એવુ કહી શકાય કે ગઇકાલ સુધી આપણે જેને જાણતા હતા તે સંયુકત જમ્મુ અને કાશ્મીર એ ઇતિહાસના કેટલાક અકસ્માતોનું પરીણામ હતું. દક્ષિણ જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર ઘાટીનું જોડાવુ તે પણ ૧૮૪૬ માં બ્રીટીશ સત્તાધીશો અને ડોગરા શાસક મહારાજા ગુલાબસિંહ વચ્ચે થયેલી અમૃતસર સંધિનું પરીણામ હતું. લીટલ તીબેટના નામે ઓળખાતું બૌધ્ધ વાતાવરણ પ્રભાવિત લદાખ ડોગરા સલ્તનતનો ભાગ બન્યુ તે જનરલ જોરાવર સિંહની જીત હતી. ત્રણ મુખ્ય ઘટકોની પુનઃરચના બે નવા કેન્દ્ર શાસીત પ્રદેશો તરીકે ૩૧ ઓકટોબર ર૦૧૯ એ કરવામાં આવી. તેનાથી જમ્મુ કાશ્મીરની ભુગોળ બદલાઇ ગઇ છે.
લદાખના લોકો માટે તેને કેન્દ્ર શાસીત પ્રદેશનો દરજજો મ/યો તે તેમની પ્રાર્થનાઓના જવાબ સમાન છે. આ દરજજો લદાખીઓ ઓછામાં ઓછા પચાસ વર્ષથી માંગતા હતા. ૧૯૭૦ની શરૂઆતમાં લામા લોબઝનાએ લદાખના બૌધ્ધ નેતાઓમાંથી એક હતા જેમણે આ પ્રદેશને કેન્દ્રના સીધા શાસન અંતર્ગત લાવવાની લદાખીઓની પસંદગીને વાચા આપી હતી. લદાખીઓના મતે તે જ ઓછા વિકાસની ક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ હતો. તેમના મતે ઘણા લાંબા સમયથી શ્રીનગરના સતાધીશોએ લદાખને જમ્મુ કાશ્મીરની ખાડી તરીકે ગણ્યો છે. જેમ કે તેને પોતાની અલગ સાંસ્કૃતિ ઓળખને વ્યકત કરવાની પરવાનગી ન હતી અને તેનો સંપુર્ણ આર્થિક વિકાસ થઇ શકતો ન હતો. આથી એ આશ્ચર્યની વાત નથી કે લદાખનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો મળ્યો તે વાતને લેહ અને આ સમગ્ર ક્ષેત્રમાં ઉત્સવની રીતે ઉજવવામાં આવી હતી.
બીજી બાજુ જમ્મુ કાશ્મીરના લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની ઐતિહાસીક પરિસ્થિતિને ખુશીથી આવકારી છે. ખરેખર રાજયના એકીકરણ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગણી પચાસ વર્ષ અગાઉની હતી. ત્યારે જમ્મુ સ્થિત, પ્રજા પરિષદ પાર્ટીના નેતૃત્વમાં એક નિશાન એક પ્રધાન આંદોલન આ જ લાગણીની અભિવ્યકિત હતી.
જો કે જમ્મુ કાશ્મીરને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચવાના નિર્ણયથી ઘાટીના થોડા વર્ગોને અણગમો થયો હતો. જે લોકો વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગ તરીકે ઓળખાતા હતા, જે છીનવાઇ જવાથી ઉભો થયો હતો. કાશ્મીર ઘાટીમાં હવે વિકાસ ભંડોળનો યોગ્ય ઉપયોગ થશે. મોટા પાયે થતા વહીવટી ભ્રષ્ટાચારને પણ અંકુશમાં લેવાશે. કટૃરવાદના ફેલાવાની સમસ્યાનો અસરકારક રીતે પ્રતિકાર કરાશે.
મહત્વપુર્ણ બાબત એ છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકાર કયારેય ભવિષ્યમાં એવા સંજોગો ઉભા થાય તો કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્વવત સ્થિતિમાં પાછા લાવી શકાય તે માટે તૈયાર છે. તેમણે ખાસ ભારપુર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારનો જમ્મુ કાશ્મીરમાં પરીવર્તન લાવવાનો મુખ્ય ઉદેશ કાશ્મીરને અન્ય રાજયોની જેમ મુખ્ય ધારામાં જોડવાનો સ્વાયતતાથી વંચિતના રહે તે માટેનો હતો. ઘણા લોકો ટીકા કરે છે પરંતુ કાશ્મીર ઘાટીના લોકો સામે સુરક્ષા સંબંધિત પડકારો હતા તેનો સામનો કરવાની જરૂર હતી.
આ ઉપરાંત પરીવર્તન પાછળ સરકારનો અન્ય હેતુ પણ હતો. કેન્દ્ર સરકાર માને છે કે એકવાર ધાર્મિક કટૃરપંથી અને સરહદપારના આતંકવાદનો સામનો કરવામાં આવશે અને શાંતિ અને સમાનતાનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવામાં આવશે, તો કેન્દ્ર ધ્વારા જમ્મુ કાશ્મીરને અલગ રાજયનો દરજજો આપવા નિર્ણય કરી શકાય છે.
ગઇકાલે જ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા. રાષ્ટ્ર જયારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મજયંતીની ઉજવણી કરી રહયું હતું. શિલ્પી સરદાર સાહેબે સાત દાયકા અગાઉ અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતું.
શિવાંગી ભટૃ, રૂપલ જાની - મુકેશ
Comments
Post a Comment