શ્રીલંકામાં ગત શનિવારે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ. આ ચૂંટણીમાં SLPP પક્ષના ઉમેદવાર શ્રી ગોતાબાયા રાજપક્ષે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે તરીકે ચૂંટાયા હતા. તેમણે 52 ટકા મત મેળવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના અગ્રણીઓએ શ્રી રાજપક્ષેને વિજયી થવા માટે અભિનંદન આપ્યા હતા.
બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પવિત્ર ગણે છે, તેવા અનુરાધાપુરમાં શ્રી ગોતાબાયાએ રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ગોતાબાયા રાજપક્ષે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ શ્રીલંકાની સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ, ભારતના નાગરિકો તથા પોતાના તરફથી શ્રી લંકાના વડા તરીકે ચૂંટાવા માટે શ્રી રાજપક્ષેને અભિનંદન આપ્યા હતા, તથા તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા શાંતિ અને સમૃદ્ધિના માર્ગ ઉપર આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં રચાનારી નવી સરકારની સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારત, શ્રીલંકાને વિકાસ તથા સલામતી ક્ષેત્રમાં મદદરૂપ બનીને, તેનો મહત્વનો ભાગીદાર દેશ બન્યો છે.
આમ છતાં શ્રી મહિન્દ રાજપક્ષેના સત્તાના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને શ્રીલંકાના સંબંધોમાં તનાવ ઊભો થયો હતો. ત્યારપછી વર્ષ 2015-19 દરમિયાન શ્રીલંકામાં નેશનલ યુનિટી સરકાર સત્તા ઉપર આવ્યા પછી બંને દેશો વચ્ચેના પરસ્પર સમજણના સંબંધો ફરીથી સ્થપાયા હતા.
ભારત અને શ્રીલંકાએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઘણા સમજૂતી કરાર કર્યા. આ પૈકી કેટલીક સમજૂતીઓ બાબતે સ્થાનિક કક્ષાએ વિરોધ થતા, તેમનું અમલીકરણ થઈ શક્યું ન હતું.
હવે શ્રી ગોતાબાયા રાજપક્ષે વહીવટીતંત્ર કેવું વલણ અપનાવે તે ઉપર સંબંધિત સમજૂતીઓનું ભાવિ આધાર રાખે છે.
આ ઉપરાંત, ભારત દ્વારા શ્રીલંકામા હાથ ધરાનાર વિકાસ યોજનાઓના અમલમાં થયેલો વિલંબ, ચીનનો હિન્દ મહાસાગર વિસ્તારમાં વધી રહેલો વ્યૂહાત્મક હસ્તક્ષેપ, તથા શ્રીલંકાના તમીળ લોકોની રાજકીય ક્ષેત્રે સુમેળભર્યો અભિગમ ન કેળવવાની વૃત્તિઓ આ બધી જ બાબતોની ભારત અને શ્રીલંકાના સંબંધો ઉપર અસર થઈ રહી છે.
શ્રી ગોતાબાયા રાજપક્ષેના વિજયની સાથે જ તેમના કુટુંબનો પ્રભાવ રાજકારણમાં વધશે, બાબતો અંગે કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યં.
રાજપક્ષે કુટુંબ ચીન તરફી વલણ માટે જાણીતું છે. મહિન્દા રાજપક્ષેના વહીવટીતંત્રમાં શ્રી ગોતાબાયા રાજપક્ષે સંરક્ષણ સચિવ હતા. આ સમયગાળામાં શ્રીલંકાએ ભારતીય સલામતી બાબતોની અવગણના કરી હતી. ત્યારપછી રાજપક્ષે ભાઈઓએ પોતાની ભૂલ તેઓ જો ફરી સત્તા ઉપર આવે તો સુધારશે. તેવી ખાતર ભારતને આપી હતી.
સંરક્ષણ સચિવ તરીકે વર્ષ 2005થી 2009ના સમયગાળામાં શ્રીલંકામાં LTTEને પરાજય આપવામાં ગોતાબાયા રાજપક્ષેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમની સામે માનવઅધિકારોના ભંગનો આરોપ થયો હતો. વર્ષ 2019ની ચૂંટણીમાં શ્રીલંકામાં વસતા લઘુમતી સમુદાયના મોટાભાગના મતો સાજીદ પ્રેમદાસાને મળ્યા છે, જોકે, ગોતાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે, તે શ્રીલંકાના બધા જ નાગરિકોના રાષ્ટ્રપ્રમુખ રહેશે. તેમના પ્રથમ રાષ્ટ્રજોગ સંદેશામાં શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, ઇસ્ટર પર્વ પ્રસંગે થયેલા વિસ્ફોટો બાદ દબાણમાં આવેલા શ્રીલંકાના અર્થતંત્રને ફરીથી બેઠા કરવા ઉપર તેઓ ધ્યાન કેન્દ્રીત કરશે.
શ્રી રાજપક્ષે તેમના કાર્યકાળમાં શ્રીલંકાના તમીલો સાથે કેવું વર્તન રાખે છે, તે બાબત ઉપર ભારતનું ધ્યાન રહેશે અને આ બાબત ભારત – શ્રીલંકાના સંબંધો ઉપર અસર કરશે.
સમગ્ર રીતે જોતા ગોતાબાયા રાજપક્ષેના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાના સલામતી ક્ષેત્રના સંબંધો ઉપર વધુ ધ્યાન રખાશે. એવી જ રીતે ગોતાબાયા વહીવટીતંત્ર ભવિષ્યમાં સંતુલિત વિદેશનીતી અપનાવે છે કે, નહીં, તેની ઉપર પણ ભારત અને શ્રીલંકાના સંબંધો આધાર રાખશે.
લેખક – ગુલબીન સુલતાના, IDSAના સંશોધન વિશ્લેષક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના અગ્રણીઓએ શ્રી રાજપક્ષેને વિજયી થવા માટે અભિનંદન આપ્યા હતા.
બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પવિત્ર ગણે છે, તેવા અનુરાધાપુરમાં શ્રી ગોતાબાયાએ રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ગોતાબાયા રાજપક્ષે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ શ્રીલંકાની સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ, ભારતના નાગરિકો તથા પોતાના તરફથી શ્રી લંકાના વડા તરીકે ચૂંટાવા માટે શ્રી રાજપક્ષેને અભિનંદન આપ્યા હતા, તથા તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા શાંતિ અને સમૃદ્ધિના માર્ગ ઉપર આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં રચાનારી નવી સરકારની સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારત, શ્રીલંકાને વિકાસ તથા સલામતી ક્ષેત્રમાં મદદરૂપ બનીને, તેનો મહત્વનો ભાગીદાર દેશ બન્યો છે.
આમ છતાં શ્રી મહિન્દ રાજપક્ષેના સત્તાના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને શ્રીલંકાના સંબંધોમાં તનાવ ઊભો થયો હતો. ત્યારપછી વર્ષ 2015-19 દરમિયાન શ્રીલંકામાં નેશનલ યુનિટી સરકાર સત્તા ઉપર આવ્યા પછી બંને દેશો વચ્ચેના પરસ્પર સમજણના સંબંધો ફરીથી સ્થપાયા હતા.
ભારત અને શ્રીલંકાએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઘણા સમજૂતી કરાર કર્યા. આ પૈકી કેટલીક સમજૂતીઓ બાબતે સ્થાનિક કક્ષાએ વિરોધ થતા, તેમનું અમલીકરણ થઈ શક્યું ન હતું.
હવે શ્રી ગોતાબાયા રાજપક્ષે વહીવટીતંત્ર કેવું વલણ અપનાવે તે ઉપર સંબંધિત સમજૂતીઓનું ભાવિ આધાર રાખે છે.
આ ઉપરાંત, ભારત દ્વારા શ્રીલંકામા હાથ ધરાનાર વિકાસ યોજનાઓના અમલમાં થયેલો વિલંબ, ચીનનો હિન્દ મહાસાગર વિસ્તારમાં વધી રહેલો વ્યૂહાત્મક હસ્તક્ષેપ, તથા શ્રીલંકાના તમીળ લોકોની રાજકીય ક્ષેત્રે સુમેળભર્યો અભિગમ ન કેળવવાની વૃત્તિઓ આ બધી જ બાબતોની ભારત અને શ્રીલંકાના સંબંધો ઉપર અસર થઈ રહી છે.
શ્રી ગોતાબાયા રાજપક્ષેના વિજયની સાથે જ તેમના કુટુંબનો પ્રભાવ રાજકારણમાં વધશે, બાબતો અંગે કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યં.
રાજપક્ષે કુટુંબ ચીન તરફી વલણ માટે જાણીતું છે. મહિન્દા રાજપક્ષેના વહીવટીતંત્રમાં શ્રી ગોતાબાયા રાજપક્ષે સંરક્ષણ સચિવ હતા. આ સમયગાળામાં શ્રીલંકાએ ભારતીય સલામતી બાબતોની અવગણના કરી હતી. ત્યારપછી રાજપક્ષે ભાઈઓએ પોતાની ભૂલ તેઓ જો ફરી સત્તા ઉપર આવે તો સુધારશે. તેવી ખાતર ભારતને આપી હતી.
સંરક્ષણ સચિવ તરીકે વર્ષ 2005થી 2009ના સમયગાળામાં શ્રીલંકામાં LTTEને પરાજય આપવામાં ગોતાબાયા રાજપક્ષેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમની સામે માનવઅધિકારોના ભંગનો આરોપ થયો હતો. વર્ષ 2019ની ચૂંટણીમાં શ્રીલંકામાં વસતા લઘુમતી સમુદાયના મોટાભાગના મતો સાજીદ પ્રેમદાસાને મળ્યા છે, જોકે, ગોતાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે, તે શ્રીલંકાના બધા જ નાગરિકોના રાષ્ટ્રપ્રમુખ રહેશે. તેમના પ્રથમ રાષ્ટ્રજોગ સંદેશામાં શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, ઇસ્ટર પર્વ પ્રસંગે થયેલા વિસ્ફોટો બાદ દબાણમાં આવેલા શ્રીલંકાના અર્થતંત્રને ફરીથી બેઠા કરવા ઉપર તેઓ ધ્યાન કેન્દ્રીત કરશે.
શ્રી રાજપક્ષે તેમના કાર્યકાળમાં શ્રીલંકાના તમીલો સાથે કેવું વર્તન રાખે છે, તે બાબત ઉપર ભારતનું ધ્યાન રહેશે અને આ બાબત ભારત – શ્રીલંકાના સંબંધો ઉપર અસર કરશે.
સમગ્ર રીતે જોતા ગોતાબાયા રાજપક્ષેના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાના સલામતી ક્ષેત્રના સંબંધો ઉપર વધુ ધ્યાન રખાશે. એવી જ રીતે ગોતાબાયા વહીવટીતંત્ર ભવિષ્યમાં સંતુલિત વિદેશનીતી અપનાવે છે કે, નહીં, તેની ઉપર પણ ભારત અને શ્રીલંકાના સંબંધો આધાર રાખશે.
લેખક – ગુલબીન સુલતાના, IDSAના સંશોધન વિશ્લેષક
Comments
Post a Comment