ભૂતાનના વિદેશ મંત્રી ડો.લ્યોન્પો તાંડી દોરજીની એક અઠવાડિયું લાંબી ભારતની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે નવું સિમાચીન્હ સ્થાપ્યું છે. ડો.દોરજીએ તેમના રોકાણ દરમિયાન ભારત - ભૂતાન સંબંધોની ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે સમીક્ષા કરી હતી. અને આર્થિક સહકાર વિકાસ, સહભાગીતા તેમજ જળવિદ્યુત સહકાર અંગે વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશમંત્રી સાથે બેઠક પહેલા ડો.દોરજી ભારતના વિદેશ સચીવ વિજય ગોખલેને પણ મળ્યા હતા. દિલ્હીની મુલાકાત પછી ડો.દોરજી હવે બિહારમાં બોધગયા અને રાજગીરની મુલાકાતે જવાના છે. ત્યાંથી તેઓ કોલકાતા જશે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજશે તેવી ધારણા છે.
લ્યોન્પો તાંડી દોરજીની આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય મુલાકાત અને પરંપરાગત મંતવ્યોની આપ-લેના ભાગરૂપે યોજાઈ છે. આ મુલાકાત ગઇ સાતમી તારીખે પ્રધાનમંત્રી લોતે શેરિંગની આગેવાની હેઠળની દ્રુક ન્યામરૂપ ત્શોગપા સરકારે ભૂતાનમાં સત્તા સંભાળી તેને એક વર્ષ પૂરું થયું ત્યારે જ યોજાઈ છે. શેરિંગ સરકાર ભૂતાનમાં વિકાસ પરિયોજનાઓ ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં યોજનાઓ હાથ ધરવા માટે નાણાં મેળવવા અંગેના અનેક પડકારોનો સામનો કરી રહી છે. વિદેશમંત્રાલયે સાડા ત્રણ અબજ ભૂતાની ચલણની ફાળવણી કરી છે. જોકે, તેની બારમી યોજનામાં તેને 13 અબજની જરૂર છે. સૌથી મહત્વનું એ છે કે, ભૂતાન સરકાર હાલ વધી રહેલું દેવું વેપાર ખાદ્ય અને વિદેશી સંસ્થાઓના રોકાણ તેમજ વિદેશમાં વસતાં તેના નાગરિકો દ્વારા મોકલાતા દ્વારા નાણાંમાં ઘટાડો જેવા અનેક પ્રશ્નોનો સામનો કરી રહી છે.
આ બાબતે આર્થિક સુધારા કરવા છતાં ભૂતાનમાં સામાન્ય લાગણી એવી ઊભી થઈ રહી છે કે, ભારતીય અર્થતંત્રની મંદી ભૂતાનની આર્થિક મંદીનું સૂચક છે.
ડો.દોરજીની આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનમાં થયેલો વધારો પણ વ્યક્ત કરે છે. બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ, સદ્ભાવના અને સમજણ અજોડ અને વર્ષો જૂના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થિમ્કુની મુલાકાત લીધા પછી ચાર મહિને આ મુલાકાત શક્ય બની છે. અગાઉ વિદેશમંત્રી એસ.જયશંકરે પદભાર સંભાળ્યા પછી `પાડોશી પહેલો’ એ નીતી હેઠળ ભૂતાનની મુલાકાત લીધી હતી. હકીકતમાં તો ડો.જયશંકરની એ પહેલી વિદેશ યાત્રા હતી. તેની અગાઉ ભૂતાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગે પણ પોતાની પહેલી વિદેશ યાત્રા અંતર્ગત ડિસેમ્બર 2018માં ભારતની મુલાકાત લીધી હતી.
1968માં ભારત અને ભૂતાન વચ્ચેના રાજદ્વારી સંબંધો સ્થાપ્યા ત્યારથી જ દક્ષિણ એશિયાઇ વિસ્તારમા આ સંબંધો મજબૂત પાડોશી સંબંધો બની રહ્યા છે. જે પરસ્પર વિશ્વાસ , સમજણ અને પરિપકવતા પર આધારિત છે. 1949માં ભારત – ભૂતાન મૈત્રી અને સહભાગિતા અંગે કરાયેલો કરાર આ સંબંધોનો આધારસ્તંભ બની રહ્યો હતો. આના કારણે મુક્ત સરહદ, સંરક્ષણ સહકાર, લોકસંપર્ક જેવી બાબતો વધુ સુગમ બની છે. ઘણી બધી અસમાનતા છતાં બંને દેશો એકબીજા પર અવલંબિત છે અને આર્થિક વિકાસ, લોકશાહીના એકીકરણ અને પ્રાદેશિક શાંતિ જેવી બાબતો અંગે એકબીજાને સમાન ભાગીદાર તરીકે સ્વીકારે છે.
હાલ, જળ સંશાધન, વેપાર, આર્થિક ભાગીદારી, સંરક્ષણ અને સરહદ વ્યવસ્થાપન જે ઘણા ક્ષેત્રે બંને દેશો વચ્ચે કેટલાંક દ્વિપક્ષીય સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ કામગીરી કરાઈ રહી છે.
દરમિયાન ભુતાને ભારતીય પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી ભૂતાનની મુલાકાતે જતાં પ્રવાસીઓમાં મોટો વધારો થયો છે 2018માં દક્ષિણ એશિયા વિસ્તારમાંથી ભૂતાનના પ્રવાસે ગયેલા પ્રવાસીઓમાં 50 ટકા ભારતીયો હતા. ભૂતાન પ્રવાસન વહીવટીતંત્ર પરમીટ પ્રોસેસિંગ ફી સાથે સાતત્યપૂર્ણ વિકાસ ફી વસુલે તેની શક્યતા છે. નાજુક ઇકોસિસ્ટમ ધરાવતાં ભૂતાનનો હેતુ પ્રવાસન ઉદ્યોગના સાતત્યપૂર્ણ વિકાસ છે.
ડો.દોરજીની મુલાકાત રાજનૈતિક અને ધાર્મિક બંને રીતે મહત્વપૂર્ણ છે. જેનો હેતુ સરહદ આર્થિક સહભાગિતા વધારવાનો છે. મુલાકાત તો ધ્યેય બંને પક્ષે રાજદ્વારી અને દ્વિપક્ષીય સંબંધો વધુ વિસ્તરીત કરવાનો છે. બંને વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો વધારવા માટેની નવી વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. તેમણે આબોહવા પરિવર્તન, માળખાકીય સુવિધા, સુરક્ષા, વ્યૂહાત્મક મુદ્દાઓ, અને ભૂતાનની 12મી પંચ વર્ષીય યોજનામાં ભારતના તકનીકી – આર્થિક સહાય જેવા મુદ્દે સહભાગીતાની સમીક્ષા કરી હતી.
બંને મંત્રીઓ બદલાતા પ્રાદેશિક અને વૈશ્વિક વાતાવરણમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઇઓ પર લઈ જવા નવા સંમત થયા હતા.
ભરત રાજગોર, નીકીતા શાહ, રમેશ પરમાર
Comments
Post a Comment