Skip to main content

પ્રધાનમંત્રીએ વિકાસનો એજન્ડા ભારપૂર્વક દોહરાવ્યો એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સમગ્ર વિશ્વને એ બાબત જણાવી હતી કે, ગરીબોનું કલ્યાણ તથા આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી, એ તેમની સરકારના મુખ્ય ધ્યેય છે.

રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ વખતે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.

તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર વિકાસના એજન્ડાના પથ ઉપરથી સહેજ પણ ખસી નથી. એટલું જ નહીં પણ વિકાસની આ કાર્યસૂચીમાં ઘટાડો પણ કરાયો નથી.

દરેક નાગરિક અધિકારસંપન્ન હોય, દેશમાં અદ્યતન માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તથા દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તે ખૂબ જ અગત્યનું છે.

તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત ઘણા લોકો માટે લોકકલ્યાણની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

એવી જ રીતે સરકારે આધુનિકીકરણનો પાથ પણ અપનાવ્યો છે.

દેશમાં અદ્યતન તબીબી સુવિધા ધરાવતી એઇમ્સની સંખ્યા ૬ છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને ૨૦ કરાશે.

એવી જ રીતે ૧૫૦ જિલ્લા હોÂસ્પટલોને મેડિકલ કોલેજ તથા હોÂસ્પટલોમાં ફેરવવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે, સમગ્ર ભારતમાં સાત નવી આઈઆઈટી, ૧૪-આઈઆઈઆઈટી અને ચાર એનઆઈડી સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.

હવામાનનો વર્તારો તથા સુનામી અંગેની ચેતવણીના ક્ષેત્રે આગાહી કરનાર દેશોમાં ભારત વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. અવકાશ ક્ષેત્રે ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં અવકાશયાત્રી સહિતનું અવકાશયાન મોકલવાની નેમ ધરાવે છે.

એવી જ રીતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો અવકાશમાં પોતાનું અવકાશમથક તરતું મૂકવા પ્રયાસ કરી રહી છે.

ભારત ઉર્જાક્ષેત્રે વધુ મૂડીરોકામ કરવાની નેમ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે, નવું ભારત પણ ધોરીમાર્ગો, રેલવે, ઉડ્ડયન, સ્ટાર્ટ અપ તથા નવકલ્પનાની માગણી કરી રહ્યું છે.

જે દેશ નાગરિકો તેમજ આધુનિક સમયની માગણી તરફ ધ્યાન આપતો નથી, તે આર્થિક રીતે પાછળ પડતો જાય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા કરેલા અનુરોધ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે ભારતીય અર્થતંત્ર ૨.૮ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર છે અને સમગ્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે.

વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે ભારતનો હાલનો વિકાસ દર ૬.૭ ટકા છે. તેને આગામી પાંચ વર્ષમાં વધારીને ૧૦થી ૧૧ ટકા કરવાની જરૂર રહેશે.

ભારત સામેનો આ મોટો પડકાર છે પણ તે આ પડકાર ઝીંલવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીજીની જયંતીને ૧૫૦ વર્ષ થઈ રહ્યા છે તેમજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ બંને ઐતિહાસિક મહત્વ ધરાવતાં પ્રસંગોની ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે ભારતને આઝાદ કરવા પ્રાણનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વિરોના સપનાના ભારતને સાકાર કરવા માટે સઘન પ્રયાસ કરવા દેશના દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાગરિકોના હિતમાં ઘણા નિર્ણયો કર્યા છે. જેનાથી ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને સમાજના અન્ય વર્ગોને લાભ થવાનો છે. તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર નાગરિકોને આપેલા વચનો પરિપૂર્ણ કરવા કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ દેશના ઘણા વિસ્તારોમાં પાણીની અનુભવાતી તંગીની સમસ્યા ધ્યાનમાં લઈને જળસંગ્રહને ટોચની અગ્રતા આપવા દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકાર દરેક પરિવારને ઘરમાં પાઇપલાઇન વડે પાણી આપવા માટે પ્રતિબદ્ધ છે. અને આ હેતુથી જલશÂક્ત મંત્રાલયની રચના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ સંસદમાં કરેલા સંબોધનમાં નવા ભારતના નિર્માણ માટે બધા જ રાજકીય પક્ષોએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે તેવો સંકેત અપાયો છે.

લેખકઃ શંકરકુમાર, પત્રકાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...