Skip to main content

ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત – 2019 અંગે સમીક્ષા

કેન્દ્રની મોદી સરકારે, તેની બીજી મુદતના સમયગાળામાં અમેરિકા સાથેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.


ભારતના આર્થિક ક્ષેત્રના પરિવર્તનમાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની છે. એવી જ રીતે વૈશ્વિક સ્તરે ભારતને મહત્વની ભૂમિકા ભજવવાની જે ખેવના છે, તે અમેરિકાની મદદથી જ પૂર્ણ થઈ શકશે.

કોઈપમ બે દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં સંરક્ષણ ક્ષેત્રના સંબંધો, આધારસ્તંભ સમા હોય છે. ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોના જવાનો આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીકના જળવિસ્તારમાં 13મીથી – 21મી નવેમ્બર દરમિયાન સંયુક્ત ક્વાયત યોજી રહ્યા છે.

માનવતાના ધોરણે સહાય અને આપત્તિ રાહત અંગેની આ સંયુક્ત ક્વાયતને ટાયગર ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે.

આ ક્વાયતમાં અમેરિકાની મરીન કોર્પસ અને સ્પેશલ ફોર્સ, ભારતીય નૌકાદળના પી-8, તથા મિસાઇલ વિરોધી યુદ્ધવિમાનો આ સંયુક્ત ક્વાયતમાં ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ તબક્કામાં સંયુક્ત ક્વાયતો 16મી નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમ નજીક જ્યારે બીજા તબક્કામાં 17થી 21 નવેમ્બર દરમિયાન કાકીનાડા નજીકના જળવિસ્તારમાં આ ક્વાયત હાથ ધરાશે.

આ ક્વાયતમાં ભારતીય લશ્કરના સિંગ્નલ મેડિકલ તથા સંદેશાવ્યવહાર ક્ષેત્રના એકમો ભાગ લઈ રહ્યા છે.

અગાઉ ભારતે માત્ર રશિયા સાથે જ આ પ્રકારની ક્વાયત હાથ ધરી હતી.

સપ્ટેમ્બર 2018માં ભારત અને અમેરિકાના વિદેશ તથા સંરક્ષણ મંત્રીઓની ટુ-પ્લસ-ટુ પ્રકારની સીધી વાતચીત દરમિયાન સંયુક્ત ક્વાયત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનતા જતા સંબંધોને ધ્યાનમાં લઈને ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત હાથ ધરવાનો તથા સેનાના સૈનિકો વચ્ચે અનુભવના આદાન-પ્રદાનનો નિર્ણય લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બર 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે ટેક્સાસમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમ વખતે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત લશ્કરી ક્વાયતની જાહેરાત કરી હતી.

ભારત અને અમેરિકા સ્થિર ભારત – પ્રશાંત વિસ્તાર બાબતે એક સમાન વિચાર ધરાવે છે.

બંને દેશો વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત અને અમેરિકાએ લોજીસ્ટીક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ તથા કોમ્યુનિકેશન કોમ્પેટીબીલીટી એન્ડ સિક્યુરીટી એગ્રીમેન્ટ આ બે સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા.

બંને દેશો હવે ત્રીજી સમજૂતી સાધવા ચર્ચા કરી રહ્યા છે.

ભારત અને અમેરિકાએ આ પ્રકારની 50 જેટલી પરસ્પર સહકારને લગતી ઇવેન્ટો યોજી છે.

ભારત અને અમેરિકાએ સંયુક્ત યુદ્ધ ક્વાયતો પણ હાથ ધરી છે, જેમાં આ બે દેશો ઉપરાંત જાપાનની સેના સાથે નેવલ મલબાર એક્સરસાઇઝનો પણ સમાવેશ થાય છે.

ભારત અને અમેરિકાના સંયુક્ત દળો વચ્ચે હાથ ધરાઈ રહેલ ક્વાયતના લીધે યુદ્ધની પરિસ્થિતિમાં અમેરિકાની સેનાના અનુભવોનો લાભ ભારતીય સેનાના જવાનોને મળશે.

આ ક્વાયત બંને દળના સૈનિકોને ભવિષ્યની તાકીદની પરિસ્થિતિ માટે સજ્જતા કેળવવામાં પણ મદદરૂપ બનશે.

ભારતને જમીન તથા જળ સરહદી વિસ્તારમાં સંરક્ષણ ક્ષમતા હજી મજબૂ બનાવવાની તતા ઝડપથી સજ્જતા કેળવવાની જરૂર છે.

આના માટે ભારતીય સેનાને અદ્યતન ટેકનોલોજીવાળા અદ્યતન ઉપકરણોની જરૂર છે. ભારતે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સંરક્ષણ ક્ષેત્રને જરૂરી અદ્યતન ઉપકરણોનું ઉત્પાદન ઘર આંગણે બનાવવાનો નિર્ણય લીધો છે.

અમેરિકા ભારત સાથેના સંબંધો સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનેલા સંબંધો, ક્ષમતા વિકાસ કાર્યક્રમો જેવા ક્ષેત્રના સંદર્ભમાં મૂલવે છે.

બંને દેશો સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજી સ્ટાર્ટ પ્રોજેક્ટો શરૂ કરવા, સંશોધન વધારવા તથા આ ક્ષેત્રની નિકાસ જેવા વિકલ્પોમાં સંબંધો મજબૂત બનાવવા વિચારી રહ્યા છે. આના પરિણામે બંને દેશોના ઉદ્યોગો વચ્ચેના સંબંધો મજબૂત બનશે.

આથી જ બંને દેશોએ આ ક્ષેત્રના સંબંધોમાં થયેલી પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરવાનો આરંભ કર્યો છે.

લેખીકા – ડોક્ટર સ્તુતી બેનરજી,

અમેરિકન, બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

શ્રીરંગ તેડુંલકર –રમેશ પરમાર




Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...