Skip to main content

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલની ભારતની મુલાકાતથી સુદ્રઢ બનેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલના અધ્યક્ષપદે પાંચમી આંતર સરકારી મસલતી બેઠક દિલ્હીમાં યોજાઇ ગઇ. ભારત એક એવો પસંદગીપાત્ર દેશ છે કે જેમની સાથે જર્મની ઉચ્ચસ્તરીય રાજદ્વારી બેઠક યોજે છે. સુ.શ્રી માર્કેલની ભારતની આ ચોથી મુલાકાત હતી. તેમની સાથે બાર મંત્રીઓ અને વેપારક્ષેત્રના અગ્રણીઓનું પ્રતિનિધીમંડળ પણ ભારત આવ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા અને વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભારત અને જર્મની વચ્ચે વેપારક્ષેત્રના સંબંધો ઘણા મજબૂત છે. આથી જ યુરોપીયન સંઘ સાથેનો વેપાર સંતુલીત રીતે આગળ વધે તે હેતુથી ભારતને સમર્થન આપવામાં જર્મની મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. યુરોપીયન સંઘના દેશોની તુલનાએ જર્મની ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ છે.

રાષ્ટ્રપતિના નિવેદન પરથી ભારત યુરોપીયન સંઘ સાથે વેપાર અંગે સમજૂતી કરવા તત્પર હોવાના સંકેત મળે છે. શ્રી કોવિંદે આતંકવાદ સામેની લડતમાં બન્ને દેશોને સહકાર વધારવાનું સૂચન કર્યું છે. આંતર સરકારી મસલતી બેઠકમાં બંને દેશોના વડાઓએ ભારત અને જર્મની વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી સમાન મૂલ્યો, લોકશાહીના સિધ્ધાંતો, મુક્ત વેપાર જેવા આધારસ્તંભોના આધારે ટકી હોવાનો સ્વીકાર કર્યો હતો.

શ્રી નરેન્દ્ર મોદીએ, સુશ્રી માર્કેલને ભારતના સારા મિત્ર અને વૈશ્વિક નેતા ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભારત અને જર્મનીએ સમજૂતી ઉપર કરેલા હસ્તાક્ષર બંને દેશોની મૈત્રીને તથા સંબંધોને નવું બળ આપે છે. બંને દેશોએ વેપાર મૂડી રોકાણના ક્ષેત્ર ઉપરાંત કૃત્રિમ બુધ્ધિમતા, ડિજીટલ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં પણ સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

આંતર સરકારી મસલતી બેઠકના અંતે બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં ભારત અને જર્મનીએ જે 73 ક્ષેત્રોમાં સહકાર વધારવાનો નિર્ણય લીધો છે તેમના નામો દર્શાવવામાં આવ્યા છે. બંને દેશોએ આરોગ્ય, પર્યાવરણ, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં કૃત્રિમ બુધ્ધિમતા તથા ડિજીટલ પરિવર્તનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પણ નિર્ણય લીધો છે.

વેપાર અને મૂડીરોકાણ ક્ષેત્રે ભારત અને જર્મનીએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબની વેપાર પધ્ધતી અમલી બનાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર રીતે જોતા બંને દેશોએ મેઇક ઇન ઇન્ડિયા મીટ્ટસલેન્ડ કાર્યક્રમ તથા જર્મન-ભારત સ્ટાર્ટઅપ કાર્યક્રમ ઉપર ભાર મૂક્યો છે. શ્રી મોદી તથા સુ.શ્રી માર્કેલે – પુનઃપ્રાપ્ય ઉર્જા, ઇ-મોબીલીટી તથા ઉર્જા કાર્યક્ષમતા જેવા નવા ક્ષેત્રોમાં નવકલ્પના તથા અદ્યતન ટેકનોલોજીના આધારે નવું કૌશલ્ય વિકસાવવા ઉપર ભાર મૂકયો હતો.

ભારત અને જર્મનીએ આર્થિક ક્ષેત્રના મુદ્દાઓ અંગે સઘન ચર્ચા કરવા તથા વિચારોના આદાન-પ્રદાન માટે મંચ પૂરો પાડતા, બન્ને દેશોના નાણા મંત્રીઓના કચેરીઓના અધિકારીઓની બેઠક ફરીથી યોજવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાઇસ્પીડ તથા સેમી – હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ સ્થાપવામાં જર્મનીએ મદદરૂપ થવાનો પણ નિર્ણય લીધો છે.

આબોહવામાં પરિવર્તન ક્ષેત્રે પણ બંને દેશોએ સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી પેરીસ સમજૂતી બંને દેશો માટે માર્ગદર્શક રૂપરેખાનું કામ કરશે. સૂર્ય ઉર્જા ક્ષેત્રે પણ બંને દેશોએ સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ હેતુથી વર્ષ 2015માં ભારત – જર્મની સૂર્ય ઉર્જા ભાગીદારી અંગે સમજૂતી તથા ભારત – જર્મની ઉર્જા મંચ જેવા પ્રયાસો હાથ ધરાયા છે. બંને દેશોએ, નાગરીકો વચ્ચેનો સંપર્ક વધારવો ઉચ્ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાનો નિર્ણય લીધો.

ભારત અને જર્મની વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીના સંબંધને વર્ષ 2020માં બે દસકાઓ પૂર્ણ થશે. આથી બંને દેશોએ દર વર્ષે વિદેશ સચિવ સ્તરની મંત્રણાઓ યોજવાનો પણ નિર્ણય લીધો છે. બંને દેશોએ વૈશ્વિક તથા પ્રાદેશિક સ્તરના સંરક્ષણ ક્ષેત્રના પડકારોનો સાથે મળીને સામનો કરવાનો પણ નિર્ણય લીધો છે.


બંને દેશો અફઘાનીસ્તાનની સમસ્યા શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તથા ઇરાન પરમાણુ સમજૂતીને સમર્થન આપવા સંમત થયા છે.




લેખક – પ્રોફેસર ઉમ્મુ સલમાબાવા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...