બ્રાઝીલીયામાં અગીયારમાં બ્રિકસ શિખર સંમેલનનું સફળ સમાપન જુથની ગતિશિલતા અને વધતી જતી સુસંગતતાનું એક માપ છે. સંયુકત નિવેદનમાં કહયું છે તેમ બ્રિકસ દેશો છેલ્લા એક દાયકામાં વૈશ્વિક વૃધ્ધિના મુખ્ય ચાલકો રહયાં છે. બ્રિકસનું આગમત નવી ઉભરતી વૈશ્વિક અર્થ વ્યવસ્થાના બદલાતા વલણને દર્શાવે છે ? બ્રિકસે ફકત પશ્ચિમના વૈશ્વિક વર્ચસ્વ પર જ પ્રશ્ન ઉઠાવ્યો નથી, તે એક નવી વિચારસરણી અને નવા વિશ્વ દ્રષ્ટીકોણને આકાર આપવાનો પ્રયત્ન કરે છે.
અગિયારમાં બ્રિકસ શિખર સંમેલનનો વિષય હતો નવા ભવિષ્ય માટે આર્થિક વિકાસ. ઇનોવેશન એ ખરેખર ભવિષ્યનું કોલીંગ કાર્ડ છે. નવીનીકરણ ઇતિહાસએ વિચારોની વાર્તા છે. જો આપણે નવીનીકરણ નથી કરતા તો આપણે વિસ્મૃતિમાં સરી પડીએ છીએ.
અપેક્ષા મુજબ બ્રિકસના નેતાઓ ધ્વારા જાહેર કરાયેલા સંયુકત નિવેદનમાં સંયુકત રાષ્ટ્ર, અને વિશ્વ વ્યાપાર સંગઠન અને આઇએમએફ સહીત અન્ય બહુપક્ષીય સંગઠનોને મજબુત બનાવવા તથા સુધારો કરવાની તાતી જરૂરીયાત માટે આહવાન કરાયું છે. એવા સમયમાં જયારે બહુપક્ષીકરણ પર વિવિધ આંતરરાષ્ટ્રીય ભાગોમાંથી હુમલાઓ થઇ રહયું છે, ત્યારે બ્રિકસની બહુપક્ષીયતા પ્રત્યેની અડીખમ પ્રતિબધ્ધતાએ અપવાદરૂપ છે. બધાને જ્ઞાત છે કે બ્રેટન વુડસ ના વિચાર હેઠળની બહુપક્ષીયતા તેની અપેક્ષાઓ પ્રમાણે જીવંત નથી. ખરેખર મોટી વિડંબણા એ છે કે આજે જે લોકો બહુપક્ષીયતાને વખોડી રહયાં છે. તેમણે જ આ સંસ્થાઓનું નિર્માણ કર્યુ છે.
થોડા વર્ષો પહેલા વિકાસશીલ દેશોને વૈશ્વિવીકરણ અપનાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જયારે આ દેશોએ વૈશ્વિવીકરણ અપનાવ્યું છે ત્યારે તેઓને વૈશ્વિવીકરણ છોડવાનું કહેવામાં આવી રહયું છે. બ્રિકસ ધ્વારા બનાવાયેલ નવી બહુપક્ષીયતાને સહિયારા વિકાસ તરીકે જોવુ જોઇએ. સંયુકત નિવેદને બહુપક્ષીયતાને ઘણુ મહત્વ આપ્યુ છે. કારણ કે તે શાંતી અને સુરક્ષા સ્થાપી વિકાસને આગળ વધારવા અને તમામ માટે માનવ અધિકારો તથા મુળભુત સ્વતંત્રતાના રક્ષણને સુનિશ્ચિત કરવા મહત્વપુર્ણ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ત્રાસવાદના દુષણ સામે વૈશ્વિક સર્વસંમતી સાધવા માટે ઘણુ કામ કર્યુ છે. ભારત, રશિયા અને ચીન જેવા બ્રિકસ દેશો આતંકવાદનો ભોગ બન્યા છે. આથી બ્રાસીલીયા પરીષદમાં આતંકવાદને તેના તમામ સ્વરુપોમાં વખોડી કાઢવા માટે સારૂ કામ કરવામાં આવ્યું છે.
સમાપન સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢયો છે. તેમણે આતંકવાદને વિકાસ, શાંતી અને સમૃધ્ધિ માટેના સૌથી મોટા ભવસ્થાન તરીકે ગણાવ્યો. તેમણે કહયું કે આતંકવાદને લીધે વિશ્વના અર્થતંત્રોને એક ટ્રીલીયન ડોલર સુધીનું નુકસાન થયું છે અને વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ એક પોઇન્ટ પાંચ ટકા સુધી ઘટી ગયો છે.
શ્રી મોદીએ બ્રિકસ દેશો વચ્ચે આતરીક વૈપારના મહત્વ ઉપર પણ ભાર મુકયો, જે વિશ્વ વેપારના માત્ર ૧પ ટકા જેટલો છે. સંયુકત નિવેદનમાં આર્થિક અને વેપાર પ્રોત્સાહનને પ્રેરણા આપવામાં નિર્ણાયક ભૂમિકા માટે બ્રિકસ વેપાર મંચ આયોજીત કરવાને પણ આવકારવામાં આવ્યો. આબોહવાને લગતી કટોકટીના સમયમાં ર૦૩૦ સુધીમાં ટકાઉ વિકાસના એજનડાના અમલીકરણ પ્રત્યે બ્રિકસની પ્રતિબધ્ધતાનો સંયુકત નિવેદનમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો.
ભારતના પ્રધાનમંત્રીની બ્રાઝીલ, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ સાથેની દ્વિ-પક્ષીય બેઠકો પણ એટલી જ અર્થપુર્ણ રહી. રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો એ ભારતના આવનારા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બનવાનું નિમંત્રણ સ્વીકાર્યુ છે. જે લેટીન અમેરીકા સાથે ભારતના સંબંધો વધુ મજબુત કરવા તરફ એક આવકારદાયક પગલું છે.
અંતમાં કોઇપણ બહુમુખી જીવંત સંસ્થા અથવા જુથ માટે માત્ર કલ્પના જ નહી પરંતુ સતત પુષ્ટી પણ જરૂરી છે. બ્રિકસે પોતાને ઘણા લોકો માટેના અર્થતંત્ર માટે કામ કરવા પ્રતિબધ્ધ કરવુ જોઇએ. એક અર્થતંત્ર જે સમાજને અનુકુળ હોય પણ સમાજ અર્થતંત્રને આધિન ના હોય.
જયેશ વેગડા, શિવાંગી ભટૃ -મુકેશ
લેખક – સમાજ વિજ્ઞાન સંસ્થાના નિયામક ડોકટર અશ નારાઇન રોય
Comments
Post a Comment