પાકિસ્તાન એ સત્યનો સ્વીકાર કરી શકતુ નથી કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કાશ્મીર હવે ભૂતકાળનો મુદ્દો બની ગયું છે.
ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે, ત્યારથી પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા મરણીયા પ્રયાસો કર્યા છે.
જોકે ભારત કાશ્મીર મુદ્દે બંધારણ મુજબની કાર્યવાહી થઈ છે એ બાબત વિશ્વ સમુદાયને સમજાવવામાં સફળ રહ્યો છે.
હવે કાશ્મીર મુદ્દે વિશ્વમાં અળગુ પડી ગયાનો અહેસાસ થતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આ મુદ્દે રાજકારણ કરવાની શરૂઆત કરી છે.
કાશ્મીર બાબતોના પાકિસ્તાનના મંત્રી અલી અમીને ખૂલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મીસાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ.
તેમણે પાકિસ્તાનની ખાનગી સમાચાર ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જો કાશ્મીર મુદ્દે યુદ્ધ શરૂ થાય તો કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપનાર દેશોને પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
ભારતને કાશ્મીર મુદ્દે સમર્થન આપનાર કોઈપણ દેશ પાકિસ્તાનનો દુશ્મન ગણાશે.
અલી અમીલ એ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદની જેમ બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે.
પ્રધાનમંત્રી ઈમરાન ખાને આવા માણસોને ઉચ્ચ પદ ઉપર બેસાડ્યા છે, એ બાબત આશ્ચર્યજનક ગણાવી શકાય.
પાકિસ્તાનમાં સ્થાનિક મુદ્દાઓના કારણે સંઘર્ષ અને વિવાદો ઉભા થવાની શરૂઆત થતા ઈમરાન ખાને પાકિસ્તાની નાગરિકોની ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરવાના રાજકારણનો ટેકો લેવાની શરૂઆત કરી છે.
એ બાબતે સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે બચાવની ભૂમિકામાં આવી ગયા છે.
પાકિસ્તાનના વિશ્લેષકોએ પણ સ્પષ્ટ નોંધ કરી છે કે, વિશ્વ સમુદાય કાશ્મીર મુદ્દાની મુલવણી પાકિસ્તાનના દૃષ્ટિકોણથી કરતો નથી.
સામે પક્ષે ભારતે વિકાસ માટે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ – એમ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો રચ્યા છે, તે પગલાને વિશ્વ આલમે આવકાર્યું છે.
વિશ્વના મૂડીરોકાણકારો કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા આગળ આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
પાકિસ્તાનના કાશ્મીર બાબતનો વિભાગ સંભાળતા મંત્રીને વિકાસ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે તેઓ યુદ્ધ કરવા તૈયાર છે.
વિકાસ અંગેના પ્રશ્નના જવાબમાં મળેલો આવો પ્રતિભાવ સાચે જ આઘાતજનક છે.
દરમ્યાન જમણેરી પાંખના ધાર્મિક નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આપેલા સરકાર વિરોધી રેલીને અસાધારણ પ્રતિભાવ મળ્યો છે.
મૌલાના ફઝલ ઉર રહેમાને સરકાર વિરોધી અને કરાંચીથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે કહ્યું કે, સરકારે નાગરિકોને સત્તા પાછી આપવી જ પડશે.
તેમણે ગુજરાનવાલામાં રેલીને સંબોધતા ઈમરાન ખાન સરકાર સામે દેશના અર્થતંત્રનો વિનાશ કરવાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાનના મુખ્ય વિરોધી પક્ષો – પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝ – PML-N તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી – PPP પક્ષોએ પણ મૌલાનાની સરકાર વિરોધી રેલીને સમર્થન આપ્યું છે.
દરમ્યાન ઈમરાન ખાન સરકારે JUI-F પક્ષની યુવા પાંખ અન્સર-ઉલ-ઈસ્લામને આતંકવાદી સંગઠન ગણાવીને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
JUI-F પક્ષે સરકારના પ્રતિબંધ મૂકવાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે.
ઈસ્લામાબાદમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી પરિસ્થિતિ વણસી પણ શકે છે.
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સિરિલ અલમેઈડાએ ટિપ્પણી કરી છે કે, ખાન સરકારે આ પરિસ્થિતિ અંગે ચિંતીત થવાની જરૂરીયાત છે.
તેમજ રાજકીય વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ખાન સરકારની ક્ષમતા હવે પૂરવાર થશે.
જો સરકાર ગભરાઈને વધુ પડતો પ્રતિભાવ આપશે તો હિંસા ફાટી નિકળવાની તથા પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર થવાની શક્યતા નકારી શકાય નહીં.
ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે, ત્યારથી પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા મરણીયા પ્રયાસો કર્યા છે.
જોકે ભારત કાશ્મીર મુદ્દે બંધારણ મુજબની કાર્યવાહી થઈ છે એ બાબત વિશ્વ સમુદાયને સમજાવવામાં સફળ રહ્યો છે.
હવે કાશ્મીર મુદ્દે વિશ્વમાં અળગુ પડી ગયાનો અહેસાસ થતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આ મુદ્દે રાજકારણ કરવાની શરૂઆત કરી છે.
કાશ્મીર બાબતોના પાકિસ્તાનના મંત્રી અલી અમીને ખૂલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મીસાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ.
તેમણે પાકિસ્તાનની ખાનગી સમાચાર ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જો કાશ્મીર મુદ્દે યુદ્ધ શરૂ થાય તો કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપનાર દેશોને પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
ભારતને કાશ્મીર મુદ્દે સમર્થન આપનાર કોઈપણ દેશ પાકિસ્તાનનો દુશ્મન ગણાશે.
અલી અમીલ એ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદની જેમ બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે.
પ્રધાનમંત્રી ઈમરાન ખાને આવા માણસોને ઉચ્ચ પદ ઉપર બેસાડ્યા છે, એ બાબત આશ્ચર્યજનક ગણાવી શકાય.
પાકિસ્તાનમાં સ્થાનિક મુદ્દાઓના કારણે સંઘર્ષ અને વિવાદો ઉભા થવાની શરૂઆત થતા ઈમરાન ખાને પાકિસ્તાની નાગરિકોની ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરવાના રાજકારણનો ટેકો લેવાની શરૂઆત કરી છે.
એ બાબતે સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે બચાવની ભૂમિકામાં આવી ગયા છે.
પાકિસ્તાનના વિશ્લેષકોએ પણ સ્પષ્ટ નોંધ કરી છે કે, વિશ્વ સમુદાય કાશ્મીર મુદ્દાની મુલવણી પાકિસ્તાનના દૃષ્ટિકોણથી કરતો નથી.
સામે પક્ષે ભારતે વિકાસ માટે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ – એમ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો રચ્યા છે, તે પગલાને વિશ્વ આલમે આવકાર્યું છે.
વિશ્વના મૂડીરોકાણકારો કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા આગળ આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
પાકિસ્તાનના કાશ્મીર બાબતનો વિભાગ સંભાળતા મંત્રીને વિકાસ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે તેઓ યુદ્ધ કરવા તૈયાર છે.
વિકાસ અંગેના પ્રશ્નના જવાબમાં મળેલો આવો પ્રતિભાવ સાચે જ આઘાતજનક છે.
દરમ્યાન જમણેરી પાંખના ધાર્મિક નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આપેલા સરકાર વિરોધી રેલીને અસાધારણ પ્રતિભાવ મળ્યો છે.
મૌલાના ફઝલ ઉર રહેમાને સરકાર વિરોધી અને કરાંચીથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે કહ્યું કે, સરકારે નાગરિકોને સત્તા પાછી આપવી જ પડશે.
તેમણે ગુજરાનવાલામાં રેલીને સંબોધતા ઈમરાન ખાન સરકાર સામે દેશના અર્થતંત્રનો વિનાશ કરવાનો આક્ષેપ કર્યો હતો.
પાકિસ્તાનના મુખ્ય વિરોધી પક્ષો – પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝ – PML-N તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી – PPP પક્ષોએ પણ મૌલાનાની સરકાર વિરોધી રેલીને સમર્થન આપ્યું છે.
દરમ્યાન ઈમરાન ખાન સરકારે JUI-F પક્ષની યુવા પાંખ અન્સર-ઉલ-ઈસ્લામને આતંકવાદી સંગઠન ગણાવીને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
JUI-F પક્ષે સરકારના પ્રતિબંધ મૂકવાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે.
ઈસ્લામાબાદમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી પરિસ્થિતિ વણસી પણ શકે છે.
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સિરિલ અલમેઈડાએ ટિપ્પણી કરી છે કે, ખાન સરકારે આ પરિસ્થિતિ અંગે ચિંતીત થવાની જરૂરીયાત છે.
તેમજ રાજકીય વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ખાન સરકારની ક્ષમતા હવે પૂરવાર થશે.
જો સરકાર ગભરાઈને વધુ પડતો પ્રતિભાવ આપશે તો હિંસા ફાટી નિકળવાની તથા પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર થવાની શક્યતા નકારી શકાય નહીં.
Comments
Post a Comment