Skip to main content

જમીન જાગીરને પ્રોત્સાહન આપવા સરકારના સકારાત્મક પગલા


પ્રવર્તમાન વૈશ્વિક મંદીના વમળોની અસર હેઠળ અર્થતંત્રનો વૃદ્ધિદર દબાવ હેઠળ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકાર દ્વારા નિર્ણાયક એવા સ્થાવર જમીન ક્ષેત્રના પુનરુત્થાન માટે ભંડોળ ફાળવવાનો નિર્ણય, વ્યાપ માંગને પ્રોત્સાહિત કરવા માટેનું ભારતીય અર્થ વ્યવસ્થાનું યોગ્ય દિશામાં લીધેલું આવશ્યક પગલું છે.

અર્થતંત્રના વિસ્તરણને વૃદ્ધિની દિશામાં રાખવા માટેના પડકારનો સામનો કરીને સરકારે 1600 પ્રોજેક્ટમાં ચાર લાખ 58 હજાર હાઉસિં યુનિટને પુનઃ જીવીત કરવા 250 અબજ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રોજેક્ટમાં બાંધકામના કાર્યોને આવરી લેવાશે. જેમાં બેન્કો દ્વારા બિન પરફોર્મિંગ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અથવા તો જેને નાદારીની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચન કર્યા મુજબ દેશભરમાં અટવાયેલા પ્રોજેક્ટમાં હોમ લોન – ઇએમઆઈ ની ચૂકવણી માટે કસૂરવાર સાબિત થયેલા લોકોને થોડી રાહત મળશે. સરકારે આ પેટે 200 અબજ રૂપિયાના ફંડને જાહેર કર્યું છે.

નિષ્ણાંતોના મત પ્રમાણે આ પગલાને ધ્યાનમાં લેતા, સ્થાવર મિલકત ક્ષેત્રના પુનરુત્થાનમાં આ નોંધપાત્ર મદદ કરશે, જે પ્રવાહિતાની તીવ્ર મંદીનો સામનો કરી રહ્યું છે. કારણ કે, ઘણા બિલ્ડરો ઉચ્ચત્તમ રીતે લાભ મેળવે છે અને નવા એપાર્ટમેન્ટ વેચવામાં સમર્થન છે. એવું માનવામાં આવે છે કે, આ પગલું ઘર ખરીદનારાઓ અને રીઅલ એસ્ટેટ ડેવલેપર્સ માટે લાભકર્ત સાબિત થશે. સ્થાવર મિલ્કત ક્ષેત્ર જે વૈશ્વિક માન્યતા પ્રાપ્તક્ષેત્ર છે, અર્થતંત્રની વૃદ્ધિ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતમાં સ્થાવર મિલકત ક્ષેત્રે મુખ્યત્વે આવાસ અને બાંધકામ ક્ષેત્રનો સમાવેશ થાય છે જે રોજગારના નવા અવસર ઉપલબ્ધ કરાવવા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ક્ષેત્ર સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો સહિત, અર્થતંત્રના સમગ્ર વહીવટની માંગચક્રને ઉત્તેજિત કરવામાં પણ પ્રબળ ભૂમિકા ભજવશે. ભારતીય બાંધકામ ઉદ્યોગ અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પણે 14 મોટા ક્ષેત્રમાં ત્રીજા નંબરે છે.

એકંદરે સ્થાવર મિલકત ક્ષેત્ર જીડીપી દર વધારવા પ્રોત્સાહિત કરાવવામાં મદદરૂપ છે. ભારતીય અર્થવ્યવસ્થાના કદ અને પરિમાણને જોતા ભારતમાં સ્થાવર મિલકત ક્ષેત્ર 2030 સુધીમાં એક ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચે અને 2025 સુધીમાં દેશમાં દેશના જીડીપી દરમાં 13 ટકા જેટલું યોગદાન આપે તેવું અનુમાન છે, ઉપરાંત સ્થાવર મિલકત ક્ષેત્રમાં વિદેશી સીધા મૂડીરોકાણને આકર્ષવા મોટી સંભાવના છે. ઔદ્યોગિ નીતિ અને વળતર વિભાગ મુજબ, ભારતમાં બાંધકામ વિકાસ ક્ષેત્રે એપ્રિલ 2000થી માર્ચ 2019 દરમિયાન વિદેશી સીધા રોકાણની ઇક્વીટીની આવક 25.4 અબજ અમેરિક ડોલર છે.

એ નોંધપાત્ બાબત છે કે, સેબી એટલે કે, ભારતીય સલામતી અને વિનિમય બોર્ડ રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ- આરઈઆઈટી પ્લેટફોર્મ માટે મંજૂરી આપી છે જે તમામ રોકાણકારોને ભારતીય સ્થાવર મિલકત બજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં મદદરૂ બનશે. જે આગામી વર્ષોમાં ભારતીય બજારમાં 19.05 અબજ અમેરિકન ડોલરની તક ઊભી કરશે.

ભારતીય સ્થાવર મિલકત ક્ષેત્રે સીધા મૂડીરોકાણનો વધતો પ્રવાહ પણ વધતી પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. સ્થાવર મુલ્કિતના વિકાસકર્તાઓ શહેરોમાં અનેક પ્રોજેક્ટના સંચાલનની વધતી જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્રીય પ્રક્રિયાઓમાં પણ રોકાણ કરી રહ્યા છે. વધુ માનવબળ સહિત લાયક વ્યાવસાયિકોની નિમણૂંક કરી રહ્યા છે.

આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનાર અને વધુ મજબૂત બનાવનાર જમીન જાગીર જેવા ભારતના મોટા ક્ષેત્રને અવગણી ના જ શકાય. આથી જ સ્થાવર મિલકત ક્ષેત્રે પુનરુત્થાન માટે સરકારે લીધેલા પગલાં ખરેખર સકારાત્મક છે.

લેખક – આદિત્યરાજ દાસ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...