Skip to main content

ભારતે બ્રીક્સ દેશો સાથેના સંબંધો મજબૂત બનાવ્યા એ અંગે સમીક્ષા

બ્રિક્સ સંગઠનની રચના થઇ ત્યારથી ભારતના બ્રીક્સના અન્ય સભ્ય દેશો સાથેના બહુસ્તરીય સંબંધો ભારતની વિદેશ નિતીમાં વ્યૂહાત્મક અને મહત્વનું સ્થાન ધરાવતા થયા છે.

બ્રિક્સ દેશોની આર્થિક બાબતોની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે અને આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે યોજાયેલી 11મી બ્રિક્સ સંગઠનની શિખર પરિષદમાં આપેલી હાજરી આગવું મહત્વ ધારણ કરે છે.

આ વખતની બેઠકમાં, બ્રિક્સ દેશોએ સંગઠનના માળખામાં રહીને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવા વિચારણા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બ્રિક્સ વેપાર પરિષદને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો વિશ્વના અર્થતંત્રના વિકાસમાં 50 ટકા જેટલું યોગદાન આપે છે.

વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસની ગતિ થોડી મંદ પડી છે છતાં બ્રિક્સ સંગઠનના દેશોએ આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે.

તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોની વિવિધતા, તેમના બજારોનું કદ આ બધી જ બાબતો સંગઠનના સભ્ય દેશો માટે મહત્વની બની રહેશે.

ભારત એ ઘણી બધી તકો પૂરો પાડતો દેશ છે તેમ જણાવીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં ઉપલબ્ધ મૂડીરોકાણ અને વેપારને અનુકૂળ વાતાવરણની વિગતો આપી હતી. 

તેમણે બ્રિક્સ દેશોના વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

તેમણે હવે પછીની બ્રિક્સ દેશોની શિખર પરિષદ પહેલા સભ્ય દેશો સંયુક્ત સાહસો સ્થાપી શકે તે હેતુથી સહકાર વધારવાના ક્ષેત્રો તારવી કાઢવા બ્રિક્સના સભ્ય દેશોને અનુરોધ કર્યો.

બ્રિક્સનો મંચ, સભ્ય દેશોને પરસ્પર હિતને લગતા તથા વૈશ્વિક સ્તરે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાની તક પૂરી પાડે છે.

શિખર પરિષદની સાથે-સાથે, બ્રિક્સ દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે ચર્ચા વિચારણા કરી હતી.

બેઠક બાદ ટિવટર ઉપર શ્રી મોદીએ કહ્યું કે, અમે બંનેએ ભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવા અંગે વાતચીત કરી હતી. ભારત અને રશિયા વેપાર, સલામતી અને સાંસ્કૃતિ ક્ષેત્રે સહકાર વધારી રહ્યા છે.

શ્રી પુતીને જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 17 ટકા વધ્યો છે. શ્રી પુતીને આવતા વર્ષે મે માસમાં યોજાનાર વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા શ્રી મોદીને આમંત્રણ આપ્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જીનપીંગ સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી. તમિલનાડુના મહાબલીપુરમાં યોજાયેલી અનૌપચારીક બેઠક બાદ, શ્રી મોદી અને શ્રી જીનપીંગે એકાદ મહિનામાં બીજી વખત મંત્રણાઓ કરી છે.

તાજેતરમાં ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી આર.સી.ઇ.પી. સમજૂતીમાં જોડાવાનો ઇન્કાર કર્યા બાદ બંને દેશોના વડાઓ પ્રથમવાર બ્રાસીલીયામાં મળતા આ બેઠક મહત્વની બની હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આર.સી.ઇ.પી.માં જોડાય તેવી ચીનની ઇચ્છા હતી.

શ્રી જીનપીંગે આવતા વર્ષે ચીનમાં યોજાનાર અનૌપચારીક બેઠકમાં ભાગ લેવા ચીન આવવાનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું.

બંને આગેવાનોએ સરહદી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવા બંને દેશોના પ્રતિનિધીઓ એક બેઠક યોજશે – એ મુદ્દે સહમતી સાધી હતી.

બંને અગ્રણીઓએ, સરહદી વિસ્તારમાં શાંતિની જાળવવાના મહત્વને ઓળખીને દ્વિપક્ષીય સહકાર મજબુત બનાવવા ચર્ચા કરી હતી.



શ્રીરંગ, નવીન

લેખિકા – રૂપા નારાયણ દાસ, વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...