Skip to main content

અમેરિકાનો પેરીસ સમજૂતીમાંથી ખસી જવાનો નિર્ણય એ ચિંતાનો વિષય હોવા અંગે સમીક્ષા

આબોહવામાં પરિવર્તન થતું રોકવા અંગેની વર્ષ 2015માં સધાયેલી પેરીસ સમજૂતીમાંથી અમેરિકાએ ખસીજવાનો લીધેલો સત્તાવાર નિર્ણય સમગ્ર વિશ્વ તથા અમેરિકા માટે પણ ચિંતાનો વિષય ગણાવી શકાય.

ગયા સોમવારે ટ્રમ્પ વહિવટીતંત્રે આ અંગેનું જાહેરનામું બહાર પાડતા જ પેરીસ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાની પ્રક્રિયાનો વિધીવત આરંભ થયો છે. આગામી એક વર્ષમાં આ પ્રક્રિયા પૂરી થશે.

આગામી બીજીથી તેરમી ડિસેમ્બર દરમ્યાન સ્પેનના મદ્રીદ શહેરમાં રાષ્ટ્રસંઘના ઉપક્રમે આબોહવા અંગેની COP-25 પરિષદ યોજવાની છે, ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

અગાઉ આ બેઠક ચીલીમાં યોજાવાની હતી પણ સ્થાનિક મુશ્કેલીઓના લીધે હવે આ પરિષદ સ્પેનમાં યોજાશે.

વર્ષ 2015માં આશરે 200 દેશોએ પેરીસ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતી હેઠળ પૃથ્વીનું તાપમાન વધારતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડીને નિયંત્રણમાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે.

પેરીસ સમજૂતી મુજબ વૈશ્વિક સ્તરનું તાપમાન બે ડિગ્રીથી વધે નહીં તે રીતે પગલાં ભરવાની પ્રતિબદ્ધતા બધા જ દેશોએ દર્શાવી.

અમેરિકાના નિર્ણયથી સમગ્ર વિશ્વે નિર્ધારીત કરેલો લક્ષ્યાંક મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. અત્યાર સુધી અમેરિકા એકમાત્ર એવો દેશ છે જે સમજૂતીમાંથી ખસી ગયો છે.

ઉલ્લેખનિય છે કે, પૃથ્વીના વાતાવરણને અસર કરતા વાયુના ઉત્સર્જનમાં અમેરિકા ચીન પછી સમગ્ર વિશ્વમાં બીજા નંબરનો દેશ છે.

અમેરિકાના ખસી જવાથી સમજૂતીમાં નિર્ધારીત કરેલા વાયુ ઉત્સર્જનના ઘટાડાનું પ્રમાણ 80 ટકા સુધી સિમીત રહેશે.

એવી જ રીતે આ સમગ્ર વૈશ્વિક કાર્યવાહીને મળનારી આર્થિક સહાયને પણ ઘણી અસર થશે. સમગ્ર વિશ્વમાં આર્થિક ભંડોળ ઉભુ કરવાની કામગીરીમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવવાનું હતું.

ટ્રમ્પ વહિવટીતંત્રે ગ્રીન હાઉસ ક્લાઈટમેટ ફંડ અર્થાત વાતાવરણને નુકસાન કરનાર વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટેના ભંડોળમાં ફાળો આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ ભંડોળની રચનાનો મુખ્ય હેતુ વિકાસશીલ દેશોને આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવા નાણાં આપવાનો હતો.

અમેરિકા ખસી જતાં ગ્રીનહાઉસની આડ અસરો ઘટાડવાના મુદ્દે વિશ્વ આલમનું ધ્યાન ચીન અને ભારત ઉપર કેન્દ્રીત થશે.

ભારત અને ચીને આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવી પડશે.

ભારત અને ચીને વિકાસશીલ દેશોને ઉત્સર્જન ઘટાડવા નવી ટેકનોલોજી તથા શક્ય એટલી આર્થિક સહાય પણ આપવી પડશે.

ભારતે પેરીસ સમજૂતીમાં દર્શાવેલી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની બાબતે નોંધપાત્ર શરૂઆત કરી છે.

ભારતે પર્યાવરણના રક્ષણ માટેના નિર્ધારીત લક્ષ્યાંકો વર્ષ 2030 સુધીમાં હાંસલ કરવાનું આયોજન કર્યું છે.

ભારતે વર્ષ 2005ની તુલનાએ આગામી 2030 સુધીમાં ઉત્સર્જનનું પ્રમાણ 33થી 35 ટકા ઘટાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

એવી જ રીતે નોન ફોસીલ પ્રકારના ઈંધણની મદદથી 40 ટકા વીજ ઉત્પાદનના ધ્યેયને હાંસલ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.

ભારતે સૂર્ય ઉર્જા ઉત્પાદન એકમોની સ્થાપના ઝડપથી કરીને બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન વધારવાનું આયોજન કર્યું છે.

પેરીસ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાના નિર્ણયની સીધી અસર ભારત ઉપર નહીવત થશે, પણ આ ઘટનાથી ભારતની આબોહવામાં પરિવર્તન અંગેની ભવિષ્યની યોજનાઓ અને વ્યુહરચનાને ચોક્કસ અસર થઈ શકે છે.

એવી જ રીતે આ ઘટનાની અસર ભારતની વિકાસ યોજનાઓ ઉપર થવાની શક્યતા નકારી શકાય નહીં.

ભારતે તૈયાર કરેલ રાષ્ટ્રીય વન નીતિ-2018ના મુસદ્દામાં દેશના કુલ ભૌગોલિક વિસ્તારમાંથી એક તૃતિયાંશ વિસ્તારમાં વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે.

ભારતે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા ક્ષેત્રના વીજ ઉત્પાદનને આગળ વધારવાની બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ ક્ષેત્રની પ્રગતિથી ભારતના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા લાગ્યો છે.

ભારતે ફ્રાંસની સાથે મળીને સૂર્યઉર્જા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જૂથ-ISAની સ્થાપના કરી છે.

એવી જ રીતે આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરના જૂથની રચના કરવાની તાતી જરૂર છે.

લેખક – કે.વી.વેંકટસુબ્રમણ્યમ, વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...