ચીનની પરીવહન પટૃા અને માર્ગ પહેલ – બીઆરઆઇ ખાસ કરીને ચીન – પાકિસ્તાન આર્થિક માર્ગ – સીપેક એ ર૦૧૩માં તેની શરુઆતથી લઇને આજસુધી ભારતમાં ચિંતાઓ ચાલુ જ રાખી છે. તેનુ કારણ એ છે કે આ પ્રદેશમાં નિયમ આધારીત વ્યવસ્થા તેમજ ભારતના સાર્વભૌમત્વ માટે તે હંમેશા ચિંતાનો વીષય રહયો છે. તેથી જ ભારત સીપેકનો વીરોધ કરતુ રહયું છે. હકિકતમાં બીઆરઆઇનો વિરોધ કરનારો ભારત સૌ પહેલો દેશ હતો અને અગાઉ ચીનમાં યોજાયેલા આ અંગેના બંને મંચ પર પોતાની નારાજી વ્યકત કરનારો ભારત એકમાત્ર દેશ છે. ર૦૧૩ થી ભારત તેનો વીરોધ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતાં આ માર્ગ અંગે ભારત પોતાનો વિરોધ નોંધાવતુ જ રહયું છે. અધિકૃત રીતે ભારતનું વલણ એવુ છે કે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની બાબતમાં ભારતની ચિંતાને કહેવાતા સીપેક દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી.
માત્ર ભારત જ નહી બીજા કેટલાય દેશ આ બીઆરઆઇનો અને ખાસ કરીને સીપેકનો વિરોધ કરતાં જ રહયાં છે. અમેરીકાએ આ માર્ગ અંગે પોતાની નારાજી વ્યકત કરી છે. દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના મદદનીશ મંત્રી એલીસ વેલ્સે વોશીગ્ટનમાં સીપેક અંગે પોતાની ટીપ્પણી વ્યકત કરતાં કહયું હતું કે આ માર્ગ ભારતની ભુ રાજકીય પ્રકૃતિના ઘટકોને અસર કરે છે તે ભારતે સ્પષ્ટ કરી દીધુ છે. અમે ભારતની આ ચિંતાને સમર્થન આપીએ છીએ. આ પરીયોજનાનો કોઇ આર્થિક આધાર નથી અને તે ઘણા દેશોના સાર્વભૌમત્વને અસર પહોચાડે તેમ છે.
ચીન – પાકિસ્તાનની સાઠગાંઠ અને ખાસ કરીને સીપેકમાં તેમનો જોડાણ ભારતના સાર્વભૌમત્વના હકકોને નુકસાન પહોચાડે છે. સુશ્રી વેલ્સના નિવેદનો ભારતની એકંદર ધારણાનું પડઘો પાડે છે અને આ પ્રદેશમાં ચીનના વધી રહેલા પ્રભુત્વને પણ વ્યકત કરે છે. તેથી જ અમેરીકા બીઆરઆઇનો વીરોધ કરે છે. આ નિવેદનો ભારત અને અમેરીકાની સહિયારી ચિંતાઓ તેમજ હિતોની સમતુલા જાળવવાની ઇચ્છા વ્યકત કરે છે. ભારત જાપાનની સાથે બીઆરઆઇના ન્યાયી વિકલ્પે વિશ્વસનીય અને ટકાઉ વૈકલ્પિક યોજનાઓ પુરી પાડવાનું અનેક દેશોને દરખાસ્ત કરી રહયું છે.
સુશ્રી વેલની ટીપ્પણીનુ ભારત – અમેરીકાના ઝડપથી વધી રહેલા સંબંધોના પરીપેક્ષમાં પણ વિશલેષણ કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર ર૦૧૯માં અમેરીકાનુ મુલાકાત અને ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરની અમેરીકાના વ્યુહાત્મક સમુદાય સાથેની વાતચીતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને વધુ મજબુત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આના કારણે પરસ્પરના હિતો – અપેક્ષાઓ તથા ભવિષ્યના સંબંધો વધુ સુદૃઢ થશે. વ્યુહાત્મક ભાગીદાર તરીકેના ભારત – અમેરીકાના વિકસી રહેલા હુફાળા સંબંધોના કારણે અમેરીકાના નીતી ઘડવૈયાઓ ચીન – પાકિસ્તાનના કારણે ભારત સામેના પડકારોને સમજવામાં મદદ મળશે.
અમેરીકાના સહાયક સચિવ એ અન્ય બાબતો સાથે ચીન પાકિસ્તાન કોરીડોરની પાકિસ્તાનના અર્થતંત્રને નડનાર જોખમો અંગે પણ ટીપ્પણી કરી હતી. તેમણે ભારપુર્વક કહયું કે ચીન નાણાંકીય વ્યવહારોનું પાલન નથી કરી રહયું. જેનાથી પાકિસ્તાન દેવાદાર બની રહેશે. તેમણે સ્પષ્ટપણે કહયું કે આ પરસ્પર હિતનો પ્રોજેકટ નથી માત્ર ચીનને લાભ આપતો પ્રોજેકટ છે. ર૦૧૯માં પાકિસ્તાનનો વિકાસ દર ૩.૩ ટકા રહયો છે. જે ર૦ર૦માં ર.૮ ટકા રહેવાની સંભાવના છે.
ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોર એ અબજો ડોલરનો પ્રોજેકટ છે. જેણે પાકિસ્તાનના વિદેશી દેવામાં વધારો કર્યો છે. ર૯૧૮માં પાકિસ્તાનનું વિદેશી દેવુ ૧૦પ અબજ અમેરીકી ડોલર હતું, જયારે તે વર્ષે તેની જીડીપી ૩૧ર અબજ અમેરીકી ડોલર હતી. મે-ર૦૧૯ માં પાકિસ્તાનને તેના અર્થતંત્રને સ્થિરતા આપવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી છ અબજ અમેરીકી ડોલરના જામીની કરાર કર્યા. વધુમાં તેણે સાઉદી અરેબીયા જેવા દેશો પાસેથી સીપીઇસી અને બીઆરઆઇ પ્રોજેકટો માટે ભંડોળ લીધુ છે. જયારે ચીન અને પાકિસ્તાની અધિકારીઓએ સુશ્રી વેલની ટીપ્પણીઓનુ ખંડન કરતા આ પ્રોજેકટને ગેમ ચેન્જર પ્રોજેકટ ગણાવ્યો છે. ત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાની અર્થતંત્ર માટે આ પ્રોજેકટ વધુ અસ્થિરતા લાવનારો બની રહેશે.
ભરત રાજગોર –નીકિતા શાહ – મુકેશ
Comments
Post a Comment