Skip to main content

વિવાદનું નવું કેન્દ્ર બની રહેલો દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તાર અંગે સમીક્ષા

ચીન સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, તેણે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને વિએતનાના ખાસ આર્થિક વિસ્તાર - EEZમાં પ્રવેશ કર્યો છે. એવો પણ આક્ષેપ કરાય છે કે, ચીનનું સર્વે માટેનું જહાજ વિએતનામના દરિયાકાંઠાથી 60 નોટીકલ માઇલ નજીક પહોંચી ગયું હતું. આ થવાથી વિએતનામની આર્થિક સલામતી જોખમમાં મૂકાઈ છે. 

ચીનના સર્વેક્ષણ માટેના જહાજે પોતાના રક્ષણ માટે બીજા ચાર ચીની જહાજોને લઈને દક્ષિણ પૂર્વ વિએતનામના ફૂ ક્યુ ટાપુથી માત્ર 102 કિલોમીટર અંતર સુધી જઈને કામગીરી કરી હતી. 

અહેવાલો મુજબ આ સ્થળ વિએતનામના ફાન થીએટ શહેરના બીચ વિસ્તારથી 185 કિલોમીટર અંતરે આવેલ છે. 

સામાન્ય રીતે કોઈપણ દેશના દરિયાકાંઠાથી 200 નોટીકલ માઇલ અથવા 370 કિલોમીટર સુધીના જળ વિસ્તારને, જે તે દેશનો ખાસ આર્થિક વિસ્તાર EEZ ગણવામાં આવે છે. સંબંધીત વિસ્તારમાં આવેલ કુદરતી જળ સંપદા અને પેટાળની કુદરતી સંપત્તિનો અધિકાર જે તે દેશને મળતો હોય છે. 

દક્ષિણ ચીન, સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ટકી રહે તેવું ઇચ્છતા લોકોએ, ચીનને પોતાના સર્વેક્ષણ માટેના જહાજો સંબંધિત વિસ્તારમાંથી પાછા ખેંચવા અનુરોધ કરવો જોઈએ. 

સંબંધિ જહાજો વિએતનામના દરિયાકિનારાની ઘણા નજીક પહોંચી ગયા હોવાથી ચીનના હેતુ અંગે આશંકા ઊભી થાય છે. 

આના લીધે વિએતનામે રશિયાની કંપનીની સાથે મળી પોતાના જળ વિસ્તારમાં ખનીજતેલ સંશોધન અને શારકામની હાથ ધરેલી કામગીરીને પણ અસર પહોંચી રહી છે. 

વિએતનામ અને ચીન વચ્ચે કુદરતી સંપદાથી પરિપૂર્ણ એવા દક્ષિણ ચીન સમુદ્રના જળવિસ્તાર અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 

છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનના વિએતનામના EEZ વિસ્તારમાં પ્રવેશવાની ઘટનાઓમાં વધારો થયો છે. 

ચીને એકપક્ષીય રીતે નાઇક ડેશ લાઈન તરીકે ઓળખાતા અને અંગ્રેજી મુળાક્ષર યુ આકારના જળ વિસ્તાર ઉપર દાવો કરવાની પ્રવૃત્તિ વધારી છે. 

ચીને દાવો કરેલા વિસ્તારમાં વિએતનામનો ખનીજતેલ ઉત્પાદન વિસ્તાર પણ આવી જાય છે. 

આ ક્ષેત્રમાંથી મળતું ખનીજતેલ વિએતનામ, ભારત અને રશિયાને રાહત દરે પૂરૂં પાડે છે. ભૂતકાળમાં પણ ચીનની વધતી જતી વાંધાજનક પ્રવૃત્તિ રોકવાની વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસો થયા હતા. જોકે, આવા કોઈ પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી. 

આથી દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જવાબદારી આસીયાન દેશો ઉપર વધી જાય છે. જૂન 2019માં આસીયાન દેશોના વિદેશમંત્રીઓની મળેલી બેઠખમાં સંગઠનના અધ્યક્ષના નિવેદનમાં ચીનની દક્ષિણ ચીન સમુદ્રની પ્રવૃત્તિ અંગે ચિંતા દર્શાવવામાં આવી હતી. 

આસીયાનની બેંકોક ખાતે યોજાનારી હવે પછીની બેઠકમાં, આ મુદ્દે આસીયાન દેશો એકતા જાળવીને ચીનને સંબંધિત વિસ્તારમાં સંયમ રાખવા દબાણ વધારે તે જરૂરી છે. યજમાન વિએતનામે, આસીયાનની સૂચિત શીખર બેઠકના ઘોષણાપત્રમાં દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારનો ઉલ્લેખ જાળવી રાખવો જોઈએ. 

ભારતે, દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંમેલનમાં નિર્ધારિત કરાયા મુજબ દરિયાઇ વિસ્તાર અંગેના કાયદાઓને અનુસરવાનો અનુરોધ કર્યો છે. ભારતનું માનવું છે કે, દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં વધતો જતો તનાવ આંતરરાષ્ટ્રીય જળ વેપાર ઉપર વિપરીત અસર ઊભી કરશે. 

આ જળવિસ્તારમાંથી દર વર્ષે પાંચ ટ્રિલિયન અમેરીકી ડોલરની કિંમતની ચીજવસ્તુઓની હેરફેર થાય છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂર્વના દેશો તરફી નીતીના કારણે ભારતના આ વિસ્તારના ઇન્ડોનેશિયા, સીંગાપુર, વિએતનામ અને ફિલિપાઈન્સ જેવા દેશો સાથેના સંબંધો વધુ સુદ્રઢ બન્યું છે. 

આથી જ પૂર્વ એશિયા દેશોની શીખર બેઠક તથા આસીયાન દેશોની શીખર બેઠકમાં બધા જ દેશોના વડા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારના વિવાદ અંગે ગંભીરતાથી ચર્ચા કરે, તે જરૂરી બન્યું છે. 



ભારત આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં જહાજોની મુક્ત રીતે હેરફેર થવા દેવાના વલણને દોહરાવશે. તેમજ બધા જ પ્રકારના જળવિસ્તારને લગતા વિવાદોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબ લાવવાની તરફેણ ચાલુ રાખશે.



લેખક - પ્રોફેસર બલદાસ ઘોષાલ, પૂર્વ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...