સંસદના શિયાળુ સત્રનો આજે 18મી નવેમ્બરથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર આગામી 13મી ડિસેમ્બર સુધી ચાલશે.
સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે.
દેશ હિતમાં વિવિધ મુદ્દાઓ અંગે સર્વસમતી, નીતિ વિષયક પ્રગતી તથા ઉત્પાદકતા – આ ત્રણેય દ્રષ્ટિએ સંસદનું શિયાળુ સત્ર મહત્વનું ગણાવી શકાય.
આ સત્રમાં વિપક્ષો વિવિધ સામાજીક, રાજકીય તથા આર્થિક બાબતો અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેથી શિયાળુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે.
સંસદના આ વર્ષના ચોમાસુ સત્રમાં ટ્રિપલ તલાક, વાહન ધારો, રાષ્ટ્રીય તપાસ સંસ્થા ધારામાં સુધારો જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં આવી હતી.
સૌથી મહત્વની કામગીરીમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના વિધેયકને ગૃહની મળેલી મંજુરી ગણાવી શકાય,
આના પરિણામે કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડી શકાયું છે.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંદણીપત્ર – NRCની અંતિમ યાદી જાહેર થતા સત્તાધારી ભાજપ ગત 8મી જાન્યુઆરી 2018માં ગૃહમાં રજુ કરાયેલા નાગરિક સુધારા વિધેયકને સંસદમાં ફરી વખત રજુ કરે તેવી સંભાવના છે.
એવી જ રીતે કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપેલા બે વટહુકમોને પણ વિધેયક અને અંતે ધારાનું રૂપ આપવાની મહત્વની કામગીરી હાથ ધરાશે. જેમાં દેશમાં આર્થિક વિકાસની ગતિ ફરી જોમવંતી બનાવવા માટે નવી સ્થાનિક કંપનીઓ માટેના કોર્પોરેટ વેરામાં ઘટાડો સૂચવતો વટહુકમ અને આવકવેરા ધારો 1961 તથા ફાઈનાન્સ ધારો 2019માં સુધારો સૂચવતા વટહુકમનો સમાવેશ થાય છે.
એવી જ રીતે ઈ-સીગરેટના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહને ગેરકાયદેસર ગણાવતું વિધેયક પણ સંસદના શિયાળુ સત્રમાં રજુ થાય તેવી સંભાવના છે.
વિપક્ષની વાત કરીએ તો વરિષ્ઠ નેતાઓએ દેશના અર્થતંત્રની સ્થિતિ તથા જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ આ બે મુદ્દાઓ ગૃહમાં રજુ કરવાના સંકેત આપ્યા હતા.
ભુતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે ગયા સપ્તાહમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસદના આ સત્રમાં મુંબઈની PMC બેંકના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યસભાના પક્ષોની બેઠક ગઈકાલે બોલાવી હતી.
ઘણા વર્ષોમાં આવું પ્રથમવાર બન્યું છે કે, સત્તાધારી પક્ષ અને મોરચાને ઉપલા ગૃહમાં આરામદાયક બહુમતી છે.
ઉલ્લેખનિય છે કે, સત્તાધારી ભાજપને બીજુ જનતા દળ BJD, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ – TRS અને YSR કોંગ્રેસ પક્ષ તરફથી મુદ્દા આધારીત સમર્થન મળ્યું છે.
કેન્દ્ર સરકાર નાદારી અંગેના કાયદામાં પણ સુધારો સૂચવતું વિધેયક ગૃહમાં રજુ કરવા ઈચ્છે છે.
આ સૂચિત સુધારામાં વિદેશમાં સ્થપાયેલા એકમને IBC હેઠળ આવરી લેવાની જોગવાઈ કરાશે.
આમ થવાથી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ પાસેથી બાકી નાણાંની વસુલાત કરવા સક્ષમ બનશે.
એવી જ રીતે વિદેશી ધિરાણકારો પણ ભારતીય કંપની પાસેથી વસૂલાત કરી શકશે.
આ ઉપરાંત ભારતીય બેંકોની વિદેશ ખાતેની શાખાઓ પણ તેમના નાણાં ભારતમાં મેળવી શકશે.
IBCમાં સુધારો થવાથી ધિરાણકર્તા સંસ્થાઓ ધિરાણ લેનારની વિદેશમાં રહેલી અસ્કયામતો સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકશે.
IBCમાં સુધારો થવાથી નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપનીને લગતા જટીલ કેસોનો ઉકેલ સરળ બનશે. હાલના IBCમાં આ અંગેની કોઈ જોગવાઈ નથી.
હવે વિપક્ષની પણ એ જવાબદારી બનશે કે માત્ર સૂત્રોચ્ચાર કરી સભા ત્યાગ કરવા કરતા તેમણે ચર્ચા ભાગ લઈને સરકારને જરૂરી પગલાં લેવામાં મદદરૂપ બનવું જોઈએ.
લેખક – યોગેશ સૂદ, પત્રકાર
સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે.
દેશ હિતમાં વિવિધ મુદ્દાઓ અંગે સર્વસમતી, નીતિ વિષયક પ્રગતી તથા ઉત્પાદકતા – આ ત્રણેય દ્રષ્ટિએ સંસદનું શિયાળુ સત્ર મહત્વનું ગણાવી શકાય.
આ સત્રમાં વિપક્ષો વિવિધ સામાજીક, રાજકીય તથા આર્થિક બાબતો અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેથી શિયાળુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે.
સંસદના આ વર્ષના ચોમાસુ સત્રમાં ટ્રિપલ તલાક, વાહન ધારો, રાષ્ટ્રીય તપાસ સંસ્થા ધારામાં સુધારો જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં આવી હતી.
સૌથી મહત્વની કામગીરીમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના વિધેયકને ગૃહની મળેલી મંજુરી ગણાવી શકાય,
આના પરિણામે કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડી શકાયું છે.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંદણીપત્ર – NRCની અંતિમ યાદી જાહેર થતા સત્તાધારી ભાજપ ગત 8મી જાન્યુઆરી 2018માં ગૃહમાં રજુ કરાયેલા નાગરિક સુધારા વિધેયકને સંસદમાં ફરી વખત રજુ કરે તેવી સંભાવના છે.
એવી જ રીતે કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપેલા બે વટહુકમોને પણ વિધેયક અને અંતે ધારાનું રૂપ આપવાની મહત્વની કામગીરી હાથ ધરાશે. જેમાં દેશમાં આર્થિક વિકાસની ગતિ ફરી જોમવંતી બનાવવા માટે નવી સ્થાનિક કંપનીઓ માટેના કોર્પોરેટ વેરામાં ઘટાડો સૂચવતો વટહુકમ અને આવકવેરા ધારો 1961 તથા ફાઈનાન્સ ધારો 2019માં સુધારો સૂચવતા વટહુકમનો સમાવેશ થાય છે.
એવી જ રીતે ઈ-સીગરેટના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહને ગેરકાયદેસર ગણાવતું વિધેયક પણ સંસદના શિયાળુ સત્રમાં રજુ થાય તેવી સંભાવના છે.
વિપક્ષની વાત કરીએ તો વરિષ્ઠ નેતાઓએ દેશના અર્થતંત્રની સ્થિતિ તથા જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ આ બે મુદ્દાઓ ગૃહમાં રજુ કરવાના સંકેત આપ્યા હતા.
ભુતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે ગયા સપ્તાહમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસદના આ સત્રમાં મુંબઈની PMC બેંકના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યસભાના પક્ષોની બેઠક ગઈકાલે બોલાવી હતી.
ઘણા વર્ષોમાં આવું પ્રથમવાર બન્યું છે કે, સત્તાધારી પક્ષ અને મોરચાને ઉપલા ગૃહમાં આરામદાયક બહુમતી છે.
ઉલ્લેખનિય છે કે, સત્તાધારી ભાજપને બીજુ જનતા દળ BJD, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ – TRS અને YSR કોંગ્રેસ પક્ષ તરફથી મુદ્દા આધારીત સમર્થન મળ્યું છે.
કેન્દ્ર સરકાર નાદારી અંગેના કાયદામાં પણ સુધારો સૂચવતું વિધેયક ગૃહમાં રજુ કરવા ઈચ્છે છે.
આ સૂચિત સુધારામાં વિદેશમાં સ્થપાયેલા એકમને IBC હેઠળ આવરી લેવાની જોગવાઈ કરાશે.
આમ થવાથી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ પાસેથી બાકી નાણાંની વસુલાત કરવા સક્ષમ બનશે.
એવી જ રીતે વિદેશી ધિરાણકારો પણ ભારતીય કંપની પાસેથી વસૂલાત કરી શકશે.
આ ઉપરાંત ભારતીય બેંકોની વિદેશ ખાતેની શાખાઓ પણ તેમના નાણાં ભારતમાં મેળવી શકશે.
IBCમાં સુધારો થવાથી ધિરાણકર્તા સંસ્થાઓ ધિરાણ લેનારની વિદેશમાં રહેલી અસ્કયામતો સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકશે.
IBCમાં સુધારો થવાથી નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપનીને લગતા જટીલ કેસોનો ઉકેલ સરળ બનશે. હાલના IBCમાં આ અંગેની કોઈ જોગવાઈ નથી.
હવે વિપક્ષની પણ એ જવાબદારી બનશે કે માત્ર સૂત્રોચ્ચાર કરી સભા ત્યાગ કરવા કરતા તેમણે ચર્ચા ભાગ લઈને સરકારને જરૂરી પગલાં લેવામાં મદદરૂપ બનવું જોઈએ.
લેખક – યોગેશ સૂદ, પત્રકાર
Comments
Post a Comment