Skip to main content

સંસદના શિયાળુસત્ર સમક્ષના મુદ્દાઓ અંગે સમીક્ષા

સંસદના શિયાળુ સત્રનો આજે 18મી નવેમ્બરથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર આગામી 13મી ડિસેમ્બર સુધી ચાલશે.

સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે.

દેશ હિતમાં વિવિધ મુદ્દાઓ અંગે સર્વસમતી, નીતિ વિષયક પ્રગતી તથા ઉત્પાદકતા – આ ત્રણેય દ્રષ્ટિએ સંસદનું શિયાળુ સત્ર મહત્વનું ગણાવી શકાય.

આ સત્રમાં વિપક્ષો વિવિધ સામાજીક, રાજકીય તથા આર્થિક બાબતો અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેથી શિયાળુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે.

સંસદના આ વર્ષના ચોમાસુ સત્રમાં ટ્રિપલ તલાક, વાહન ધારો, રાષ્ટ્રીય તપાસ સંસ્થા ધારામાં સુધારો જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં આવી હતી.

સૌથી મહત્વની કામગીરીમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના વિધેયકને ગૃહની મળેલી મંજુરી ગણાવી શકાય,

આના પરિણામે કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડી શકાયું છે.

આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંદણીપત્ર – NRCની અંતિમ યાદી જાહેર થતા સત્તાધારી ભાજપ ગત 8મી જાન્યુઆરી 2018માં ગૃહમાં રજુ કરાયેલા નાગરિક સુધારા વિધેયકને સંસદમાં ફરી વખત રજુ કરે તેવી સંભાવના છે.

એવી જ રીતે કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપેલા બે વટહુકમોને પણ વિધેયક અને અંતે ધારાનું રૂપ આપવાની મહત્વની કામગીરી હાથ ધરાશે. જેમાં દેશમાં આર્થિક વિકાસની ગતિ ફરી જોમવંતી બનાવવા માટે નવી સ્થાનિક કંપનીઓ માટેના કોર્પોરેટ વેરામાં ઘટાડો સૂચવતો વટહુકમ અને આવકવેરા ધારો 1961 તથા ફાઈનાન્સ ધારો 2019માં સુધારો સૂચવતા વટહુકમનો સમાવેશ થાય છે.

એવી જ રીતે ઈ-સીગરેટના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહને ગેરકાયદેસર ગણાવતું વિધેયક પણ સંસદના શિયાળુ સત્રમાં રજુ થાય તેવી સંભાવના છે.

વિપક્ષની વાત કરીએ તો વરિષ્ઠ નેતાઓએ દેશના અર્થતંત્રની સ્થિતિ તથા જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ આ બે મુદ્દાઓ ગૃહમાં રજુ કરવાના સંકેત આપ્યા હતા.

ભુતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે ગયા સપ્તાહમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસદના આ સત્રમાં મુંબઈની PMC બેંકના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યસભાના પક્ષોની બેઠક ગઈકાલે બોલાવી હતી.

ઘણા વર્ષોમાં આવું પ્રથમવાર બન્યું છે કે, સત્તાધારી પક્ષ અને મોરચાને ઉપલા ગૃહમાં આરામદાયક બહુમતી છે.

ઉલ્લેખનિય છે કે, સત્તાધારી ભાજપને બીજુ જનતા દળ BJD, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ – TRS અને YSR કોંગ્રેસ પક્ષ તરફથી મુદ્દા આધારીત સમર્થન મળ્યું છે.

કેન્દ્ર સરકાર નાદારી અંગેના કાયદામાં પણ સુધારો સૂચવતું વિધેયક ગૃહમાં રજુ કરવા ઈચ્છે છે.

આ સૂચિત સુધારામાં વિદેશમાં સ્થપાયેલા એકમને IBC હેઠળ આવરી લેવાની જોગવાઈ કરાશે.

આમ થવાથી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ પાસેથી બાકી નાણાંની વસુલાત કરવા સક્ષમ બનશે.

એવી જ રીતે વિદેશી ધિરાણકારો પણ ભારતીય કંપની પાસેથી વસૂલાત કરી શકશે.

આ ઉપરાંત ભારતીય બેંકોની વિદેશ ખાતેની શાખાઓ પણ તેમના નાણાં ભારતમાં મેળવી શકશે.

IBCમાં સુધારો થવાથી ધિરાણકર્તા સંસ્થાઓ ધિરાણ લેનારની વિદેશમાં રહેલી અસ્કયામતો સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકશે.

IBCમાં સુધારો થવાથી નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપનીને લગતા જટીલ કેસોનો ઉકેલ સરળ બનશે. હાલના IBCમાં આ અંગેની કોઈ જોગવાઈ નથી.

હવે વિપક્ષની પણ એ જવાબદારી બનશે કે માત્ર સૂત્રોચ્ચાર કરી સભા ત્યાગ કરવા કરતા તેમણે ચર્ચા ભાગ લઈને સરકારને જરૂરી પગલાં લેવામાં મદદરૂપ બનવું જોઈએ.

લેખક – યોગેશ સૂદ, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...