Skip to main content

પાકિસ્તાનમાં રાજકારણ અંગે સમીક્ષા

પાકિસ્તાન એ સત્યનો સ્વીકાર કરી શકતુ નથી કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કાશ્મીર હવે ભૂતકાળનો મુદ્દો બની ગયું છે.

ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે, ત્યારથી પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા મરણીયા પ્રયાસો કર્યા છે.

જોકે ભારત કાશ્મીર મુદ્દે બંધારણ મુજબની કાર્યવાહી થઈ છે એ બાબત વિશ્વ સમુદાયને સમજાવવામાં સફળ રહ્યો છે.

હવે કાશ્મીર મુદ્દે વિશ્વમાં અળગુ પડી ગયાનો અહેસાસ થતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આ મુદ્દે રાજકારણ કરવાની શરૂઆત કરી છે.

કાશ્મીર બાબતોના પાકિસ્તાનના મંત્રી અલી અમીને ખૂલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મીસાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ.

તેમણે પાકિસ્તાનની ખાનગી સમાચાર ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જો કાશ્મીર મુદ્દે યુદ્ધ શરૂ થાય તો કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપનાર દેશોને પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

ભારતને કાશ્મીર મુદ્દે સમર્થન આપનાર કોઈપણ દેશ પાકિસ્તાનનો દુશ્મન ગણાશે.

અલી અમીલ એ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદની જેમ બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે.

પ્રધાનમંત્રી ઈમરાન ખાને આવા માણસોને ઉચ્ચ પદ ઉપર બેસાડ્યા છે, એ બાબત આશ્ચર્યજનક ગણાવી શકાય.

પાકિસ્તાનમાં સ્થાનિક મુદ્દાઓના કારણે સંઘર્ષ અને વિવાદો ઉભા થવાની શરૂઆત થતા ઈમરાન ખાને પાકિસ્તાની નાગરિકોની ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરવાના રાજકારણનો ટેકો લેવાની શરૂઆત કરી છે.

એ બાબતે સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે બચાવની ભૂમિકામાં આવી ગયા છે.

પાકિસ્તાનના વિશ્લેષકોએ પણ સ્પષ્ટ નોંધ કરી છે કે, વિશ્વ સમુદાય કાશ્મીર મુદ્દાની મુલવણી પાકિસ્તાનના દૃષ્ટિકોણથી કરતો નથી.

સામે પક્ષે ભારતે વિકાસ માટે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ – એમ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો રચ્યા છે, તે પગલાને વિશ્વ આલમે આવકાર્યું છે.

વિશ્વના મૂડીરોકાણકારો કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા આગળ આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

પાકિસ્તાનના કાશ્મીર બાબતનો વિભાગ સંભાળતા મંત્રીને વિકાસ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે તેઓ યુદ્ધ કરવા તૈયાર છે.

વિકાસ અંગેના પ્રશ્નના જવાબમાં મળેલો આવો પ્રતિભાવ સાચે જ આઘાતજનક છે.

દરમ્યાન જમણેરી પાંખના ધાર્મિક નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આપેલા સરકાર વિરોધી રેલીને અસાધારણ પ્રતિભાવ મળ્યો છે.

મૌલાના ફઝલ ઉર રહેમાને સરકાર વિરોધી અને કરાંચીથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સરકારે નાગરિકોને સત્તા પાછી આપવી જ પડશે.

તેમણે ગુજરાનવાલામાં રેલીને સંબોધતા ઈમરાન ખાન સરકાર સામે દેશના અર્થતંત્રનો વિનાશ કરવાનો આક્ષેપ કર્યો હતો.

પાકિસ્તાનના મુખ્ય વિરોધી પક્ષો – પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝ – PML-N તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી – PPP પક્ષોએ પણ મૌલાનાની સરકાર વિરોધી રેલીને સમર્થન આપ્યું છે.

દરમ્યાન ઈમરાન ખાન સરકારે JUI-F પક્ષની યુવા પાંખ અન્સર-ઉલ-ઈસ્લામને આતંકવાદી સંગઠન ગણાવીને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

JUI-F પક્ષે સરકારના પ્રતિબંધ મૂકવાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે.

ઈસ્લામાબાદમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી પરિસ્થિતિ વણસી પણ શકે છે.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સિરિલ અલમેઈડાએ ટિપ્પણી કરી છે કે, ખાન સરકારે આ પરિસ્થિતિ અંગે ચિંતીત થવાની જરૂરીયાત છે.

તેમજ રાજકીય વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ખાન સરકારની ક્ષમતા હવે પૂરવાર થશે.

જો સરકાર ગભરાઈને વધુ પડતો પ્રતિભાવ આપશે તો હિંસા ફાટી નિકળવાની તથા પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર થવાની શક્યતા નકારી શકાય નહીં.

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...