Skip to main content

જાપાનમાં ઓસાકા ખાતે યોજાયેલી બ્રિક્સ સંગઠનના અગ્રણીઓની અનૌપચારીક બેઠક અંગે સમીક્ષા

જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોના વડાઓની શિખર પરીષદ વખતે, બ્રીકસ સંગઠનના – બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વડાઓની બેઠક પણ ઓસાકામાં યોજાઇ ગઇ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝીલના વડા જે. બોલસેનારો, રશિયાના વ્લાદિમીર પુતીન, ચીનના – શી જીનપીંગ તથા દક્ષિણ આફ્રિકાના સીરીલ રામફોસાએ, જી – વીસ સંગઠનની શીખર પરિષદનું આયોજન કરવા તથા આ બેઠકમાં વેપાર, નવકલ્પના જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા માટે જાપાનને અભિનંદન આપ્યા હતા.

બ્રીકસના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વનો આર્થિક વિકાસ દર ધીરે ધીરે Âસ્થર થઇ રહ્યો છે જાકે આગામી ૨૦૨૦ સુધીમાં તે વધશે. જાકે રાજકીય તથા ભૌગોલીક ક્ષેત્રે વધતા જતા તનાવો ચીજ વસ્તુઓની કિંમતમાં થતી અસાધારણ વધ-ઘટ અસમાનતા જેવા વિવિધ કારણોસર આર્થિક વિકાસ દર મજબૂત બનાવવો એ પડકાર છે.

બ્રીક્સ સંગઠને આંતરરાષ્ટ્રીય વેપારમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે અનુકૂળ આર્થિક વાતાવરણની તરફેણ કરી છે.

છેલ્લા દસકામાં બ્રીક્સ સંગઠનના દેશો વૈશ્વિક વિકાસના મુખ્ય ચાલકબળ રહ્યા છે. તેઓ વિશ્વના ઉત્પાદન ક્ષેત્રે ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે. માળખાકીય સુધારા જા યથાવત રખાશે તો બ્રિકસના વિકાસની ક્ષમતામાં વધારો થશે.

બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો વચ્ચે વેપારનું સંતુલીત વિસ્તરણ થાય તો આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ કામગીરી શક્ય બનશે.

બ્રિક્સના અગ્રણીઓએ મુકત બજાર, આર્થિક Âસ્થરતા, સંકલીત બૃહદ આર્થિક નીતિ જેવા મુદ્દાઓના મહત્વનો સ્વીકાર કર્યો છે.

બ્રીક્સ સંગઠન, પારદર્શક, ભેદભાવ વિનાના મુક્ત તથા સર્વગ્રાહી આંતરરાષ્ટ્રીય વેપારની તરફેણ કરે છે.

બ્રીક્સ સંગઠનના વડાઓએ આંતરરાષ્ટ્રીય ધારાઓ આધારીત વ્યવસ્થા પ્રતિ પ્રતિબદ્ધતા વ્યક્ત છે. તેમણે વિશ્વ વેપાર સંસ્થા સાથે નિયમ આધારીત બહુસ્તરીય વેપાર વ્યવસ્થાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. જા કે આ સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું છે કે, ડબ્લ્યુ.ટી.ઓ.ના સુધારાઓ, ડબ્લ્યુ.ટી.ઓ.ના મૂલ્યો તેની તટસ્થતા તથા પાયાના સિધ્ધાંતોને જાળવાવવા જાઇએ.

બ્રિક્સ સંગઠને માળખાકીય સુવિધા વિકાસ ક્ષેત્રે નવી વિકાસ બેંક એન.ડી.બી.ની ભુમિકાને આવકારી છે.

બ્રિક્સ સંગઠને, માળખાકીય મૂડીરોકાણ ક્ષેત્રે પડતર કેસો ઉકેલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મુક્યો છે. આ હેતુથી એન.ડી.બી.ને પ્રાદેશિક ઓફિસોની સ્થાપના વડે મજબૂત બનાવવામાં આવશે.

બ્રિક્સ સંગઠને, સભ્ય દેશોના સ્થાનિક ચલણોની મદદથી †ોતો એકઠા કરવાની એન.ડી.બી.ની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે.

બ્રિક્સ સંગઠને આતંકવાદી હુમલાઓને વખોડીકાઢ્યા છે. સંગઠને, સંયુક્ત રાષ્ટ્રસંઘની સીધી દેખરેખ હેઠળ આતંકવાદનો સામનો કરવા સર્વગ્રાહી તથા સાહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી છે.

તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, આતંકવાદીઓને મળતી આર્થિક રોકવાની જવાબદારી બધા જ દેશોની છે.

બ્રીક્સ દેશોએ ગ્રીન હાઉસ ગેસ એટલે કે પર્યાવરણને અનુકૂળ ન હોય તેવા વાયુનું ઉત્સર્જન અટકાવવા, ઉર્જાની સુનિશ્ચીતા હોય ઉર્જા સરળતાથી ઉપલબ્ધ હોયતેવી પારદર્શક તથા વધુ ફેલેકસીબલ ઉર્જા કાર્યક્ષમતાવાળી પધ્ધતી માટે સહકારનું મહત્વ પણ માન્ય રાખ્યું છે.

બ્રીક્સના બધાજ સભ્ય દેશો આબોહવા અંગેની પેરીસ સમજૂતીને અમલમાં મૂકવા સંમત થયા હતા.

બ્રીક્સ સંગઠનના સભ્ય દેશોએ જણાવ્યું છે કે, રચનાત્મક પરિણામ મેળવવા આ વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની શીખર પરિષદ ઉપર તેઓ મીટ માંડીને બેઠા છે.

બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે બ્રીક્સ દેશોની વાર્ષિક બેઠક યોજાશે. બ્રીક્સે સ્વીકાર્યું છે કે, વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે નવકલ્પના.

બ્રીક્સના આગેવાનોએ નવી ઉદભવતી ટેકનોલોજી તથા ડિજીટલાઇઝેશનના લાભો વધારવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

બ્રીક્સ દેશોના અગ્રણીઓએ સભ્ય દેશો વચ્ચે ઉદ્યોગ સાહસીકતા ક્ષેત્રે સહકાર, વૈજ્ઞાનીક તથા ટેકનીકલ બાબતોના સહકારના મહત્વ ઉપર ભાર મૂક્યો છે.

લેખક : પદમસિંહ, આકાશવાણીના સમાચાર વિશ્લેષક

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...