પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સમગ્ર વિશ્વને એ બાબત જણાવી હતી કે, ગરીબોનું કલ્યાણ તથા આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી, એ તેમની સરકારના મુખ્ય ધ્યેય છે.
રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ વખતે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર વિકાસના એજન્ડાના પથ ઉપરથી સહેજ પણ ખસી નથી. એટલું જ નહીં પણ વિકાસની આ કાર્યસૂચીમાં ઘટાડો પણ કરાયો નથી.
દરેક નાગરિક અધિકારસંપન્ન હોય, દેશમાં અદ્યતન માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તથા દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તે ખૂબ જ અગત્યનું છે.
તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત ઘણા લોકો માટે લોકકલ્યાણની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
એવી જ રીતે સરકારે આધુનિકીકરણનો પાથ પણ અપનાવ્યો છે.
દેશમાં અદ્યતન તબીબી સુવિધા ધરાવતી એઇમ્સની સંખ્યા ૬ છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને ૨૦ કરાશે.
એવી જ રીતે ૧૫૦ જિલ્લા હોÂસ્પટલોને મેડિકલ કોલેજ તથા હોÂસ્પટલોમાં ફેરવવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે, સમગ્ર ભારતમાં સાત નવી આઈઆઈટી, ૧૪-આઈઆઈઆઈટી અને ચાર એનઆઈડી સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
હવામાનનો વર્તારો તથા સુનામી અંગેની ચેતવણીના ક્ષેત્રે આગાહી કરનાર દેશોમાં ભારત વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. અવકાશ ક્ષેત્રે ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં અવકાશયાત્રી સહિતનું અવકાશયાન મોકલવાની નેમ ધરાવે છે.
એવી જ રીતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો અવકાશમાં પોતાનું અવકાશમથક તરતું મૂકવા પ્રયાસ કરી રહી છે.
ભારત ઉર્જાક્ષેત્રે વધુ મૂડીરોકામ કરવાની નેમ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે, નવું ભારત પણ ધોરીમાર્ગો, રેલવે, ઉડ્ડયન, સ્ટાર્ટ અપ તથા નવકલ્પનાની માગણી કરી રહ્યું છે.
જે દેશ નાગરિકો તેમજ આધુનિક સમયની માગણી તરફ ધ્યાન આપતો નથી, તે આર્થિક રીતે પાછળ પડતો જાય છે.
પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા કરેલા અનુરોધ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે ભારતીય અર્થતંત્ર ૨.૮ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર છે અને સમગ્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે.
વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે ભારતનો હાલનો વિકાસ દર ૬.૭ ટકા છે. તેને આગામી પાંચ વર્ષમાં વધારીને ૧૦થી ૧૧ ટકા કરવાની જરૂર રહેશે.
ભારત સામેનો આ મોટો પડકાર છે પણ તે આ પડકાર ઝીંલવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીજીની જયંતીને ૧૫૦ વર્ષ થઈ રહ્યા છે તેમજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ બંને ઐતિહાસિક મહત્વ ધરાવતાં પ્રસંગોની ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે ભારતને આઝાદ કરવા પ્રાણનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વિરોના સપનાના ભારતને સાકાર કરવા માટે સઘન પ્રયાસ કરવા દેશના દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાગરિકોના હિતમાં ઘણા નિર્ણયો કર્યા છે. જેનાથી ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને સમાજના અન્ય વર્ગોને લાભ થવાનો છે. તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર નાગરિકોને આપેલા વચનો પરિપૂર્ણ કરવા કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ દેશના ઘણા વિસ્તારોમાં પાણીની અનુભવાતી તંગીની સમસ્યા ધ્યાનમાં લઈને જળસંગ્રહને ટોચની અગ્રતા આપવા દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકાર દરેક પરિવારને ઘરમાં પાઇપલાઇન વડે પાણી આપવા માટે પ્રતિબદ્ધ છે. અને આ હેતુથી જલશÂક્ત મંત્રાલયની રચના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ સંસદમાં કરેલા સંબોધનમાં નવા ભારતના નિર્માણ માટે બધા જ રાજકીય પક્ષોએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે તેવો સંકેત અપાયો છે.
લેખકઃ શંકરકુમાર, પત્રકાર
રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ વખતે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર વિકાસના એજન્ડાના પથ ઉપરથી સહેજ પણ ખસી નથી. એટલું જ નહીં પણ વિકાસની આ કાર્યસૂચીમાં ઘટાડો પણ કરાયો નથી.
દરેક નાગરિક અધિકારસંપન્ન હોય, દેશમાં અદ્યતન માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તથા દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તે ખૂબ જ અગત્યનું છે.
તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત ઘણા લોકો માટે લોકકલ્યાણની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
એવી જ રીતે સરકારે આધુનિકીકરણનો પાથ પણ અપનાવ્યો છે.
દેશમાં અદ્યતન તબીબી સુવિધા ધરાવતી એઇમ્સની સંખ્યા ૬ છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને ૨૦ કરાશે.
એવી જ રીતે ૧૫૦ જિલ્લા હોÂસ્પટલોને મેડિકલ કોલેજ તથા હોÂસ્પટલોમાં ફેરવવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે, સમગ્ર ભારતમાં સાત નવી આઈઆઈટી, ૧૪-આઈઆઈઆઈટી અને ચાર એનઆઈડી સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.
હવામાનનો વર્તારો તથા સુનામી અંગેની ચેતવણીના ક્ષેત્રે આગાહી કરનાર દેશોમાં ભારત વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. અવકાશ ક્ષેત્રે ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં અવકાશયાત્રી સહિતનું અવકાશયાન મોકલવાની નેમ ધરાવે છે.
એવી જ રીતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો અવકાશમાં પોતાનું અવકાશમથક તરતું મૂકવા પ્રયાસ કરી રહી છે.
ભારત ઉર્જાક્ષેત્રે વધુ મૂડીરોકામ કરવાની નેમ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે, નવું ભારત પણ ધોરીમાર્ગો, રેલવે, ઉડ્ડયન, સ્ટાર્ટ અપ તથા નવકલ્પનાની માગણી કરી રહ્યું છે.
જે દેશ નાગરિકો તેમજ આધુનિક સમયની માગણી તરફ ધ્યાન આપતો નથી, તે આર્થિક રીતે પાછળ પડતો જાય છે.
પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા કરેલા અનુરોધ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે ભારતીય અર્થતંત્ર ૨.૮ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર છે અને સમગ્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે.
વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે ભારતનો હાલનો વિકાસ દર ૬.૭ ટકા છે. તેને આગામી પાંચ વર્ષમાં વધારીને ૧૦થી ૧૧ ટકા કરવાની જરૂર રહેશે.
ભારત સામેનો આ મોટો પડકાર છે પણ તે આ પડકાર ઝીંલવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીજીની જયંતીને ૧૫૦ વર્ષ થઈ રહ્યા છે તેમજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ બંને ઐતિહાસિક મહત્વ ધરાવતાં પ્રસંગોની ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે ભારતને આઝાદ કરવા પ્રાણનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વિરોના સપનાના ભારતને સાકાર કરવા માટે સઘન પ્રયાસ કરવા દેશના દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાગરિકોના હિતમાં ઘણા નિર્ણયો કર્યા છે. જેનાથી ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને સમાજના અન્ય વર્ગોને લાભ થવાનો છે. તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર નાગરિકોને આપેલા વચનો પરિપૂર્ણ કરવા કામ કરી રહી છે.
પ્રધાનમંત્રીએ દેશના ઘણા વિસ્તારોમાં પાણીની અનુભવાતી તંગીની સમસ્યા ધ્યાનમાં લઈને જળસંગ્રહને ટોચની અગ્રતા આપવા દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકાર દરેક પરિવારને ઘરમાં પાઇપલાઇન વડે પાણી આપવા માટે પ્રતિબદ્ધ છે. અને આ હેતુથી જલશÂક્ત મંત્રાલયની રચના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ સંસદમાં કરેલા સંબોધનમાં નવા ભારતના નિર્માણ માટે બધા જ રાજકીય પક્ષોએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે તેવો સંકેત અપાયો છે.
Comments
Post a Comment