અમેરિકાએ ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગેની કામગીરી ઉપર ટીકા કરતા આપેલા અહેવાલને રદિયો આપ્યો છે અને તેને દંભી ગણાવ્યો છે.
અમેરિકી સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિષય પરના વાર્ષિક અહેવાલ અન્ય દેશોની ધાર્મિક સ્વતંત્રતા અંગેની વિશ્વસનીયતા પર નૈતિક ચુકાદા આપવાની અમેરિકાની ગેરનીતિ બતાવે છે. અહેવાલના જણાવ્યા મુજબ, હિંસક ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતી સમુદાયના લોકો પર સામૂહિક હુમલાની ઘટનાઓ ૨૦૧૮માં ચાલુ હતી.
આ અહેવાલની કડક નિંદા કરતા ભારતે કહ્યું હતું કે, તેના નાગરિકોની Âસ્થતિ અંગે ટિપ્પણી કરવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. ભારત તેની ધર્મનિરપેક્ષ, તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સહિષ્ણુતા અને સમાવેશકતા માટેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા સાથેના બહુમતવાદી સમાજ તરીકેની ઓળખ પર ગૌરવ અનુભવે છે.
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના અધ્યક્ષ ટેન્ઝોન ડોરજીએ અમેરિકાના અહેવાલ અંગે અસહમતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત એક મજબૂત લોકશાહી અને ન્યાય વ્યવસ્થા સાથે ખુલ્લી સમાજ રચના ધરાવતા દેશ છે. પંચ દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન બહાર પાડવામાં આવે છે. ટ્રમ્પ વહીવટી તંત્રની વિચારધારાને ધ્યાનમાં લેતા, આ અહેવાલ તેમના સ્થાનિક સમર્થકો પર વધુ કેન્દ્રીત છે. ગયા વર્ષે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે વોશિંગ્ટનમાં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતા એ ટ્રમ્પ સરકારની ટોચની પ્રાથમિકતા છે. આ સંબોધનમાં, તેઓએ ધાર્મિક સ્વતંત્રતા સામેના પડકારોની અને ધાર્મિક જૂથો સામે થતી સતામણી અને ભેદભાવની ઘટનાઓને ઘટાડવા માટેના ઉકેલો અંગે ચર્ચા કરી હતી.
માનવાધિકાર હોય કે ધાર્મિક સ્વાતંત્ર્ય કે પ્રસાર માધ્યમોનું સ્વાતંત્ર્ય હોય, અમેરિકાએ હંમેશાં જ ખરાબ પ્રદર્શન કરનાર દેશો પર ટીકા કરી છે. જાકે, તેના સાથી દેશોને હંમેશાં જ છૂટ આપી છે. અમેરિકાએ તેના વિરોધી દેશો દ્વારા થયેલી ગેરરીતિની ટીકા કરી ઉપહાસ કર્યો છે. જાકે, તેના સાથી દેશોદ્વારા થયેલી ગેરરીતિ પર તેઓ શાંત રહ્યા હતા. ફ્રીડમ હાઉસ દ્વારા કરાયેલા મુક્ત, અંશતઃ મુક્ત અને અમુક્ત દેશોના વર્ગીકરણમાં ભારતનો સમાવેશ કેટલીક વાર પ્રસાર માધ્યમો પર અત્યાચાર કરનાર દેશોમાં કરવામાં આવ્યો છે.
રસપ્રદ બાબત એ છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર જે અન્ય દેશોનાં લોકશાહી અને માનવીય હકોના રેકોર્ડ પર નિર્ણય આપે છે. તે હવે ફ્રીડમ હાઉસના રીપોર્ટથી પ્રભાવિત થયા છે. તે કહે છે કે, જ્યારે અમેરિકામાં લોકશાહી વૈશ્વિક ધોરણોથી મજબૂત બની છે. જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાયદાના શાસન પર થઈ રહેલાં હુમલા સત્ય આધારિત પત્રકારત્વ અને અન્ય સિદ્ધાંતો તથા લોકશાહીના માપદંડોમાં વધારે તૂટવાનું જાખમ છે જે ઘણું નબળું બની ગયું છે. ફીડમ હાઉસે ચેતવણી આપી છે કે આ રીતના હુમલા સંદર્ભે અમેરિકી લોકશાહી સંસ્થાઓની Âસ્થતિ સ્થાપક્તાને મંજૂરી કરી શકાય નહીં.
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી આયોગે ૨૦૦૯ પછી ભારતને તપાસની યાદીમાં રાખ્યું છે. ભારતીય વિકેશ મંત્રાલયે આ રિપોર્ટને રદ કરી દીધો છે. ૨૦૧૫ તથા ૨૦૧૮માં આ આરોપને નકારી કાઢ્યા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ ભારતની યાત્રા દરમિયાન ધાર્મિ સહિષ્ણુતા પર ભારતના રેકોર્ડ પણ પડકાર્યો હતો.
કોઈપણ દેશ કદાચ એવો દાવો ના કરી શકે કે ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ કોઈ પક્ષપાત નથી. પરંતુ ભારતમાં અદાલત, માનવાધિકાર આયોગ, લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગ તથા લઘુમતીઓ બાબતોનું મંત્રાલય સહિત એક મજબૂત લોકશાહી અને મજબૂદ સંસ્થાઓ છે. જેમાં ઘણા વિભાગોમાં અમલ કરવાની શÂક્ત હોતી નથી. પરંતુ તેમની પાસે તપાસ કરવાની સત્તા હોય છે.
બધા કહે છે કે, ભારતની ધાર્મિક સ્વતંત્રતા વિશે અમેરિકામાં ગેરસમય પ્રવર્તે છે. આવા બિનજરૂરી અહેવાલો ભાગ્યે જ મદદરૂપ બને છે. કારણ કે, તેમાં ભારતની આંતરિક બાબતો અને ખેંચતાણ વિશે દખલગીરી હોય છે. ભારતમાં ધર્મનિરપેક્ષતા કસોટીની એરણે છે. ભારતમાં લઘુમતીઓ બંધારણીય માન્યતા મેળવીને ભારતીય બંધારણના કારણે સુખી સુરક્ષિત છે. ઘણાં દેશોએ પોતાના નાગરિકોને આ પ્રકારના અધિકાર નથી આપ્યા. એટલે જ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ જણાવ્યું છે કે, ભારતની ધર્મનિરપેક્ષતાને કોઈ પડકારી શકશે નહીં.
Comments
Post a Comment