Skip to main content

જી-વીસ સંગઠનના દેશોના વિદેશમંત્રીઓની જાપાનમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

જી-વીસ દેશોનું સંગઠન એ વિશ્વના ટોચના વિકસીત તથા વિકાસશીલ દેશોનું એક મહત્વનું સંગઠન છે. જેમાં 19 દેશો તથા યુરોપીયન સંઘ સભ્ય દેશો છે.

આ વર્ષે જૂન માસમાં ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોની શિખર બેઠક બાદ, જાપાનના નાગોયા શહેરમાં, જી-વીસ દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ ગઈ.

ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સહિત જી-વીસ દેશોના વિદેશમંત્રીઓએ વિશ્વની સાંપ્રત રાજકીય સ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે, તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી.

આ બેઠક બાદ જાપાનના વિદેશમંત્રી તથા જી-વીસ દેશોના અધ્યક્ષ તોશેમીત્સુ મોતેગીએ જણાવ્યું હતું કે, વિશ્વ વેપાર સંસ્થા WTO સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ કામગીરી કરી શકે, તે હેતુથી WTOમાં જરૂરી સુધારા કરવા જી-વીસ દેશોના વિદેશમંત્રીઓ સંમત થયા છે.

WTOનું ફરિયાદ નિવારણ તંત્ર વધુ સારૂ બનાવવા અંગે પણ ઓસાકામાં યોજાયેલી બેઠકમાં વિદેશમંત્રીઓએ સહમતી સાધી હતી.

શ્રી મોતેગીએ જાહેરાત કરી હતી કે, ઓસાકાની બેઠકમાં, એશિયા-પ્રશાંત મુક્ત વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા તથા ભારત સહિત બધા જ 16 દેશોએ આ મુદ્દે ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવા બાબતે પણ સહમતી સધાઈ હતી.

આ બેઠકમાં દરેક વિદેશમંત્રીએ પોતાના દેશનું સત્તાવાર વલણ જણાવ્યું હતું પણ સાંપ્રત સળગતી સમસ્યા કહી શકાય, તેમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરાયો નથી.

ભારતને આગામી 2022માં જી-વીસ દેશોની બેઠક યોજવાનું સન્માન મળવાનું છે. આથી જ વૈશ્વિક અર્થતંત્રની ગાડી પ્રગતિના પાટે ચઢાવવા હેતુથી જી-વીસ શીખર બેઠકોનો એજન્ડા ભારત કેવી રીતે નિર્ધારિત કરે છે, તે ઉપર વૈશ્વિક સ્તરની આર્થિક સંસ્થાઓનું ધ્યાન કેન્દ્રીત થયું છે.

વર્ષ 1999માં જી-વીસ સંગઠનની સ્થાપના નાણાંમંત્રી તથા કેન્દ્રીય બેન્કોના ગવર્નરોના મંચ તરીકે થઈ હતી, જેના દરજ્જામાં વધારો કરીને વર્ષ 2008માં આ સંગઠન, સંબંધિત દેશોના વડાઓના વિચારોના આદાન-પ્રદાન માટે પણ ઉપયોગમાં લેવાવા લાગ્યું.

ત્યારથી આ મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર વધારવામાં ઉપયોગી નીવડ્યું છે. જી-વીસ દેશો વૈશ્વિક જીડીપીમાં આશરે 85 ટકા, વૈશ્વિક વેપારમાં 75 ટકા તથા વિશ્વની કુલ લોકવસતીમાં બે તૃતિયાંશ હિસ્સો ધરાવે છે.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર યુદ્ધની પાર્શ્વભૂમિમાં જાપાનના નાગોયા ખાતે યોજાયેલી જી-વીસ દેશોની વિદેશમંત્રીઓની બેઠકમાં, અગાઉ ઓસાકામાં યોજાયેલી શીખર બેઠકમાં લેવાયેલા નિર્ણયના અમલીકરણ બાબતે ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં ભારતની દૃષ્ટિએ મહત્વના ગણાવી શકાય તેવા ઉર્જા સંરક્ષણ, આર્થિક સ્થિરતા, વિશ્વ વેપા સંસ્થામાં સુધારા આતંકવાદનો સામનો, આર્થિક ગુનો કરીને ભાગી છૂટેલા કસૂરવારોનું પ્રત્યાર્પણ, સામાજિક સલામતીની યોજના જેવા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.

અમેરિકાના વિદેશમંત્રીની ગેરહાજરીમાં કેટલાંક દેશોના પ્રતિનિધિઓએ સંરક્ષણવાદની નીતીના વધી રહેલો પ્રભાવ તથા એકપક્ષીય પ્રતિબંધોની નીતી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત આ બેઠકમાં વિદેશમંત્રીઓએ ભૌગોલિક, રાજકીય તથા વેપાર ક્ષેત્રના વધતા તનાવો અને તેની સાતત્યપૂર્ણ વિકાસ ઉપર થતી અસરો અંગે પણ ચર્ચા કરી હતી.

આ બેઠકની સાથે સાથે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે, ચીન, જાપાન, કોરિયા, સ્પેન સહિત નવ દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરી હતી.

સ્પેનના વિદેશમંત્રીની સાથે શ્રી જયશંકરે ભારતના યુરોપીયન સંઘના દેશો સાથેના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.

તેમણે ચીલીના વિદેશમંત્રીની સાથે ભારત અને ચીલીના દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.

ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી સાથે તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મારીસનની ભારતની ભાવિ મુલાકાત અંગે ચર્ચા કરી.

આમ સમગ્ર રીતે જોતા જી-વીસ દેશોના વિદેશમંત્રીઓન આ બેઠકે, ભારતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની સારી તક પૂરી પાડી હતી.

લેખક – રણજીતકુમાર, તંત્રી, નવોદય ટાઇમ્સ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...