શાંધાઈ સહકાર સંગઠન SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદ ગત સપ્તાહમાં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાઇ ગઇ. ભારતે – યુરોપ તથા એશિયાને કેન્દ્રમાં રાખતા આ સંગઠનમાં વર્ષ 2017માં સભ્યપદ મેળવ્યું.
SCOના સંગઠનના સભ્યદેશોના વડાઓની આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠક રશિયાના સોચીમાં અને બીજી બેઠક તાજીકીસ્તાનમાં યોજાઇ હતી. SCO સંગઠનના સભ્યદેશોમાં ભારત ઉપરાંત કઝકસ્તાન, ચીન, કિર્ગીઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજીકીસ્તાન અને ઉઝબેકીસ્તાનનો સમાવેશ થાય છે. તેમાં ચાર નિરીક્ષકો અને છ મંત્રણા ભાગીદારો પણ છે.
આ સંગઠનના નિર્ણયનો અધિકાર લેતી સર્વોચ્ચ સંસ્થાને સભ્ય દેશોના વડાઓની પરિષદ કહેવાય છે. તેની નીચે સરકારી વડાઓની પરિષદ આવે છે. સરકારી વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે. જેમાં વાર્ષિક બજેટ, વ્યુહરચના અંગે ચર્ચા તથા બહુસ્તરીય સહકાર જેવા મુદ્દાઓ બાબતે ચર્ચાવિચારણા થાય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રીના ખાસ પ્રતિનિધી તરીકે આ બેઠકમાં ભાગ લેવા ગયા છે. બધા દેશોએ આતંકવાદ અને અંતિમવાદ અંગે ચિંતા દર્શાવી છે. શ્રી રાજનાથસિંહે આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા. SCOના સંગઠનના સભ્ય દેશોને સંગઠીત થવા તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓને લાગુ કરવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, આતંકવાદ સમાજને તોડે છે તથા વિકાસલક્ષી કામોમાં અવરોધો ઉભા કરે છે.
તેમણે વિશ્વઆલમને આબોહવામાં પરિવર્તન, ગરીબી, અસમાનતા જેવી સમસ્યાઓનો સામનો કરવા SCOને સંગઠીત થવા અનુરોધ કર્યો. SCO સંગઠન વિશ્વની આશરે 42 ટકા લોકવસતીનું પ્રતિનિધીત્વ કરે છે તથા જગતનો 22 ટકા જમીન વિસ્તાર SCO સંગઠનના દેશોમાં આવેલો છે. શ્રી રાજનાથસિંહે SCO સંગઠનના સભ્ય દેશોને ભારતમાં ઉપલબ્ધ વેપારને અનુકૂળ વાતાવરણ અને તકોનો પરિચય આપ્યો.
તેમણે SCO સંગઠનના દેશોને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. SCO સંગઠનમાં ચીન પછી ભારત પાસે બીજો નંબરનો જમીન વિસ્તાર આવેલ છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ભારત કૌશલ્ય વિકાસ, કૃષિ, દવાઓ, તબીબી પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પોતાના અનુભવ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિકરણે જેમ નવી તકો ઊભી કરી આપી છે તેમ નવા પડકારો પણ ઊભા થયા છે. આથી જ SCOના સભ્યદેશોએ પરસ્પર સહકાર વધારવો જોઇએ. તેમણે કહ્યું કે, વિકસીત દેશોમાં સંરક્ષણવાદની નીતિ જોવા મળે છે.
શ્રી રાજનાથસિંહે કહ્યું કે, વિશ્વ વેપાર સંસ્થા સાથે – પારદર્શક, મુક્ત, નિયમ આધારીત તથા ભેદભાવ વિનાની નીતિનો જ અમલ કરવો જોઇએ. તેમણે લોકોને સારૂ ભવિષ્ય આપવા આર્થિક સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો. તેમણે લોકકલ્યાણની વાત કેન્દ્રમાં રાખીને આર્થિક વિકાસ સાધવા ભારપૂર્વક અનુરોધ કર્યો.
SCO સંગઠનના દેશો સામે કુદરતી આપત્તીનો ભય રહેલો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘની મહાસભામાં રજુ કરેલા કુદરતી આપત્તી સામે સાથે મળીને લડવા તથા જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સંકલ્પના દોહરાવીને, શ્રી રાજનાથસિંહે આ મુદ્દે સહકાર વધારવાની અપીલ SCO સંગઠનના સભ્યદેશોને કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાશ્કંદમાં આવેલી ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પો ચઢાવી તેમને ભાવભીની અંજલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુધ્ધ પછી તાશ્કંદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી સધાઇ હતી. આ ઘટના પછી 11 જાન્યુઆરી 1966માં લાલબહાદુર શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું હતું.
શ્રી રાજનાથસિંહે સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની સ્મૃતિમાં બંધાયેલ શાળાની પણ મુલાકાત લીધી હતી. SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદની હવે પછીન બેઠક ભારતમાં આગામી 2020માં યોજાશે.
લેખક – ડોક્ટર અતહાર ઝફર, મધ્ય એશિયાની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
SCOના સંગઠનના સભ્યદેશોના વડાઓની આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠક રશિયાના સોચીમાં અને બીજી બેઠક તાજીકીસ્તાનમાં યોજાઇ હતી. SCO સંગઠનના સભ્યદેશોમાં ભારત ઉપરાંત કઝકસ્તાન, ચીન, કિર્ગીઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજીકીસ્તાન અને ઉઝબેકીસ્તાનનો સમાવેશ થાય છે. તેમાં ચાર નિરીક્ષકો અને છ મંત્રણા ભાગીદારો પણ છે.
આ સંગઠનના નિર્ણયનો અધિકાર લેતી સર્વોચ્ચ સંસ્થાને સભ્ય દેશોના વડાઓની પરિષદ કહેવાય છે. તેની નીચે સરકારી વડાઓની પરિષદ આવે છે. સરકારી વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે. જેમાં વાર્ષિક બજેટ, વ્યુહરચના અંગે ચર્ચા તથા બહુસ્તરીય સહકાર જેવા મુદ્દાઓ બાબતે ચર્ચાવિચારણા થાય છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રીના ખાસ પ્રતિનિધી તરીકે આ બેઠકમાં ભાગ લેવા ગયા છે. બધા દેશોએ આતંકવાદ અને અંતિમવાદ અંગે ચિંતા દર્શાવી છે. શ્રી રાજનાથસિંહે આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા. SCOના સંગઠનના સભ્ય દેશોને સંગઠીત થવા તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓને લાગુ કરવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, આતંકવાદ સમાજને તોડે છે તથા વિકાસલક્ષી કામોમાં અવરોધો ઉભા કરે છે.
તેમણે વિશ્વઆલમને આબોહવામાં પરિવર્તન, ગરીબી, અસમાનતા જેવી સમસ્યાઓનો સામનો કરવા SCOને સંગઠીત થવા અનુરોધ કર્યો. SCO સંગઠન વિશ્વની આશરે 42 ટકા લોકવસતીનું પ્રતિનિધીત્વ કરે છે તથા જગતનો 22 ટકા જમીન વિસ્તાર SCO સંગઠનના દેશોમાં આવેલો છે. શ્રી રાજનાથસિંહે SCO સંગઠનના સભ્ય દેશોને ભારતમાં ઉપલબ્ધ વેપારને અનુકૂળ વાતાવરણ અને તકોનો પરિચય આપ્યો.
તેમણે SCO સંગઠનના દેશોને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. SCO સંગઠનમાં ચીન પછી ભારત પાસે બીજો નંબરનો જમીન વિસ્તાર આવેલ છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ભારત કૌશલ્ય વિકાસ, કૃષિ, દવાઓ, તબીબી પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પોતાના અનુભવ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિકરણે જેમ નવી તકો ઊભી કરી આપી છે તેમ નવા પડકારો પણ ઊભા થયા છે. આથી જ SCOના સભ્યદેશોએ પરસ્પર સહકાર વધારવો જોઇએ. તેમણે કહ્યું કે, વિકસીત દેશોમાં સંરક્ષણવાદની નીતિ જોવા મળે છે.
શ્રી રાજનાથસિંહે કહ્યું કે, વિશ્વ વેપાર સંસ્થા સાથે – પારદર્શક, મુક્ત, નિયમ આધારીત તથા ભેદભાવ વિનાની નીતિનો જ અમલ કરવો જોઇએ. તેમણે લોકોને સારૂ ભવિષ્ય આપવા આર્થિક સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો. તેમણે લોકકલ્યાણની વાત કેન્દ્રમાં રાખીને આર્થિક વિકાસ સાધવા ભારપૂર્વક અનુરોધ કર્યો.
SCO સંગઠનના દેશો સામે કુદરતી આપત્તીનો ભય રહેલો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘની મહાસભામાં રજુ કરેલા કુદરતી આપત્તી સામે સાથે મળીને લડવા તથા જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સંકલ્પના દોહરાવીને, શ્રી રાજનાથસિંહે આ મુદ્દે સહકાર વધારવાની અપીલ SCO સંગઠનના સભ્યદેશોને કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાશ્કંદમાં આવેલી ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પો ચઢાવી તેમને ભાવભીની અંજલી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુધ્ધ પછી તાશ્કંદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી સધાઇ હતી. આ ઘટના પછી 11 જાન્યુઆરી 1966માં લાલબહાદુર શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું હતું.
શ્રી રાજનાથસિંહે સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની સ્મૃતિમાં બંધાયેલ શાળાની પણ મુલાકાત લીધી હતી. SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદની હવે પછીન બેઠક ભારતમાં આગામી 2020માં યોજાશે.
લેખક – ડોક્ટર અતહાર ઝફર, મધ્ય એશિયાની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment