Skip to main content

ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત – 2019 અંગે સમીક્ષા

કેન્દ્રની મોદી સરકારે, તેની બીજી મુદતના સમયગાળામાં અમેરિકા સાથેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.


ભારતના આર્થિક ક્ષેત્રના પરિવર્તનમાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની છે. એવી જ રીતે વૈશ્વિક સ્તરે ભારતને મહત્વની ભૂમિકા ભજવવાની જે ખેવના છે, તે અમેરિકાની મદદથી જ પૂર્ણ થઈ શકશે.

કોઈપમ બે દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં સંરક્ષણ ક્ષેત્રના સંબંધો, આધારસ્તંભ સમા હોય છે. ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોના જવાનો આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીકના જળવિસ્તારમાં 13મીથી – 21મી નવેમ્બર દરમિયાન સંયુક્ત ક્વાયત યોજી રહ્યા છે.

માનવતાના ધોરણે સહાય અને આપત્તિ રાહત અંગેની આ સંયુક્ત ક્વાયતને ટાયગર ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે.

આ ક્વાયતમાં અમેરિકાની મરીન કોર્પસ અને સ્પેશલ ફોર્સ, ભારતીય નૌકાદળના પી-8, તથા મિસાઇલ વિરોધી યુદ્ધવિમાનો આ સંયુક્ત ક્વાયતમાં ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ તબક્કામાં સંયુક્ત ક્વાયતો 16મી નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમ નજીક જ્યારે બીજા તબક્કામાં 17થી 21 નવેમ્બર દરમિયાન કાકીનાડા નજીકના જળવિસ્તારમાં આ ક્વાયત હાથ ધરાશે.

આ ક્વાયતમાં ભારતીય લશ્કરના સિંગ્નલ મેડિકલ તથા સંદેશાવ્યવહાર ક્ષેત્રના એકમો ભાગ લઈ રહ્યા છે.

અગાઉ ભારતે માત્ર રશિયા સાથે જ આ પ્રકારની ક્વાયત હાથ ધરી હતી.

સપ્ટેમ્બર 2018માં ભારત અને અમેરિકાના વિદેશ તથા સંરક્ષણ મંત્રીઓની ટુ-પ્લસ-ટુ પ્રકારની સીધી વાતચીત દરમિયાન સંયુક્ત ક્વાયત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનતા જતા સંબંધોને ધ્યાનમાં લઈને ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત હાથ ધરવાનો તથા સેનાના સૈનિકો વચ્ચે અનુભવના આદાન-પ્રદાનનો નિર્ણય લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બર 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે ટેક્સાસમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમ વખતે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત લશ્કરી ક્વાયતની જાહેરાત કરી હતી.

ભારત અને અમેરિકા સ્થિર ભારત – પ્રશાંત વિસ્તાર બાબતે એક સમાન વિચાર ધરાવે છે.

બંને દેશો વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત અને અમેરિકાએ લોજીસ્ટીક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ તથા કોમ્યુનિકેશન કોમ્પેટીબીલીટી એન્ડ સિક્યુરીટી એગ્રીમેન્ટ આ બે સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા.

બંને દેશો હવે ત્રીજી સમજૂતી સાધવા ચર્ચા કરી રહ્યા છે.

ભારત અને અમેરિકાએ આ પ્રકારની 50 જેટલી પરસ્પર સહકારને લગતી ઇવેન્ટો યોજી છે.

ભારત અને અમેરિકાએ સંયુક્ત યુદ્ધ ક્વાયતો પણ હાથ ધરી છે, જેમાં આ બે દેશો ઉપરાંત જાપાનની સેના સાથે નેવલ મલબાર એક્સરસાઇઝનો પણ સમાવેશ થાય છે.

ભારત અને અમેરિકાના સંયુક્ત દળો વચ્ચે હાથ ધરાઈ રહેલ ક્વાયતના લીધે યુદ્ધની પરિસ્થિતિમાં અમેરિકાની સેનાના અનુભવોનો લાભ ભારતીય સેનાના જવાનોને મળશે.

આ ક્વાયત બંને દળના સૈનિકોને ભવિષ્યની તાકીદની પરિસ્થિતિ માટે સજ્જતા કેળવવામાં પણ મદદરૂપ બનશે.

ભારતને જમીન તથા જળ સરહદી વિસ્તારમાં સંરક્ષણ ક્ષમતા હજી મજબૂ બનાવવાની તતા ઝડપથી સજ્જતા કેળવવાની જરૂર છે.

આના માટે ભારતીય સેનાને અદ્યતન ટેકનોલોજીવાળા અદ્યતન ઉપકરણોની જરૂર છે. ભારતે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સંરક્ષણ ક્ષેત્રને જરૂરી અદ્યતન ઉપકરણોનું ઉત્પાદન ઘર આંગણે બનાવવાનો નિર્ણય લીધો છે.

અમેરિકા ભારત સાથેના સંબંધો સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનેલા સંબંધો, ક્ષમતા વિકાસ કાર્યક્રમો જેવા ક્ષેત્રના સંદર્ભમાં મૂલવે છે.

બંને દેશો સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજી સ્ટાર્ટ પ્રોજેક્ટો શરૂ કરવા, સંશોધન વધારવા તથા આ ક્ષેત્રની નિકાસ જેવા વિકલ્પોમાં સંબંધો મજબૂત બનાવવા વિચારી રહ્યા છે. આના પરિણામે બંને દેશોના ઉદ્યોગો વચ્ચેના સંબંધો મજબૂત બનશે.

આથી જ બંને દેશોએ આ ક્ષેત્રના સંબંધોમાં થયેલી પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરવાનો આરંભ કર્યો છે.

લેખીકા – ડોક્ટર સ્તુતી બેનરજી,

અમેરિકન, બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

શ્રીરંગ તેડુંલકર –રમેશ પરમાર




Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...