બ્રેકઝીટ યોજના માટે સંસદમાં બહુમતી મેળવવાના હેતુથી બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને મુદત પુર્વે બારમી ડીસેમબરે બ્રિટનમાં ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં યોજાનારી આ ચોથી ચુંટણી હશે. વર્ષ ર૦૧૬માં બ્રિટનમાં બ્રેકઝીટ મુદેૃ જનમત લેવાયા બાદ ઉભી થયેલી રાજકીય મડાગાંઠ ઉકેલવાના હેતુથી ચુંટણીનો નિર્ણય લેવાયો છે. વર્ષ ર૦૧૭માં તે વખતના પ્રધાનમંત્રી થેરેસા મે એ જાહેર કરેલી ચુંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીએ સંસદમાં બહુમતી ગુમાવી હતી. ત્યારબાદ સત્તામાં રહેવા કન્ઝર્વેટીવ પાર્ટીએ ડેમોક્રેટીક યુનિઅનીસ્ટ પાર્ટી – ડીયુપીનો ટેકો લીધો હતો. સામાન્ય ચુંટણી માટેનો ચુંટણી પ્રચાર હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશતા કન્ઝર્વેટીવ પાર્ટીએ તેમના હરીફ લેબર પાર્ટી ઉપર ૧૯ પોઇન્ટથી સરસાઇ મેળવી હોવાનો મત ઓપનીયન પોલમાં વ્યકત થયો છે.
હાલ કન્ઝર્વેટીવ મતનો હિસ્સો ૪૭ ટકા જયારે લેબર પાર્ટી ર૮ ટકા ધરાવે છે. મોટા પક્ષોના ચુંટણી ઢંઢેરાઓમાં બ્રિટનને સીધા સ્પર્શતા બ્રેકઝીટ મદેૃ કેન્દ્રમાં સ્થાન મેળવ્યું છે. કન્ઝર્વેટીવ પક્ષે તેમની દ્રષ્ટીએ નવા બ્રિટનની રચના કરવા માટે પોતાનો ચુંટણી પ્રચાર બ્રેકઝીટની આસપાસ જ કેન્દ્રિત કર્યો છે.
કન્ઝર્વેટીવ પક્ષ આગામી જાન્યુઆરી સુધીમાં બ્રેકઝીટ મુદેૃ કામગીરી કરવા ધારે છે. તેમનું માનવુ છે કે બ્રૈકઝીટ મુદેૃ સ્પષ્ટ કામગીરી થતાં બ્રિટન શાળા, પોલીસ દળ, એનએચએસ જેવા મહત્વના મુદેૃ મુડીરોકાણ કરી શકે છે.
લેબર પાર્ટીએ તાજેતરમાં બહાર પાડેલા ચુંટણી ઢંઢૈરામાં પક્ષના નેતા જેરીમી કોબીને જણાવ્યું છે કે તેમનો પક્ષ લોકોના મત મુજબ બ્રેકઝીટ મુદેૃ આગામી છ માસમાં નિર્ણય લેશે.
તેમના સૂચિત ડીલમાં કાયમી અને સર્વગ્રાહી બ્રીટન કસ્ટમ યુનીયન તથા સીંગલ માર્કેટની સંકલ્પના ધરાવતા બ્રિટનનો સમાવેશ થાય છે. શ્રી કોર્બીને એમ પણ કહયું હતું કે જો તેમનો પક્ષ જીતશે તો તેઓ યુરોપીયન સંઘમાંથી છુટા પડતાં કે તેની સાથે રહેવાના મુદેૃ પ્રચાર કરશે નહી. પણ કોર્બીનના આ તટસ્થ વલણથી બ્રિટીશ સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થવા લાગ્યો કારણ કે લોકો રાજકીય મડાગાંઠ તથા સામાજીક અને આર્થિક જીવનને સ્પર્શતી અનિશ્ચિતતાના વાતાવરણમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. તો બીજી તરફ લિબરલ ડેમેક્રેટ પક્ષ કલમ પ૦ રદ કરીને બ્રિટન યુરોપીયન સંઘમાં જ રહે તેવુ વલણ ધરાવે છે. આ બધા જ વિવાદ દરમિયાન લેબર પાર્ટીએ ભારતને બ્રિટનની ચુંટણીમાં ધસેડવાનો પ્રયાસ કર્યો છે. લેબર પાર્ટીના નેતાઓએ ગત સપ્ટેમ્બરમાં મળેલી તેમની પક્ષની બેઠકમાં કાશ્મીર મુદેૃ એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં કાશ્મીરમાં માનવતાવાદી સમસ્યા હોવાનો ઉલ્લેખ કરીને કાશ્મીરના લોકોને પોતાનું ભવિષ્ય નિર્ધારીત કરવાનો અધિકાર તેમને મળવો જોઇએ તે બાબતની તરફેણ કરવામાં આવી હતી. આ બાબત વાસ્તવિકતાથી ઘણી દુર છે તેમ કહી શકાય. તેવી જ રીતે સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને આંતરીક ફેરફાર કરવાનો પુર્ણ અધિકાર છે. એવી જ રીતે ૩૭૦મી કલમ રદ કરવા માટે ભારતની અંદર વ્યાપક મંજુરી મેળવવામાં આવી છે.
કાશ્મીર જેવા મુદૃા ઉપર બ્રિટનમાં જો ચુંટણી લડાશે તો ભવિષ્યમાં તેના લીધે બીજી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
એવી જ રીતે, બ્રિટનમાં યોજાનારી સંસદીય ચુંટણીમાં યુરોપીયન સંઘમાંથી બહાર પડવાનો મુદૃો જો ઉકેલાશે નહી તો બ્રિટનમાં ભવિષ્યમાં અનિશ્ચિતતા ફેલાઇ શકે છે. પ્રધાનમંત્રી બોરીસ જોનસને બ્રિટનમાં અચાનક ચુંટણી જાહેર કરીને એક જોખમ ખેડયુ છે, દરમિયાન મહેસુલ મંત્રી ઋષી સુનાકે જણાવ્યું છે કે કન્ઝર્વેટીવ ચુંટણીમાં વિજય મેળવશે તો પણ કોઇપણ સમજુતી વિના બ્રેકઝીટની તેઓ તરફેણ કરે છે, તેવી જ રીતે બ્રિટનના પ્રધાનમંત્રીના ૩૧ ડિસેમ્બર ર૦ર૦ પછી કોઇપણ વાતચીત નહી હાથ ધરવાનો નિર્ણયનો અર્થ એવો પણ થાય કે યુરોપીયન સંઘ જે શરતો અને ઓફરો માટે તેનો સ્વિકાર કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેકઝીટ મુદેૃ બ્રિટનની સંસદમાં બહુમતી દ્વારા નિર્ણય લઇ શકાતો નથી એ મુખ્ય અવરોધ ગણાવી શકાય.
શ્રીરંગ તેડુંલકર – મુકેશ
Comments
Post a Comment