ભારતના વિભાજન બાદ બે દેશોની રચનાના પગલે અલગ પડી ગયેલા શીખ ધર્મસ્થળોએ સરળતાથી જઈ શકાય, તે હેતુથી શીખ લોકો દરરોજ પ્રાર્થના કરતા હતા. કરતાર પુર ગુરૂદ્વારા આવા જ પવિત્ર સ્થળો પૈકી એક ધર્મસ્થળ હતું.
રાવી નદીના કાંઠે આવેલું આ ધર્મસ્થળ શીખ લોકો માટે આગવું અને આદરનું સ્થાન ધરાવે છે. કારણ કે, સંત ગુરૂનાનક દેવજીએ અહીં 18 વર્ષ સુધી વસવાટ કર્યો હતો અને અહીં જ તેમનો દેહવિલય થયો હતો.
પણ ભારતમાંથી જોઈ શકાય તેવુ આ ધર્મસ્થળ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ચાર કિલોમીટર અંતરે આવેલું છે.
હવે કરતારપુર કોરીડોર શરૂ થતાં, શીખ ભાવિકો દરરોજ તથા સરળતાથી આ પવિત્ર સ્થળે જઇ શકશે. આ બાબત ધાર્મિક લાગણીની દૃષ્ટિએ અગત્યની ગણાવી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પંજાબના ગુરૂદાસપુર ખાતેથી કરતારપુર કોરીડોરની સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું છે.
પ્રધાનમંત્રીએ ડેરાબાબા નાનક ગુરૂદ્વારા ખાતે કોરીડોરનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ભાવિકો હવે દરબાર સાહેબ ગુરૂદ્વારામાં સરળતાથી જઈને પ્રાર્થન દર્શન કરી શકશે. દરબાર સાહેબ ગુરૂદ્વારા તરફ કરતારપુર કોરીડોર મારફતે પાકિસ્તાનમાં જનાર પ્રથમ શીખ જથ્થામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલ અને હરદીપસિંહ પુરી જોડાયા હતા.
કરતારપુર ખાતે બે દસકા સુધી રહેલા ગૂરૂનાનક દેવજીએ પોતાના જીવનકાળ દરમિયાન સત્ય બોલવા તથા પ્રામાણિકતાથી જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. તેમણે બધા સાથે મળીને રહેવા તથા બધા માટે સમાન દૃષ્ટિકોણ રાખવા પણ કહ્યું હતું. તેમણે બધા જ ધર્મો તથા સંપ્રદાયોના માણસો અને બૌદ્ધિકો સાથે વાતચીત વડે અજ્ઞાનના અંધારા દૂર કરવાનો અને બાહ્ય કર્મકાંડનો તીવ્રવિરોધ કર્યો હતો.
કરતારપુર ખાતેના વસવાટ વખતે ગુરૂનાનક દેવજીએ તેમના આધ્યાત્મિક ઉપદેશને આખરી ઓપ આપ્યો હતો. તેઓ ગૃહસ્થ જીવન જીવ્યા હતા અને ખેડૂત તરીકે કાર્ય કર્યું હતું. તેમના અસરકારક અને સરળ ઉપદેશના લીધે વિવિધ ધર્મો તથા ગરીબ અને પૈસાદાર વર્ગના ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા. તેઓ ગુરૂનાનક દેવજી પાસે પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવતા હતા.
ગુરૂનાનક દેવજી તેમને આપણું વિશ્વ, એ દૈવી ઇચ્છાના કારણે સર્જાયેલું છે, તેમ જણાવીને જગતના દૂષણોથી અળગા રહી પવિત્ર અને શાંત જીવન જીવવાની શીખ આપતા હતા. તેઓ પોતાના અનુયાયીઓને સતત કાર્ય કરો, ભગવાનનું નામ જપો અને દાનધર્મ કરો એવો સરળ ઉપદેશ આપતા હતા.
કરતારપુર ખાતે ચાલી આવતી ઘણી પરંપરાઓ ગુરૂનાનક દેવજીના કાળથી ચાલી આવે છે. જેમાં ધરમશાલ, અંગત અને પંગત જેવી પ્રથાઓનો સમાવેશ થાય છે.
ધરમશાલ એટલે ભાવિકોને એકઠું થવાનું પવિત્રસ્થળ જ્યાં લોકો એકઠા થઈને ગુરૂનાનક દેવજી તથા ભગવાનના ગુણગાન સાંભળે છે. આ ધરમશાલ ધીરે ધીરે ગુરૂદ્વારામાં રૂપાંતરીત થયા.
ગુરૂદ્વારા ખાતે પવિત્ર સંદેશો, અથવા કિર્તન સાંભળવા એકઠા થયેલા ભાવિકોના જથ્થો સંગત તરીકે ઓળખાય છે. આ સંગત સામાજિક કાર્યક્રમ માટે તથા ભાઈચારો મજબૂત બનાવવા માટે ઉપયોગી થાય છે.
સંગતમાં એકઠા થયેલા લોકો જાતિ, દરજ્જો જેવા ભેદભાવ ભૂલીને સમાનતાના ધોરણો સામાજિક કાર્યો માટે પ્રેરાય છે.
આજ સંદેશાને આગળ વધારીને ગરીબ – પૈસાદાર, અથવા જાતિના ભેદભાવ ભૂલીને લોકો લંગર એટલે કે સામૂહિક ભોજન માટે એક જ સ્થળે એકઠા થઈને એક લાઈનમાં બેસે, તેને પંગત તરીકે નામ અપાયું.
લંગર એ ધીરે ધીરે સમાનતા, સ્વાર્થ વિનાની સમાજસેવા અને સ્વયંસેવક તરીકે કામગીરીનો પર્યાય બની ગયું. એક રીતે જોઈએ તો આજ સદગુણો માટે શીખ લોકો વિશ્વભરમાં જાણીતા થયા છે.
કરતારપુર કોરીડોર કાર્યરત થતા ગુરૂનાનક દેવજીના વસવાટના સ્થળે પ્રત્યક્ષ જવાની સાથે સાથે તેમણે આપેલા પ્રેમ, ભાઈચારો, સમાનતા જેવા દિવ્ય સંદેશા પ્રત્યે સમર્પિત થવાની તક ઉભી થઈ છે.
લેખક – નવતેજ સરના,
ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત
રાવી નદીના કાંઠે આવેલું આ ધર્મસ્થળ શીખ લોકો માટે આગવું અને આદરનું સ્થાન ધરાવે છે. કારણ કે, સંત ગુરૂનાનક દેવજીએ અહીં 18 વર્ષ સુધી વસવાટ કર્યો હતો અને અહીં જ તેમનો દેહવિલય થયો હતો.
પણ ભારતમાંથી જોઈ શકાય તેવુ આ ધર્મસ્થળ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ચાર કિલોમીટર અંતરે આવેલું છે.
હવે કરતારપુર કોરીડોર શરૂ થતાં, શીખ ભાવિકો દરરોજ તથા સરળતાથી આ પવિત્ર સ્થળે જઇ શકશે. આ બાબત ધાર્મિક લાગણીની દૃષ્ટિએ અગત્યની ગણાવી શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પંજાબના ગુરૂદાસપુર ખાતેથી કરતારપુર કોરીડોરની સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું છે.
પ્રધાનમંત્રીએ ડેરાબાબા નાનક ગુરૂદ્વારા ખાતે કોરીડોરનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ભાવિકો હવે દરબાર સાહેબ ગુરૂદ્વારામાં સરળતાથી જઈને પ્રાર્થન દર્શન કરી શકશે. દરબાર સાહેબ ગુરૂદ્વારા તરફ કરતારપુર કોરીડોર મારફતે પાકિસ્તાનમાં જનાર પ્રથમ શીખ જથ્થામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલ અને હરદીપસિંહ પુરી જોડાયા હતા.
કરતારપુર ખાતે બે દસકા સુધી રહેલા ગૂરૂનાનક દેવજીએ પોતાના જીવનકાળ દરમિયાન સત્ય બોલવા તથા પ્રામાણિકતાથી જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. તેમણે બધા સાથે મળીને રહેવા તથા બધા માટે સમાન દૃષ્ટિકોણ રાખવા પણ કહ્યું હતું. તેમણે બધા જ ધર્મો તથા સંપ્રદાયોના માણસો અને બૌદ્ધિકો સાથે વાતચીત વડે અજ્ઞાનના અંધારા દૂર કરવાનો અને બાહ્ય કર્મકાંડનો તીવ્રવિરોધ કર્યો હતો.
કરતારપુર ખાતેના વસવાટ વખતે ગુરૂનાનક દેવજીએ તેમના આધ્યાત્મિક ઉપદેશને આખરી ઓપ આપ્યો હતો. તેઓ ગૃહસ્થ જીવન જીવ્યા હતા અને ખેડૂત તરીકે કાર્ય કર્યું હતું. તેમના અસરકારક અને સરળ ઉપદેશના લીધે વિવિધ ધર્મો તથા ગરીબ અને પૈસાદાર વર્ગના ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા. તેઓ ગુરૂનાનક દેવજી પાસે પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવતા હતા.
ગુરૂનાનક દેવજી તેમને આપણું વિશ્વ, એ દૈવી ઇચ્છાના કારણે સર્જાયેલું છે, તેમ જણાવીને જગતના દૂષણોથી અળગા રહી પવિત્ર અને શાંત જીવન જીવવાની શીખ આપતા હતા. તેઓ પોતાના અનુયાયીઓને સતત કાર્ય કરો, ભગવાનનું નામ જપો અને દાનધર્મ કરો એવો સરળ ઉપદેશ આપતા હતા.
કરતારપુર ખાતે ચાલી આવતી ઘણી પરંપરાઓ ગુરૂનાનક દેવજીના કાળથી ચાલી આવે છે. જેમાં ધરમશાલ, અંગત અને પંગત જેવી પ્રથાઓનો સમાવેશ થાય છે.
ધરમશાલ એટલે ભાવિકોને એકઠું થવાનું પવિત્રસ્થળ જ્યાં લોકો એકઠા થઈને ગુરૂનાનક દેવજી તથા ભગવાનના ગુણગાન સાંભળે છે. આ ધરમશાલ ધીરે ધીરે ગુરૂદ્વારામાં રૂપાંતરીત થયા.
ગુરૂદ્વારા ખાતે પવિત્ર સંદેશો, અથવા કિર્તન સાંભળવા એકઠા થયેલા ભાવિકોના જથ્થો સંગત તરીકે ઓળખાય છે. આ સંગત સામાજિક કાર્યક્રમ માટે તથા ભાઈચારો મજબૂત બનાવવા માટે ઉપયોગી થાય છે.
સંગતમાં એકઠા થયેલા લોકો જાતિ, દરજ્જો જેવા ભેદભાવ ભૂલીને સમાનતાના ધોરણો સામાજિક કાર્યો માટે પ્રેરાય છે.
આજ સંદેશાને આગળ વધારીને ગરીબ – પૈસાદાર, અથવા જાતિના ભેદભાવ ભૂલીને લોકો લંગર એટલે કે સામૂહિક ભોજન માટે એક જ સ્થળે એકઠા થઈને એક લાઈનમાં બેસે, તેને પંગત તરીકે નામ અપાયું.
લંગર એ ધીરે ધીરે સમાનતા, સ્વાર્થ વિનાની સમાજસેવા અને સ્વયંસેવક તરીકે કામગીરીનો પર્યાય બની ગયું. એક રીતે જોઈએ તો આજ સદગુણો માટે શીખ લોકો વિશ્વભરમાં જાણીતા થયા છે.
કરતારપુર કોરીડોર કાર્યરત થતા ગુરૂનાનક દેવજીના વસવાટના સ્થળે પ્રત્યક્ષ જવાની સાથે સાથે તેમણે આપેલા પ્રેમ, ભાઈચારો, સમાનતા જેવા દિવ્ય સંદેશા પ્રત્યે સમર્પિત થવાની તક ઉભી થઈ છે.
લેખક – નવતેજ સરના,
ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત
Comments
Post a Comment