએનયુના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્ર
Comments
Post a Comment