Skip to main content

રાજ્યસભામાં 250માં સત્ર અંગે સમીક્ષા

રાજ્યસભાના 250માં સત્રના આરંભ સાથે જ ભારતની લોકશાહી વ્યવસ્થા ટકાવીને તેની પ્રગતિમાં ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાએ કરેલી કામગીરીને ચોક્કસ યાદ કરવી જ પડે. 


વર્ષ 1952માં તેની રચના થયા બાદ રાજ્યસભાએ જ્યારે જ્યારે રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવ્યો ત્યારે ત્યારે તેની ભૂમિકા અદા કરી હતી. 

વર્ષ 1952નું હિંદુ લગ્ન અને છૂટાછેડા વિધેયક હોય કે વર્ષ 2019નું મુસ્લીમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ વિધેયક કે પછી જમ્મુ અને કાશ્મીરની પુનઃરચના વિધેયક હોય... 

રાજ્યસભાએ તેની સરળ તથા અસાધારણ કામગીરી દ્વારા ભારતના રાજકીય ઈતિહાસમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે. 

રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ યોગ્ય અવલોકન કર્યું છે કે, દેશની સામેના પડકારોને પહોંચી વળવામાં રાજ્યસભાએ ઘણી વખત જરૂરી કાર્યવાહી કરી છે. 

જોકે ગૃહની કામગીરી સુચારૂરૂપે થાય અને તે પોતાની પૂર્ણ ક્ષમતાથી કામગીરી કરીને પોતાનું મહત્વ દેશને બતાવે તે હેતુથી હજી ઘણી કામગીરી કરવી પડશે. 

વર્ષ 1952માં 13 મેના રોજ યોજાયેલી પહેલી બેઠકથી લઈને આજદિન સુધીમાં રાજ્યસભાની પાંચ હજાર 466 બેઠકો યોજાઈ ગઈ. 

આ સમયગાળામાં રાજ્યસભાએ કુલ ત્રણ હજાર 817 વિધેયકોને બહાલી આપી હતી. આ પૈકી 108 વિધેયકો બંધારણમાં સુધારાને લગતા હતા. 

રાજ્યસભાના છેલ્લા 67 વર્ષના કાર્યકાળ દરમ્યાન બે હજાર 282 જેટલા લોકોને રાજ્યસભાના સભ્ય તરીકે કામ કરવાની તક મળી છે. 

દેશની સંસદીય પ્રણાલી મુજબ લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અથવા પ્રધાનમંત્રીની સલાહ મુજબ રાષ્ટ્રપતિ લોકસભાને બરખાસ્ત કરી શકે છે. જ્યારે રાજ્યસભાનો કાર્યકાળ કાયમી હોય છે. 

રાજ્યસભાના 250માં સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા એ ભારતમાં રહેલી વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના સમવાય માળખાનું પ્રતિબિંબ છે. બંધારણમાં જણાવ્યા મુજબ રાજ્યસભા દેશમાં સામાજીક આર્થિક પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. છેલ્લા છ દાયકાઓથી રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિમાં રાજ્યસભાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 

ગરીબી નાબુદી હોય કે નિરક્ષરતા નાબુદી, બેરોજગારી હોય કે આતંકવાદ કે પછી આર્થિક સમસ્યા... રાજ્યસભાના મહત્વના યોગદાનને તમે અવગણી શકો નહીં. તાજેતરના ભુતકાળ તરફ નજર કરતાં જણાય છે કે, વસ્તુ અને સેવા કર, ત્રિપલ તલાક, આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવા જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં રાજ્યસભાએ નોંધપાત્ર કામગીરી કરી છે. 

પ્રધાનમંત્રીનું રાજ્યસભા માટે કરાયેલું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370નું વિધેયક પ્રથમ રાજ્યસભામાં તેના અગ્રણી એન.ગોપાલ સ્વામી અયંગારે રજુ કર્યું હતું અને સદીઓ બાદ આ કલમ રદ કરવાનું વિધેયક પણ રાજ્યસભાએ જ મંજુર કર્યું. 

છેલ્લા દાયકાઓના સફરમાં રાજ્યસભામાં વિવિધ ગુણવત્તા અને ક્ષમતા ધરાવતા લોકો સમાજના વિવિધ વર્ગમાંથી આવ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રાજ્યસભાના બે વખત સભ્ય રહી ચુક્યા છે. તેમણે કહ્યું કે, કલા અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત અગ્રણીઓની ઉપસ્થિતિના કારણે રાજ્યસભાને પણ લાભ થયો છે. તેમની ઉપસ્થિતિના લીધે ચર્ચાઓની ગુણવત્ત અને મૂલ્ય વધ્યું છે. એટલું જ નહીં તેમની ઉપસ્થિતિએ રાજ્યસભાની કામગીરીમાં નવા પ્રાણ પૂર્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2003માં યોજાયેલ રાજ્યસભાના 200માં સત્રને સંબોધતા ઉલ્લેખ કર્યો હતો કે, કોઈએ રાજ્યસભાને ગૌણ ગૃહ ગણવાની ભુલ કરવી જોઈએ નહીં. વાસ્તવમાં રાજ્યસભાના સભ્ય બનેલા વૈજ્ઞાનિકો, તબિબો, કલાકારો સહિત વિવિધ વર્ગના લોકોના લીધે દેશની લોકતાંત્રિક ભાવના વધુ સમૃદ્ધ બની છે. સમગ્ર રીતે જોતા રાજ્યસભાની અત્યાર સુધીની કામગીરી બાબતે ભારતીયો ગૌરવ અનુભવે છે. 

લેખક – શંકરકુમાર, વરિષ્ઠ પત્રકાર 

- શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...