ચીન સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, તેણે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને વિએતનાના ખાસ આર્થિક વિસ્તાર - EEZમાં પ્રવેશ કર્યો છે. એવો પણ આક્ષેપ કરાય છે કે, ચીનનું સર્વે માટેનું જહાજ વિએતનામના દરિયાકાંઠાથી 60 નોટીકલ માઇલ નજીક પહોંચી ગયું હતું. આ થવાથી વિએતનામની આર્થિક સલામતી જોખમમાં મૂકાઈ છે.
ચીનના સર્વેક્ષણ માટેના જહાજે પોતાના રક્ષણ માટે બીજા ચાર ચીની જહાજોને લઈને દક્ષિણ પૂર્વ વિએતનામના ફૂ ક્યુ ટાપુથી માત્ર 102 કિલોમીટર અંતર સુધી જઈને કામગીરી કરી હતી.
અહેવાલો મુજબ આ સ્થળ વિએતનામના ફાન થીએટ શહેરના બીચ વિસ્તારથી 185 કિલોમીટર અંતરે આવેલ છે.
સામાન્ય રીતે કોઈપણ દેશના દરિયાકાંઠાથી 200 નોટીકલ માઇલ અથવા 370 કિલોમીટર સુધીના જળ વિસ્તારને, જે તે દેશનો ખાસ આર્થિક વિસ્તાર EEZ ગણવામાં આવે છે. સંબંધીત વિસ્તારમાં આવેલ કુદરતી જળ સંપદા અને પેટાળની કુદરતી સંપત્તિનો અધિકાર જે તે દેશને મળતો હોય છે.
દક્ષિણ ચીન, સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ટકી રહે તેવું ઇચ્છતા લોકોએ, ચીનને પોતાના સર્વેક્ષણ માટેના જહાજો સંબંધિત વિસ્તારમાંથી પાછા ખેંચવા અનુરોધ કરવો જોઈએ.
સંબંધિ જહાજો વિએતનામના દરિયાકિનારાની ઘણા નજીક પહોંચી ગયા હોવાથી ચીનના હેતુ અંગે આશંકા ઊભી થાય છે.
આના લીધે વિએતનામે રશિયાની કંપનીની સાથે મળી પોતાના જળ વિસ્તારમાં ખનીજતેલ સંશોધન અને શારકામની હાથ ધરેલી કામગીરીને પણ અસર પહોંચી રહી છે.
વિએતનામ અને ચીન વચ્ચે કુદરતી સંપદાથી પરિપૂર્ણ એવા દક્ષિણ ચીન સમુદ્રના જળવિસ્તાર અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનના વિએતનામના EEZ વિસ્તારમાં પ્રવેશવાની ઘટનાઓમાં વધારો થયો છે.
ચીને એકપક્ષીય રીતે નાઇક ડેશ લાઈન તરીકે ઓળખાતા અને અંગ્રેજી મુળાક્ષર યુ આકારના જળ વિસ્તાર ઉપર દાવો કરવાની પ્રવૃત્તિ વધારી છે.
ચીને દાવો કરેલા વિસ્તારમાં વિએતનામનો ખનીજતેલ ઉત્પાદન વિસ્તાર પણ આવી જાય છે.
આ ક્ષેત્રમાંથી મળતું ખનીજતેલ વિએતનામ, ભારત અને રશિયાને રાહત દરે પૂરૂં પાડે છે. ભૂતકાળમાં પણ ચીનની વધતી જતી વાંધાજનક પ્રવૃત્તિ રોકવાની વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસો થયા હતા. જોકે, આવા કોઈ પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી.
આથી દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જવાબદારી આસીયાન દેશો ઉપર વધી જાય છે. જૂન 2019માં આસીયાન દેશોના વિદેશમંત્રીઓની મળેલી બેઠખમાં સંગઠનના અધ્યક્ષના નિવેદનમાં ચીનની દક્ષિણ ચીન સમુદ્રની પ્રવૃત્તિ અંગે ચિંતા દર્શાવવામાં આવી હતી.
આસીયાનની બેંકોક ખાતે યોજાનારી હવે પછીની બેઠકમાં, આ મુદ્દે આસીયાન દેશો એકતા જાળવીને ચીનને સંબંધિત વિસ્તારમાં સંયમ રાખવા દબાણ વધારે તે જરૂરી છે. યજમાન વિએતનામે, આસીયાનની સૂચિત શીખર બેઠકના ઘોષણાપત્રમાં દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારનો ઉલ્લેખ જાળવી રાખવો જોઈએ.
ભારતે, દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંમેલનમાં નિર્ધારિત કરાયા મુજબ દરિયાઇ વિસ્તાર અંગેના કાયદાઓને અનુસરવાનો અનુરોધ કર્યો છે. ભારતનું માનવું છે કે, દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં વધતો જતો તનાવ આંતરરાષ્ટ્રીય જળ વેપાર ઉપર વિપરીત અસર ઊભી કરશે.
આ જળવિસ્તારમાંથી દર વર્ષે પાંચ ટ્રિલિયન અમેરીકી ડોલરની કિંમતની ચીજવસ્તુઓની હેરફેર થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂર્વના દેશો તરફી નીતીના કારણે ભારતના આ વિસ્તારના ઇન્ડોનેશિયા, સીંગાપુર, વિએતનામ અને ફિલિપાઈન્સ જેવા દેશો સાથેના સંબંધો વધુ સુદ્રઢ બન્યું છે.
આથી જ પૂર્વ એશિયા દેશોની શીખર બેઠક તથા આસીયાન દેશોની શીખર બેઠકમાં બધા જ દેશોના વડા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારના વિવાદ અંગે ગંભીરતાથી ચર્ચા કરે, તે જરૂરી બન્યું છે.
ભારત આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં જહાજોની મુક્ત રીતે હેરફેર થવા દેવાના વલણને દોહરાવશે. તેમજ બધા જ પ્રકારના જળવિસ્તારને લગતા વિવાદોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબ લાવવાની તરફેણ ચાલુ રાખશે.
લેખક - પ્રોફેસર બલદાસ ઘોષાલ, પૂર્વ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક
Comments
Post a Comment