એક અસામાન્ય પગલામાં, પાકિસ્તાનના સર્વોચ્ચ અદાલતે સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાની મુદત વધુ 3 વર્ષ માટે વધારવા માટેની પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને 19 ઓગસ્ટે રજૂ કરેલી દરખાસ્ત મંગલવારે ફગાવી દીધી
59 વર્ષીય જનરલ બાજવા તેમના પહેલા કાર્યકાળમાં 28 મી મધરાતે સેનાના વડા તરીકે નિવૃત્ત થવાના હતા, પરંતુ સંસદ આ સંબંધમાં કાયદો પસાર કરશે તેવી ખાતરી આપીને સર્વોચ્ચ અદાલતમાંથી તેમણે 6 મહિનાની શરતી મુદત મળી હતી. આ મામલે દેશમાં હવે વિવાદ સર્જાયો છે અને સર્વોચ્ચ અદલતમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે.
મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે કાનૂની અને વહીવટી બાબતોના આધારે આ વલણ અપનાવ્યું છે. આખી પ્રક્રિયાની ઊંધી રીતે થઈ હોવાનું ખંડપીઠની સામે આવતા પ્રધાન મંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બંને માટે મૂંઝવણભરી સ્થિતિ ઉદભવી છે. અદાલતે ધ્યાન દોર્યું હતું કે દરખાસ્તને પહેલા મંત્રીમંડળની મંજૂરી મળવી આવશ્યક છે. તે પછી જ પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર કાર્યવાહી કરી શકે છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, 25 માંથી માત્ર 11 મંત્રીઓએ જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અદાલતે એમ પણ જણાવ્યુ કે સેનાના નિયમોમાં “એક્સ્ટેંશન” શબ્દનો ઉલ્લેખ નથી અને સેનાના વડાના કાર્યકાળનો ઉલ્લેખ પણ ક્યાંય કરાયો નથી.
તાત્કાલિક કાર્યવાહીમાં ઇમરાન ખાને ત્વરીત કેબિનેટ બેઠક યોજી હતી અને પહેલાની દરખાસ્ત પાંછી ખેંચી લીધી હતી અને પાકિસ્તાન સંરક્ષણ સેવાઓ નિયમોમાં સુધારો કર્યા બાદ તેમાં વિસ્તરણ શબ્દનો સમાવેશ કરાયો હતો. સરકારે બાજવાનો કાર્યકાળ વધારવા માટેનો કારણ તરીકે “પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો ” બતાવ્યુ હતું. પરંતુ શું સંપૂર્ણ-ત્રણ વર્ષની વધુ મુદત આપવાનું આ વાસ્તવિક કારણ હોઈ શકે છે?
પહેલાં ક્યારેય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલત આવી રીતે દેશની સેનાની વિરુદ્ધમાં ગઈ નથી. તેણે ભૂતકાળમાં દેશમાં વારંવાર થયેલા લશ્કરી દળોના વિદ્રોહની અરજીઓને મંજૂરી આપી હતી. સરકારોની નિષ્ફળતાના કારણે સેના દ્વારા આવી દખલગિરી કરવામાં આવી હતી.
9/11 બાદ પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતે જનરલ મુશરફને વધારાની બંધારણીય પ્રક્રિયાઓની મંજૂરી આપવા સાથે બંધારણમાં સુધારણા અને ચૂંટણી માટે ત્રણ વર્ષનો સમય પણ આપ્યો છે. આમ પણ પાકિસ્તાનની રચના બાદ અડધાથી વધુ સમય શક્તિશાળી સૈન્યનું શાસન રહ્યું છે જેનો સંરક્ષણ અને વિદેશી બાબતો પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. અદાલતના ચૂકાદાથી વધુ અગત્યની બાબત જાહેરનામું મોકૂફ રખાયું તે છે. અદાલતે ચિંતા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પાંચથી છ જનરલોએ પોતાની મુદ્દત જાતે લંબાવી હતી. આ અંગે વાંધો ઉઠાવતો ફરીથી આવું ન થાય તે જોવા અદાલતે કહ્યું છે.
કાયદેસરતા સિવાય નિરીક્ષકો એમ પણ માની રહ્યા છે બે ન્યાયાધિશો સામે બિનહિસાબી નાણાં કેસ બાબતે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરાયેલી કાર્યવાહીના પગલે આ નિર્ણય લેવાયો છે. કાયદા વિભાગનો સમુદાય ન્યાયાધિશોની નિમણૂંકમાં સરકારના હસ્તક્ષેપ અંગે નારાજ છે. પાકિસ્તાન બાર કાઉન્સિલે મુદ્દત વધારા વિરૂદ્ધ આવતા અઠવાડિયે બંધનું એલાન આપ્યું છે. જોગાનુજોગ જનરલ મુશરફ વિરૂદ્ધ વિશેષ અદાલતમાં દૈનિક સુનાવણી પણ પાંચમી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
કેટલાંક લોકોનું માનવું છે કે, ઇમરાન ખાન સરકાર લશ્કરના હાથે વેચાઈ ગઈ હોવાથી આ બધુ બની રહ્યું છે. તેમનું કહેવું છે કે, જનરલ બાજવાને અપાયેલી ત્રણ વર્ષનો મુદ્દત વધારો ઇમરાન ખાન તરફથી લશ્કરને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રયાસ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદ બાદ કાયદામંત્રી ફરોધ નસીમે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાઓથી ફલિત થાય છે કે, હાલની પાકિસ્તાન સરકાર પોતાના દેશના મુદ્દાઓ ઉકેલવામાં અપરિપકવ પૂરવાર થઈ છે.
રસપ્રદ તો એ છે કે, જનરલ બાજવાની મુદત લંબાવવા વિરૂદ્ધ પેશાવર વડી અદાલતમાં અરજી કરાઈ છે. જેનો આધાર એ છે કે, જનરલ બાજવા અહેમદી છે. જે ઇસ્લામનો એક સંપ્રદાય છે. જેને પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ જાહેર કરાવ્યો છે. હવે અદાલતે આ વિશે વધુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.
59 વર્ષીય જનરલ બાજવા તેમના પહેલા કાર્યકાળમાં 28 મી મધરાતે સેનાના વડા તરીકે નિવૃત્ત થવાના હતા, પરંતુ સંસદ આ સંબંધમાં કાયદો પસાર કરશે તેવી ખાતરી આપીને સર્વોચ્ચ અદાલતમાંથી તેમણે 6 મહિનાની શરતી મુદત મળી હતી. આ મામલે દેશમાં હવે વિવાદ સર્જાયો છે અને સર્વોચ્ચ અદલતમાં કાયદાકીય લડાઈ શરૂ થઈ છે.
મુખ્ય ન્યાયાધીશ આસિફ સઇદ ખોસાની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 3 જજોની ખંડપીઠે કાનૂની અને વહીવટી બાબતોના આધારે આ વલણ અપનાવ્યું છે. આખી પ્રક્રિયાની ઊંધી રીતે થઈ હોવાનું ખંડપીઠની સામે આવતા પ્રધાન મંત્રી ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બંને માટે મૂંઝવણભરી સ્થિતિ ઉદભવી છે. અદાલતે ધ્યાન દોર્યું હતું કે દરખાસ્તને પહેલા મંત્રીમંડળની મંજૂરી મળવી આવશ્યક છે. તે પછી જ પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ તેના પર કાર્યવાહી કરી શકે છે. મીડિયા અહેવાલોમાં ખુલાસો થયો છે કે, 25 માંથી માત્ર 11 મંત્રીઓએ જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અદાલતે એમ પણ જણાવ્યુ કે સેનાના નિયમોમાં “એક્સ્ટેંશન” શબ્દનો ઉલ્લેખ નથી અને સેનાના વડાના કાર્યકાળનો ઉલ્લેખ પણ ક્યાંય કરાયો નથી.
તાત્કાલિક કાર્યવાહીમાં ઇમરાન ખાને ત્વરીત કેબિનેટ બેઠક યોજી હતી અને પહેલાની દરખાસ્ત પાંછી ખેંચી લીધી હતી અને પાકિસ્તાન સંરક્ષણ સેવાઓ નિયમોમાં સુધારો કર્યા બાદ તેમાં વિસ્તરણ શબ્દનો સમાવેશ કરાયો હતો. સરકારે બાજવાનો કાર્યકાળ વધારવા માટેનો કારણ તરીકે “પ્રાદેશિક સુરક્ષાનો મુદ્દો ” બતાવ્યુ હતું. પરંતુ શું સંપૂર્ણ-ત્રણ વર્ષની વધુ મુદત આપવાનું આ વાસ્તવિક કારણ હોઈ શકે છે?
પહેલાં ક્યારેય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલત આવી રીતે દેશની સેનાની વિરુદ્ધમાં ગઈ નથી. તેણે ભૂતકાળમાં દેશમાં વારંવાર થયેલા લશ્કરી દળોના વિદ્રોહની અરજીઓને મંજૂરી આપી હતી. સરકારોની નિષ્ફળતાના કારણે સેના દ્વારા આવી દખલગિરી કરવામાં આવી હતી.
9/11 બાદ પાકિસ્તાન સર્વોચ્ચ અદાલતે જનરલ મુશરફને વધારાની બંધારણીય પ્રક્રિયાઓની મંજૂરી આપવા સાથે બંધારણમાં સુધારણા અને ચૂંટણી માટે ત્રણ વર્ષનો સમય પણ આપ્યો છે. આમ પણ પાકિસ્તાનની રચના બાદ અડધાથી વધુ સમય શક્તિશાળી સૈન્યનું શાસન રહ્યું છે જેનો સંરક્ષણ અને વિદેશી બાબતો પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. અદાલતના ચૂકાદાથી વધુ અગત્યની બાબત જાહેરનામું મોકૂફ રખાયું તે છે. અદાલતે ચિંતા વ્યક્ત કરી કે ભૂતકાળમાં પાંચથી છ જનરલોએ પોતાની મુદ્દત જાતે લંબાવી હતી. આ અંગે વાંધો ઉઠાવતો ફરીથી આવું ન થાય તે જોવા અદાલતે કહ્યું છે.
કાયદેસરતા સિવાય નિરીક્ષકો એમ પણ માની રહ્યા છે બે ન્યાયાધિશો સામે બિનહિસાબી નાણાં કેસ બાબતે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા કરાયેલી કાર્યવાહીના પગલે આ નિર્ણય લેવાયો છે. કાયદા વિભાગનો સમુદાય ન્યાયાધિશોની નિમણૂંકમાં સરકારના હસ્તક્ષેપ અંગે નારાજ છે. પાકિસ્તાન બાર કાઉન્સિલે મુદ્દત વધારા વિરૂદ્ધ આવતા અઠવાડિયે બંધનું એલાન આપ્યું છે. જોગાનુજોગ જનરલ મુશરફ વિરૂદ્ધ વિશેષ અદાલતમાં દૈનિક સુનાવણી પણ પાંચમી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે.
કેટલાંક લોકોનું માનવું છે કે, ઇમરાન ખાન સરકાર લશ્કરના હાથે વેચાઈ ગઈ હોવાથી આ બધુ બની રહ્યું છે. તેમનું કહેવું છે કે, જનરલ બાજવાને અપાયેલી ત્રણ વર્ષનો મુદ્દત વધારો ઇમરાન ખાન તરફથી લશ્કરને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પ્રયાસ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદ બાદ કાયદામંત્રી ફરોધ નસીમે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાઓથી ફલિત થાય છે કે, હાલની પાકિસ્તાન સરકાર પોતાના દેશના મુદ્દાઓ ઉકેલવામાં અપરિપકવ પૂરવાર થઈ છે.
રસપ્રદ તો એ છે કે, જનરલ બાજવાની મુદત લંબાવવા વિરૂદ્ધ પેશાવર વડી અદાલતમાં અરજી કરાઈ છે. જેનો આધાર એ છે કે, જનરલ બાજવા અહેમદી છે. જે ઇસ્લામનો એક સંપ્રદાય છે. જેને પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ જાહેર કરાવ્યો છે. હવે અદાલતે આ વિશે વધુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.
Comments
Post a Comment