Skip to main content

ભારતે અવકાશમાં ગોઠવેલી શકિતશાળી આંખ અંગે સમીક્ષા.

ભારતે ગયા બુધવારે સતીષ ધવન અવકાશ મથક ખાતેથી કાર્ટોસેટ – ત્રણ નામના ઉપગ્રહને સફળતાપુર્વક અવકાશમાં તરતો મુકીને સૌથી વધુ શકિતશાળી આંખ અવકાશમાં ગોઠવી છે. કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ ભારતનો ત્રીજી પેઢીનો પૃથ્વી નીરક્ષણ અને મેપીંગ માટેનો ઉપગ્રહ છે. ઇસરોનો આ ઉપગ્રહ સૌથી વધુ શકિતશાળી કેમેરો ધરાવે છે. પીએસએલવી – સી – ૪૭ રોકેટ ઇસરોનું સૌથી શકિતશાળી અને અદ્યતન રોકેટ છે. આ રોકેટ ઉપર ન્યુ સ્પેસ ઇન્ડિયા લીમીટેડ સાથે થયેલી સમજુતી મુજબ બે અમેરીકન સહિત ૧૩ નાના ઉપગ્રહોને પણ અવકાશમાં તરતા મુકાયા હતા. કાર્ટોસેટ ત્રણ ઉપગ્રહને નિર્ધારીત પ૦૯ કિલોમીટરની ભ્રમણકક્ષામાં મુકયા બાદ પીએસએલવીએ ૧૩ નાના ઉપગ્રહોને અવકાશમાં મુકયા હતા. ઇસરોએ વર્ષ ર૦૦પ થી અત્યાર સુધીમાં કાર્ટોસેટ – એક શ્રેણીનો એક તથા કાર્ટોસેટ-બે શ્રેણીના સાત મળીને કુલ આઠ ઉપગ્રહો અવકાશમાં મુકયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ઉપગ્રહો તરફથી ઘણી માહિતી મળવા લાગી છે. વર્તમાન કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ એક હજાર, ૬રપ કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ છે. આ ઉપગ્રહમાં ફલેકસીબલ કેમેરા, માહિતીનું ઝડપથી હસ્તાંતરણ તથા અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમ અને પાવર ઇલેકટ્રોનીકસ જેવી અદ્યતન ટેકનોલોજીના સાધનો ગોઠવવામાં આવ્યા છે. કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ આ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે, આ ઉપગ્રહ પૃથ્વીના નીરીક્ષણ તથા મેપીંગ માટે શકિતશાળી કેમેરા ધરાવતો હોવા ઉપરાંત સરહદો ઉપર ધ્યાન રાખવામાં પણ ઉપયોગી છે.

આ ઉપગ્રહ ઉપર ગોઠવવામાં આવેલા શકિતશાળી કેમેરા રપ સેન્ટીમીટર જેટલી વસ્તુની તસવીરો ઝીલવા સક્ષમ છે. અગાઉ અમેરીકન કંપની મેકસર દ્વારા બનાવેલ વર્લ્ડ વ્યુ – ત્રણ ઉપગ્રહ કેમેરા ૩૧ સેન્ટીમીટર સુધીની વસ્તુની તસવીરો લેવા સક્ષમ હતો. આમ આશરે પ૦૦ કીલોમીટરના અંતરેથી રપ સેન્ટીમીટરની વસ્તુની તસવીરો લેવા સક્ષમ કાર્ટોસેટનો કેમેરા, અમેરીકાના કેમેરા કરતા પણ વધુ સક્ષમ છે. કાર્ટોસેટે અવકાશમાં તરતા મુકેલા ૧૩ નાના ઉપગ્રહોમાં સંદેશા વ્યવહાર માટેના મેશબેડ તથા પૃથ્વી નિરીક્ષણ માટેનો ફલોક –ચાર – પી ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે.

ઇસરોના જણાવ્યા મુજબ કાર્ટોસેટ શ્રેણીના ઉપગ્રહો દ્વારા મોકલવામાં આવી રહેલી તસવીરો શહેરી અને ગ્રામીણ વિસ્તારની એપ્લીકેશનો, માળખાકીય સુવિધાના આયોજન, દરિયાકાંઠા વિસ્તારની જમીનનો ઉપયોગ તથા નિયમન અને અન્ય વ્યવસ્થાપન ક્ષેત્રો – જેવા કે માર્ગોના નેટવર્ક, પાણીની ગ્રીડ અથવા પાણીના વિતરણ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી નીવડશે.

કાર્ટોસેટ-ત્રણ ઉપગ્રહની એક ખાસ વિશેષતા એ છે કે તેને તૈયાર કરવામાં તથા પરીક્ષણ જેવા કાર્યોમાં ખાનગી ક્ષેત્રની સહભાગીદારી. આ યોજનાની સફળતા બાદ ઉપગ્રહના નિર્માણની બધી જ કામગીરીમાં ખાનગી ક્ષેત્રનો સહકાર વધુ મજબુત બની શકશે. હાલ ઇસરો દર વર્ષે ૧ર થી ૧૮ ઉપગ્રહો સાથે મળીને વિકસાવવા ઉત્સુક છે.

બુધવારના સફળ મિશને ભારતના પીએસએલવી રોકેટની વિશ્વસનીયતા હજી મજબુત બની છે. અત્યાર સુધીના પીએસએલવીના ૪૯ પૈકી માત્ર બે જ પ્રક્ષેપણો નીષ્ફળ ગયા છે. પીએસલએલવીનો ઉપયોગ ચંદ્રયાન – એકને મોકલવા માટે પણ કરાયો હતો. એવી જ રીતે મંગળગ્રહ માટેના મિશનમાં પણ તેનો ઉપયોગ થયો છે.

ભારતની ઇસરો સંસ્થા ભારતની ધરતી પરથી પ્રથમ ભારતીય અવકાશયાત્રીને યાનવડે મોકલવા તૈયાર કરી રહી છે. ઇસરો ભારતની આઝાદીને ૭પ વર્ષ પુરા થાય તે પહેલા એટલે કે વર્ષ ર૦રર સુધીમાં ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાની તૈયારીઓ કરી રહયું છે. ઇસરોએ તેના અત્યાર સુધીના કાર્યક્રમોમાં શ્રેણીબધ્ધ સફળતાઓ મેળવી હોવાથી, અવકાશયાત્રીના મિશનમાં પણ તેઓ સફળતા મેળવશે.

લેખક ઃ બિમન બાસુ, વરિષ્ઠ વિજ્ઞાન સમિક્ષક

શ્રીરંગ તેડુંલકર - મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...